Tuesday, September 30, 2008

Navrati readings

aaસુરીવૃત્તિનો સામનો તે જ સાચી ઉપાસના - Courtesy રચના મહેતા

પહેલાં સ્ત્રીઓ અસુરોનો સામનો કરતી અને આજે પણ સ્ત્રીઓએ અસુરોનો સામનો કરવો પડે છે. નવરાત્રિ એટલે અસુરોનો સંહાર કરનાર માતાજીની ઉપાસના કરવાનું પર્વ અને સ્ત્રી શકિતના વિજયની ઉજવણી કરવાનો અવસર. માતાજીએ અસુરોનો સંહાર કર્યાની કથાઓ એવું બતાવે છે કે સ્ત્રીઓએ એ સમયે પણ અસુરોનો સામનો કરવો પડતો અને આજે પણ સ્ત્રીઓએ અસુરોનો સામનો કરવો પડે છે માત્ર તે અસુરોના સ્વરૂપમાં ફેર પડયો છે. દહેજપ્રથા, સ્ત્રીભ્રૂણહત્યા વગેરે અસુરો સ્ત્રી પર અવારનવાર હુમલા કરે છે. વળી, આ અસુરો આસુરીવૃત્તિના સ્વરૂપમાં સ્ત્રીના પોતાના જ કોઇ પરિવારજન કે વિશ્વાસુ વ્યકિતમાં છુપાઇને બેઠેલ હોય છે. જેથી તેનો સામનો કરવાનું મુશ્કેલ બની જાય છે.

aaજે કોઇ સ્ત્રીને મહિષાસુર સામે નથી મળતો પણ એ જ અસુર ગુરુનો દરજજો ધરાવીને જાતીય શોષણ કરતા કોઇ પ્રોફેસર, પોતાની જાતને સંત ગણાવતા કોઇ બાપુ, દહેજની લાલચુ સાસુ કે પછી પત્નીનું આર્થિક શોષણ કરતા પતિના સ્વરૂપમાં આવે છે કે જેની સામે સ્ત્રીએ લડત આપવી પડે છે.


આ સંજોગોમાં સ્ત્રીએ સાવચેતીપૂર્વક વર્તી આપ્તજનનો નહીં પણ તેમની આસુરી વૃત્તિનો વિરોધ કરવાનો છે.

તાજેતરમાં જ એક એવો બનાવ બન્યો કે જેમાં થિયેટરમાં રાષ્ટ્રગીત વાગ્યું તે સમયે એક યુવકે સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાને બદલે પોતાની સીટ પર બેસી રહેતા રક્ષા ભરાડિયા નામના જાણીતા લેખિકાએ તે યુવકને બરાબર પાઠ ભણાવ્યો. ભારતમાતાનું અપમાન કરનાર સામે તેમણે હિંમતપૂર્વક લડત આપી અને વિજય મેળવ્યો. એક સ્ત્રીએ ભારતમાતાના ગૌરવ માટે અવાજ ઉઠાવ્યો જયારે આપણે ઘણી વાર આપણી તદ્દન નજીકની સ્ત્રી કોઇ અન્યાયનો ભોગ બને તો પણ ચૂપ રહેતાં હોઇએ છીએ. પરિણામે આસુરી શકિત સ્ત્રીઓ સામે ફાવી જતી હોય છે. સ્ત્રીની દુશ્મન સ્ત્રી તે ઉકિતને ખોટી ઠેરવી દઇ હિંમત અને સંગઠન દ્વારા આધુનિક યુગના અસુરોનો સામનો કરીશું ત્યારે જ માતાજીની સાચી ઉપાસના કરી ગણાશે.

***************************************************************************


*****************************************************************************


નવરાત્રિનો આરંભ કેવી રીતે થયો? - Woman Bhaskar

નવરાત્રિ એ શકિત ઉપાસનાનું એક આગવું અનુષ્ઠાન છે. નવ દિવસ, નવ વ્રતોનું સામૂહિક પવિત્ર પર્વ છે. દરેક દિવસનું એક અલગ મહાત્મ્ય છે અને નવે દિવસ મા ભગવતીના ‘નવ’ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ નવ સ્વરૂપોમાં દુર્ગા, મહિષાસુરમર્દિની, મહાકાલી, ભદ્રકાલી, વૈષ્ણવી, માહેશ્વરી, ગૌરી અને ઇન્દ્રાણીનો સમાવેશ છે. આ સ્વરૂપોની ચર્ચા પુરાણો તથા અન્ય શકિત ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે.


સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદના ‘શકિત-સૂકત’માં સમસ્ત બ્રહ્માંડને શકિતનો આદિ સ્રોત માનીને દેવી સ્વરૂપે શકિતની ઉપાસના કરવામાં આવી છે. આ દેવી સંપૂર્ણ વિશ્વની સૃષ્ટા, ધનન્નત્રિ, શકિતન્નત્રિ છે. એથી એના ભિન્ન ભિન્ન સ્વરૂપો કલ્પવામાં આવ્યા છે.

મહાભારતની કથા અનુસાર કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા માટે અર્જુને દુર્ગાપૂજન કર્યું હતું. સાત અજ્ઞાત વાસમાંથી પાંડવો બહાર આવ્યા, તે વેળા એમણે શકિતપૂજન સમીવૃક્ષની સાક્ષીએ કરેલું. આ રીતે ‘નવરાત્ર’ એ ભારતીય ધર્મ, સંસ્કતિ અને ઉપાસનાનું એક અંગ બની રહ્યું છે.

નવરાત્ર પર્વ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં, બીજું આસો મહિનામાં. આ રીતે નવરાત્રિ ઋતુ પરિવર્તનનું સૂચક પર્વ પણ છે. આ દિવસો દરમિયાન ભગવતી શકિતનું આહ્વાન કરી આપણા જીવનમાં નવી ચેતના અને પ્રજ્ઞા પ્રગટાવવાની છે અને એ માટે ભગવતી માને ચરણે આપણી ભાવના, ભકિત અને આપણા અંતર-મનનો અઘ્ર્ય ચઢાવવાનો છે.

‘ગરબો’ મનુષ્ય હૃદયમાં રહેલી શકિત, ઉપાસના અને ભકિતભાવની અભિવ્યકિત છે અને માટીનો ગરબો (ગર્ભદીપ) આપણી આસપાસ ઘૂમતા અનંત બ્રહ્માંડના નક્ષત્રો, ઝળહળતા તારાઓનું લઘુ પ્રતીક છે. એનો અર્થ એ છે કે, સમસ્ત બ્રહ્માંડને અજવાળતી, રમાડતી, શકિત પ્રેરતી માટીના ગર્ભ-દીપ-ગરબામાં પ્રતિષ્ઠિત દિવ્ય ચેતનાનું આહ્વાન કરવામાં આવે છે.

ચૈત્ર અને આસોના આ ‘નવરાત્ર’ પર્વો, સાધકો, જોગ-જતિઓ, યોગીઓ, સંસારીઓ અને તાંત્રિકો માટે મહત્ત્વના છે. એકાંતમાં, નિયત સમય પ્રમાણે અને ચોકકસ સંકલ્પ અર્થે તેનું અનુષ્ઠાન કરવામાં આવતું હતું, પરંતુ સામંત યુગમાં ૧૬મી સદીના અંત ભાગમાં બંગાળના જાગીરદાર કેશવ નારાયણે ‘નવરાત્રિ’ને જાહેર પર્વ તરીકે ઊજવવાની શરૂઆત કરી હતી, એ પછી ‘નવરાત્ર’નો પ્રચાર જન જન સ્વરૂપે ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતોમાં થયો. તે સમયે માતાના સ્વરૂપનું યશોગાન અને સ્તુતિ દ્વારા તેનું આહ્વાન મુખ્ય હતું.
આ રીતે થયેલી નવરાત્રિની શરૂઆત સદીઓથી ચાલી આવી છે અને ચાલું જ રહેશે. ફકત તેમાં ભિન્ન ભિન્ન રૂપ ઉમેરાતા જોવા મળશે.
***********************************************************************






Monday, September 29, 2008

HAPPY NAVARATRI 9/30/08

માતાજીની ભકિતનું પર્વ નવરાત્રિ - Courtesy અતુલ ભટ્ટ

દેશભરમાં ઉમંગભેર ઊજવાતો ગુર્જરધરાનો નવરાત્રિ મહોત્સવ હવે તો વિશ્વસ્તરીય ઉત્સવ બનતો જાય છે. વિશ્વમાં કોઈ અન્ય સ્થળે શકિતની આરાધનાનું મહાપર્વ આટલા વિશાળ પાયા પર અને આટલા અધિક ઉત્સાહથી ઊજવાતું હોય તે શકય જ નથી. ગુજરાતનો ‘નવરાત્રિ’નો મહોત્સવ અનન્ય છે. તેમાં માત્ર ઉત્સાહ અને ઉમંગ નથી પરંતુ આઘ્યાત્મિકતા અને આરાધના પણ છે. તેમાં માત્ર તાલ અને સૂર નથી પરંતુ પ્રાર્થના અને અર્ચના પણ છે. મા અંબાની સામે બે હાથ જોડી તેનાં અસ્તિત્વનો સ્વીકાર કરીને તેનું પૂજન-અર્ચન કરતો માનવી સમયની અનુકૂળતાએ ગરબાનું આયોજન કરીને ઉમંગની સાથે મા આરાસુરીને પધારવાનું આમંત્રણ પણ આપી જ દેતો હશે.

નવરાત્રિ એટલે નવ વ્રતનું સામૂહિક પર્વ તથા ભગવત શકિતની ભકિત, પરમ શકિતની પૂજા અને આધશકિતની આરાધનો અવસર. આ આધશકિત અને પરમ શકિતનાં જે અનેક રૂપો તે નવદુર્ગા.
આ નવદુર્ગાનું પ્રથમ રૂપ છે શૈલપુત્રી. હિમાલય પુત્રી રૂપે અવતરનાર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપનાં ‘પાર્વતી’ તથા ‘હેમવતી’ નામ પણ પ્રસિદ્ધ છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપની જ પૂજા ઉપાસના થાય છે. યોગીઓ એ જ દિવસે યોગસાધનાનો પ્રારંભ કરે છે અને પોતાના મનને મૂલાધાર ચક્રમાં સ્થિત કરે છે.
મા દુર્ગાનું દ્વિતીય રૂપ છે બ્રહ્મચારિણી રૂપ. બ્રહ્મચારિણી મા દુર્ગા એટલે તપનું આચરણ કરી બ્રહ્મને જાણનારી કાંઈ કેટલાય જન્મોની તપસ્યાથી સ્વયંને સિદ્ધ કરનારી મા ભકતોને સિદ્ધ અને અનંત ફળ અર્પે છે. દુર્ગાપૂજાના દ્વિતીય દિવસે તેના આ સ્વરૂપની ઉપાસના થાય છે અને સાધકનું મન મૂળાધારથી ઉર્ઘ્વ તરફ ગતિ કરી ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિર થાય છે.
મા દુર્ગાની તૃતીય શકિત છે ચંદ્રઘણ્ટા. મા ચંદ્રઘણ્ટાની ઉપાસના નવરાત્રિના ત્રીજા દિવસે થાય છે. તેના વિગ્રહની પૂજા -આરાધના પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનાના ત્રીજા દિવસની પૂજાનું મહત્ત્વ અધિક છે કારણ તે દિવસથી સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું ચતુર્થ સ્વરૂપ છે કષ્માણ્ડા. સ્વયંના મંદ મંદ હળવા ઇષત એટલે કે હાસ્ય વડે અંડ અર્થાત્ બ્રહ્માંડ ઉત્પન્ન કરવાને કારણે મા દુર્ગા કુષ્માણ્ડા. તરીકે પ્રસિદ્ધ થઈ! જયારે આ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હતું ત્યારે કહે છે આ દેવીએ પોતાના ‘ઇષત્’ હાસ્ય દ્વારા બ્રહ્માંડ રરયું. ચોથો દિવસ મા કષ્માણ્ડાની આરાધનાનો દિવસ છે. આ દિવસે સાધકનું મન વધુ ઉઘ્ર્વ બની ‘અનાહત’ ચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાનું પંચમ રૂપ સ્કન્દમાતા છે. મા દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા અને અસુરનો નાશ કરવામાં અગ્રણી હતાં. વળી, ભગવાન સ્કન્દનાં તેઓ માતા હોવાના કારણે તેઓ સ્કન્દમાતા રૂપે પ્રસિદ્ધ થયાં. પાંચમા દિવસે એમના સ્વરૂપની પૂજા થાય છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં રહે છે.
મા દુર્ગાનું છઠ્ઠુ સ્વરૂપ છે કાત્યાયની મા. કત્ નામના મહર્ષિના પુત્ર ઋષિ કાત્ય હતા. આ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યયન જન્મ્યા હતા. જેમણે ભગવતી પરામ્બાની વર્ષો સુધી કઠોર ઉપાસના કરી માને પ્રસન્ન કર્યા હતા. જેથી તેઓની ઇરછા પ્રમાણે એમના ઘરે મા ભગવતી કાત્યયની રૂપે અવતરેલાં. મહિષાસુરનો વધ કરનાર આ રુદ્રરૂપની પૂજા છઠ્ઠા દિવસે થાય છે. આ દિવસે જ બંગાળી પ્રજા મા દુર્ગાનું ‘બોધન’ દ્વારા પ્રતિષ્ઠાન કરી ‘દુર્ગા મહોત્સવ’નો પ્રારંભ કરે છે. સાધકનું મન આ દિવસ બે ભ્રૂકુટિ મઘ્યે આજ્ઞાચક્રમાં પ્રવેશે છે.
મા દુર્ગાની સાતમી શકિત તે કાલરાત્રિ. ભયાનક દૃશ્યમાન તેનું આ સ્વરૂપ હંમેશ શુભફળ આપે છે તેથી તે શુભંકરી નામે પણ જાણીતી છે. સાતમા દિવસે મા કાલરાત્રિની ઉપાસના થાય છે. તે દિવસે મા કાલરાત્રિની ઉપાસનામાં સાધકનું મન ‘સહસ્ત્રધાર’ ચક્રમાં ઉર્ઘ્વ તરફ રહે છે.
મા દુર્ગાની આઠમી શકિતનું નામ મહાગૌરી છે. પૂર્ણરૂપે ગોરા વર્ણની આ માતાની વય આઠ વર્ષની માનવામાં આવી છે. ભગવાન શિવને પામવા કઠોર તપ કરી શ્યામ પડી જનાર પાર્વતીજી પર પ્રસન્ન થઈ શિવે તેઓને ગૌરવર્ણી બનાવ્યા. અમોધ શકિતશાળી વાંરિછત ફળ આપનારી મહાગૌરી સાધકને આઠમા દિવસે સાક્ષાત્ થાય છે.
તેથી જ નવમા દિવસે સિદ્ધિદાત્રીનું પૂજન થાય છે. માર્કન્ડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ જેવી આઠેય સિદ્ધિઓ આપનારું આ સ્વરૂપ છે. નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી અંતિમ ઘ્યેય છે, અને તેની આરાધના કર્યા બાદ સાધક પરમલોકને પામી જાય છે. ઇરછાઓ કે તેની પૂર્તિ જેવો કોઈ ભાવ શૂન્ય બની તેનું અસ્તિત્વ સિદ્ધ બની બ્રહ્મમય બની જાય છે. સાધકનો ગર્ભદીપ પ્રગટી ઊઠે છે અને શરીર ‘ગરબો’ બની અનંતના ઉત્સવમાં મત્ત બની લય પામે છે.

‘શકિત’ સ્ત્રીનો પર્યાય છે. ‘ગર્ભદીપ’ પણ સ્ત્રી શકિતનો સૂચક છે. આપણે ધરતી, પૃથ્વી તથા દેશને પણ દેવી માતા તરીકે પૂજીએ છીએ. સ્ત્રી ‘સર્જન’ અને ફળદ્રુપતાનો પર્યાય છે. તેથી જ ભારતમાં સ્ત્રીઓનો આદર અને પૂજન તે સંસ્કૃતિ ગણાય છે. જયાં ‘નારી’ પૂજાય છે ત્યાં દેવોનો વાસ છે. નવરાત્રિના નવ દિવસમાં અનુષ્ઠાન, તપ, ભકિત, પૂજા, કીર્તન અને આરાધનાનું માહાત્મ્ય છે. શકિતની ઉપાસના દરેક સાધક પોતે જે સ્વરૂપના ઇષ્ટદેવીમાં શ્રદ્ધા ધરાવતા હોય તે અનુસાર કરે. આમ વિશ્વસ્તરે નવરાત્રિ એક બ્રહ્માંડના સ્વરૂપે પ્રસ્તુત બની હવે તો ગુર્જરીધરાનું જ નહીં સમસ્ત ભારતવર્ષનું એક સાંસ્કૃતિક પર્વ બનતું જાય છે.

Friday, September 26, 2008

Indian Chai or Gujarati Cha

Until 15 years ago, I was a tea-guzzler. I could drink tea - anytime, everytime. But 15 years ago, something happened and in my bargain with God, I gave up the most precious thing to me - at that time - TEA. I thank her every day of my life for that little bargain. Oh and BTW - I am a coffee-guzzler for the past 15 years.

Getting back to the reason of this blog, I am going to tell you how I make cha no masalo or chai ka masala. Everyone I know make this masala at home, in bulk. It is then stored in air-tight container.

You can either work with powders, but working with the whole pieces, somehow tastes better. You will need:
1/2 cup of cinnamom (taj) - broken into small pieces - so that it can be grounded later.
1/6 cup of cloves (laving)
1/3 cup of black peppercorns (mari)
1/3 cup of green cardamom (elaichi)
10 pieces of black cardamom (moti elaichi - the kind we use to make garam masala)
2 pieces of whole star anise
2 teaspoons of mace powder
1 teaspoon of nutmeg (jaiphal) powder - grated the whole seed to get powder
1/2 cup of ginger powder (soonth)

You can grind everything as is or you can either dry roast everything, except - soonth, green cardamom,  mace and nutmeg powder.  If you have constipation problems, please do not put jaiphal in your masalo.

Grind all the above ingredients and keep it in an air-tight container.

If you are using powders:
3 tablespoons of ginger powder - soonth
3 tablespoons of green cardamom powder - elaichi - i powder the green shells too - powdered after dry roasting
1 tablespoon of cinnamon powder - taj
1 tablespoon of cloves powder - laving - powdered after dry roasting
1.5 tablespoon of black pepper powder
1.5 tablespoon of black cardamom - after dry roasting
1 teaspoon of star anise powder - after dry roasting
2 teaspoons of mace powder
1 teaspoon of nutmeg powder - see my comment about constipation

sometimes, the soonth powder is not strong enough - you can add more -

some folks increase the quantity of the black pepper powder (mari), as they like their tea to be spicy.

you can try any variation - depending upon your taste.


Now let's make 2 cups of chai: (I use skim milk in our house. But, if you make the tea with Vit D milk - then it becomes a ragdo (many people love this type of chai).
Take 1 cup of milk and put in the microwave for 1:10
In a pan, add one and 1/8 cup of water. Add freshly grated ginger, about 1/2 teaspoon. Add 1/2 teaspoon of your freshly prepared cha no masalo. Add 3-4 leaves of fudina (mint leaves). Add 1/4th stem of lemon grass (lili cha). Boil this - the smell is heavenly.
Once it starts boiling, add two spoons of sugar and 2 spoons of the CTC Mamri Cha (loose Indian tea leaves). Continue boiling. Once you feel it has boiled and all the masalas are properly incorporated, add the milk from the microwave. As soon as it starts to boil, shut the electric stove off. It will continue to boil. Once it starts to simmer, cover it for 3-4 minutes. Serve it hot with a namkeen.

God, how crazy I used to be for this tea!!

Wednesday, September 24, 2008

Sarva Pitru Amas

સર્વપિતૃ અમાસ- પિતૃઓને શ્રદ્ધા-સુમનનું વિશિષ્ટ પર્વ
- Courtesy Dr. Pranav R. Dave
શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ પણ કહે છે. જે કોઈ શ્રદ્ધાળુને પોતાના સદ્ગતની તિથિ યાદ ન હોય અથવા તો જે કોઈ આખા પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ-તર્પણ વગેરે નથી કરી શકતા તેવા શ્રદ્ધાળુઓ સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ-તર્પણ, દાન કરી શકે છે.


આ વર્ષે પિતૃપક્ષની પૂણાર્હુતિ ૨૯મી સપ્ટેમ્બરના રોજ સોમવતી અમાસ સાથે થઈ રહી છે તે પણ એક સંયોગ છે. સામાન્ય રીતે તો દરેક અમાસ પિતૃકૃપા મેળવવા માટે ઉત્તમ છે, છતાં પણ સર્વપિતૃ અમાસનું વિશિષ્ટ મહત્ત્વ છે. કેમકે એવું કહેવાયું છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા વર્ષભર મળી રહે છે.

ઋષિઓના મતાનુસાર કહીએ તો મૃત્યુ બાદ જીવાત્મા ચંદ્રલોક તરફ ગતિ કરે છે અને ત્યાંથી પણ આગળ પિતૃલોકમાં જાય છે. આ મૃતાત્માઓને તેમના નિયત સ્થાન સુધી પહોંચાડવાની શકિત પ્રદાન કરવા માટે મરણોત્તર પિંડદાન અને શ્રાદ્ધની વ્યવસ્થા કરવામાં આવી છે.

શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે જે વ્યકિત શ્રાદ્ધ કરે છે, તેને પિતૃઓના આશીર્વાદ મળે છે તથા તેને આયુ, બળ, પુત્ર, યશ, સુખ, વૈભવ અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. મહર્ષિ સુમન્તુના મતાનુસાર ‘સંસારમાં શ્રાદ્ધથી વધુ કલ્યાણકર માર્ગ બીજો કોઈ નથી, માટે બુદ્ધિમાન મનુષ્યે પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ.’

ગરુડ પુરાણમાં ઋષિએ જણાવ્યું છે ‘પિતૃપૂજનથી સંતુષ્ટ પિતૃઓ મનુષ્યને આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન અને ધાન્ય આપે છે.’ માર્કન્ડેય પુરાણમાં ઋષિ કહે છે ‘ શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃઓ શ્રાદ્ધ કર્તાને દીઘાર્યુ, સંતતિ, ધન, વિધા, સુખ, રાજય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.’ જયારે મહાભારત અનુસાર ‘ પિતૃઓની ભકિત કરનાર પુષ્ટિ, આયુ, વીર્ય અને લક્ષ્મી મેળવે છે.’

એક સ્થળે ઉલ્લેખ છે કે એક અંગ્રેજ કે જે સંસ્કૃતના વિદ્વાન હતા તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે ‘હિંદુઓમાં શ્રાદ્ધની પ્રથા ખૂબ પ્રાચીન છે અને આધુનિક સમય સુધી અતિપવિત્ર અને શુભ માનવામાં આવે છે. મારા વિચાર મુજબ તો પોતાના પૂર્વજો તરફ અગાધ શ્રદ્ધા અને સ્મરણભાવથી યુકત આ પ્રથા ખૂબ જ પ્રશંસનીય જ નહીં પણ આ પ્રથાને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. પ્રાચીન સમયથી મનુષ્યનો એ દૃઢ વિશ્વાસ કે જો તે પોતાના મૃત પૂર્વજ અને સંબંધીઓની આત્માઓને તેમની મંગલકામનાની પ્રાર્થના કરી દરરોજ સંતુષ્ટ નહીં કરે અથવા તે મૃતાત્માઓની તૃપ્તિ માટે દાન આપવામાં સંકોચ કરશે તો તે અસંતુષ્ટ મૃતાત્માઓ તેમની શાંતિમાં બાધક બનશે, આ પ્રાચીન મત સર્વથા સારહીન નહોતો, એવો મારો મત છે.’

પિતૃપક્ષની સાથે પિતૃઓનો વિશેષ સંબંધ હોવાથી શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનો વિશિષ્ટ મહિમા દર્શાવાયો છે. એવો ઉલ્લેખ છે કે મહર્ષિ જાબાલિ મુજબ ‘પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પુત્ર, આયુ, આરોગ્ય, અતુલ ઐશ્વર્ય અને ઈરિછત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.’ પરંતુ જેઓ શ્રાદ્ધનું વાસ્તવિક રહસ્ય નથી સમજતાં તેમને શાસ્ત્રોમાં મૂર્ખની સંજ્ઞા આપવામાં આવી છે. મહાભારતમાં આવતા એક પ્રસંગમાં વિદુરજી ધૃતરાષ્ટ્રને કહેતા હોય છે ‘જે મનુષ્ય પોતાના પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ નથી કરતાં તેમને બુદ્ધિમાન મનુષ્યો મૂર્ખ કહે છે.’
એવું કહેવાય છે કે જે રીતે નાનો યજ્ઞ કરવાથી તેની દિવ્ય સુગંધ અને ઉદાત્ત ભાવના સમસ્ત વાતાવરણ અને બધા જ જીવોને લાભ પહોંચાડે છે, તેવી જ રીતે કૃતજ્ઞતાની ભાવનાથી કરવામાં આવેલ શ્રાદ્ધ-કર્મ સમસ્ત જીવોમાં શાંતિમય ભાવનાનો સંચાર કરે છે. સદભાવનાનાં તરંગો તો જીવંત અને મૃત, બધાને પ્રભાવિત કરે છે. પરંતુ તેનો સૌથી વધુ હિસ્સો તેમને પહોંચે જેના માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે અને તેનાથી શ્રાદ્ધ કરનારનું સદા-સર્વદા કલ્યાણ જ થાય છે.

આમ સર્વપિતૃ અમાસનો દિવસ દિવંગત પિતૃઓ તરફ શ્રદ્ધા-સુમન અને કૃતજ્ઞતા અર્પણ કરવાનું વિશિષ્ટ પર્વ છે. શ્રાદ્ધનો અન્ય એક અર્થ થાય છે શ્રદ્ધાપૂર્ણ વ્યવહાર. તર્પણનો અર્થ થાય છે, તૃપ્ત કરવું. આમ, આ દિવસે શ્રાદ્ધ-તર્પણ એટલે પિતૃઓને તૃપ્ત કરવાની શ્રદ્ધાપૂર્વકની પ્રક્રિયા. સર્વ પિતૃ અમાસના દિવસે જે કર્મકાંડ થાય છે, તે આ જ હેતુથી કરવામાં આવે છે. આ કર્મકાંડની સાથોસાથ એવો ભાવ પણ રહેલો હોય છે કે અમે પિતૃઓ, મહાપુરુષો અને મહાન પૂર્વજોના આદર્શો, નિર્દેશો અને શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરીને તેમના જેવા મહાન બનવાનો પ્રયત્ન કરીશું.

Monday, September 22, 2008

Toor dal with Spinach

I had this for the first time when I visited Reena in her Rhode Island abode in 1998. I loved it and since then have been cooking it frequently.

One small package of Spinach (I think it is 8 oz) from Safeway
One and ½ cup of Toor dal
One tomato and onion, chopped
One tablespoon of green pepper + ginger + garlic paste
Haldi/haldar - Half teaspoon
Water, using the finger measurement (as needed)
Pinch of methi seeds and 1 teaspoon of salt

Using a pressure cooker, cook all of the above. After the cooker is done, mash it all up, so that it becomes like one paste.

In a saucepan, add one teaspoon of ghee. Add jeera seeds, hing and then fry two cloves of finely chopped garlic, red chilli pieces, ½ teaspoon of garam masala and curry leaves.

Add this to the mashed spinach dal and combine everything. Taste it and if need be add lemon juice and adjust the salt. Add kothmir before serving it garmagaram with rice or rotlis.

Wednesday, September 10, 2008

Ganpati Sarjan ane Visarjan

સર્જન - વિસર્જન પરંપરા અને પરિવર્તન - Courtesy પં. વિજયશંકર મહેતા

સર્જનમાં તો મોહ હોય છે જયારે વિસર્જનમાં પ્રેમ, લગાવ અને રુચિથી વંચિત થવાની ક્રિયા છુપાયેલી છે.

આજે દરેકને સફળતાની આકાંક્ષા છે. દરેક ક્ષેત્રમાં સૌથી આગળ રહેવા સૌ કોઈ ઇરછે છે. ગણેશજીમાં આ તમામ બાબત છે. ગણપતિનું વ્યકિતત્વ સંદેશો આપે છે કે આપણા દરેક નિર્ણયની કાર્યપદ્ધતિમાં એક સભ્યતા, પ્રામાણિકતા, લોકતાંત્રિક અને ન્યાયપૂર્ણતાનો ભાવ હોવો જોઈએ. આજે ડગલે ને પગલે સતત સાવધાની અને રણનીતિક ચિંતનની આવશ્યકતા છે, ગણેશજી તેના પ્રતીક અને દાતા છે.

ગણેશજીને સાથે રાખીને આપણે પ્રલોભન, સંમોહન, દગો અને લોકોના પડ્યંત્રથી ખુદને બચાવી શકીએ છીએ. આપણી પ્રામાણિક છબી બનાવી કાર્યસિદ્ધિ કેવી રીતે કરવી એ આપણને સિદ્ધિવિનાયક બતાવે છે.

ગણેશ સ્થાપન અને પછી વિર્સજન આમ તો એક વ્યાવહારિક ઉત્સવ છે પરંતુ બહુ ઘ્યાનથી જૉઈએ તો આ એક આઘ્યાત્મિક વ્યવસ્થા છે. ગણેશોત્સવમાં બે સંદેશ છે, વિવેક અને વૈરાગ્ય.

સર્જનમાં તો મોહ હોય છે જયારે વિસર્જનમાં પ્રેમ, લગાવ અને રુચિથી વંચિત થવાની ક્રિયા છુપાયેલી છે. કોઈ પણ ભોગે સફળતા મેળવવાના આ સમયમાં વૈરાગ્યભાવની ખૂબ આવશ્યકતા છે, જે ગણેશ વિસર્જનથી ઉત્પન્ન થાય છે.
આજના સમયમાં સફળ થતાં જ અહંકાર અને નિષ્ફળ જતાં તણાવ (ડિપ્રેશન)માં આવી જવું સામાન્ય બાબત છે. લાંબી જીવનયાત્રા માટે આ બંને બાબત ખતરનાક છે. ગણેશ સર્જન (સ્થાપના)માં વિવેક આપણા અહંકારને નિયંત્રિત કરે છે તથા વિસર્જનમાં વૈરાગ્ય આપણને તણાવથી મુકત રાખે છે.

ગણપતિનું સંપૂર્ણ વ્યકિતત્વ જેટલું પારદર્શી છે તેટલું જ રહસ્યમયી છે, એથી જ એ પ્રતીકાત્મક છે. લોકાચાર અને વ્યવહારમાં લોકપ્રિય દેવતા ગણેશજી પોતાના વિસર્જનથી બીજો એક સંદેશ આપે છે તે છે ફેરફાર - પરિવર્તન. નવનિર્માણ માટે પોતાના જ સર્જનનું વિસર્જન કરવું પડે છે. પરિવર્તનમાં પ્રગતિ છુપાયેલી છે. આપણા નિર્ણયો, નીતિઓ અને રીતરિવાજૉમાં પરિવર્તન કરવામાં સમજદારી છે અને ગણપતિ સતત આનો સંકેત આપે છે.

ગણેશોત્સવને ૧૧૫ વર્ષ થવા આવશે. લાંબા સમય સુધી એક દેવતા પોતાની લોકપ્રિયતા સાથે આવી રીતે પૂજાય એ પણ એક ચમત્કાર છે.

તેમની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે તેમનો સંબંધ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે છે. બ્રહ્માજીની પુત્રી રિદ્ધિ-સિદ્ધિ સાથે તેમનાં લગ્ન થયેલાં. જયારે તેમનું મસ્તક કપાયું ત્યારે સ્વયં વિષ્ણુ હાથીનું મસ્તક લઈ આવ્યા અને લગાવી દીધું. મહેશે તેમને ગણોના પતિ(ગણપતિ) તથા પોતાના પુત્ર માન્યા છે, એટલા માટે ગણેશજી ઉત્તરોત્તર લોકપ્રિય અને લોકપૂજય બનતા ગયા.

લોકમાન્ય તિલકે ગણપતિજીને કેમ પસંદ કર્યા? પહેલું કારણ એ છે કે તેઓ પ્રથમ પૂજય છે તથા બીજું કારણ કે તે વિધ્નહર્તા છે. કોઈ પણ વ્યકિત ગમે તે દેવનો ઉપાસક હોય, ગણેશજીની વિરુદ્ધ નથી જઈ શકતો. સમાજને સંગિઠત કરવા માટેના શ્રેષ્ઠ દેવતા છે. તે સમયે તિલકનો વિચાર યોગ્ય હતો કે ધાર્મિક ઉત્સવને લીધે બ્રિટિશ સલ્તનત સીધો હસ્તક્ષેપ ન કરે. એટલે જ ૧૮૯૩માં પૂનામાં સૌપ્રથમ તેનું આયોજન કરવામાં આવ્યું, અને આઝાદીના આંદોલનમાં આ એક પ્રભાવશાળી સાધન બની ગયું.

જો ઊંડાણપૂર્વક જોઈએ તો પૌરાણિક સાહિત્યથી લઈને આજ સુધી ગણપતિના દેવત્વનો એક સુવ્યવસ્થિત ગ્રાફ નજરે પડે છે. વેદકાળમાં એક સામાન્ય દેવતા કાળાંતરે ઓમ્ મંત્ર સ્વરૂપ, પરબ્રહ્મના રૂપે સગુણ અને નિર્ગુણ બંને ભાવથી પૂજાયા. વિધ્ન વિનાયક અને સિદ્ધિદાતાના રૂપે લોકોના દિલો-દિમાગમાં જલદી વસી ગયા. ગણેશજીના જન્મની દરેક કથામાં ન તો માત્ર આઘ્યાત્મિક રહસ્ય છે બલકે આ કથાઓ મનોવૈજ્ઞાનિક, નીતિવિષયક અને શિક્ષાપ્રદ પણ છે.

ભારતીય સંસ્કૃતિમાં શ્રીકૃષ્ણ એવા અવતારી હતા જેમણે જ્ઞાન, બુદ્ધિ, બળનો વ્યાવહારિક અને દાર્શનિક સદુપયોગ કર્યો હતો. ગણપતિ અને શ્રીકૃષ્ણમાં બહુ સામ્યતા છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગણેશ ખંડમાં એક કથા છે. શિવ-પાર્વતીનાં લગ્ન પછી અમુક સમય સુધી તેમને સંતાન ન થતાં પાર્વતીજીએ દુ:ખી થઈને એક દિવસ શિવજીને કહ્યું, હું પુત્રની ઝંખના રાખું છું. શિવજીએ પુણ્યક નામનું વ્રત કરવાનું કહ્યું. તેમણે કહ્યું કે, વ્રત પૂર્ણ થતાં જ શ્રીકૃષ્ણ તમને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત થશે. પુરાણમાં જણાવ્યું છે કે ગણપતિના રૂપે શ્રીકૃષ્ણ દરેક કાળમાં પાર્વતીજીના પુત્ર બનીને આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સમસ્ત અંશો અને કલાઓની સાથે પાર્વતીના પુત્રના રૂપે પ્રગટ થયા છે.

ગણપતિ વિસર્જનમાં વૈરાગ્ય આપણને સહનશીલતા અને પરિવર્તન શીખવાડે છે, તેમજ તેની સ્થાપનાનો વિવેક આપણને જીવનનાં કર્મોપ્રતિ નિષ્કામતા પ્રદાન કરે છે. સમજદારીના આ જમાનામાં સંપૂર્ણ જીવનશૈલી બદલાઈ ગઈ છે. આપણે સક્ષમ થઈ ગયા છીએ પરંતુ આપણાં સંકટો ઓછાં નથી થયાં. જિંદગીમાં પૈસો આવી ગયો પરંતુ જીવનમૂલ્યો ખોતાં ગયાં. મોઢેથી મીઠા પણ દિલમાંથી પ્રેમ ગાયબ.
જીવન જીવવાની યુકિત છે પણ યોગ્યતા નથી. ખૂબ ધન, વિધા, કીર્તિ કમાયા અને ખર્ચ પણ કરીએ છીએ પરંતુ દિલ હૈ કી માનતા નહીં... બેચેની રહ્યાં કરે છે, એટલા માટે સમજદારીને વિવેક સાથે જોડવામાં આવી છે. જયારે સમજદારી વિવેક સાથે જોડાઈ જાય તો તેનું નામ ઇમોશનલ ઇન્ટેલિજન્સી, ભાવનાત્મક વિદ્વતા, સંવેદનશીલ યોગ્યતા, પરોપકારી દક્ષતા જેની આજે ખૂબ આવશ્યકતા છે અને આ સમયમાં ગણેશજીનો આ જ મહાપ્રસાદ છે.
**************************************************************************

Reading Material (Continued)

માનવીની મહાનતાનું રહસ્ય સમજશકિત - Courtesy Paramanand Gandhi

મનન કરે તે મનુષ્ય. મનુષ્યમાં મનન કરવાની શકિત છે. કંઈક જોયું એટલે તેનામાં સંવેદના જાગે છે. તદાનુસાર તેનામાં પ્રત્યાઘાત ઊઠે છે, પણ એમ તો પશુમાં પણ આ પ્રત્યાઘાત થાય જ છે ને રોટલાનો ટુકડો ફેંકો તો તેના પ્રત્યાઘાતરૂપે તે પૂંછડી પટપટાવતો રોટલો લેવા દોડે જ છે, પરંતુ મનુષ્યમાં મનન શકિત છે તેથી તે રોટલો જોયા પછી તરત દોડતો નથી. તે વિચાર કરશે કે મારાથી તે લેવાય કે નહીં? પ્રભુએ મનુષ્યમાં સમજવાની આ શકિત મૂકી છે અને એ સમજવાની શકિતમાં જ માનવીની મહત્તાનું રહસ્ય છે. માણસ જીવે છે ને તો પણ તેની પાછળ કાંઈક સાચી -ખોટી પણ સમજણ છે. તેનામાં તે શકિત ન હોત તો ઇતર પ્રાણીમાં જ તેની ગણતરી થાત.


મનુષ્ય તો તે ગણાય કે જે પોતાની સમજણ સાથે બેવફાઈ ન કરે, બાંધછોડ ન કરે. અંદરથી અવાજ આવતો હોય કે ‘તું જૂઠું બોલે છે.’ તોયે તે અવાજને દાબીને ‘એવું તો બધા જ કરે છે. તે સિવાય સંસારમાં જિવાય કેમ?..’ આવા અનેક પ્રસંગોએ અંદરના અવાજને દાબીને માણસ જીવનવ્યવહાર કરે છે ત્યારે તે તેની આત્મવંચના કરે છે અને માણસાઈ ગુમાવી બેસે છે. તેથી આપણે ભૂલી જઈએ છીએ કે, ‘હું મનુષ્ય છું’. મનુષ્ય હોવાને કારણે મારા ઉપર જે પણ જવાબદારી આવે તેને નિભાવીને મારે જીવવાનું છે તેનું તેને વિસ્મરણ થયું છે. તેથી તેનો માનવતા કરતાં પશુત્વ તરફનો વ્યવહાર વધુ છે. અને આવાં બધાં કારણોને લીધે સમાજમાંથી માનવતા મરી પરવારી છે.

આપણાથી રખે એ ભુલાય કે મનુષ્ય એ કેવળ હાડમાસનું પૂતળું યા તો વાસનાઓનો પુંજ નથી. મનુષ્યનું સત્ત્વ તો આત્મસત્તામાં છે, ભગવદ્સત્તામાં છે અને તે પ્રગટ કરવામાં જ તો મનુષ્યને મનુષ્ય જન્મ મળ્યો છે.

તેથી ભગવાને મનુષ્યની સમજણ આપતાં કહ્યું છે, મમ્ વત્માનુવર્તન્તે મનુષ્ય: પાર્થ સર્વશ: (અ-૩ુ૨૩). હે અર્જુન! ત્રણે લોકમાં મારે કાંઈ પણ કર્તવ્ય કરવાનું નથી. કારણ કે મારે કાંઈ મેળવવાનું બાકી નથી.(કારણ કે ભગવાન પૂર્ણકાય છે.) છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. આળસ ત્યજીને નિત્ય કર્મ કરું છું કારણ કે હું જ જો કર્મમાં પ્રવૃત્તિ ન કરું તો મનુષ્ય કોને અનુસરશે? આપણે ભગવાનને અનુસરીએ તેથી તે અવિરત કર્મ કરે છે અને તેમ કરીશું તો મનુષ્ય ગણાઈશુંને?

આ તો એના જેવું થયું કે દીકરો કંઈક શીખે તેથી એકાદ બાપ પ્રવૃત્તિ કરતો હોય છે પણ દીકરો તેનાથી વિપરીત જ પ્રવૃત્તિ કરતો હોય તો?

ભગવાન અવિરત કર્મયોગથી નિરપેક્ષ ભાવે રાય અને રંક તરફ સમદૃષ્ટિ રાખીને સૃષ્ટિનું સંચાલન-નિયમન કરે છે અને સમદૃષ્ટિ રાખીને દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે, પરંતુ આપણા બધા જ વ્યવહારના કેન્દ્રમાં આપણો સ્વાર્થ જ હોય છે. માણસ એ ભૂલી જાય છે તે જીવ છે અને તેણે પ્રભુને અનુસરવું જરૂરી છે. પ્રભુને આપણને જે પણ શરીર સંપદા, વિત્ત સંપદા કે બુદ્ધિ સંપદા આપી છે તે સૃષ્ટિને સજાવવા માટે છે. એકાદ માળી બાગમાં ફૂલોની માવજત કરે, ખાતર-પાણી આપે, નિંદામણ કરે તે રીતે આપણે પણ આ ઈશનિર્મિત સૃષ્ટિના માળી બનાવાનું છે. સૃષ્ટિનને સજાવવાની છે અને તેમ થશે તો આપણામાં માણસાઈ જીવિત રહેશે અને પ્રભુ હરખાઈ જશે. તો તે માટેનું આપણું પ્રદાન કેવું અને કેટલું?


*****************************************************************************

Tuesday, September 9, 2008

Radhe Radhe rato, chale aayenge bihari

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી... Courtesy સુનિલ એ. શાહ

ભારતના ઉત્તરપ્રદેશ પ્રાંતસ્થિત ચોર્યાશી કોશી વ્રજ મંડલમાં બરસાના નામનું ગામ આવેલું છે. લગભગ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દ્રાપરયુગ દરમિયાન ત્યાંના ધનાઢય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાણજીને માતા-પિતાનું સદ્ભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે ભાદરવા સુદ આઠમના શુભદિને જયેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રાત:કાલે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો હતો.

ત્રેતાયુગમાં જાનકી દ્રાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો. આમ શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જૉ વ્રજશ્વેરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ના લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત!

આપણને મળ્યા હોત પાર્થસારથી, દ્વારકાધીશ યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ હરિવંશ, વાયુપુરાણ અને ભાગવતમાં ગૃપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકòષ્ણ એક જ પરમતત્ત્વ છે. પૃથ્વી ઉપર લીલા માટે જ તેઓ જુદા બન્યાં છે.

શ્રીરાધાનાં જેટલાં નામો છે તે છે સરસ, પરંતુ સૌથી સરસ ને મહિમાવાળું લોકજીભે તો એક જ નામ વસેલું છે શ્રીરાધા-શ્રીરાધે. જય શ્રીરાધે કòષ્ણની પ્રાણેશ્વરી, તો રાધાના પ્રાણ છે બિહારી. રાધા નામથી જ શ્રીકૃષ્ણ દ્રવીભૂત રસમય થાય છે. જય શ્રીરાધે બોલનાર પર શ્રીકૃષ્ણ ખુશ છે કારણ કે ભકત રાધા બોલી શ્રીકૃષ્ણને પ્રિયતમાનું સ્મરણ કરાવે છે. ઠાકુરજીની સામે બેસીને રાધાનું સ્મરણ કરવું એ ઠાકુરજીની સેવા કરવી બરાબર છે. શ્રીરાધા એટલે કૃષ્ણ વગર કશું નથી તે. રાધા સવાગને અતિ સુંદર છે. પ્રભુને વિચલિત કરવાનાર જે છે તે રાધા. શરીર અને આત્મા એકબીજાના આધારે છે તેમ શ્રીકષ્ણ રાધા છે. શ્રીકૃષ્ણ વિના રાધા નિર્જીવ છે. રાધા વગર કૃષ્ણમાં પ્રાણ નથી. રાધામાં શ્રીકૃષ્ણ નથી તો એ છે નિર્વિકાર.

શ્રીરાધાનો કૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધા છે શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા. શ્રીરાધા તો સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિધમાન છે જે સર્વોરચ આઘ્યાત્મિક સ્તરેથી અવતરિત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.
શ્રીકòષ્ણની ભકિત કરનાર નરસિંહ મહેતા, મીરાંબાઈ, પાનબાઈ અને અર્જુન આ બધા જ ભકત શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાતાં થાકતાં ન હતાં અને તેથી જ શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાની લાજ રાખી. મીરાંબાઈના ઝેરના કટોરાને અમૃત બનાવ્યો. પાનબાઈનું સતિત્ત્વ જાળવ્યું, અર્જુનને યુદ્ધના સમયે રણ મેદાનમાં ગીતાજ્ઞાનનું રસપાન કરાવીને યુદ્ધ માટે યોગ્ય માર્ગ બતાવ્યો.


આ બધા જ ભકતોમાં કૃષ્ણભકિત માટે સૌથી મોટું સ્થાન કે ભકિતનું સ્વરૂપ છે ‘રાધાજી’. જેમણે ભકિતમાં પોતાનું સર્વસ્વ જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું. ભકિત, સમર્પણ, શ્રમ, સેવા, ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થ ભકિતથી જ રાધાજી એ શ્રીકૃષ્ણનું બિરુદ પ્રાપ્ત કર્યુô છે. શ્રીકૃષ્ણને સ્વયં એમની આઠ જયેષ્ઠ રાણીઓ રુકિમણી, સત્યભામા, રોહિણી, ભદ્રા, લક્ષ્મણા, કાલિન્દી, મિત્રવિન્દા અને સોળ હજાર એકસો ગોપાંગનાઓની વરચે શ્રીરાધા છે, પરંતુ શ્રીકૃષ્ણને તો અતિ વહાલી રાધા જ છે. રાધા એ કૃષ્ણની પ્રાણપ્રિયા જ નહીં પ્રાણપ્રેરક, પ્રેરણા સ્ત્રોત, શકિત આરાધના છે. માટે જ શ્રીકૃષ્ણે રાધાને પોતાની સાથે જનપૂજય બનાવી દીધી છે. તેથી જ તો કહેવાય છે કે રાધા બિના શ્યામ આધા!

પ્રથમ રાધાકૃપા ને પછી જ કૃષ્ણકૃપા તરે એટલે કે ભકિતની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભકિતથી ભકત થયા પછી જ ભગવાન મળે. કૃષ્ણ રાધાથી આવૃત્ત છે. પુરુષ પ્રકૃતિથી આવૃત્ત છે. રાધા સંહારશકિત પણ છે. અંદર રહેલાં ભકિત અવરોધક પરિબળોનો તથા વિકારોનો નાશ કરે છે. શ્રીરાધાને આધીન છે પરમ શકિત. તેથી શ્રીકૃષ્ણને સરળતાથી પામવા હોય, મનાવવા હોય તો શ્રીરાધાજીનું સતત સ્મરણ કરીએ. તેથી તો કહેવાય છે કે, ‘રાધે રાધે રટો... ચલે આયેંગે બિહારી’

રાસલીલા સમયે શ્રીકૃષ્ણનો પ્રેમ સોળ હજાર એકસો આઠ ગોપાંગનાઓ અને રાધાજી વરચે વહેંચાઈ ગયો હતો. તેમ છતાં શ્રીરાધાજી તો ફકત કૃષ્ણના પ્રેમમાં, ઘ્યાનમાં સતત તરબોળ રહેતાં. પલભર માટે શ્રીકૃષ્ણ સ્મરણથી વિમુખ થતાં નહોતાં અને તેમનું ધક... ધક... દિલ શ્રીકૃષ્ણના રટણ સાથે સતત ધબકતું રહેતું હતું.

શ્રીરાધાજીની કૃષ્ણ સાથેની નિત્યલીલા છે. રાધાજી ગોરા છે તો શ્રીકૃષ્ણ શ્યામ છે. રાધાજી એક વાર શ્રીકૃષ્ણને કહે છે... પ્રાણપ્રિયે હું ગોરી ને તમે શ્યામ કેમ છો? શ્રીકòષ્ણ તેમની પ્યારી રાધાને કહે છે જગતમાં તારો મહિમા અપરંપાર થાય માટે હું શ્યામ છું. હે, હૃદયેશ્વરી આપ મને અતિવહાલા છો.

આમ આપણને સૌને શ્રીરાધાજીના જીવનમાંથી દિવ્ય સંદેશો મળે છે. શ્રીરાધાજીના પ્રેમમય, ભકિતમય જીવનને અપનાવીને આપણે સૌ આજના રાધાષ્ટમીના પાવનપર્વે વ્રજનંદિની રાધાનાં ગુણગાન ગાઈને તન,મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની શુદ્ધિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પામીએ.

Monday, September 8, 2008

Lessons from Ganesh

Lessons from Ganesh - Courtesy Rediff 2008
While there are many spiritual lessons to be learned from the stories of Lord Ganesha, there are some lessons that find a place in our every-day professional and personal lives as well. We take a look at some of them:
Act in good faith - Whatever Lord Ganesha undertook, he undertook with conviction and self-belief. It was the belief that his actions were in his and his mother Parvati's best interests is what governed his thoughts and translated into challenging acts, feats that improved his abilities and honed his skills.

It is this that we need to inculcate in ourselves, in the way we work. Any job, if it is worth doing, is worth doing well. Whatever the task you are faced with, face it with courage and conviction and do it to the best of your ability. At the end of the day, even if your effort goes unrecognised, you have the satisfaction of knowing that you gave it your best shot.


Depend on yourself - One of the other names Ganesha is known as is Vinayak, meaning master of oneself. This signifies independence in thought and action. Whether in one's professional or personal life, one must act on one's beliefs after due consideration of relevant factors. Take ownership and responsibility for your actions and their outcome. Just knowing that you alone are responsible will make you take the decision that much more seriously.


Every obstacle can be overcome - Lord Ganesha is also known as Vigneshwara, one who removes obstacles. It is for this reason that he is invoked in times of crisis by believers and also why business ventures are started with a puja (prayer ceremony) in his name. Removing obstacles is his religion.
To take this a step further, one must believe that every obstacle can be overcome. One must also make removing obstacles a dharma in one's own life. Whether in your professional or personal life, with the right attitude -- a never-say-die attitude -- even what seems like the most insurmountable difficulty can be handled without your world falling to pieces. All you need is faith in yourself.

Lord Ganesha is considered one of the most powerful gods in Hinduism, unlike the other gods who choose bejeweled chariots, his vehicle is the modest mouse. The mouse is seen to signify darkness and, as the Lord's vehicle, is believed to signify the journey from darkness (or ignorance) to light or enlightenment.
Another interpretation is that Ganesha wins hearts through simple methods, and this too holds a lesson. A shiny car or extravagant lifestyle might impress, but to win hearts, the simplest way is through one's actions -- through simple gestures of affection and respect.


Seek knowledge - While Lord Ganesha has been attributed with many of the qualities proverbially credited to elephants, the most well-known are the ears and trunk -- which suggest curiosity, the quest for wisdom and knowledge. His large head and ears are said to indicate an open-minded attitude that helps him accrue wisdom.

These are qualities that we could do well to adopt to improve and grow as a person. Read, explore, listen and learn -- nothing is irrelevant and nothing insignificant. Only when one educates oneself and listens to all sides of an argument can one judge what one truly believes in, what one wants and how it can be achieved. that every obstacle can be overcome. One must also make removing obstacles a dharma in one's own life. Whether in your professional or personal life, with the right attitude -- a never-say-die attitude -- even what seems like the most insurmountable difficulty can be handled without your world falling to pieces. All you need is faith in yourself.

Friday, September 5, 2008

Ganpati Bappa Morya

Ganpati festival began on September 3rd. This is my 2nd favorite festival, first being Janmashtami. I have moved out of Bombay 25 years ago but Bombay has not moved out of my heart. I dearly miss all the festivals - I wish I can share that experience with my son, some day.
For the next ten days, I will be preparing something sweet for my rolu-polu Ganpati, shower him with extra love and get his blessings. I have tried to write down all of my favorite artis and readings for him. Hope you all find it useful.

***************************************************************************
Sukhkarta dukhharta varta vighnachi
Nurvi purvi prem krupa jayachi
Sarvangi sundar uti shendurachi
Kanthi zalke mal mukta- phalachi
Jay dev jai dev jay mangal murti
Darshanmatre mankamana purti

Ratnakhachit fara tuj gaurikumra
Chandanachi uti kumkumkeshara
Hirejadit mugut Shobhato bara
Runzunati nupure charni ghagaria

Lambodar Pitambar phadivarbandhana
Saral sond vakratunda trinayana
Das ramacha vat pahe sadana
Sankti pavave Nirvani Rakshave survarvandana
***********************************************************************
Shendur lal chadhayo achchha gajmukhko
Dondil lal biraje sut gauriharko
Hath liye gudladdu sai survarko
Mahima kahe na jay lagat hoo padko
Jai jai shri ganraj vidhyasukhdata
Dhanya tumara darshan mera man ramata
Ashto siddhi dasi sankatko bairi
vignavinashan mangal murat adhikari
Koti surajprakash aisi chhabi teri
Gandasthala madmastak jhoole Shashihari
Bhavbhagat se koi sharanagat ave
santat sabhi bharpur pave
Aise tumMaharaj moko ati bhave
Gosavinandan nishidin gun gave
***************************************************************************
Ghalin lotangan vandin charan
Dolyani pahin rup tujhe
Preme alingan anande pujin
Bhave ovaleen mhane nama
Twamev mata cha Pita twamev
Twamev bandhusch sakha twamev
Twamev Vidhya dravinam twamev
Twamev sarwam mam dev dev
Kayena vacha manasendriyenva
Buddhayatmna va prakrutiswabhavat
Karomi yadhyat sakalam parasmai
Narayanayeti samarpayami
Achyutam keshavam ramnarayanam
krushanadamodaram vasudevam hari
Shridharam Madhavam gopikavallabham
Janaki nayakam ramchandra bhaje
Hare ram hare ram ram ram hare hare
Hare krishna hare krishna KrishnaKrishna hare hare
*****************************************************************************
Jai Ganesh, jai Ganesh, jai Ganesh deva
Mata jaki Parvati, pita Mahadeva.

Ek dant dayavant, char bhuja dhari
Mathe par tilak sohe, muse ki savari

Pan chadhe, phul chadhe, aur chadhe meva
Ladduan ka bhog lage, sant kare seva.

Jai Ganesh, jai Ganesh, jai Ganesh deva,
Mata jaki Parvati, pita Mahadeva…

Andhan ko ankh det, kodhin ko kaya
Banjhan ko putra det, nirdhan ko maya
Surya shaam sharan aye, safal kije seva.
Jai Ganesh, jai Ganesh, jai Ganesh deva,
Mata jaki Parvati, Pita Mahadeva… . ***********************************************************************

Thursday, September 4, 2008

Micchami Dukkadam

Jain Prajushan were from August 27 to September 3, 2008. Here are some reading materials related to Jainism.

૧૧ કર્તવ્યો આત્માની ગાડીને ગતિ આપે છે - Bhaskar Network, Ahmedabad
સૂરીલા સૂરો કાનમાં એક ભનક ઝૂરી જાય છે. જે મનને ગુંજન થતું હોય... કાલનાં પાંચ કર્તવ્યોનું ગુંજન પ્રત્યેક જૈનના હૃદયને ગૂંજતું કરી મૂકયું. પર્યુષણનાં પાંચ કર્તવ્ય પછી પ્રારંભાય વાર્ષિક ૧૧ કર્તવ્યો. પાંચ કર્તવ્ય પર્યુષણ દરમિયાન આચરવાના હોય છે જયારે આ ૧૧ કર્તવ્યો વર્ષ દરમિયાન આચરવાનાં હોય છે. પાંચ કર્તવ્યો આત્માની ગાડીને શકિતશાળી, વ્યવસ્થિત બનાવે છે, જયારે ૧૧ કર્તવ્યો તે ગાડીને ગતિ આપે છે. શકિત બાદ ગતિ આવશ્યક છે. ગતિ દ્વારા લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. પ્રવૃત્તિરૂપ આ ૧૧ કર્તવ્યો છે. હવે આપણે ૧૧ કર્તવ્ય અને તેનું સામાન્ય રૂપ જૉવા પ્રયત્ન કરીએ.
૧. સંઘપૂજા - તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે સાધુ-સાઘ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ હોય છે.
૨. સાધર્મિક ભકિત - પર્વાધિરાજના કર્તવ્યમાં પણ સાધર્મિક વાત્સલ્યરૂપ કર્તવ્ય હતું.
૩. યાત્રાત્રિક - વર્ષ દરમિયાન રથયાત્રા -તીર્થયાત્રા મહોત્સવરૂપ અષ્ટાન્હિકા યાત્રા કરવી, જે દ્વારા શાસન પ્રભાવના ખૂબ સુંદર રીતે થઈ શકે છે. એના દ્વારા ગામો ગામના જિનાલયોનાં દર્શન અને ત્યાંના સંઘોની જરૂરિયાત પૂર્તિ થઈ શકે છે.
૪. સ્નાત્ર મહોત્સવ - સ્ના=પવિત્ર-ત્ર-રક્ષણ કરવું. પવિત્રતાનું રક્ષણ કરે તેવો મહોત્સવ એટલે સ્નાત્ર મહોત્સવ.
૫. દેવદ્રવ્ય વૃદ્ધિ - પરમાત્માના જિનાલયના જિર્ણોદ્ધારાદિમાં કામ લાગે. જિનાલય નિર્માણમાં કામ લાગે તે અર્થે દેંવદ્રવ્યની વૃદ્ધિ થાય તેવું કોઈને કોઈ અનુષ્ઠાન વર્ષ દરમિયાન કરવું, જેથી તમામ સ્થાપત્યો તમામ પરમાત્મા ભકિત કેન્દ્રોની સુચારુ વ્યવસ્થા થાય. અલબત્ત આ બધાં અનુષ્ઠાનોથી માત્ર બાહ્યિક વ્યવસ્થા પૂર્ણ થાય તે જ લાભ નથી. આંતરિક વિકાસ પણ ખૂબ થાય છે તે પણ વાત નિહિત જ છે.
૬. મહાપૂજા - પરમાત્મા ઉપકારોની સ્મૃતિ સાથે ખૂબ ભાવોલ્લાસ પૂર્વક પ્રભુભકિત કરવી.
૭. રાત્રીજાગરણ - રાત્રીના પરમાત્માના ગુણગાન સામૂહિક પણેર્ ગાવા રૂપ આ કર્તવ્ય છે.
૮. શ્રુતભકિત - જિન આગમનના રક્ષણ માટે પૂરતું ઘ્યાન આપવું જોઈએ.
૯. ઉજમણું - તપના આનંદની અભિવ્યકિત આ કર્તવ્ય દ્વારા થાય છે.
૧૦. તીર્થ પ્રભાવના - તીર્થ એટલે શાસન. શાસનની પ્રભાવના થાય તેવું કંઈ પણ કાર્ય વર્ષ દરમિયાન કરવાનું, જેથી આપણું વૈયકિતક પુણ્ય વિકસે છે અને શાસનની સંપત્તિ વધે છે.
૧૧. આલોચના - વર્ષ દરમિયાન કોઈ પણ માનસિક-વાચિક-કાયિક અકર્મ થયું હોય તો તે ગુરુ સન્મુખ નિખાલસપણે પ્રગટ કરી તેની આલોચના= પ્રાયિશ્ચત લેવું અને તે દ્વારા દુષ્કૃત્યોના ડાઘ ઘોઈ આત્મપવિત્ર કરવો.

આમ વ્યકિત અને શાસન ઉભયોપયોગી આ ૧૧ કર્તવ્યો ખૂબ ભાવપૂર્વક શ્રાવકે આચરવા જોઈએ. - ગરછાધિપતિ સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા.
*****************************************************************************

ધર્મ ભાવનાને પુષ્ટ કરવું પૌષધવ્રત - Bhaskar Network, Ahmedabad

મહાપર્વ પર્યુષણના બે દિવસો સુખરૂપ પસાર થઈ ગયા. પર્વના પાંચ કર્તવ્યો અને વાર્ષિક ૧૧ કર્તવ્યોનું નિરૂપણ સાંભળી કર્ણ તૃપ્ત બન્યા. કાંઈક કરી છૂટવાના મનોરથો જાગ્યા અને વ્યકિતગત કે સામૂહિક રીતે કર્તવ્યો અદા કરવાનાં ચક્રો પણ ગતિમાન થયાં. પર્વોપર્વની રીતે આરાધાય તો ખરેખર મોહને માર્યે જ છૂટકો. મોહ એટલે આપણને દરેક સમયે પજવતા રાગ-દ્વેષ, વિષયની વૃત્તિ, કષાયોની ગુલામી. આ આંતરિક શત્રુઓ છે. શત્રુને હણ્યા વિના કે કાયમી જીત્યા વિના જેમ યુદ્ધનો ભય ટળતો નથી અને નિશ્ચિત રાજય ભોગવવા મળતું નથી, તેમ આંતરિક શત્રુઓને હણ્યા વિના કે છેવટે કાબૂમાં લીધા વિના આંતર-દ્વંદ્વો મટતાં નથી અને આત્મિક અખંડ-અક્ષય રાજય ભોગવવા મળતું નથી.
આંતરિક શત્રુઓને હણવા માટેનું યુદ્ધ એટલે મહાપર્વ -પર્યુષણા! કારણ પર્યુષણ પર્વમાં એક પણ એવી વસ્તુ આરાધાતી નથી કે જેથી મોહને પોષણ મળે. મોહ માયકાંગલો થાય ત્યારે બાકીના સાથીદારો પણ માયકાંગલા બની જાય અને આત્મા પોતાની સંપૂર્ણ શકિતને પ્રાપ્ત કરી એ બધા ઉપર કાયમી વિજય મેળવી જાય.
પર્વ-મહાપર્વના દિવસોમાં આ જ એક ઉદ્દેશ્યથી અનેકાનેક પ્રકારની ધર્મારાધનાઓ વિહિત કરવામાં આવેલી છે. જૈનાગમોમાં પૌષધની વાતો ખૂબ જ વિસ્તારથી વર્ણવેલી જોવા મળે છે. શ્રાવકના બાર વ્રતમાં ૧૧મુ વ્રત ‘પૌષધોપવાસ’નું છે. એમાં ઉપવાસપૂર્વકનો પૌષધ કરવાનો હોય છે.
પૌષધ એક એવું અનુષ્ઠાન છે કે એને કરનાર સહજતાથી ધર્મની પુષ્ટિ પામે. ધર્મને પોષે-પુષ્ટિ કરે તેનું નામ પૌષધ. પૌષધના નિયમ-વ્રતમાં મુખ્યત્વે ચાર બાબતો હોય છે.
સામાન્ય નિયમ એવો છે કે પૌષધ પર્વતિથિએ કરવો અને પૌષધમાં ઉપવાસ કરવો. પરંતુ એનો મતલબ એવો નહીં કે અપર્વતિથિએ ન જ કરવો કે ઉપવાસ નહીં કરી શકનારે પૌષધ ન જ કરવો. શ્રાવકને રોજ કરવાની અનુકૂળતા ઓછી હોય માટે પર્વતિથિનું વિધાન અને ઉત્કૃષ્ટ તપ માટે ઉપવાસનું વિધાન કર્યું છે. હવે બીજી બાબત છે શરીરસત્કાર ત્યાગ. જે દિવસે પૌષધ કરવો હોય એ દિવસે કોઈ પણ પ્રકારની શરીરશોભા ન કરાય. સ્નાન, મંજન, વાળ ઓળવા, ટાપટીપ, મેક-અપ વગેરે કશું ન કરાય.
પૌષધના દિવસે અને રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પોતાનાં મન અને ઈન્દ્રિયોને અનુકૂળ વિષયોમાં જતાં-દોડતાં અટકાવવાં જોઈએ.
ચોથી બાબત છે, અવ્યાપાર. પૌષધ સમયે સંસાર સંબંધી કોઈ પણ પ્રવૃત્તિ, વ્યાપાર-ધંધો, ઉધોગ આદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવી કરાવવી ન જોઈએ. આ કંડીશન ખૂબ જ મહત્ત્વની છે. છાપાં-મેગેઝીન, નવલકથાઓ સાહિત્ય રસ પોષે તેવાં પુસ્તકો, રાજકારણ આદિની વાતોચીતો આ બધાથી તદ્દન અળગા રહેવું જોઈએ.
આમ સૌ કોઈ આ પૌષધવ્રતને આરાધી પર્વ આરાધનાનાં ફળ સ્વરૂપ પરમાત્મપદના ભાગી બને એ જ શુભાભિલાષા. - - આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મ.સા.
***********************************************************************
મોક્ષમાર્ગ માટે કલ્પસૂત્રનું શ્રવણ જરૂરી -
કેટલીક ચીજો જાણવાની મઝા આવે છે, પણ કેટલીક ચીજોને માનવાની મઝા આવે છે. જાણવામાં બુદ્ધિની યાત્રા છે, માનવામાં શ્રદ્ધાની યાત્રા છે. બીજી રીતે કહીએ તો જાણવું એ મગજની યાત્રા છે અને માનવું એ હૃદયની યાત્રા છે. ‘કલ્પસૂત્ર’ નો આટલો મહિમા કેમ છે એ જાણવા કરતાં વધુ માનવા જેવું છે અને બુદ્ધિથી ચકાસવા કરતાં શ્રદ્ધાથી ચાખવું જરૂરી છે.
આજે ૧૨૫૦ ગાથાઓનું કલ્પસૂત્રનું વાંચન થશે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. આ પ્રાકòત ભાષાના સૂત્રનું વાંચન જ આજે થશે.
આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા.ની આ રચના મહાન પ્રભાવશાળી શબ્દનો માત્ર અર્થ નહીં એનો ઘ્વનિ પણ ચમત્કારને સર્જનાર હોય છે. ગીતમાં શબ્દ હોય છે. સંગીત નિરક્ષર છે. માત્ર સ્વર છે. માત્ર ઘ્વનિ છે. સ્વરના ઉરચારનો મહિમા અનોખો છે. ભારતીય સંસ્કૃતિમાં આ એક અનોખી પરિપાટી છે, કારણ કે ભારતીય મહર્ષિઓએ શબ્દોથી પણ ચમત્કાર કરવાની સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘ્વનિશાસ્ત્ર પણ મહા મહિમાવંત શાસ્ત્ર છે.
કલ્પસૂત્રને જો ૨૧ વાર તન્મય થઈને સાંભળવામાં આવે તો ત્રીજા જ ભવે મોક્ષ થઈ જાય તેવો તેનો પ્રભાવ છે. કયા જૈનને મોક્ષની ઇરછા ન હોય? અરે, કયો અઘ્યાત્મવાદી મોક્ષને ન ઝંખે? અરે, કયો વિચારક મોક્ષની અનુભાવનાથી પ્રભાવિત થયા વિના રહે? આ માટે જ કલ્પસૂત્રનો મહામહિમા છે. આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા. મંત્ર ચૈતન્ય જાગૃતિની ક્રિયા જાણતા હતા. તેઓએ મહા પ્રાણઘ્યાન સિદ્ધ કર્યું હતું. શાસ્ત્રો જણાવે છે કે, આ મહાપ્રાણ ઘ્યાનની સાધના તેમણે નેપાલમાં જઈને છ માસ સુધી કરી હતી. આવા ધીર, ગંભીર મહાસાધક આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા.ની આ મંગલમય કૃતિનો પ્રભાવ એવો છે કે ભાવિકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આવા આ મહાન સૂત્રનો અર્થ તો પ્રગટ છે પણ એનો પ્રભાવ તેનાથી પણ વધુ પ્રસિદ્ધ છે.
આ સૂત્રોમાં ભગવાન મહાવીરનું પ્રમાણમાં વિસ્તૃત ચરિત્ર, પાર્શ્વનાથ ભગવાન નેમિનાથ ભગવાનનું અતિસંક્ષિપ્ત ચરિત્ર આવે છે અને તેથી કંઈક થોડુંક વધારે ચરિત્ર આદિનાથ ભગવાનનું આવે છે. ચોવીસ તીર્થંકરોના શિષ્યોનો સમયગાળો આવે છે અને ભગવાન મહાવીરના શિષ્યોની વંશાવલિ આવે છે, પરંતુ જેને ‘કલ્પ’ કહેવામાં આવે છે તેમાં જૈન સાધુઓએ સારા જીવન દરમિયાન અને વિશેષ કરીને ચાતુર્માસમાં કેવી રીતે રહેવું તેનું વિશિષ્ટ વર્ણન છે. તે સૂત્રના અંતે કહેવાયું છે કે, વર્ષના અંતે પોતાના તમામ કષાયોને દૂર કરી પરસ્પર ક્ષમાપના કરવી જોઈએ, આત્માની શુદ્ધિ કરવી જોઈએ અને કહ્યું છે કે બીજૉ ક્ષમા ન આપે તો પણ તમે ક્ષમા આપતા જ રહો! ક્ષમા માગતા જ રહો! આપણે કહીએ છીએ કે ક્ષમા જ મોક્ષની માતા છે. મોક્ષની જનની છે. આવા મોક્ષમાર્ગ માટે કલ્પસૂત્રનું શ્રવણ જરૂરી જ છે અને તેના અર્થોને જાણીને શ્રવણ કરવાથી મહાનંદ મેળવતાં અનંત આનંદના સ્વામી બની જવાય. - - આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા, હૈદરાબાદ.
************************************************************************
પર્યુષણમાં મૂળભૂત તત્ત્વજ્ઞાનની મીમાંસા - Muni Mitranandsagarji

પર્વાધિરાજ પર્યુષણની આરાધના તેની પરાકાષ્ઠા તરફ જઈ રહી છે. પર્વાધિરાજના ઉત્તરાર્ધમાં જૈન તત્ત્વજ્ઞાનની અદ્ભુત વાતોનો ખજાનો ખુલ્લો મૂકી દેવામાં આવશે.
તીર્થંકરોએ જગતનું જે સ્વરૂપ જોયું અને જાણ્યું તેને પોતાના પ્રધાન શિષ્યોની સામે માત્ર ત્રણ જ શબ્દોમાં રજૂ કર્યું : ૧. સર્જન, ૨. વિસર્જન અને ૩. અસ્તિત્વ.
આ ત્રણ શબ્દોનું હાર્દ એ છે કે ૧. કોઈ પણ પદાર્થનું નવેસરથી સર્જન થાય છે ૨. એ જ પદાર્થનું સમયાન્તરે વિસર્જન થાય છે ૩. તેમ છતાં તે પદાર્થ પોતાનું મૂળભૂત અસ્તિત્વ કાયમ જાળવી રાખે છે! પ્રથમ નજરે જરા અટપટો દેખાતો આ સિદ્ધાંત તેના ડાણમાં જવાથી દીવા જેવો સ્પષ્ટ થઈ જાય છે.
આને એક સામાન્ય અને સ્થૂળ દાખલાથી સમજીએ.
એક સોની સોનાની લગડીમાંથી એક સરસ મજાના ‘હાર’નું સર્જન કરે છે. એ જ ઘડીએ ‘હાર’ નામની વસ્તુનો જન્મ થાય છે. આ ‘હાર’ના જીવનમાં એક એવો તબક્કો આવે છે કે જયારે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. એ ‘હાર’ મટીને વીંટી, બંગડી, કડું અથવા અન્ય કંઈક બની જાય છે.
લગડીનું વિસર્જન થયું, હારનું સર્જન થયું. હારનું વિસર્જન થયું અને વીંટીનું સર્જન થયું. પરંતુ સોના તરીકે તેનું અસ્તિત્વ કાયમ રહ્યું.
સમગ્ર વિશ્વમાં સર્જન, વિસર્જન અને અસ્તિત્વની પ્રક્રિયા સદાકાળ ચાલુ રહે છે. તીર્થંકરોએ આ અદ્ભુત અને મૌલિક સિદ્ધાંત જગતને આપ્યો. જૈનધર્મનું સમગ્ર તત્ત્વજ્ઞાન આ ત્રણ સૂત્રોનો જ અર્થવિસ્તાર છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈનધર્મ નામની ઇમારત આ ત્રણ સૂત્રોના પાયા ઉપર ઊભી છે.
એક વ્યકિત જન્મે છે અને કાળાન્તરે મૃત્યુ પામે છે પરંતુ એનું મૂળભૂત આત્મતત્ત્વ કયારે પણ વિલય પામતું નથી. પુનર્જન્મ અને પૂર્વજન્મની ધારણા પણ આ ત્રણ સૂત્રો ઉપર જ આધારિત છે. જૈનધર્મ પાંચ સમવાય કારણોમાં માને છે. જૈનધર્મ અનુસાર કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ બાબતો એકત્ર થાય ત્યારે કોઈ એક કાર્યની નિષ્પત્તિ થાય છે. જૂના યુગમાં લુપ્ત થઈ ગયેલા ધર્મોઆમાંનો કોઈ એકાદ સિદ્ધાંત પકડીને ચાલતા હતા. અને તેથી જ તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકયા નહીં, કેમ કે મનુષ્ય જેમ જેમ વિચારક બનતો ગયો તેમ તેમ તેને જે તે સિદ્ધાંતની અપૂર્ણતા અને ખામી સમજાવા લાગી. જયારે તીર્થંકરોએ પ્રબોધેલા ધર્મની શાશ્વતતા એ કારણસર રહી કે તેમણે કેવળજ્ઞાનના પ્રકાશમાં આ જગતનું જે વાસ્તવિક સ્વરૂપ જૉયું તે જ તેમણે જગતની સામે રજૂ કર્યું. માટે જ જૈનધર્મ હંમેશાં વિચારશીલ લોકોનો ધર્મ બની રહ્યો.
સર્જન, વિસર્જન અને અસ્તિત્વના સિદ્ધાંતો ઉપર મંથન કર્યા પછી તીર્થંકરોના પ્રધાન શિષ્યો એટલે કે ગણધરોએ તેને જે શબ્દદેહ આપ્યો તેને આપણે આગમો કહીએ છીએ. તેમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
***************************************************************