Wednesday, July 23, 2008

Chaturmaas

આત્માને ભીંજવતો ચાતુર્માસ - Courtesy રેખા શુકલ
મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રીહરિને પ્રણામ કરી તેમના સ્મરણમાત્રથી તમામ પાપોમાંથી મુકત થાય છે

અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧ સુધીના ચાર મહિના અર્થાત્ ચાતુર્માસ એટલે સ્નાન-દાન-વ્રત-ભગવત સ્મરણ-પૂજન-અર્ચન ઇશ્વરની ઉપાસના-આરાધના દ્વારા જીવનના આઘ્યાત્મને મેઘધનુષ્યના રંગે રંગી દેતો વિશિષ્ટ અવસર. ચાતુર્માસ એટલે ક્રોધ-માન-માયા-લોભ રૂપી આગ-આવેશને બુઝાવી કર્મોની વળગાળને બાળી, ખાખ કરી આત્માને જ્ઞાન-ઘ્યાનથી ભીંજવી નાખવાની મોસમ. સાધુ-સંન્યાસી માટે પરિભ્રમણ પર પ્રતિબંધ અને સ્થિર વાસ માટેનું ફરમાન. હિંદુ ધર્મશાસ્ત્રો આ ગાળાને વિશિષ્ટ મહત્ત્વ આપતાં હોવાથી જ આ સમયગાળામાં જ દેવશયની તથા દેવઠી એકાદશી, નાગપાંચમ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, શીતળાસાતમ, જન્માષ્ટમી, ગણેશ જયંતી, નવરાત્રિ-દશેરા દીપાવલી જેવાં વ્રત-પર્વોનું આયોજન થયેલ છે.

ચાતુર્માસમાં જળની વિશેષ રૂપથી શુદ્ધિ થાય છે અને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના અંગૂષ્ઠ વડે પ્રવાહિત થયેલ સદા પાપનાશિની ગંગા સ્નાનનું ચાતુર્માસ મહાત્મ્ય વિશેષ રૂપથી પ્રકટ થાય છે. સઘળાં તીર્થ, દાન, પુણ્ય અને દેવસ્થાન પણ ચાતુર્માસમાં મોક્ષદાતા સંસારસાગરથી પાર ઉતારવાવાળા ભગવાન વિષ્ણુનું શરણ લે છે અને મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રી હરિને પ્રણામ કરી તેમનાં સ્મરણ માત્રથી તમામ પાપોથી મુકત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુનું વ્રત કરનાર મનુષ્ય પણ ઉત્તમ મનાય છે. ચાતુર્માસમાં ભગવાન નારાયણ સ્વયં જળમાં શયન કરે છે. એટલે તે સમયે ભગવાન વિષ્ણુના તેજનું અંશ પણ જળમાં વ્યાપ્ત રહે છે તેથી તે સમયે કરેલું સ્નાન તમામ તીર્થોકરતાં અધિક ફળદાયી ગણાય છે. ચાતુર્માસમાં ભગવાનના શયન થયા પછી નદીઓનાં સંગમમાં સ્નાન પશ્ચાત શ્રદ્ધાયુકત ચિત વડે પિતૃઓ અને દેવતાઓને તર્પણ કરી જપ-હોમ વગેરે કરવાથી મહાન અનંત ફળની પ્રાપ્તિ થાય છે.

વેદમાં અન્નને બ્રહ્મ કહેલ છે, અન્નમાં જ પ્રાણોની પ્રતિષ્ઠા છે. અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે જેના વડે સર્વ પ્રાણી પ્રસન્ન થાય છે. જળદાન કરનાર તૃપ્તિ અને અન્નદાન કરનાર અક્ષય સુખને પામે છે તેથી ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વૈકુંઠધામમાં જવાની ઇરછા હોય તેમણે બધાં પાપોના નાશ માટે ચોમાસામાં અન્નદાન અવશ્ય કરવું જ જોઈએ.

ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ચાતુર્માસમાં વિધાદાન, ગૌદાન અને ભૂમિદાન કરનારના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિ માટે પોતાને પ્રિય હોય તેવા ભોગોનો પૂર્ણપ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે તેને તેનાં દ્વારા ત્યાગ કરવામાં આવેલ તે વસ્તુઓ અક્ષયરૂપમાં પ્રાપ્ત થાય છે અને તે અનંત ફળનો ભાગી બને છે.

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી બાહ્ય આશ્રમનું સેવન કરનારનો પુનર્જન્મ નથી થતો. ચાતુર્માસમાં અસત્ય ભાષણનો ત્યાગ કરનારાઓ માટે મોક્ષનાં દ્વાર ઘડી જાય છે. પરનિંદા કરવી અને સાંભળવી આ બંનેના પરિત્યાગ ચાતુર્માસમાં વિશેષરૂપે જરૂરી છે. ચાતુર્માસમાં જેમના નામ સ્મરણ માત્રથી મનુષ્ય ઘોર બંધનથી મુકત થઈ જાય છે તેવા ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા તેમનું ચિંતન અને સ્મરણ કરવું.


Monday, July 21, 2008

Krishnam Vande Jagat Guru

કૃષ્ણ જ સમગ્ર જગતના ગુરૂ છે, તેમણે ગાયેલી ગીતા ગુરૂ મંત્ર છે - Courtesy Chintan Rami

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ એક આગવુ મહત્વ રહેલુ છે. ગુરુ-શિષ્યના સબંધ વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ મહત્વ કેટલુ છે તે તો આ શ્લોક પરથી જ ખબર પડે છે..

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ
ગુરૂ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા
તસ્મૈ શ્રી ગુરૂવે નમ:

એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે અને ગુરૂ સાક્ષાત પરમેશ્વર સમાન છે. પરંતુ આજના આધુનિક સમયમાં ભારતીય સમાજ માંથી ગુરૂનુ મહત્વ ઓછુ થતુ જાય છે. જો કે તેના માટે કેટલાય પરિબળો જવાબદાર છે.

તુલસીદાસે પણ ગુરૂનો મહિમા ગાતા કહ્યું છે કે ભલે ચારેય વેદોનો અભ્યાસ કરવમાં આવે પરંતુ ગુરૂ વગર મનનો સંતાપ મટતો નથી કે ગુરૂ વગર જ્ઞાન મળી શકતુ નથી.

પ્રાચીન કાળમાં જ્યારે છોકરો સાત વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના અભ્યાસાર્થે ગુરૂકુળમાં મોકલવામાં આવતો હતો, અને તેણે તેના જીવનના 25 વર્ષ સુધી ગુરૂના સાનિધ્યમાં પોતાનુ જીવન ઉચ્ચ બને તેના વિશેનુ જ્ઞાન મેળવે છે. જ્યારથી બાળક ગુરૂકુળમાં દાખલ થાય ત્યારથી ગુરૂ તેના માબાપનુ સ્થાન લેતા હતા. ગુરૂકુળમાં ગુરૂ તેને જીવન લક્ષી શિક્ષણ આપે છે. તેને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપતા નથી પરંતુ તેના જીવનમાં આવનારા શારિરીક અને માનસિક સંઘર્ષો સામે કેવી રીતે લડવુ તે અંગેનુ જ્ઞાન આપે છે.

આજના આધુનિક સમયમાં આધુનિક સ્કૂલ અને કોલેજોમાં બાળકોને શિક્ષકો ફક્ત રોટલો કેવી રીતે કમાવવો તે અંગેનુ જ જ્ઞાન આપે છે. પરંતુ સાચો ગુરૂ બાળકને તેના જીવનને એક ધ્યેય આપે છે. તેનો અને ભગવાનનો સબંધ શો છે, દુનિયામાં તેના આવવાનુ કારણ શુ છે તે અંગેની સાચી સમજ આપે છે. તે કેવળ ધ્યેય આપતો નથી પરંતુ તેને તે ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. ગુરૂ શિષ્યમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવે છે અને તે શક્તિનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની સાચી સમજ આપે છે.

શુ ગુરૂ વગર આપણને આવા શક્તિશાળી લોકો મળ્યા હોત ?
પરંતુ આધુનિકતા અને ટેક્નોલોજીથી સજ્જ એવા લોકો દલીલો કરતા કહે છે કે ગુરૂની જરૂર શુ છે? માણસ જ પોતે પોતાનો ગુરૂ છે આવી તાર્કિક દલીલો કરે છે. પરંતુ મિત્રો થોડુ વિચારો કે રામ અને કૃષ્ણ જેવી સૂર્ય ચંદ્ર સહિત સમગ્ર બ્રહ્માંડને હલાવનારી શક્તિ પણ શિષ્ય કાળ માંથી પસાર થઈને ગુરૂ પાસે વિદ્યા ગ્રહણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણનાર અને સૃષ્ટીના સર્જન હાર પણ પોતે અજ્ઞાની છે તે રીતે ગુરૂ પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે.

અરે કૃષ્ણને પોતાના સખા સમજવા વાળા અર્જુને પણ કુરૂક્ષેત્રના મેદાનમાં તેમનુ શિષ્યત્વ માન્ય કરે છે. હાલના કળિયુગમાં આપણે રામ રાજ્ય લાવવાની વાતો કરે છે તે રામ રાજ્ય પાછળ રઘુકુળના કુળગુરૂ વશિષ્ઠનો અથાક પ્રયત્ન રહેલો છે. જો સમર્થ રામદાસ ના હોત તો કદાચ આપણને શિવાજી ન મળ્યા હોત, અને ચાણક્યએ તો કહ્યું જ છે કે... શિક્ષક કદી પણ સામાન્ય હોતો નથી સર્જન અને પ્રલય બન્ને તેના ખોળામાં હોય છે.

ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય માનવીની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરીને ધનનંદનો નાશ કર્યો હતો. આમ ગુરૂ શિષ્યમાં રહેલી આંતરીક શક્તિઓને બહાર લાવે છે. નરેન્દ્ર જેવા સામાન્ય યુવાનને સ્વામિ વિવેકાનંદ બનાવવા પાછળ રામકૃષ્ણ પરમહંસનો ફાળો બહુ મોટો છે. શીખ ધર્મ તો ગુરૂ પરંપરા પર જ ઉભેલો છે. શીખ ધર્મમાં થઈ ગયેલા દસ દસ ગુરૂઓએ ભારતની વિદેશી લોકો સામે રક્ષા કરવા પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.

આજના કાળમાં આવા ગુરૂ મળવા શક્ય છે?
ગુરૂનુ મહત્વ જાણ્યા પછી થાય કે શુ આજના આવા કળિયુગમાં આપણને આવા સાચા ગુરૂ મળવા શક્ય છે? કૃષ્ણંવંદે જગત ગુરૂ પર શ્રધ્ધા રાખી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપનાર પાડુંરંગ શાસ્ત્રી કહેતા કે આજના કળિયુગમાં સાચા ગુરૂ મળવા કઠિન છે અને મળે તો તેને ઓળખવા બહુ કઠિન છે.
આજે ગુરૂ-શિષ્ય વચ્ચે બનેલી કેટલીક ઘટનાઓએ લોકોની આ પવિત્ર સબંધ પરની શ્રધ્ધાના પાયાને હચમચાવી નાંખ્યા છે. પાટણ કાંડ જેવી ઘટનાએ લોકોના મનમાં રહેલી ગુરૂ પ્રત્યેની છબીને તોડી નાંખી છે.

પરંતુ સમાજમાં બનતી આવી ઘટનાઓથી નિરાશ થવાની જરૂર નથી જો કો મનુષ્ય યોગ્ય ના હોય તો સૃષ્ટીમાં એવા કેટલાય તત્વો છે જેની પાસેથી આપણે જીવન વિકાસનુ જ્ઞાન મેળવી શકીએ છીએ. દત્તાત્રેય ભગવાને અજગર, વૃક્ષ, ધરતી, વેશ્યા વગેરેને તેમના ગુરૂ માન્યા હતા.મોરારી બાપુ તો કહે છે કે જો તમારે કોઈ ગુરૂ ના હોય તો હનુમાનને તમારા ગુરૂ માનવા.

જો કોઈ ના હોય તો કૃષ્ણ તો છે જ. કારણ કે કૃષ્ણ તો સમગ્ર જગતના ગુરૂ છે અને તેમણે ગાયેલી ગીતા તેમણે વિશ્વને આપેલો ગુરૂ મંત્ર છે.
કૃષ્ણં વંદે જગત ગુરૂ...
*********************************************************


Hindola Utsav

લાલાને ઝુલાવો હિંડોળે - courtesy વૈદેહી અઘ્યારુ

હિંડોળા ઉત્સવ

આ વર્ષ હિંડોળા- આરંભ તા. ૧૯-૭-૦૮ અષાઢ વદ એકમ, શનિવાર
હિંડોળા વિજય તા. ૧૮-૮-૦૮ શ્રાવણ વદ બીજ, સોમવાર

આ દરમિયાન તા. ૧-૮-૦૮ અષાઢ વદ અમાસ, શુક્રવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ બપોર પછી હોવાથી હિંડોળા વિલંબે થાય.

તા. ૧૬-૮-૦૮ શ્રાવણ સુદ પૂનમે ચંદ્રગ્રહણ રાત્રે હોવાથી હિંડોળા નિત્ય પ્રમાણે જ થાય.

શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે શ્રીનારાયણ ભગવાનના નાભિપદ્મમાંથી ત્રિલોકાત્મક પદ્મ ઉત્પન્ન થયું. તેમાંથી પ્રકટ થયેલા બ્રહ્માજીએ તપ કર્યું. આથી પ્રસન્ન થયેલા ભગવાને તેમને પોતાના શ્રેષ્ઠ વૈકુંઠધામનું દર્શન કરાવ્યું. ત્યાં બ્રહ્માજીએ શું જોયું?

વૈકુંઠમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ તેમ જ માયા પણ નથી, કાળનો સંચાર નથી. નીલ વર્ણના પીતાંબરધારી ચતુર્ભુજ પાર્ષદો- શ્રીહરિના અનન્ય સેવકો અહીં વસે છે. જયાં સાક્ષાત્ ભગવતી શ્રીદેવી વિવિધ પ્રકારના વૈભવોથી શ્રીહરિના ચરણોમાં સેવા સમર્પિત કરે છે. વળી, બ્રહ્માજી દર્શન કરી રહ્યા છે કે લક્ષ્મીજી હિંડોળા ઉપર વિરાજમાન થઈ પોતાના પ્રિયતમ શ્રીહરિનાં ગુણગાન કરી રહ્યાં છે.

વૈકુંઠથી યે વહાલા વ્રજમાં અને વૃંદાવનમાં તો આપણા રસેશ્વર પ્રભુ સ્વામિનીજી સાથે ઝૂલે છે. કયારેક સ્વામિનીજીને ઝુલાવે છે તો કયારેક સ્વામિનીજી ઠાકોરજીને ઝુલાવે છે અને કયારેક વ્રજાંગનાઓ શ્રીગોવિંદપ્રભુ અને શ્રીરાધિકાજીને ઝુલાવે છે.

અષાઢ-શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે ઝૂલો રચાય છે. ભૂદેવી નવપલ્લવિત, નવકુસુમિત હરિયાળી શાટિકા (સાડી) ધારણ કરે છે. હરિત ભૂમિ વૃંદાવનની સઘનકુંજ-નિકુંજૉમાં મયૂરો મત્ત થઈ નર્તન કરે છે, દાદુર, બપૈયા અને કોકિલા કેલીકૂજન કરે છે, શુક-ચાતક શબ્દ કરે છે, મેઘમાળા મૃદંગ વગાડે છે, ઇન્દ્રધનુષ્ય ઉદય થવા લાગે છે, ગગનમાં દમક દમક થતી દામિની રાગ મલ્હાર જમાવે છે, મંદ-સુંગધ-શીતળ વાયુ વીંઝણો કરે છે. ભીની માટીની સુંગધ આવે છે ત્યારે આપણા નટવર રસેશ્વર શ્રીગોવિંદ પ્રભુ વામ ભાગમાં વૃષભાનનંદિનીને વિરાજિત કરી સુરંગ હિંડોળે ઝૂલે છે.

પ્રકૃતિના આવા અદ્ભુત પરિવેશમાં શ્યામા-શ્યામની જુગલજોડીનાં દર્શન કરી ભકતજનો ભાવવિભોર થઈ જાય છે.

હિંડોળામાં વિવિધ મનોરથ થાય છે. નિત્ય નવીન સાજ આવે છે. પહેલા દિવસે ચાંદીનો હિંડોળો ખડો થાય છે. તેના ઉપર નિત્ય નવા કલાત્મક ફૂલપાનના હિંડોળા બને છે. હિંડોળા નીચે આસન બિછાવાય છે.

ચંદનનાં લીલાં પાનનો હિંડોળો, ફળ-ફૂલનો હિંડોળો, પાન-ફૂલથી સજાવેલ લહેરિયાની ભાતવાળો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર રૂપેરી સુરમા સિતારાના ભરતકામવાળો આભલા જડેલો હિંડોળો, સોનેરી તથા રંગબેરંગી કાચથી સજાવેલો હિંડોળો, કદમની ડાળીઓ અને ફૂલોથી સજાવેલો હિંડોળો, લાલ વસ્ત્ર ઉપર ફૂલપત્તીથી સજાવેલો સુરંગ (લાલ) હિંડોળો, સોનેરી લાખનો રંગીન કાચ જડેલો હિંડોળો, ગુલાબનો હિંડોળો, ગુલાબ-જૂઈનો હિંડોળો, એલચીનો હિંડોળો, સૂકા મેવાનો હિંડોળો, (સોનાનો) હેમ હિંડોળો, ચંદનિયા રંગનાં વસ્ત્રથી સજાવેલો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર મોતી ભરેલો કલાત્મક હિંડોળો, કેળનાં પાનનો હિંડોળો, નાગરવેલનાં પાનનો અને તેની બીડીઓનો હિંડોળો, રાખડી અને પવિત્રાનો હિંડોળો, કાચના અરીસાનો હિંડોળો અને ચોકલેટ-પીપરમિંટનો હિંડોળો પણ સજાવાય છે.

હિંડોળાની સજાવટ કલાત્મક અને અનોખી હોય છે. આવા અદ્ભુત હિંડોળામાં પ્રભુ બિરાજે ત્યારે કીર્તનોની સુંદર સુરાવલિઓમાં ભકતજનોના ભાવ પ્રકટ થાય છે. ફૂલન કો હિંડોરો ફૂલન કી ડોરી... ઘન ઘટા વન ઘટા આલી ઘટા, ઝૂલતા હૈ દોઉ રૂપ રંગ કી ઘટન મેં... રમક ઝમક ઝૂલન મેં ઠમક મેઘ આયો... પ્યારો-પ્યારી ઝૂલે કદમ કી ડારિયાં... ઝૂલત સાંવરે સંગ ગોરી...

સેવા પ્રકાર : અષાઢ વદ પ્રતિપદાથી લઈને જે દિવસ શુદ્ધ હોય, શ્રીઠાકુરજીની વૃષભ રાશિને અનુકૂળ ચંદ્ર હોય, તે દિવસથી ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં હિંડોળા ઝુલાવવા. હિંડોળા સાજીને સંકલ્પાદિપૂર્વક અધિવાસન (હિંડોળાનું પૂજન) કરવું. હિંડોળામાં ઝુલાવ્યા, પછી ઉત્સવભોગ ધરવો.

પહેલા ચાર ઝોટા સામેથી દેવા. પછી જમણી બાજુથી દાંડી પકડીને ઝુલાવવા. બીજા કીર્તનમાં સામેથી ઝુલાવવા. ચાર કીર્તન પછી શયનભોગ-શયન આરતી યથાક્રમે થાય. શ્રાવણ સુદ પૂનમની લઈને શુદ્ધ દિવસે. પ્રભુને સાનુકૂળ ચંદ્ર હોય ત્યારે હિંડોળા-વિજય થાય. શનિ-બુધવારે ન થાય. જન્માષ્ટમી સુધી ચાલે. હિંડોળા-વિજય થાય ત્યારે ત્યાં આરતી થાય. અનંતકાળથી નવલકિશોર અને નવલકિશોરી હિંડોળે ઝૂલે છે. પ્રતિ વર્ષ હિંડોળા સજાવાય છે, કીર્તનો ગવાય છે. નિત્ય નાવીન્યપૂર્ણ લીલાનો આનંદ નિજજનો માણે છે. કારણ કે ભગવાનની લીલા શાશ્વત છે.

તો ચાલો, આપણે પણ આપણું હૃદયરૂપી આસન પાથરી નયનોના હિંડોળા ઉપર પ્યારો-પ્યારી ઝુલાવીએ, મનમોહન અને માનિનીને મનનો ભોગ ધરીએ અને હૃદયકમળમાં જ પોઢાડીએ
.

Thursday, July 17, 2008

Guru Purnima Prayers

Ye Garv Bhara, Mastak Mera
Prabhu Charan Dhool Tak, Jhuk Ne De


Ahamkar Vikar, Bhare Man Ko
Nij Naam Ki Mala, Jap Ne De
Ye Garv Bhara...

Mai Man Ke Mail Ko, Dho Na Saka
Ye Jeevan Tera, Ho Na Saka
Aa Ho Na Saka,
Mai Premi Houn, Itna Na Jhuka
Girbhi Jo Padoun Tho, Utne De
Ye Garv Bhara...

Main Gyaan Ki Baton Me, Khoya
Aur Karm Hin Padkar Soya
Jab Ankh Khuli, To Man Roya
Jab Soye Mujh Ko, Jagne De
Ye Garv Bhara...

Jaisa Hoon Mai, Khota Ya Khara,
Nirdosh Sharan Me, Aa Tho Gaya
Aa, Aa Tho Gaya
Ik Bar Ye, Kehade Khali Ja
Ye Preet Ki Reet, Jhalak Ne De
Ye Garv Bhara...

*******************************************************************

छोटी छोटी गैयाँ, छोटे छोटे ग्वाल ~~~
छोटो सो मेरो मदन गोपाल~~~

छोटी छोटी गैयाँ, छोटे छोटे ग्वाल~~~
छोटो सो मेरो मदन गोपाल~~~

आगे आगे गैयाँ पीछे पीछे ग्वाल~~
बीच मैं है मेरो मदन गोपाल......
छोटी छोटी गैयाँ~~~

घास खाए गैयाँ, दूध पीये ग्वाल~~
माखन मिसरी खाए मेरो मदन गोपाल...
छोटी छोटी गैयाँ~~~

काली काली गैयाँ, गोरे गोरे ग्वाल~~
श्याम वरन मेरो मदन गोपाल....
छोटी छोटी गैयाँ~~~

छोटी छोटी लाखुटी छोटे छोटे हाथ~~
बंसी बजावे मेरो मदन गोपाल....
छोटी छोटी गैयाँ ~~~

छोटी छोटी सखियाँ मधुबन बाल~~
रास रचावे मेरो मदन गोपाल.....
छोटी छोटी गैयाँ~~~
**********************************************************************
Sai Kasht Nivaaran Mantra/Stuti

Shri Sadguru Sainath Maharaj Ki Jai

Kashto Ki Kaali Chhaya Dukh Daayi Hai,
Jeevan Mein Ghor Udhaasi Laayi Hai,
Sankat Ko Taalo Sai Duhaai Hai,
Tere Siva Naa Koi Sahaayi Hai,

Mere Man Teri Murat Samaayi Hai,
Har Pal Har Kshan Mahima Gaayi Hai,
Ghar Mere Kashto Ki Aandhi Aayi Hai,
Aapne Kyu Meri Sudh Bhulayi Hai,

Tum Bhole Nath Ho Daya Nidhan Ho,
Tum Hanuman Ho Maha Balwan Ho,
Tumhi Ho Ram Aur Tumhi Shyam Ho,
Sare Jagat Mein Tum Sabse Mahan Ho,

Tumhi Mahakali, Tumhi Ma Sharde,
Karta Hu Prarthana Bhave Se Tar De,
Tumhi Mohammad Ho, Garib Navaz Ho,
Nanak Ki Vani Mein, Isa Ke Saath Ho,

Tumhi Digambar, Tumhi Kabir Ho,
Ho Budha Tumhi Aur Mahaavir Ho,
Sare Jagat Ka Tumhi Adhar Ho,
Nirakar Bhi Aur Sakar Ho,

Karta Hu Vandana Prem Vishwas Se,
Suno Sai Allah Ke Vaaste,
Adhro Mein Mere Nahi Muskaan Hai,
Ghar Mera Banane Laga Smashan Hai,

Rahem Nazar Karo Ujhade Viran Pe,
Jindagi Savregi Ek Vardan Se,
Paapo Ki Dhop Se Tan Laga Harne,
Aapka Ye Das Laga Pukarne,

Aapne Sada Hi Laaj Bachae Hai,
Der Naa Ho Jaye Man Shankaye Hai,
Dhire Dhire Dhiraj Hi Khotaa Hai,
Man Mein Basa Vishwas Hi Rota Hai,

Meri Kalpana Sakar Kar Do,
Suni Jindagi Mein Rang Bhar Do,
Dhote-Dhote Paapo Ka Bhar Jindagi Se,
Main Har Gaya Jindagi Se,

Nath Avgun Ab To Bisaro,
Kashto Ki Leher Se Aake Ubaro,
Karta Hu Paap Main Papo Ki Khan Hu,
Gyani Tum Gyneshwar, Main Agyan Hu,

Karta Hu Pag-Pag Par Paapo Ki Bhool Main,
Tar Do Jeevan Ye Charon Ki Dhul Se,
Tumne Ujada Hua Ghar Basaya,
Pani Se Deepak Bhi Tumne Jalaya,

Tumne Hi Shirdi Ko Dham Banaya,
Chhote Gaon Mein Swarg Sajaya,
Kasht Paap Shraap Utaaro,
Prem Daya Drishti Se Niharo,

Aap Ka Das Hu Aise Na Taliye,
Girne Laga Hu Sai Sambhaliye,
Saiji Baalak Main Anath Hu,
Tere Bharose Rehta Din Raat Hu,

Jaisa Bhi Hu, Hu To Aapka,
Kije Nivaran Mere Santaap Ka,
Tu Hai Savera Aur Main Raat Hu,
Mel Nahi Koi Phir Bhi Saath Hu,

Sai Mujse Mukh Na Modo,
Bich Majdhar Akela Na Chhodo,
Aapke Charno Mein Base Pran Jai,
Tere Vachan Mere Gurusaman Hai,

Aapki Raho Pe Chalta Das Hai,
Khushi Nahi Koi Jeevan Udas Hai,
Aansu Ki Dhara Hai Dubata Kinara,
Jindagi Mein Dard, Nahi Gujara,

Lagaya Chaman To Phool Khilao,
Phool Khile Hain To Khushbu Bhi Lao,
Kar Do Ishara To Baat Ban Jaaye,
Jo Kismat Mein Nahi Wo Bhi Mil Jaye,

Bita Zamana Ye Gake Fasana,
Sarhade Jindagi Mout Kaa Tarana,
Der Ho Gayi Hai Andhere Na Ho,
Fikr Mile Lekin Fareb Na Ho,

Deke Talo Yaa Daman Bacha Lo,
Hilne Lagi Rahunaye Sambhalo,
Tere Dam Pe Allah Ki Shaan Hai,
Sufi Santo Ke Ye Bayan Hai,

Garib Ki Joli Mein Bhar Do Khazana,
Zamane Ke Wali Karo Na Bahana,
Dar Ke Bhikhari Hain Mohtaj Hai Hum,
Shahanshahe Aalam Karo Kuch Karam,

Tere Khazane Mein Allah Ki Rehmat,
Tum Sadguru Ho Samarth,
Aaye Ho Dharti Pe Dene Sahara,
Karne Lage Kyun Hum Se Kinara,

Jab Tak Ye Brahmand Rahega,
Sai Tera Naam Rahega,
Chand Tare Tumhe Pukarenge,
Janmojanam Hum Rasta Niharenge,

Atma Badlegi Chole Hazar,
Hum Milte Rahenge Har Bar,
Aapke Kadamo Mein Baithe Rahenge,
Dukhde Dil Ke Kehte Rahenge,

Aapki Marzi Hai Do Yaa Naa Do,
Hum To Kahenge Daman Bhi Bhar Do,
Tum Ho Data Hum Hai Bhikhari,
Sunate Nahi Kyun Araj Hamari,

Achha Chalo Ek Baat Bata Do,
Kya Nahin Tumhare Pas Bata Do,
Jo Nahin Dena Hai Inkar Kar Do,
Khatm Ye Aapas Ki Takrar Kar Do,

Laut Ke Khali Chala Jaunga,
Phir Bhi Gun Tere Gaunga,
Jabtak Kaya Hai Tabtak Maya Hain,
Isi Mein Dukhon Ka Mul Samaya Hain,

Sab Kuch Jaan Ke Anjan Hu Main,
Allah Ki Tu Shan Teri Hu Shan Main,
Tera Karam Sada Sabpe Rahega,
Ye Chakra Yug-Yug Chalta Rahega,

Jo Prani Gayega Sai Tero Naam,
Usko Mile Mukti Pohchhe Param Dham,
Ye Mantra Jo Prani Nit Gayenge,
Rahu, Ketu, Shani Nikat Na Aayenge,

Tal Jayenge Sankat Sare,
Ghar Mein Das Vas Kare Sukh Saare,
Jo Shraddha Se Karega Pathan,
Us Par Dev Sabhi Ho Prasann, Rog Samuhh Nasht Ho Jayenge,

Kasht Nivaran Mantra Jo Gayenge, Pal Mein Dur Ho Sab Paap,
Jo Ye Pustak Nit Din Vaache, Laxmiji Ghar Uske Sada Biraje,
Gyaan Buddhi Prani Vo Payega,Kasht Nivaran Mein Jo Dhyayega,

Ye Mantra Bhakto Kamal Karega, Aaye Jo Anhoni To Taal Dega,
Bhoot-Pret Bhi Rahenge Door, Is Mantra Mein Sai Sakti Bharpur,
Japte Rahe Jo Mantra Agar, Jadu Tona Bhi Ho Beasar,
Is Mantra Mein Sab Gun Samaye, Naa Ho Bharosa To Aajmaye,

Ye Mantra Sai Vachan Hi Jano, Swayam Amal Kar Satya Pahchhano,
Sanshay Naa Lana Vishwas Jagana, Ye Mantra Sukho Ka Hai Khazana,
Is Pustak Mein Sai Ka Vaas, Sai Daya Se Hi Likh Paya Daas

Anant Koti Brahmand Nayak Raja Dhi Raj Yogi Raj Para Brahma Shri Sachidanand Sadguru Sai Nath Maharaj Ki Jai!!!
**************************************************************************

Monday, July 7, 2008

My Kiddo turned 16!!

On July 1, my baby boy turned 16 years old.

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

Since January I was pestering him about having a huge birthday. Well, he did not want one. He just wanted 6 of his classmates to come home and play the X-Box, eat pizza, cake and just chill out at home. That's exactly what he did on July 1st.

On July 4th, which was also Ashadi Beej, Rath Yatra and Punarvashu nakshatra, I held a havan for my son's well - being. The pandit who did the havan mentioned a couple of times that I had chosen a very blessed day for the havan - I felt that the Gods were in my son's favor. The havan went well, my son got lots of blessings for all the elders and love from the younger ones. The menu was good too:
Poori
Lapsi
Shrikhand
Kadhi
Dal
Bhat
batata - tameta nu shaak
Ringan tuver nu shaak
Kala chana - khata meetha
and to top it all off - icecream cake!

It was a very simple fare, but everyone enjoyed it and were surprised at the kadhi - shrikhand and lapsi - dal combination. I had to make both as my baby brother does not like kadhi. The prasad for the havan pooja was lapsi - as it was a Friday and on top of it - Ashadi Beej - birthday of Khodiyaar Mata. Overall, it was a blessed day.

Kacchi New Year's Day

અષાઢી બીજ કરછી નવું વર્ષ - Courtesy રામ બી. શુકલ

અષાઢ એટલે મહાન વિદ્વાન સંસ્કૃત સાહિત્યના કવિવર કાલિદાસનું સ્મરણ કરાવતો મહિનો. અષાઢ એટલે રમતા અને એકતાનાં પ્રતીક સમી, કણ-કણમાં ભગવાનને ઓળખવાનો સંદેશ આપતી ભકિત-સેવા-સમર્પણ જેવાં સાંસ્કૃતિક મૂલ્યોનાં જીવંત સ્વરૂપે વિહરતી ભવ્ય રથયાત્રાના દર્શન અને ચાતુર્માસનાં આરંભનો મહિનો.


કરછ એટલે લગભગ પાંચ કરોડ કરતાં પણ વધારે વર્ષની ભૂસ્તરીય ઉંમર વટાવી, ચાર-ચાર વાર દરિયામાં ડૂબકી લગાવી કરોળિયા રૂપી મરજીવાની જેમ બહાર આવી છેલ્લા પાંચ દાયકામાં ૪૧ વર્ષ ભીષણ દુષ્કાળ, અનરાધાર અતિવૃષ્ટિ, વિનાશક વાવાઝોડા-મહામારી અને પળ વારમાં તન-મનને પીંખી નાખનાર મહાવિનાશક ભૂકંપ જેવા કુદરતનાં બેરહેમ જુલમોનો મક્કમતાપૂર્વક પ્રતિકાર કરતી ખમીરવંતી, જવાંમર્દી અને દેશદાઝથી ભરપૂર પ્રજાજનોની માતૃભૂમિ-કૃષિ-પાણી અને માભોમ માટે સદા મરી ફિટવાની તત્પરતા જેવી બાબતોમાં અદ્દલ ઇઝરાયલ જેવી સામ્યતામાં માન્યતા પ્રાપ્ત મુલક.

પુરુષાર્થના બળે પ્રારબ્ધ પામવાની તાકાત તો કરછીઓને ગળગૂંથીમાં જ મળેલી છે. કુદરતની અવકૃપા સામે રોકકળ રડવા માથું કૂટવાનાં બદલે તેની સામે બાથભીડી આગવી કોઠાસૂઝથી બચાવ કામગીરીમાં વિના વિલંબે વફાદારીપૂર્વક લાગી જઇ, પથ્થરમાંથી પાણી નિતારી, કુદરતનાં અભિશાપને આશીર્વાદમાં પલટી નાખવા ક્ષમતાવાન કર્માશ્રિત કરછી પ્રજા વિશ્વના દૂર દૂર દેશાવરનાં ૭૦ જેટલા દેશોમાં વિખેરાયેલી, ફેલાયેલી, પથરાયેલી કરછની અસ્મિતા માટે મમતામયી કરછી પ્રજાનો વતન પ્રેમ ઇઝરાયલીઓનાં વતનપ્રેમને પણ પાછો પાડી દે તેવો. અનેક ભાષાઓનો સાક્ષર હોવા છતાં પણ રોજિંદા જીવનવ્યવહારમાં તો પોતાની અલ્પાક્ષરી છતાં અધિક અર્થ ધરાવતી ચોટદાર કરછી ભાષા-બોલીનો પ્રયોગ કરવામાં સદા ગર્વોન્વિત અને વતનની આપત્તિ સમયે વતન માટે તન-મન-ધન ન્યોછાવર કરવામાં પણ સદા અગ્રેસર.

Kachhi માડુ એટલે રણને ઝરણ, અધુરપને મધુરપ અને રજને રજત બનાવવા સક્ષમ. રેતાળ પ્રદેશનો હેતાળ માનવી, વીરતા વફાદારી માનવતા અને ઉદારતામાં અદ્વિતીય પાણીદાર નરબંકો, મા ભોમ માટે સદા મરી ફિટવા તત્પર વતન પરસ્તી. વિશ્વના ખૂણે-ખૂણામાં પથરાઇ જઇ વેપાર-વણજ, શ્રમ અને બુદ્ધિગમ્ય વ્યવસાયમાં ‘અપના હાથ જગન્નાથ’ના જીવનમંત્ર સાથે સફળતાનાં સોપાનો સર કરી વતનપ્રેમી તરીકેની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કર્યા પછી પણ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે બે ડગલાં આગળ, કલહ, કુસંપ, કંકાસ વગરનું પ્રસન્ન કૌટુંબિક જીવન, ઘરકામમાં સંકુચિત દૃષ્ટિ નહીં. કુટુંબકલ્યાણ માટે ઘસાઇ તૂટી મરી વધુમાં વધુ સહનશીલ, એકલપંડે તાગડધિન્ના કરવાની વૃત્તિ નહીં. મોટેરાંને માન અને નાનેરાંને વહાલ પણ સમાન.
anek ચડતી પડતી વરચે પણ ઊડીને આંખે વળગે તેવી પ્રગતિ. અનેક ધર્મસ્થાનો, ધર્મોઅને સંપ્રદાયો છતાં વિવિધતામાં એકતા એટલે કરછી સંસ્કૃતિ.

આમ તો આપણા દેશમાં કારતક સુદ પડવો વિક્રમસંવતની જયઘોષણા કરતો સર્વત્ર ગુંજી ઊઠે છે પણ દુનિયામાં કયાંયે નવા વર્ષની શરૂઆત અષાઢી બીજની થતી હોય તે છે બે રણની વરચે અટવાયેલો મુલક-પ્રદેશ એટલે કરછ છે. કુદરતનાં ખોળે ઉછરેલ કરછી કુદરતનાં તત્ત્વોને વંદતો આવ્યો છે. ધીંગીધરાનો કરછી દુનિયાના ગમે તે ખૂણામાં વસતો હોય, અષાઢી બીજ આવતાં પરંપરાગત ઉત્સવનાં આનંદનાં ઓવારણાં અવશ્ય લેતો હોય છે, મન કરછની માભોમ પર વિચરતું રહે છે. સમગ્ર કરછમાં ૮૫૦ કરતાં પણ વધુ વર્ષથી અને કરછી નવા વર્ષની શરૂઆત થઇ ત્યારથી વિશેષ મહત્ત્વ સાથે ધામધૂમ-ભારે દબદબાપૂર્વક અષાઢી બીજની ઉજવણી થતી આવી છે.

પહેલાનાં જમાનામાં અષાઢી બીજનાં રોજ કરછના રાજદરબારમાં ભવ્ય રાજદરબાર ભરાતો, પ્રજા રાજાને માતાપિતાના નાતે હોંશેહોંશે મળવા જતી અને ત્યારબાદ દેવદર્શને જઇ વડીલોને વંદન કરી સૌ એકબીજાની સુખાકારી ઇરછતાં અને સમગ્ર માહોલ દિવાળી જેવો બની જતો. કરછના પાટનગર ભુજની ટંકશાળમાં નવા વર્ષના સિક્કા પણ અષાઢી બીજે જ પડતા, વેપારી વર્ગ નવા હિસાબોના ચોપડાનું પૂજન કરતો. સાગર ખેડૂઓ દરિયાપીરની પૂજા કરતા. આજે પણ સમગ્ર કરછ અષાઢી બીજે આકાશમાં વરસાદને જોતું ઝંખે છે અને નવા વર્ષે વીતી ગયેલા વર્ષનાં ખાટામીઠાં, તીખાકડવાં પ્રસંગોને ભૂલી જઇ એકબીજાના ખભેખભા મિલાવી, નવા વસ્ત્ર ધારણ કરી વડીલોને પાયલાગણ કરી આશીર્વાદ ભેટ મેળવી એકબીજાને સ્નેહથી ગળે મળી મોઢું મીઠું કરાવે છે. આ શુભ અવસર પર સુવિચાર શુભભાવના પ્રગટ કરી નવલાં વરસનાં નવલાં મઘમઘતા પ્રભાત સાથે નૂતનવર્ષની જયઘોષણા કરી સર્વત્ર કરછી ગુંજી ઊઠે છે.