Wednesday, August 27, 2008

Janmashtami - Krishna Leela

He more kanhaiya, he nandlala
tere daras se, ho jaaye ujala

he Krishn janam ka shubh din aaya
jeevan mein kitni khushiya laaya

he more kanhaiya, he nandlala
tere daras se, ho jaaye ujala

sab jan milke janamdin manaye
main chahu mera piya ghar aaye

ghar mera mandir, usko sajao
mere mohan ke manmein samao

he more kanhaiya, he nandlala
tere daras se ho jaaye ujala

***********************************************************
heyyyyyy savan ki ye ashtami
beet rahi hai raat
yada yada tumne hi kaha tha
kya tumko hai yaad

o mere kanha ab na satana (2)
tumko hai aana, o mere kanha (2)

radhe shyaam
radhe shyaam
radhe shyaam

phir se manaye janam tumhara
phir khul jaaye bhag hamara
bansi lakhutiya phirse dharna
phir maakhan ki chori karna
chori chori dil bhi churana

tumko hai aana, o mere kanha

radhe shyaam
radhe shyaam
radhe shyaam

man kehta hai, ban jao jogan (2)
main hu tumhari radha mohan
yug yug jaisi lagti duri
aas nahi kya hogi puri

o pyare mohan, dil na dukhana
tumko hai aana, o mere kanha

radhe shyaam (6)

he nand gher anand bhayo
jai kanhaiya lalki (2)

he hathi ghoda palki
jai kanhaiya lalki
*********************************************************************
નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... ભકિત વિનોદદાસ

દેવકી અને વસુદેવનો વિવાહ સંપન્ન થયા પછી દેવક રાજાએ પોતાની પુત્રીને સાસરે વળાવી. હવે દેવકી કંસની માનેલી બહેન હતી. બહેન અને બનેવીને સારું લગાડવા તે વરકન્યાનો રથ કંસ પોતે જ સારથી બની હંકારવા લાગ્યો. આ વિવાહસંપન્ન રસાલો મથુરા નજીક આવ્યો ત્યાં તો અચાનક વીજળીના કડાકા સાથે આકાશવાણી થઈ કે, ‘હે કંસ, તું જે તારાં બહેન-બનેવીનો રથ હાંકે છે તેમનું આઠમું સંતાન તારો નાશ કરશે.’

આ ભયંકર ગેબી અવાજયુકત આકાશવાણી સાંભળીને કંસ ક્રોધ ભરાયો અને દેવકીને તલવાર વડે મારી નાખવા તત્પર થયો. કંસના આકસ્મિત ક્રોધથી દેવકીને બચાવવા વસુદેવજીએ કંસને દિલાસો આપ્યો કે તે તેમના થકી જન્મેલા દેવકીનાં આઠેય સંતાનો કંસને આપશે, પછીથી સમસમી ગયેલો ક્રૂર કંસ શાંત થયો, પણ છતાંય તેણે વસુદેવજી અને દેવકીને મથુરાની જેલમાં કારાવાસની સજા કરી.

સમયના પ્રવાહમાં દેવકી થકી જન્મેલાં પોતાનાં છ સંતાનો વસુદેવજીએ કંસને સુપરત કયાô હતાં. તે બધાં જ કુમળાં નવજાત બાળકોને કંસમામાએ પથ્થર પર પટકીને મારી નાખ્યાં હતાં. હવે જયારે દેવકીને સાતમા બાળકનો પ્રસવ થવાનો હતો ત્યારે તે બાળકનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તેથી કંસને પહેરેગીરો થકી સમાચાર મળ્યા કે દેવકીને સાતમા સંતાનનો ગર્ભપાત થઈ ગયો છે. કંસ આ વાત સાંભળીને રાજી થયો.

ત્યાર પછી તે દેવકીને આઠમું સંતાન કયારે જન્મે છે તેની રાહ જોવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયા થકી દેવકીના સાતમા ગર્ભનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તે દિવ્ય બાળકનું નામ બલરામ હતું. કંસના ત્રાસથી બચાવવા માટે વસુદેવજીએ તેમની બીજી પત્ની રોહિણીને ગોકુળમાં નંદ મહારાજના ધેર ગુપ્ત રીતે રાખી હતી, તેથી બલરામનો જન્મ ગોકુળમાં જ થયેલો. આથી બલરામજી વસુદેવજીના પ્રથમ પુત્ર હોવાથી તેઓ કૃષ્ણના મોટાભાઈ કહેવાય.

સ્વયં ભગવાન ગોલોકવાસી કૃષ્ણએ હવે દેવકીના આઠમા સંતાન તરીકે અવતરવાનો નિર્ધાર કર્યો. શ્રાવણ વદ આઠમ અને બુધવારના રોજ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં મથુરાની ભેંકાર અને અંધકારમય જેલમાં વસુદેવ અને દેવકી સમક્ષ મઘ્ય રાત્રિના બાર વાગ્યે દિવ્ય અજવાળાનો પ્રકાશ પથરાયો. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ-ચતુર્ભુજ (ચાર હાથવાળા વિષ્ણુ) રૂપે દેવકી-વસુદેવ સમક્ષ પ્રગટ થયા. વસુદેવ અને દેવકીએ તેમની દિવ્ય સ્તુતિ કરી. પછીથી તેમણે ભગવાન ચતુર્ભુજને જણાવ્યું કે, ‘હે ભગવાન, તમે બે હાથવાળા બાળકરૂપ બની જાવ.’ ભગવાન રાજી થઈને બે હાથવાળા નાનકડા નવજાત જન્મેલા માનવબાળ જેવા બની ગયા.

તેથી અહીં સ્પષ્ટ થાય છે કે શ્રીકૃષ્ણનો સામાન્ય માણસની જેમ જન્મ થતો નથી, પરંતુ તેઓ તો અવતરે છે અને પછીથી નાનાબાળરૂપ બનીને જીવનની દિવ્યલીલાઓનાં કાર્યોનો આરંભ કરે છે. માટે જ કૃષ્ણ ફકત માનવ, મહામાનવ કે કોઈ દેવ-દાનવ નથી, પરંતુ તેઓ તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન સાબિત થાય છે.
પોતાના નવજાત બાળકને બચાવવા અર્થે નંદરાયના ઘરે ગુપ્ત રીતે પહોંચાડવો જરૂરી હતો. હવે વસુદેવ અને દેવકીના હાથપગની લોઢાની બેડીઓ (સાંકળો) તૂટી ગઈ. જેલમાં દરવાજા આપોઆપ ખૂલી ગયા. જેના પહેરેગીરો અઘોરીની જેમ નિદ્રામાં પોઢી ગયા.


શ્રાવણવદને કૃષ્ણ પક્ષની આઠમની તે મેઘલી રાત્રે વસુદેવજી હેમખેમ યમુના કિનારે આવ્યા, પરંતુ યમુના નદીમાં તો ભારે વરસાદને કારણે પૂર આવ્યાં હોવાથી તે બંને કાંઠે ગાંડીતૂર થઈને વહેતી હતી, પરંતુ વાસુદેવજીએ હિંમતપૂર્વક યમુનામાં પ્રથમ પગ મૂકયો કે તરત જ યમુનાનાં જળ બે વિભાગમાં વહેંચાઈ ગયાં. આ રીતે વસુદેવજી માટેનું નિર્વિઘ્ન માર્ગ બન્યો. બાળકૃષ્ણનું ટાઢાં વર્ષાજળથી રક્ષણ કરવા માટે શેષનાગ (અનંતદેવ) દોડી આવ્યા અને તેમણે તેમની એક હજાર ફણાઓ વસુદેવજીની પાછળ રહીને ઉપર ફેલાવી.

અંતે વસુદેવ હેમખેમ બાળકòષ્ણને લઈને યમુનાને સામે કાંઠે આવેલા ગોકુળમાં પહોંચી ગયા. પછીથી તેમણે ગોવાળોના રાજા નંદરાયના મોટા મહેલ નંદાલયમાં પ્રવેશ કર્યો. ઇશ્વરીય દિવ્ય સંકેતોના આધારે આ બાજુ નંદરાય પણ વસુદેવના આવવાની રાહ જોતા હતા. હકીકતમાં તે બંને મિત્રો હતા. નંદરાયજીએ પરિસ્થિતિનો તાગ પામીને વસુદેવને આવકાર્યા. ત્યાર બાદ બંને વરચે ખાનગીમાં મસલત થઈ. એ જ રાત્રિએ નંદરાયનાં પત્ની યશોદાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. હવે યશોદાજી પ્રસવ પીડાને લીધે બેભાન હતાં. તેથી બાળકોની અદલાબદલી કરીને નંદરાયજીએ બાળકી વસુદેવજીને આપી અને બાળકૃષ્ણને યશોદાજીની સોડમાં સુવડાવ્યા. ત્યાર પછી વસુદેવજીએ સત્વરે મથુરાની વાટ પકડી અને પુન: તેઓ મથુરાની જેલમાં આવી ગયા. આ રીતે તેમના મઘ્યરાત્રિ દરમિયાનનાં અંગતકાર્યોની મથુરામાં અન્ય કોઈને જાણ થઈ જ નહીં.

પરંતુ એ જ રાત્રિએ મથુરાની જેલમાં વસુદેવ થકી દેવકી પાસે લવાયેલી નાની બાળકીએ તાજા જન્મેલા બાળકની જેમ રડવાનું શરૂ કર્યું. આ બાળરુદ્દનનો અવાજ સાંભળીને પહેરેગીરો જાગી ગયા. તેમણે તરત જ આઠમું બાળક જન્મ્યું હોવાના કંસને સમાચાર આપ્યા. પછીથી તો કંસ ખુલ્લી તલવાર લઈને સીધો જ વસુદેવ અને દેવકી સમક્ષ જેલમાં ધસી આવ્યો. ત્યાર પછીથી કંસે આ આઠમું સંતાન પોતાનો કાળ હોવાનું સમજીને બાળકીને શિલા પર પછાડવા ગયો કે તરત જ તે બાળકી કંસના હાથમાંથી છટકીને આકાશમાં ઉપર ચાલી ગઈ. ત્યાં અવકાશમાં તે બાળકીએ કંસને જણાવ્યું કે, ‘હે કંસ! તું મને શું મારી શકવાનો હતો, તને મારનાર તારો કાળ તો કયારનોય જન્મી ચૂકયો છે.’ આ સાંભળીને કંસ અવાક થઈ ગયો અને પોતાના મહેલમાં ચાલ્યો ગયો.

હવે યમુનાને પેલેપાર ગોકુળમાં શ્રાવણ વદ નવમી તિથિના દિવસે પ્રાત:કાળે (સવાર)માં યશોદા મૈયાને ભાન આવ્યું પછીથી યશોદાજીને ખબર પડી કે તેમને પુત્રરત્ન (કનૈયા)ની પ્રાપ્તિ થઈ છે, પોતાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હોવાનું પ્રત્યક્ષ જાણીને યશોદામૈયા ખૂબ જ રાજી થયાં. આ મંગલમય સમાચાર સમગ્ર ગોકુળમાં વાયુવેગે પ્રસરી ગયા. જયારે ગોવાળો અને ગોપીઓને ખબર પડી કે યશોદામૈયાએ પુત્રને જન્મ આપ્યો છે ત્યારે તેઓ આબાલ-વૃદ્ધ-નરનારી સર્વે નંદાલયમાં ભેટ સામગ્રીઓ લઈને શ્રીનંદ-યશોદાજીને હાર્દિક રીતે વધાવવા દોડી આવ્યાં. ગોકુળમાં મોટા યજ્ઞ સહ બાલકòષ્ણના નવજાત સંસ્કારો અર્થે મહામહોત્સવ યોજવામાં આવ્યો.

મંત્રવેત્તા બ્રાહ્મણોને તેડવવામાં આવ્યા. બાળકòષ્ણનો પંચમૃત થકી અભિષેક કરવામાં આવ્યો. ષોડ્શોપચાર વિધિથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું. ગોપીઓ અને ગોવાળોએ ઉત્સાહપૂર્વક ઉત્સવના આનંદમાં નાચીને શ્રીકòષ્ણનાં કીર્તનગાન ગાયાં. ‘નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.’ ત્યાર પછીથી ગોપ-ગોપીઓના સમુદાયે મહાનંદ નવમી (નંદોત્સવ) તિથિની ઉજાવણી કરી. પાંચ હજાર વર્ષોપછી વર્તમાન કળિયુગમાં પણ લોકો જન્માષ્ટમી અને નંદોત્સવનો ઉત્સવ મોટા ઉત્સાહ અને વિશાળ પાયે જવે છે.

આ પ્રક્રિયા થકી સાબિત થાય છે કે કòષ્ણ સામાન્ય વ્યકિત નથી પણ અક્ષર અવિનાશી લીલા પુરુષોત્તમ પરંબ્રહ્મ ભગવાન છે. પછીથી તો અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોપાલ કૃષ્ણએ ગોકુળ અને વ્રજવૃંદાવનની લીલાઓ વિસ્તારી.
મથુરામાં કંસ રાજાએ કૃષ્ણ - બલરામની ખ્યાતિ સાંભળી. તેથી તેણે મલ્લયુદ્ધ માટે અક્રૂર થકી કૃષ્ણ- બલરામને મથુરા તેડાવ્યા. ત્યાં મામા કંસને પટકીને મારી નાખ્યો. પુન: યાદવો મથુરામાં એકઠા થયા.

શ્રીકૃષ્ણ-બલરામજીએ પોતાનાં માતા-પિતા દેવકી વસુદેવ અને મથુરાના રાજા ઉગ્રસેનને જેલમાંથી આબાદ મુકત કર્યા. ત્યાર પછી મથુરાની લીલાઓ થોડા સમયમાં પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ દ્વારકાધીશ રણછોડરાય તરીકે પધાર્યા. આ રીતે પોતાના અવતાર ઉદ્દેશ્ય પૂર્ણ કરીને આ પૃથ્વી પર એકસો પરચીસ વર્ષ પ્રગટ લીલાઓ કરીને અંતે ભગવાન શ્રીકòષ્ણ અને બલરામજી સ્વધામ ગોલોકમાં સિધાવ્યા.

જન્માષ્ટમી પર્વનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. કૃષ્ણભાવનામૃતને જીવનમાં સ્થાન આપીને કૃષ્ણના નિષ્ઠાવાન ભકત થવું એ જ જન્માષ્ટમી પર્વનો ભગવદ્ સંદેશ છે. જય શ્રી કૃષ્ણ!

***************************************************************************

શ્રીકૃષ્ણની રાસભૂમિ - હિમાલી સિદ્ધપુરા

વૃંદાવન એ સર્વત્ર નાનાં-મોટાં કુંજથી બનેલું વન છે. અહીં સેવાકુંજ, નિધિવન, ચીરઘાટ, કાલિદાહ, બાંકે બિહારી, બિરલા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે જગ્યાનું પોતાનું આગવું મહત્ત્વ છે. સેવાકુંજમાં ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીની સેવા કરી હતી અને તેનાં ચરણ દબાવ્યાં હતાં. તેથી તે સેવાકુંજ તરીકે ઓળખાય છે.

નિધિવન એ આજના સમયમાં પણ અલૌકિક, દિવ્ય, રહસ્યમય, ઘટનાઓના સાક્ષી સ્વરૂપે વૃંદાવનમાં વસેલું છે. અહીં અનેક વૃક્ષોની અંદર નાનાં કુંજ જેવો આકાર બનેલો છે અને આ જગ્યાને ખાસ રાધાજીના શૃંગાર માટેની માનવામાં આવે છે. જયાં દરરોજ રાત્રે રાધાજીનો સંપૂર્ણ શંòગાર, લાડુ, પાણીની જારી, તુલસીનાં પાન અને દાતણ સાથે મૂકવામાં આવે છે અને દરેકના આશ્ચર્ય વરચે આ દરેક સામગ્રી સવાર થતાં વિખરાયેલી પડી હોય છે અને જાણે રાધાકòષ્ણના આગમનની મૂક સાક્ષી બનીને ભી હોય એવું લાગે છે. સાંજ પડયા બાદ આ નિધિવનમાં દ્વાર બંધ કરી દેવાય છે અને કોઈને પણ ત્યાં પ્રવેશવાની મનાઈ હોય છે. ત્યાં સુધી કે નિધિવન તરફ જે ઘરનાં બારી કે દરવાજા પડતાં હોય તેને પણ સાંજ પડયા પછી બંધ રાખવામાં આવે છે.

આ ઉપરાંત વૃંદાવનમાં ચીરઘાટ પણ છે કે જયાં શ્રીકૃષ્ણએ ગોપીઓનાં ચીરહરણ કર્યા હતાં. ત્યારબાદ કાલિદાહ કે જયાં કાલિનાગનું દમન કરી યમુના નદીને વિષમુકત કરી હતી, તે પણ પોતાનું આગવું આકર્ષણ ધરાવે છે. આ ઉપરાંત બાંકે બિહારીનું મંદિર તથા બિરલા મંદિર જેવી રમણીય જગ્યાઓ પણ આવેલી છે. જયાં શ્રીકૃષ્ણના ચરણરજની મહેક આજે પણ એવી જ તાજગીથી આવે છે.

અહીં વૃંદાવનમાં મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે અને તેની સામે એક એવી પણ જગ્યા છે કે અહીં શંકર ભગવાન ગોપી સ્વરૂપે આવી શ્રીકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા.

શ્રીકૃષ્ણનાં જન્મનાં ૫૦૦૦ વર્ષ પછી પણ આજેય આ જગ્યા ઉપર શ્રીકૃષ્ણનું અસ્તિત્વ જાણે જીવંત બની ધબકતું હોય એવું લાગે છે આ મહારાસની પાવનભૂમિ ‘વૃંદાવન’.

******************************************************************************

શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો - હરેશ દવે

યોગશ્વર ભગવાન શ્રીકૃષ્ણનો ઘણોખરો સમય સૌરાષ્ટ્રમાં વીત્યો હતો. મથુરાના રાજા કંસના વધથી તેના સસરા મગધ નરેશ જરાસંધ ખૂબ જ ક્રોધિત થયા. તેનું વેર વાળવા શ્રીકૃષ્ણને પરાસ્ત કરવા તેણે કાલયવન નામના અસુરને મોકલ્યો. શ્રીકૃષ્ણ સમજી ગયા કે, કાલયવનને બળથી પહોંચી નહીં શકાય, તેથી મથુરાથી ભાગ્યા. રણમેદાન છોડીને ભાગ્યા એટલે તેઓ ‘રણછોડ’ તરીકે ઓળખાયા.

કિંવદંતી અનુસાર ભાગતા ભાગતા તેઓ ગિરિનગર (જૂનાગઢ) આવ્યા.
મુચકુંદરાજાની કથાનુસાર તેમણે કઠોર તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને પોતે નિદ્રાધીન થવા ઇરછે છે તેવી ઇરછા પ્રગટ કરી. સૂઈ ગયા બાદ નિદ્રામાંથી તેમને જે કોઈ જગાડશે તે અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય તેવું વરદાન માગ્યું. જે ભગવાને આપ્યું. આ પછી તેઓ ગાઢનિદ્રામાં સરી પડયા.


યોગબળથી આ વાત જાણનાર શ્રીકૃષ્ણ ગુફામાં પહોરયા. પોતાનું ઉપવસ્ત્ર નિદ્રાધીન મુચકુંદ રાજાને ઓઢાડી દઈ પોતે છુપાઈ ગયા. આ બાજુ તેમની પાછળ આવતા કાલયવને ક્રોધિત થઈ, સૂતેલા રાજાને શ્રીકૃષ્ણ સમજી પગેથી લાત મારી. નિદ્રાભંગ થયેલા મુચકુંદ રાજાનાં નેત્રોમાંથી નીકળેલી અગનજવાળાઓથી કાલયવન ભસ્મીભૂત થઈ ગયો. આજે પણ મુચકુંદ ગુફા અહીં છે જ. આ પછી શ્રીકૃષ્ણએ દ્વારિકાની મુલાકાત લીધી. ચારે તરફ ધૂધવતા સમુદ્રનાં મોજાવાળી આ જગ્યા તેમને સલામત લાગી અને તેમણે દ્વારિકામાં રહેવાનું પસંદ કર્યું.
શ્રીકૃષ્ણના રુકિમણી સાથેનાં લગ્ન માધવપુર (ધેડ)ના મધુવનમાં થયા હતા. આજે પણ લગ્નની ચોરીના સ્તંભો મોજૂદ છે.


પ્રતિવર્ષ રામનવમીના પર્વે અહીં શ્રીકૃષ્ણ રુકિમણીના વિવાહનો પ્રસંગ આજે પણ જવાય છે. આવી જ રીતે શ્રીકૃષ્ણની એક પટરાણી જાંબુવતીના નામ સાથે સંકળાયેલી જાંબુવાનની ગુફા પોરબંદર પાસે છે.


મહાભારતના યુદ્ધ બાદ ૩૬ વર્ષે શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકા દરિયાનાં મોજામાં (સુનામી) ડૂબી ગઈ. યાદવકુળને લઈને શ્રીકૃષ્ણ અને બલરામજી પ્રભાસપાટણ ગયા. જયાં યાદવાસ્થળીમાં બધા યાદવો અંદરોઅંદર લડીને કપાઈ મર્યા. શેષનાગનો અવતાર ગણાતા બલરામજીએ જીવનલીલા સંકેલી લીધી. જયારે ભાલકા ક્ષેત્રમાં પારધીના બાણથી શ્રીકૃષ્ણની જીવનલીલા સમાપ્ત થઈ.


આમ આ મહાન યુગપુરુષના જીવનનો મોટોભાગ સૌરાષ્ટ્રમાં પસાર થયાનું અને તરુણ વયે તેઓ સૌપ્રથમ જૂનાગઢ આવ્યા હોવાનું શ્રીકૃષ્ણ ભકતો આજે પણ માને છે.

***********************************************************************

કૃષ્ણં શરણં ગરછામિ - Gunvant Shah

પાંચેક હજાર વર્ષોવીતી ગયાં તોય કòષ્ણનો જાદુ ઓસરવાનું નામ નથી લેતો. કવિઓ જેને ‘પ્રેમ-પદારથ’ કહે છે, તેનું મહત્ત્વ આવનારી સદીઓમાં વધતું જ રહેવાનું છે. પરોપકાર, કરુણા, અહિંસા અને અપરિગ્રહ જેવાં સુલક્ષણો માનવજાતના યોગક્ષેમ માટે જરૂરી છે. પ્રેમની વાત જરા જુદી છે. પ્રેમ મનુષ્યની જરૂરિયાત છે.
પ્રેમશૂન્ય જીવન તો મરુભૂમિ ગણાય. કરુણા કે અહિંસા ન કેળવાય તોય જીવન નભી જાય છે. પ્રેમ વિના તો જીવવું જ ભારે પડી જાય. કòષ્ણ પ્રેમના પરમેશ્વર છે. માણસને પાણી વિના ચાલે, તો પ્રેમ વિના ચાલે! પ્રેમની તરસ પણ પવિત્ર છે અને પ્રેમની તૃપ્તિ પણ પવિત્ર છે. આપણી પૃથ્વી પ્રેમ પર ટકેલી છે. પ્રેમ જયારે પરમેશ્વર તરફ વળે ત્યારે તને ‘ભકિત’ કહે છે. નારદ કહે છે: ભકિત પ્રેમસ્વરૂપા અને અમૃતસ્વરૂપા છે.
કòષ્ણને ભકતો પ્રત્યે ખાસ પક્ષપાત છે. ભગવદ્ગીતામાં પ્રગટ થયેલાં કòષ્ણનાં થોડાંક વિધાનોમાં આવો રળિયામણો પક્ષપાત જૉવા મળે છે:૧. ન મે ભકત: પ્રણશ્યતિ ૨. યો મદ્ભકત: સ મે પ્રિય:૩. ભકિતમાન્ ય: સ મે પ્રિય:૪. ભકિતમાન્ મે પ્રિયો નર:૫. યો મે ભકત: સ મે પ્રિય:૬. ભકતા: તે અતીવ મે પ્રિયા:કòષ્ણના આવા પક્ષપાતનો પ્રતિસાદ ભકતોએ પણ આપ્યો છે. ભકતોએ બાળકòષ્ણને લાડ લડાવ્યા છે, ગોપીકòષ્ણને વહાલ કર્યું છે અને ગીતામાં પ્રગટ થતા યોગેશ્વરને ભીના હૃદયથી ભજયા છે. વૈષ્ણવ હોવું એ અકસ્માત છે, વૈષ્ણવજન હોવું એ સંપ્રાપ્તિ છે.
એકવીસમી સદીમાં ભકિતના નવા આયામને ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ કહે છે. જગતના સૌ ભકતોએ ડેનિયલ ગોલમેનનું પુસ્તક અવશ્ય વાંચવું જૉઇએ. બુદ્ધિશકિત (ત્.મ્.) કરતાં પણ માનવીની લાગણીઓનું મહત્ત્વ વધારે છે. માણસ વાતવાતમાં કહે છે: ‘મારું હૃદય આ વાત માનવા તૈયાર નથી.’ હૃદય નામના સ્નાયુ કે પંપની એ વાત નથી. હૃદયને ડેનિયલ ‘ઇમોશનલ બ્રેઇન’ કહે છે. પોતાના ‘સ્વ’ અંગે સભાન એવા લોકો પોતાના લાગણીતંત્ર અંગે જાગ્રત હોય છે.
આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હૃદય માટે ‘માંહ્યલો’ શબ્દ છે. અંગ્રેજીમાં ‘કોન્શિયન્સ’ એટલે માંહ્યલો. બધી ટીવી સિરિયલો, બધી ફિલ્મો અને બધી વાર્તાઓ ‘હૃદયના સત્ય’ પર આધાર રાખનારી હોય છે. સેંટ એકયુપેરીની વિખ્યાત લઘુનવલ, ‘ધ લિટલ પ્રિન્સ’માં ટચૂકડા રાજકુમાર દ્વારા બોલાયેલું વાકય સાંભળો:
‘માણસ હૃદય દ્વારા જે જુએ, તે જ ખરેખરું જુએ છે.જે હાર્દ હોય છે, તે આંખને દેખાતું નથી.’
ગમે તેવું દુષ્કòત્ય કરવા તૈયાર થયેલા મનુષ્યને અંદરનો અવાજ અચૂક સંભળાય છે કે એ કરવા જેવું કòત્ય નથી. અંતરના કે માંહ્યલાના એ ધીમા છતાં સ્પષ્ટ અવાજનો અનાદર કરવાની ટેવ પડી જાય પછી જ કદાચ મનુષ્યને વી.આઇ.પી.નો દરજજૉ પ્રાપ્ત થાય એમ બને. જિગર મુરાદાબાદીનો શેર આપણને કપટમુકત થવા પ્રેરે તેવો છે:
તુમ જમાને કી રાહ સે આયે,વરના સીધા થા રાસ્તા દિલ કા.
ભકત બુદ્ધિ કહે તેમ કરે, તોય એને હૃદયના અવાજ પર વધારે શ્રદ્ધા હોય છે. સાચો ભકત કદી અંધશ્રદ્ધાળુ નથી હોતો. ભકિત જયારે વેવલાપણાને પનારે પડે ત્યારે પ્રદૂષિત બને છે. કòષ્ણે ગીતામાં અવ્યભિચારિણી ભકિતનો મહિમા કર્યોછે. એકનિષ્ઠ ભકિત અપ્રદૂષિત હોય છે, કારણ કે એ પ્રભુનિષ્ઠ અને કòષ્ણનિષ્ઠ હોય છે. ભકતની ખરી નિષ્ઠા પોતાની ભીતર બેઠેલા કòષ્ણ પ્રત્યે હોવી જૉઇએ. કòષ્ણને જગદ્ગુરુ કહ્યા છે. એમની અને ભકતની વરચે કોઇ દલાલોની જરૂર નથી. ભીતર બેઠેલા કòષ્ણ (ઇશ્વર: સર્વભૂતાનાં હૃદ્રેશેર્જુન તિષ્ઠતિ) એટલે હૃદયપ્રદેશમાં વિરાજમાન પ્રભુ. એને માટે ગીતાના તેરમા અઘ્યાયમાં બે શબ્દો પ્રયોજાયા: (૧) ઉપદ્રષ્ટા (૨) અનુમન્તા.
ઉપદ્રષ્ટા, એટલે અમ્પાયર. એ રમત જૉતો હોય તોય કોઇ પણ ટીમની હારજીત અંગે અલિપ્ત હોવાનો. અનુમન્તા એટલે અનુમતિ આપનારો ન્યાયમૂર્તિ. આપણો માંહ્યલાના કહ્યામાં હોઇએ તો ઘણાં અનિષ્ટોથી બચી શકીએ. માંહ્યલો ચેતવણી આપે છે. આપણે એની અવગણના કરવા ટેવાઇ ગયાં છીએ. બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિએ મહાન સત્ય સંભળાવ્યું: ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ માણસનું મન જૂઠું બોલે છે, હૃદય કદી જૂઠ્ઠું નથી બોલતું. આપણો અંતરાત્મા (કોન્શિયન્સ) જૂઠી વાતને અનુમતિ નથી આપતો. એનો અવાજ અવગણવાની કુટેવ દૂર થાય તો પાપ કરવાનું આપોઆપ ટળે. ખૂન કરવા ગયેલા ખૂનીને પણ અંદરનો અવાજ રોકે છે, પરંતુ પાપી તેની ઉપેક્ષા કરતો હોય છે.
શરણાગતિ એટલે ભકિતમાર્ગનું એવરેસ્ટ! એક મનુષ્ય બીજા મનુષ્યને શરણે શા માટે જાય? એ જ મનુષ્ય અહંકાર ત્યજીને પ્રભુને શરણે જાય તો પરમ શાંતિ પામે એવું ગીતામાં કહ્યું છે. ગીતાનો અઢારમો અઘ્યાય શરણાગતિનું સૌંદર્ય પ્રગટ કરનારો છે. બધા ધર્મોમાં શરણાગતિનો મહિમા થયો છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધને, સંઘને અને ધર્મને શરણે જવા માટેનો મંત્ર જાણીતો છે. જૈન ધર્મમાં આચાર્યને, ઉપાઘ્યાયને, સિદ્ધને અને અરિહંતને શરણે જવાનો મહિમા ‘ચત્વારિ શરણં’ તરીકે જાણીતો છે. ઇસ્લામ એટલે જ એકમાત્ર અલ્લાહને શરણે જવું. ગીતાની માફક આપણા જીવનનો અઢારમો અઘ્યાય જયારે આપણે અહંકારશૂન્ય બનીને કòષ્ણને શરણે જઇએ, ત્યારે શરૂ થાય છે. જીવનના છેલ્લા વર્ષ સુધી પૈસા અને પદવીની પાછળ ભમવું એ અપરિપકવતા છે. આપણે ત્યાં એંશી વર્ષના વડીલોને ‘નાદાન’ કહેવાનો રિવાજ નથી. બાકી અસંખ્ય નાદાન ડોસાઓ ઠેર ઠેર નજરે પડે છે.
અઢારમા અઘ્યાયના ૬૩મા શ્લોકમાં કòષ્ણ અર્જુનને કહે છે: ‘તને મેં ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન આપ્યું. હવે તું પૂરેપૂરો વિચાર કરીને (વિમૃશ્ય એતદ્ અશેષેણ) પછી જેમ ઇરછે તેમ કર (યથેરછસિ તથા કુરુ).’ કòષ્ણ તરફથી થતું આ ડેમોક્રેટિક ડેકલરેશન છે. પ્રત્યેક પરિવારમાં માતાપિતાએ પોતાનાં સંતાનોને વારંવાર કહેવું જૉઇએ: ‘યથેરછસિ તથા કુરુ.’ આટલું કહ્યા પછી કòષ્ણ અર્જુનને કહે છે: ‘હે પાર્થ! હું તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને પ્રિય છે. (સત્ય તે પ્રતિજાને પ્રિયો’ સિ મે).’ બધા પ્રયત્નોને અંતે જાણે થાકયા હોય એમ કòષ્ણ અર્જુનને એટલું જ કહે છે: ‘ખાતરી રાખ કે તું મને વહાલો છે.’ ૬૩મા શ્લોકમાં લોકતંત્રને શોભે એવી વાત કર્યા પછી તરત જ ૬૬મા શ્લોકમાં કòષ્ણ લોકતંત્ર બાજુએ રાખીને અર્જુનને આખરી આદેશ આપીને કહે છે: ‘બધા ધર્મોછોડીને તું મને એકલાને શરણે આવ (મામ્ એક શરણં વ્રજ)’. આવા આદેશમાં લોકતંત્ર ગાયબ થઇ ગયું! આવું કેમ બન્યું? શું આ આંતરવિરોધ નથી?
વાત એમ છે કે જગતમાં લોકતંત્ર કરતાંય પ્રેમતંત્ર અધિક ઊંચેરું છે. ડેમોક્રસી કરતાં ‘લવોક્રસી’ ઊંચે આસને વિરાજમાન છે. પરિવારમાં કયારેક એવી કટોકટી ઊભી થાય ત્યારે કહેવાનું પ્રાપ્ત થાય છે: ‘તું બધી માથાકૂટ મેલ અને અત્યારે હું કહું તેમ કર.’ આવું કહેવામાં પરિવારનું પ્રેમતંત્ર કટોકટીમાંથી ઊગરી જાય છે. કòષ્ણનું આવું પ્રેમાક્રમણ અર્જુન પામ્યો કારણ કે તે ‘ઋજુ’ હતો. જે ઋજુ (સરળ) હોય તે કòષ્ણને પ્રિય હોય છે. જે મનુષ્ય કપટી હોય તેનો ઉદ્ધાર કòષ્ણ પણ નહીં કરી શકે. તેથી નરસિંહ મહેતાએ વૈષ્ણવજન માટે બે શબ્દો પ્રયોજયા: ‘વણલોભી અને કપટરહિત.’ અર્જુન દોષમુકત ન હતો, પણ કપટમુકત હતો તેથી જ કòષ્ણનો સખા બની શકયો. ગીતાના ઉપદેશને અંતે અર્જુન કòષ્ણને કહે છે:
ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો! થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. (૨, ૭૩)
જીવનના બધા ઉધામા છોડીને આપણે પણ કયારેક કòષ્ણને શરણે જઇને કહેવાનું છે: ‘કરિષ્યે વચનં તવ.’ સાક્ષાત્ કòષ્ણ સામે ઊભા હોય એવી પાર્થવૃત્તિથી આ શબ્દો રોજ વારંવાર ઉદ્ગારવા રહ્યા. આ જીવંત મંત્ર છે. જીવન પર્વતારોહણ જેવું છે. શિખર પર અનંત આકાશનું દર્શન થાય ત્યારે કહીશું: ‘કòષ્ણં શરણં ગરછામિ.’
પાઘડીનો વળ છેડે
સ્વિડનના રાજમાર્ગ પર ‘હરે રામા હરે કòષ્ણ’વાળા ગોરા ભકતો શાકાહારી રેસ્ટોરાં ચલાવે છે. એનું નામ ‘ગોપિકા’ છે. તમે પ્રવેશો ત્યારે સ્વેડિશ સ્ત્રીઓ ‘જય શ્રી કòષ્ણ’ કહી તમારું અભિવાદન કરે છે. ઘરનું ખાવાનું ભૂલી જાઓ એવું સ્વાદિષ્ટ ભોજન કરવા માટે રોજ એકાદ હજાર ગોરા નાગરિકો ત્યાં જમવા આવે છે. મગની દાળનો શીરો અને ગરમ સમોસાં ગોરાઓને ભાવી ગયાં છે. ત્યાંથી ૭૦ માઇલ છેટે આવેલી વ્રજભૂમિ પર ગાયોની સેવા થાય છે. ત્યાં તમને સ્વિડનના પ્રખર ગોરા કòષ્ણભકત સાધુનાં દર્શન થશે. એમનું નામ છે, સ્વામી સ્મિતક્રિશ્ના. મળવા જેવા માણસ છે.

***************************************************************************

Friday, August 15, 2008

HAPPY INDEPENDENCE DAY




Today is August 15, 2008


Happy Independence Day to my motherland - INDIA
Jana Gana Mana Adhinayaka Jaya He
Bharat Bhagya Vidhata
Punjab Sindh Gujarat Maratha
Dravida Utkala Banga
Vindhya Himachal Yamuna Ganga
Ucchala Jaladhi Taranga
Tava Shubha Namey Jage
Tava Shubha Ashish Mangey
Gahe Tava Jaya Gata
Jan Gan Mangal dayak Jay He
Bharat Bhagya Vidhata
Jaye He ! Jaye He ! Jaye He !
Jaye,Jaye,Jaye,Jaye He
President Pratibha PATIL (since 25 July 2007)
Vice President Hamid ANSARI (since 11 August 2007)
Prime Minister Manmohan SINGH (since 22 May 2004)
One US Dollar = Rs. 42.80
http://coinmill.com

Monday, August 11, 2008

Shivji

દક્ષિણામૂર્તિ શિવ - courtesy મીનાક્ષી ભટ્ટ

‘બ્રહ્માએ તેમના ચાર માનસપુત્રો સનક, સનંદન, સનત્કુમાર અને સનત્સુજાતને સૃષ્ટિ આગળ ધપાવવાના કાર્યમાં મદદ કરવા કહ્યું, પરંતુ તેઓને આ કાર્યમાં રુચિ ન હોવાથી તેઓ મદદ કરવા રાજી ન હતા. આ ચારે પુત્રો એમ વિચારતા હતા કે કોણ તેમને જ્ઞાનનો કે સર્વોરચ વિવેકનો રાહ દર્શાવશે? નારદજી પધાર્યા અને તેઓએ કહ્યું, ‘બ્રહ્માજી સિવાય કોણ બ્રહ્મજ્ઞાન કે સર્વોરચ વિવેકનો રાહ ચીંધી શકે? ચાલો, આપણે તેમની પાસે જઈએ.’ આ ચારે જણા નારદજી સાથે સત્યલોકમાં બ્રહ્માજીના નિવાસસ્થાને ગયા અને જોયું તો સરસ્વતી વીણા વગાડી રહ્યાં હતાં અને બ્રહ્માજી સામે બેસીને તાલ મિલાવતા હતા અને પત્નીનું વીણાવાદન માણી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને તેઓને એમ થયું કે જે વ્યકિત પોતાની પત્નીના સંગીતનું અભિવાદન કરવામાં ગૂંથાયેલી છે તે કેવી રીતે અઘ્યાત્મ તત્ત્વ શીખવી શકે?’


ત્યાર બાદ નારદજીએ કહ્યું કે, ‘ચાલો આપણે વૈકુંઠમાં શ્રીવિષ્ણુ ભગવાનના નિવાસસ્થાને જઈએ. તેઓ સીધા જ અંદર વિષ્ણુ પાસે ગયા અને તેમને જોઈને પાછા બહાર આવ્યા અને કહ્યું કે, ‘અહીં તો દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પલંગ પર જ બેઠાં છે તથા તેઓની પગચંપી કરી રહ્યાં છે. પત્નીના નેત્રકટાક્ષથી મંત્રમુગ્ધ થયેલા આ ગૃહસ્થ કઈ રીતે (અઘ્યાત્મ વિધા શિખવાડવામાં) મદદરૂપ નીવડી શકે? ચાલો આપણે ભગવાન શિવની પાસે મદદ માટે જઈએ.’

તેઓ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજી પાસે ગયા. ત્યાં જઈને જોયું કે શિવજી એમના ઘણા બધા સાથીદારો વરચે તેમનાં પત્ની સાથે અર્ધ નર-નારી સ્વરૂપે દિવ્ય નૃત્ય કરી રહ્યા હતા. આતુરતાપૂર્વક જેમની આઘ્યાત્મિક દોરવણી માટે તેઓ આવ્યા હતા તેમને આ સ્થિતિમાં જોઈને તેઓ દિગ્મૂઢ થઈ ગયા અને બધા જ ત્યાંથી પાછા ફર્યા.

શિવજીને આ વાતનો અહેસાસ થયો અને તેમને માટે તેમને ત્યારે દુ:ખ થયું. ખરેખર જેઓ સત્યના શોધક છે તેમને આઘ્યાત્મિક જ્ઞાન બીજું કોણ પૂરું પાડશે? એમ વિચારીને શિવજીએ પોતે તપ કરવા માગે છે એવું બહાનું બતાવીને પાર્વતીજીને ત્યાંથી વિદાય કર્યા. આ નિરાશ ભકતો ઘરની વાટ પકડી રહ્યા હતા ત્યારે ઋજુ હૃદયના શિવજી તેઓના પાછા ફરવાના માર્ગ પર માનસરોવરની ઉત્તર બાજુ વટવૃક્ષ નીચે યુવાનરૂપે ચિન્મુદ્રા ધારણ કરીને દક્ષિણામૂર્તિ તરીકે બિરાજી ગયા.

એમને જોઈને તેઓ લોઢું જેમ લોહચુંબકથી આકર્ષાય એમ એમની તરફ આકર્ષાયા અને એમની હાજરીમાં એમની જેમ મૌન આત્મનિષ્ઠામાં રહ્યા. શ્રી રમણ મહર્ષિએ દક્ષિણામૂર્તિના અર્થ સહિતની સમજૂતી આપતાં કહ્યું હતું, ‘તેઓ માટે જન્મનો કયાં પ્રશ્ન જ છે? એ શિવનાં પાંચ સ્વરૂપોમાનું એક છે. આનો અર્થ એવો થાય છે કે તેઓ મૌન મુદ્રામાં દક્ષિણ દિશા ભણી મુખ કરીને બેઠા છે. આ સ્વરૂપનો જે આંતરિક અર્થ છે તેમાં તેની નિરાકારતા વર્ણવાઈ છે. શ્રી દક્ષિણામૂર્તિ, શ્રી એટલે માયાશકિત, દક્ષિણાનો એક અર્થ છે સમર્થ અને બીજો અર્થ છે ‘શરીરમાં જમણી બાજુએ આવેલા હૃદયમાં’ અમૂર્તિ એટલે આકારરહિતતા. આમ આના અનેક અર્થ કરી શકાય છે.

શ્રી રમણ મહર્ષિ શ્રીમદ્ શંકરાચાર્ય રચિત દક્ષિણામૂર્તિ સ્તોત્રની પૂર્વભૂમિકાને સમજાવતા કહે છે કે ‘મૌન જ સાચો ઉપદેશ છે. એ જ સંપૂર્ણ ઉપદેશ છે. આ ઉપદેશ આગળ વધેલા સાધકો માટે જ છે. અન્ય સાધકો આ દ્વારા પૂર્ણપ્રેરણા પ્રાપ્ત કરવા સમર્થ નથી. આથી આવા સાધકોને સત્ય સમજાવવા માટે શબ્દોની આવશ્યકતા રહે છે, પરંતુ સત્ય તો અનિર્વચનીય છે. તેનું વિવેચન સંભવ નથી. બહુ બહુ તો તેનો માત્ર નિર્દેષ કરી શકાય. આથી આદિશંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રની રચના કરી હતી કે જેથી તેનો પાઠ કરીને લોકો સત્યને સમજી શકે.

અંતે દક્ષિણામૂર્તિ શિવની સ્તુતિ કરતા રમણ મહર્ષિ દ્વારા રચિત અને પ્રો. મકરંદ બ્રહ્મા દ્વારા અનુદિત નીચેની પંકિતઓ સાથે વિરમીશું.

દક્ષિણામૂર્તિનો ચમત્કાર
(અનુષ્ટુપ)
કોણ છે વડની નીચે બિરાજેલા યુવા ગુરુ? વૃદ્ધાતિવૃદ્ધ શિષ્યો સૌ રહ્યા છે શોધી તેમને મૌનથી ઉપદેશે છે શોભતા આ યુવા ગુરુ છેદાયા સંશયો સર્વે તત્ક્ષણે શિષ્યવૃંદના વટવૃક્ષ તળે સોહે જ્ઞાન તેજે યુવા ગુરુ સન્મુખે વૃદ્ધ શિષ્યો સૌ બેઠા જ્ઞાનપિપાસિતો ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યો સંશયમુકત સૌ!

Friday, August 8, 2008

Hanuman Chalisa

Shri Guru Charan Saroj Raj
Nij mane mukur sudhar
Varnao Raghuvar Vimal Jasu
Jo dayaku phal char

Budhi Hin Tanu Janike
Sumiro Pavan Kumar
Bal budhi Vidya dehu mohe
Harahu Kalesh Vikar


Jai Hanuman gyan gun sagar
Jai Kapis tihun lok ujagar
Ram doot atulit bal dhama
Anjani-putra Pavan sut nama

Mahavir Vikram Bajrangi
Kumati nivar sumati Ke sangi
Kanchan varan viraj subesa
Kanan kundal kunchit kesha

Hath vajra aur dhavj Viraje
Kandhe moonj janehu saaje
Sankar suvan kesri nandan
Tej pratap maha jag vandan

Vidyavan guni ati chaatur
Ram kaj karibe ko aatur
Prabhu charitra sunibe ko rasiya
Ram Lakhan Sita man basiya

Sukshma roop dhari siyahi dikhava
Vikat roop dhari lanka jarava
Bhim roop dhari asur sanghare
Ramchandra ke kaj savare

Laye sanjivan lakhan jiyaye
Shri Raghuvir harshi ur laye
Raghupati kinhi bahut badhai
Tum mam priya Bharat-hi sam bhai

Sahas badan tumro yash gaave
as kahi Shripati kanth lagaave
Sankadik brahmadi munisa
narad sarad sahit aheesa

Yam kuber digpal jahan te
Kavi kovid kahi sake kahan te

tum upkar sugreevahi kinha
ram milaye rajpad dinha
tumharo mantra vibheeshan mana
lankeshwar bhaye sab jag jaana

yug sahastra jojan par bhanu
leelyo tahi madhur phal janu

prabhu mudrika meli mukh maahi
jaldhi langhi gaye achraj naahi

durgam kaaj jagat ke jete
sugam anugraha tumre tete

ram dware tum rakhvare
hotna aagya binu paisare

sab sukh lahi tumhari charna
tum rakshak kahu ko darna

aapan tej samharo aape
teeno lok haankte kanpe

bhoot pishach nikat nahi aave
mahavir jab naam sunave

nase rog hare sab peera
japat nirantar hanumat beera

sankat se hanuman chudave
man karam vachan dyaan jo lave

sab par ram tapasvi raja
tin ke kaj sakal tum saja

aur manorath jo koi lave
sohi amit jeevan phal pave

charo yug partap tumhara
hoi parsidhi jagat ujiyara

sadhu sant ke tum rakhware
asur nikandan ram dulare

asht sidhi nav nidhi ke daata
as var deen janki maata
ram rasayan tumhare paasa
sada raho raghupati ke daasa

tumhare bhajan ram ko paave
janm janm ke dukh bisrave

anth kal raghuvir pur jaayi
jahan janam hari-bhakt kahayi

aur devta chit na dharhi
hanumanth se hi sarva sukh karehi

sankat kate meete sab peera
jo sumirai hanumat balbeera

Jai Jai Jai Hanuman Gosai
Kripa Karahu Gurudev ki nyahin

Jo sat bar path kare koi
Chutehi bandhi maha sukh hoi

Jo yah padhe Hanuman Chalisa
Hoye siddhi sakhi Gaurisa
Tulsidas sada hari chera
Keejai Das Hrdaye mein dera


Pavan tanai sankar haran,
Mangal murti roop.
Ram Lakhan Sita sahit,
Hrdaye basahu sur bhoop.

Siyavar Ramchandra ki jai
Pavanputra Hanuman ki jai.

Monday, August 4, 2008

Shravan Maas - Gujrati

વ્રતોનો મહિનો એટલે શ્રાવણ - Courtesy ડો. દેવીપ્રસાદ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા ઉપરાંત કેટલાંક બીજાં પણ મહત્ત્વપૂર્ણ વ્રત આવે છે, એનું પાલન કરવાથી શુભ ફળ મળે છે.


શ્રાવણ મહિનાના દરેક મંગળવારે વ્રત કરવાને મંગલાગૌરી વ્રત કહે છે. હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે શ્રાવણ મહિનાનાં વ્રત છે.

શ્રાવણ મહિનો ચિંતનની દૃષ્ટિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ મહિનો ભગવાન શિવજીને પ્રિય છે. હવે પ્રશ્ન એ છે કે શ્રાવણ માસ કોને કહે છે? ભારતીય વર્ષમાં નવવિધ કાલમાન પ્રચલિત છે. આમાં માનવજીવન વ્યવહારમાં બે પ્રકારના મહિનાનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે. ચંદ્ર દ્વારા બનતા મહિનાને ચંદ્રમાસ તથા સૂર્ય દ્વારા બનતા મહિનાને સૌરમાસ કહે છે. ચંદ્ર માસ બે પ્રકારે પ્રચલિત છે. (૧) પૂનમથી પૂનમ સુધીના મહિનાને પૂર્ણિમાંત ચંદ્રમાસ કહે છે. આ મહિનાઓનું ચલણ ઉત્તર ભારતમાં છે. (૨) અમાસથી અમાસ સુધીના મહિનાને અમાંત ચંદ્રમાસ કહે છે.


મહિનાઓના રૂપે ચંદ્રમાસ જ પ્રથમ દૃષ્ટિએ ગ્રહણ કરાય છે. સંક્રાંતિ સિવાય દરેક પર્વ, ઉત્સવ તેમજ વ્રત ચંદ્રમાસના આધારે મનાવાય છે. એક સંક્રાંતિથી બીજી સંક્રાંતિ સુધીના કાળને સૌરમાસ કહે છે. જે દિવસે સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરે છે એ દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય છે. પહાડી પ્રદેશોમાં ખાસ કરીને સૌરમાસનું ચલણ વિશેષ જોવા મળે છે. ત્યાં શ્રાવણના સોમવાર જેવાં વ્રતોને સૌરમાસ અનુસાર મનાવવામાં આવે છે.

ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંત ચંદ્રમાસનો શ્રાવણ માસ, શ્રાવણ સુદ એકમ ૧૯ જુલાઈ, ૨૦૦૮થી પ્રારંભ થાય છે. આ માસ શ્રાવણી પૂનમ શનિવાર ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના પૂર્ણ થાય છે, જયારે દક્ષિણ ભારતમાં પ્રચલિત અમાંત ચંદ્રમાસ અનુસાર શ્રાવણ, શ્રાવણ સુદ એકમ શનિવાર ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી રહેશે. સૌરમાસ મુજબ સૂર્ય કર્ક રાશિમાં જુલાઈ ૧૬, ૨૦૦૮ના આવ્યો અને ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના સિંહ રાશિમાં જશે. આના લીધે ૧૬ જુલાઈથી ૧૫ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ માસ રહેશે, જયારે આપણે અહીં ગુજરાતમાં ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ મહિનો રહેશે.

શ્રાવણ માસ ભગવાન શિવજીની પૂજાની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ મહિનામાં જે રોજ શિવજીની પૂજા કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના સોમવાર ભગવાન શિવજીને વિશેષ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં પાર્થિવ પૂજન અર્થાત્ માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

દરરોજ અથવા દર સોમવારે તથા પ્રદોષના દિવસે શિવપૂજા કે પાર્થિવ પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવજી વૈદિક દેવતા છે. તેમને વેદોમાં યજુર્વેદ સૌથી વધુ પ્રિય છે. એટલે યજુર્વેદીય રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનું પૂજન અથવા અભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેક બે પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી તેમજ દ્વિતીય ચયન કરેલા ૧૦૦ મંત્રોથી, જેને શતરુદ્રીય કહે છે. આ બંનેમાંથી સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનો અભિષેક કરવાનું પ્રચલન વધુ છે.

૧૧ રુદ્રાભિષેકોનો એક લઘુરુદ્ર, ૧૧ લઘુરુદ્રોનો એક મહારુદ્ર તથા ૧૧ મહારુદ્રોનો એક અતિરુદ્ર હોય છે. સોમવારે વ્રત કરીને યથાયોગ્ય શિવજીનો અભિષેક કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના પૂજન ઉપરાંત બીજા કેટલાંક મહત્ત્વપૂર્ણ વ્રત પણ આવે છે. તે કરવાથી પણ શુભ ફળ મળે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારનું વ્રત કરવાને મંગલાગોરી વ્રત કહે છે. આ વ્રત લગ્ન બાદ સ્ત્રીઓ દ્વારા પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. લગ્ન બાદ પ્રથમ શ્રાવણ મહિનો આવે ત્યારે પિયરમાં ત્યાર બાદ ચાર વર્ષ સાસરિયામાં આ વ્રત કરવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં બીજાં કેટલાંક વ્રતો પણ આવે છે જેમાં હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન આ બધાં વ્રત કરવાથી પણ તેનું લાભદાયી ફળ મળે છે.

**********************************************************************************
જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય મહાકાલ - Courtesy આનંદશંકર વ્યાસ

શ્રાવણ મહિનામાં ઉજજૈનમાં મહાકાલેશ્વરની આરાધનાનો મહિમા અનેરો છે. ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવના પ્રિયમાસ શ્રાવણમાં શિવ આરાધના અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી શુભ છે.


ભગવાન મહાકાલેશ્વર કાલગણનાના સંચાલક છે, જે ઉજજૈનમાં પૃથ્વીની નાભિ (કુંડલિની) પર સ્વયંભૂ સ્વરૂપમાં સ્થિત છે. કર્ક રેખા પર સ્થિત ઉજજૈન, લંકાથી સુમેરુ સુધી જનારી ભૂમઘ્ય રેખાથી અહીં મળે છે. આ ભૌગોલિક સ્થિતિને લીધે પ્રાચીન સમસ્ત આચાર્યોએ ઉજજૈનને કાલગણનાનું નગર અને મહાકાલેશ્વરને કાલગણનાના સંચાલક કીધા છે. ભારતનાં દરેક પંચાગોનું આધારબિંદુ ઉજજૈન જ છે. આ અહીંના પંચાંગની વિશિષ્ટતા છે. મહાકાલ કાલગણનાના સંચાલક હોવાને લીધે જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય દેવ છે.

સમુદ્રમંથનમાંથી નીકળેલાં ૧૪ રત્નોમાં હળાહળ ઝેર પણ હતું. આ ઝેર કોઈ ગ્રહણ કરવા ઇરછતું નહોતું ત્યારે વિશ્વ કલ્યાણાર્થે ભગવાન શિવજીએ વિષપાન કર્યું તેથી તેઓ દેવથી પણ મોટા મહાદેવ કહેવડાવ્યા. વિષ પ્રત્યેની ગ્લાનિના શમન માટે શિવને જળમાં અને હિમાલય પર રહેવું ગમે છે. ભોળનાથ જળ, શીતળતા પ્રદાન કરનાર ચંદન, ચોખા, જંગલમાં ગતો આકડો, ધતૂરાનું ફૂલ અને બીલીપત્ર જેવી સરળતાથી પ્રાપ્ત થનારી પૂજન સામગ્રીથી પ્રસન્ન થઈ જાય છે.

શ્રાવણ શિવપૂજા માટેનો ખાસ મહિનો ગણાય છે, કારણ કે આ મહિનો વર્ષાઋતુમાં આવે છે અને પ્રકૃતિ દ્વારા સતત જળાભિષેક થતો રહે છે. આ વર્ષે શ્રાવણ માસનો આરંભ ૨ ઓગસ્ટ, શનિવારના રોજ થાય છે, જયારે પૂણાર્હુતિ ૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ થશે. શ્રાવણ માસનો આરંભ શનિવારથી થઈ રહ્યો છે અને સમાપ્ત પણ શનિવારે થવાથી આ મહિનામાં પાંચ શનિવાર આવશે. મહિનામાં પાંચ શનિવાર અનુસાર ખેતી માટે નુકસાનકારક છે.

બીજું કે શ્રાવણ મહિનામાં ગ્રહણ પણ અનિષ્ટસૂચક છે. આ મહિનામાં કર્ક-સિંહ રાશિમાં ચતુગૃર્હી પણ પ્રાકૃતિક આપત્તિસૂચક છે, પરંતુ બૃહસ્પતિનો ઉત્તમ ગોચર રક્ષા કરવામાં સહયોગી રહેશે. શ્રાવણ મહિનો ચૈત્રાદિ માસના ક્રમમાં પાંચમો મહિનો છે, જે આત્મતત્ત્વ છે. અઘ્યાત્મના કારક સૂર્ય શ્રાવણ માસમાં કર્ક અને સિંહ રાશિમાં ભ્રમણશીલ હોય છે. કર્ક રાશિનો સ્વામી મનસ્તત્વ છે તો સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્ય આત્મકારક છે. મન અને આત્માનો સંબંધ જ ધર્મ અને અઘ્યાત્મની ઉપલબ્ધિનો મહિનો છે.

ઉજજૈનમાં શ્રાવણ માસમાં મહાકાલેશ્વરની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. સમસ્ત ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. હરિયાળી અમાસ એટલે કે ૧ ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ છે. રક્ષાબંધન ૧૬ ઓગસ્ટના રોજ બપોરના ૨.૩૦થી ૪.૦૦ વાગ્યા સુધી ઉત્તમ છે. આ દિવસે રાત્રે ચંદ્રગ્રહણ છે, જેનો વેધ બીજા દિવસે ૪ વાગ્યા સુધી રહશે.

શ્રાવણ મહિનામાં રાશિગત વિચાર
સિંહ રાશિમાં શનિ + મંગળ યોગ ૧૨ ઓગસ્ટ સુધી છે. ૨૨ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં ચતુગૃર્હી યોગ. સિંહ રાશિમાં ચતુગૃર્હી ૮ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ સુધી. ૧ ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ. ૧૬-૧૭ ઓગસ્ટથી રાત્રે મકર-કુંભ રાશિમાં. ચંદ્રગ્રહણ જેવી ગ્રહ સ્થિતિઓના પરિણામે કર્ક, સિંહ, કન્યા રાશિઓને સાડાસાતી છે. વૃષભ અને મકર રાશિને અઢી વર્ષની પનોતી છે. એટલે આ પાંચ રાશિઓ ખાસ સંઘર્ષ, તનાવ અને મોંઘવારીથી પીડાયેલી રહેશે. કર્ક, સિંહ, ધન અને મકર રાશિઓનો ચતુગૃર્હી સમય સાવધાની રાખવાનો છે. સૂર્યગ્રહણ મેષ, કર્ક, સિંહ અને ધન માટે અશુભ છે, જયારે ૧૬-૧૭ ઓગસ્ટનું ચંદ્રગ્રહણ મકર, કુંભ, મિથુન, તુલા રાશિ માટે કષ્ટદાયક રહેશે. તુલા, વૃશ્ચિક અને મીન રાશિ માટે અનુકૂળતા છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવજીના પ્રિય માસ શ્રાવણમાં ભકિત અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી.

આખા મહિના દરમિયાન તીર્થમાં સ્નાન, પ્રતિદિન સંકિલ્પત સંખ્યા પ્રમાણે ‘ૐ નમ: શિવાય’ મંત્ર બોલીને બીલીપત્ર અર્પણ કરવાં. ચંદન, ચોખા ચઢાવો, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્રાભિષેક, હવન વગેરે પોતપોતાની શકિત પ્રમાણે કરાવવા. આખો મહિનો વ્રત-ઉપવાસ, ધાર્મિક ગ્રંથોનું વાંચન, શિવપુરાણ વગેરેનું વાંચન અને શ્રવણ કરવું. શિવ મહામંત્રનો જાપ કરવો. હર-હર મહાદેવ શંભુનો ઉદ્ઘોષ કરવો.
*************************************************************************************
રાજા સિદ્ધરાજે બનાવેલું સિદ્ધનાથ મહાદેવ
Courtesy અમિતા ચૌધરી

ભારતની સંસ્કૃતિ છે તેનાં મંદિરો અને જે હંમેશાં અજરઅમર રહી છે અને જે સેંકડો વર્ષોના વિદેશી હુમલાઓ અને વિદેશી શાસન હોવા છતાં જીવિત રહી છે. ભારતીય સંસ્કૃતિનો આત્મા તેનાં મંદિરો-ધર્મ છે. ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્ આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે અને તેવા જ એક સુંદર મંદિરની મુલાકાત અમે લીધી.

ગૂજરાત વિધાપીઠ તરફથી ‘ગ્રામજીવન પદયાત્રા’નું પાંચ દિવસનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમે આઠ વિધાર્થિની અને એક માર્ગદર્શક સાથે કલોલ તાલુકાના ગામમાં પદયાત્રા નિમિત્તે ફરવાનું થયેલું. તેમાં અમારું પ્રથમ ગામ ઔધોગિક ઇન્ડસ્ટ્રીઝથી ધેરાયલું એવું કલોલ તાલુકાનું સઇજ ગામ હતું. જયાં અમને એવું જાણવા મળ્યું કે અહીં એક પૌરાણિક પ્રાચીન મહાદેવનું મંદિર છે. અમે સૌ જોવા અને દર્શન કરવા ગયા અને તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે જાણ્યું.

અમોને જાણવા મળવા મુજબ આ ‘સિદ્ધનાથ મહાદેવ’નું મંદિર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ. તેની કથા જાણતા આ પ્રમાણે છે.

પાટણના રાજા સિદ્ધરાજે ધારાનગરી પર ચઢાઇ કરી. પોતાના મામાને મારીને ગાદી પર બેઠા પછી આ પાપમાંથી મુકત થવા માટે રાજપુરોહિતે તેમને પાંચ સિદ્ધનાથ મહાદેવના મંદિર બાંધવા આજ્ઞા કરી. તેના ફળ સ્વરૂપે આ મંદિરનું નિર્માણ થયેલું છે. આ સ્થળે શ્રીરંગ અવધૂત એક વર્ષથી વધુ સમય રોકાયા ને ‘દત્તબાવની’ જેવા સુપ્રસિદ્ધ ગ્રંથની રચના કરી.

આ મંદિર સઇજ ગામની ગોદમાં આવેલું છે. પ્રાકૃતિક રીતે તેનો પરિસર વૃક્ષો, ફૂલ-છોડ અને વેલોથી વીંટળાયેલો છે. તેના ભવ્ય પ્રવેશદ્વાર અનન્ય આકર્ષણ ઊભું કરે છે. દ્વારપાળની મોટી મૂર્તિઓ અને બંને બાજુ સિંહોની રમણીય આકૃતિઓ તેમજ સૌથી ઉપર લિંગ અને શેષનાગની આકૃતિ ઘ્યાનકર્ષક છે.

આ સ્થળે જવા માટે અમદાવાદથી મહેસાણા હાઇવે પર ઇફકો કંપની સામે સઇજ ગામ છે અને ત્યાં આ સુવિખ્યાત મંદિર આવેલું છે. પિકનિક, પ્રવાસ નિમિત્તે પણ અહીં જઇ શકાય તેવું સ્થળ છે.
*************************************************************************************
રુદ્રાભિષેક : સર્વ દુ:ખ નિવારણ - Courtesy શિરીષ અયાચિત

પરમાત્મા ત્રણ સ્વરૂપમાં અભિવ્યકત હોય છે. સર્જક, પાલક અને સંહારક. સર્જનાત્મક પરમાત્મા ભવ અથવા બ્રહ્મા, પાલકાત્મક સ્વરૂપ એટલે હરિ અથવા વિષ્ણુ અને સંહારક એટલે હર અથવા રુદ્ર. રુદ્રને પશુપતિ પણ કહેવામાં આવે છે. પશુ અર્થાત્ ચલનવલન કરનાર પ્રાણી. એના શાસક-માલિક-પતિ એવા રુદ્ર એટલે પશુપતિ.


રુદ્રાઘ્યાયમાં દરેક મંત્ર સમાજધારણા માટે, સત્ગુણોની ઉપાસના કરવા અને ઉત્તમ વિચાર રાખવા માટે આદેશ આપનાર છે. નમકના પ્રથમ વિભાગમાં રુદ્રનાં વિવિધ રૂપોને નમસ્કાર કરેલા છે. સેનાપતિ, દિશાઓના સ્વામી, દ્વિપાદ અને ચતુષ્પાદ પશુઓના સ્વામી. રુદ્રાઘ્યાયનો બીજો વિભાગ જેને ‘ચમક’ વિભાગ કહેવામાં આવે છે તેમાં વિવિધ માગણીઓ કરવામાં આવે છે. ‘ચમે’ એટલે મને આપો.

રુદ્ર આરાધના કરવાના પ્રકાર
શિવલિંગ ઉપર સતત ધાર ધરીને રુદ્ર પઠણ કરવું એટલે ‘રુદ્રાભિષેક’. રુદ્રાઘ્યાયના નમકના સર્વે અગિયાર અને ચમકનો એક અઘ્યાય પછી બીજો અઘ્યાય એવી રીતે અગિયાર આવર્તનો કરવાથી ‘રુદ્રાભિષેક’ થાય છે. અગિયાર રુદ્રાભિષેક એટલે એકસોએકવીસ આવર્તનો કરવાથી એક ‘લઘુરુદ્ર’ થાય છે. અગિયાર લઘુરુદ્ર એટલે એક ‘મહારુદ્ર’ થાય છે. અગિયાર મહારુદ્ર એટલે એક ‘અતિરુદ્ર’ થાય છે.

રુદ્રના જપથી ગૃહદોષ, બધા નષ્ટ દૂર થાય છે, બધા રોગોની શાંતિ થાય છે, બધી ઇરછાઓ પૂર્ણ થાય છે. સંતતિ ન થવી, યશ ન મળવો, અસાઘ્ય બીમારી એવાં અનેક સંકટોને માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ અત્યંત પરિણામકારક ઉપાય છે. પાપક્ષાલન, વ્યાધિનિવારણ આદિ માટે રુદ્રનું અનુષ્ઠાન અવશ્ય કરવું. એકંદરે વિવિધ સંકટો માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ સુલભ અને પરિણામકારક ઉપાય છે.
**************************************************************************************
શ્રાવણના દેવ શિવજી - Courtesy ડો. મણિભાઈ પ્રજાપt

Aug 2, 2008 શનિવારે શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય

‘અધિક શ્રાવણ’ (પુરુષોત્તમ-માસ)ના અધિષ્ઠાતા દેવ છે ભગવાન પુરુષોત્તમ, તો શ્રાવણના દેવ છે ભગવાન શિવ. પુરુષોત્તમ એટલે રામ-કૃષ્ણ વગેરે દશ કે ચોવીસ અવતાર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ. એ છે અધિક શ્રાવણિયા દેવ, જયારે ભગવાન શિવ શ્રાવણિયા મહાદેવ ગણાયા. ‘અધિક શ્રાવણ’ અને ‘શ્રાવણ’ આ બે માસથી જાણે વિષ્ણુ અને શિવનો સંગમ થાય છે. બંને મહાન દેવોની એકતા સ્થપાય છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોની કેવી અદ્ભુત બિનસાંપ્રદાયિક અને સમન્વયકારી દૃષ્ટિ! વાસ્તવમાં વિષ્ણુ-શિવમાં કોઇ ભેદ નથી, પછી વૈષ્ણવો અને શૈવોના ભેદ શીદને!

ભગવાન શિવનાં બેસણાં છે હરી-ભરી પ્રકòતિના ખોળેે. શ્રાવણમાં પ્રકૃતિ સોળે કળાએ શણગાર સજે છે. પ્રકૃતિ તો ભગવાન શિવની દૈવી શકિત પાર્વતી છે. શ્રાવણમાં વર્ષાનો વૈભવ પ્રકòતિ રૂપે પ્રગટે છે. પ્રકòતિના મેઘવણાર્ કાળાભમ્મર અંબોડે મેઘધનુષ્યના સાત રંગોની વેણી ગૂંથાય છે. વીજળીના ચમકારે એ હાસ્ય વેરે છે. પેલા પરબ્રહ્મસ્વરૂપ શિવજી વાદળમાં છુપાઇને ડમરુ વગાડી વગાડીને પ્રકòતિને નચાવે છે. વરસાદની ધારાઓનું સુરીલું સંગીત રેલાય છે. એ સંગીતમાં શિવભકત રાવણને શિવજીના તાંડવ-નૃત્યનો ધમધમાટ સંભળાય છે, તો વળી બીજા કોઇ શિવભકતને ધીર-ગંભીર નાદ સંભળાય છે.

પ્રકૃતિને આવો શણગાર સજાવનાર ‘ડિઝાઇનર’ છે કોણ? એ ડિઝાઇનર તો અદૃશ્ય રહીને પોતાની કલા-ગૂંથણી કરે છે. કુદરતને શણગારનાર એ ડિઝાઇનર છે મહેશ્વર. એની કલા અને સર્જન-શકિતને મૂલવવા સંતો, ભકતો અને કવિઓએ જાત-જાતની ઉપમાઓ આપી છે. સૃષ્ટિના, જગતના જુદા જુદા ઘાટ કે રંગ-રૂપ ઘડનાર એ પરબ્રહ્મસ્વરૂપ પરમેશ્વરને કેટલાકે શિલ્પી કે મહાન કલાકાર તરીકે દર્શાવ્યા, તો કેટલાકે અદ્ભુત પદાર્થોઉત્પન્ન કરનાર જાદુગર રૂપે, તો કોઇકે મનુષ્ય-આકòતિઓ ઘડનાર કુંભકાર રૂપે, તો કોઇકે અખિલ વિશ્વનું યંત્ર ચલાવનાર કુશળ ઇજનેર રૂપે ઓળખ્યા!

અષાઢ અને શ્રાવણ તો કવિઓ, ભકતો અને પ્રેમીઓના મધુમાસ. અષાઢી આકાશના પહેલા વાદળને જોઇને શિવભકત મહાકવિ કાલિદાસની કવિતા ‘મેઘદૂત’નું સ્મરણ થાય! હિમાલયના શિખર ઉપર આવેલી ભગવાન શિવની અલકાનગરી મનની આંખો આગળ તરવરી રહે. શિવજીની અલકાપુરીના કારભારી છે કુબેરભંડારી. એમનો એક સેવક હતો યક્ષ. યક્ષ એકવાર પોતાની ફરજ ચૂકયો, ને કુબેરે તેને પત્ની-વિયોગનો એક વર્ષનો શાપ આપી દીધો.

શાપ પ્રમાણે, બિચારા એ યક્ષને પત્નીથી વિખૂટા પડી, અલકાનગરી છોડીને દૂર-દૂર દક્ષિણભારતના રામગિરિ-આશ્રમમાં નિવાસ કરવો પડયો. અષાઢ માસના પહેલા દિવસે, આકાશમાં ઘુમરાતું પહેલું વાદળ જોઇને, એવી માદક મોસમમાં, એને અલકામાં વિરહિણી બનીને રહેતી પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું. તેણે વાદળ મારફતે પોતાની પ્રાણપ્રિયા પત્નીને ‘પ્રેમસંદેશ’ મોકલાવ્યો! આનું હૃદયસ્પર્શી વર્ણન મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’ કાવ્યમાં કર્યું છે. અષાઢના પહેલા દિવસે કોઇ પ્રિયતમને પોતાની પ્રિયતમાનું સ્મરણ થાય, તો શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય.

શિવજીની કે દેવીશકિત જગદંબાની કòપા પ્રાપ્ત થાય, તો મનુષ્યને કેવી અદ્ભુત શકિત મળે એનું જવલંત ઉદાહરણ મહાકવિ કાલિદાસ છે. ભગવાન શિવને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસમાં આપણે વૈદિક •ષિ વસિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યમ્બકેશ્વરની સ્તુતિ કરીએ :
‘સુગંધવાળા (જીવનને મઘમઘતું બનાવનાર) અને રિદ્ધિ-સિદ્ધિ વધારનાર (પાલક અને પોષક) એવા ભગવાન ત્ર્યમ્બકેશ્વર (ત્રિલોચન)નું આપણે યજન-પૂજન કરીએ. સ્તુતિ-સ્તવન કરીએ.’શ્રાવણ માસના આ દિવસોમાં ભગવાન શિવની સ્તુતિનું આપણે ગાન કરીએ:
***************************************************************************************