Monday, December 28, 2009

Christmas 2009

We got off work 4 hours early on Christmas Eve. On the way home, did some grocery shopping. I had invited my parents, my sister's family and a friend's family for lunch at 12 noon. The menu was going to be very simple. Since it was a cold day, I decided to start the lunch with Potato and Leek Soup. The lunch menu was extremely simple - chole, paratha, pulao, yogurt and green onion sabzi.

Potato and Leek Soup:
2 leeks - white and green parts - finely chopped and then washed 6 times (it has too much sand in it, just like methi, so please wash it properly). If you do not chop it finely, then the sand remains in between the leaves, no matter how many times you wash it).
1 tablespoon EVOO (extra virgin olive oil - a la Rachel Ray)
3 cups of chopped onion - yellow
1 tablespoon of chopped garlic
2 tablespoons of aadu (chopped ginger)
1 tablespoon of green marchu (chopped green chillis)
4 potatoes - peeled and chopped
4 cups of vegetable stock - ready made from Safeway - the Organics brand
2 cups of water
Salt according to taste
In a pan, heat the oil and add the leeks, onions and salt. You want to stir this every three minutes. I have an electric stove and I had the setting on 6.
Add the garlic, ginger, green chilli and again let it cook together for about 3 minutes.
Now add the potatoes, vegetable stock and water. I turned the setting on high and after it came to a boil, I reduced the setting to 2. I left it this way for 2 hours.
After that I shut the stove and let the pan sit on the stove.

Chole
5 pound can of Garbanzo beans from Costco
1 can of tomato paste
4 onions - which were chopped along the onions for the soup
garlic, ginger, green chillis
spanish paprika
pomegranate powder
water
salt


In a big pot, 2 tablespoons of oil + jeera and sauted the onions. Once they became translucent, added salt, 1 tablespoon of chopped garlic, 2 tablespoons of chopped ginger and green chillis each. After about 2 minutes, I added 3 tablespoons of chana masala, 2 tablespoons of pav bhaji masala, 3 tablespoons of Spanish paprika. Mixed everything together and added a cup of water.
Once it got all mixed together properly, added the tomato paste and 5 glasses of water. Once it all boiled nicely together, added the Garbanzo beans (strained and washed properly). Mixed it all well together, put the flame on high and brought it to a boil. Once it came to a boil, I added a tablespoon of anardana powder ( pomegranate powder). Turned the flame on 2 and let it sit there until lunch time.

Parathas:
4 cups of Patel's wheat flour
1 cup of Safeway's whole wheat flour
2 tablespoons of oil
3 ladles of plain yogurt
water
I kneaded all of this together into dough and kept it aside, until lunch time.

Pulao:
Since we were 9 folks, I took 9 fistfuls of rice.
2 cups of peas and carrots
1/2 cup of badam and cashews mixed
cloves, cinnamon stick, whole black pepper
Tadka was of ghee + jeera - just cooked it as you would normally make rice.

Most of my guests arrived at 11:55 am. We sat and chatted for a little while. Then I got the soup ready - I used the hand held blender and blended the soup together. While serving the soup, I added a little bit of crushed black pepper. The soup was a hit on this cold day.
While we were waiting for the rest of the folks to show up, I started making the parathas. As soon as one paratha was made, the rest of the gang showed up. So we made all the kids and my father sit down for lunch. My sister and I made the parathas together, while my friend and my mom served lunch. I could not keep up with the demand of parathas, but all I kept on hearing was that it's okay take your time. The pipping hot chole and parathas was doing wonders to everyone's appetite.
We all had delicious Nanak's Ras Malai for dessert. Since we still had a lot of snow outside, the kids went out to make a snowman and igloos. While they were out, we chatted and had tea.

After everyone left, we just relaxed. Everyone had helped in cleaning the dishes and putting away food, so I hardly had anything left to do.

December 26th - just relaxed around the house - did some cleaning, laundry, etc.

December 27th - went to see "3 Idiots" at AMC Rio, Gaithersburg and a very early dinner at CPK.
Please do check out the review of 3 Idiots on "Mumbai Mirror". The author has said everything that I wanted to say about the movie.

December 28th - back to work at 7 am.

The 3 day break was wonderful and badly needed.

Wednesday, December 23, 2009

Posh Maas for Samvat 2066 (Dec 17, 2009 to Jan 15, 2010

Dec 20 - Vinayak Chauth
Dec 21 - Panchak from evening
Dec 22 - Panchak
Dec 23 - Panchak
Dec 24 - Panchak
Dec 25 - Panchak, Durgashtami, Shakambari Navratri Begins, Christmas
Dec 26 - Panchak
Dec 28 - Putrada Ekadashi
Dec 31 - Khandgras Chandragrahan, Shakambari Navratri Ends, Poonam
Jan 1 - New Year 2010
Jan 7 - Kalashtami
Jan 10 - Shattila Ekadashi
Jan 14 - Amavas, Makar Sankranti, Kumuhurta Ends
Jan 15 - Kanknakruti Suryagrahan



**Try and not begin any new work during Panchak. No ground laying (foundation), no installation of new roofs, no baby showers during panchak. Do not initiate a house move during panchak. If a death occurs during panchak, make sure to do the proper pooja and then cremate the body. **

Sunday, December 20, 2009

Preparations for the snow

On Friday, I went grocery shopping - I have never seen Lotte Plaza this crowded!! The worst thing was that prices were hiked up! My DS got the milk from Safeway and DH got the toilet paper & fire logs from Sam's.

On Friday, while listening to the news, I chopped up:
4 bunches of kothmir (coriander)
one bunch of methi
one cabbage
one cauliflower
chopped up green thai chili + jalapenos + habaneros for my handy "green marchu" paste
cleaned and chopped up aadu (ginger)
cleaned and separated the garlic
Dinner was idli and sambhar.

On Saturday, while watching the beautiful snow from my window:
I really put my Sumeet grinder to work:

First, I crushed ginger and filled up 2 bottles - one for the freezer and one for the fridge.

Second, crushed up all the green chilis that I had cut on Friday and made my "green marchu" paste. Put one bottle in the freezer and one for my daily use in the fridge. I have started using these three types of green peppers. I have found the combination is just right for my household. One heaping teaspoon of it in all my cooking hits the spice-o-meter just right!

Third, crushed up all the garlic, added a little lemon juice and haldar (turmeric) to keep it from spoiling.

Next, I prepared garlic kothmir chutney - everyone just loves this in my house. I have to prepare extra for my parents, dear brother and sister.

For breakfast, last night's idli batter was used to prepare dhoklas - sprinkled with black pepper. My DS just loves these!

Later on my DS made some cheese sandwiches while I was busy with my Sumeet mixture. DH and DS went and shoveled our walkway twice yesterday and cleaned up the cars. After about five minutes, it looked as if the area and the cars were never cleaned in the first place!!

My DS and a couple of his friends then walked to the nearby school and had a snowball fight and had a ball.

On his return, I prepared methi gota (I used the chopped up methi from Friday) and onion pakoda. We ate that with the just prepared kothmir chutney and tea for DH, milk for DS and coffee for me. It felt good.

For dinner I prepared moong dal khichdi. We had that with yogurt.

I ended my day yesterday after watching Russell Peters at 10 pm. My DS said that he was going to have a Godfather marathon - so he slept much, much later than me.

Overall, the day was good. The snow was still falling when I went to sleep. I was wondering if I would be able to go to work on Monday and how we were going to clean up all the snow!! Let's see what Sunday brings..................................

We got over 20 inches of snow!!

The snow has ended and Washington is left to reflect on and dig out from an historic storm. This snow was a record breaker, with 16.4" at Reagan National, 18" at Dulles and 21" at BWI Thurgood Marshall, making for the heaviest snowfall amounts in the month of December at those recording stations. This was also the 3th heaviest daily snowfall on record at Reagan National Airport. The snowfall tallies at both BWI and Reagan National also tipped the snowfall amounts to the most ever in the month of December. Upward of 20 inches fell in numerous areas, with localized heavier amounts scattered through the region.

More snow expected on Christmas Eve and Christmas!!!!

Friday, December 18, 2009

EXPECTED SNOW..................

Statement as of 4:05 am EST on December 18, 2009 Winter Storm

Warning

Winter Storm Warning in effect from midnight tonight to 6 am EST Sunday...

The National Weather Service in Sterling Virginia has issued a Winter Storm Warning for snow... which is in effect from midnight tonight to 6 am EST Sunday.

* Precip type... snow.

* Accumulations... heavy snow with accumulations of 5 to 10 inches through sunset Saturday. Locally higher amounts possible...mainly in or near southern Maryland. Additional accumulations expected Saturday night.

* Timing... snow will begin late Friday night and will continue through Sunday morning.

* Temperatures... upper 20s to lower 30s through the event in the Baltimore Washington metropolitan area... mid to upper 20s across western Maryland.

* Winds... 10 to 20 mph through the event... with gusts of 25 to 30 mph Saturday and Sunday.


Precautionary/preparedness actions...

A Winter Storm Warning means significant amounts of snow... sleet... and ice are expected or occurring. Strong winds are also possible. This will make travel very hazardous or impossible.

Friday, October 30, 2009

Maagshar Maas for Samvat 2066 (2009)

Maagshar Maas (Nov 17, 2009 to Dec 16, 2009)

Nov 20 - Vinayak Chauth
Nov 23 - Annapoorna Vrat begins
Dec 1 - Dattatrey Jayanti, Poonam
Dec 5 - Sankat Chauth
Dec 8 - Kalashtami
Dec 12 - Safla Ekadashi
Dec 13 - Annapoorna Vrat ends
Dec 15 - Dhanark Kumuhurat begins
Dec 16 - Amavas

Kartak Maas for Samvat 2066 (2009)

Kartak Maas - Oct 19 to Nov 16
  • Oct 19 - Saal Mubarak
  • Oct 20 - Bhai Beej
  • Oct 21 - Vinayak Chauth
  • Oct 23 - Labh Pancham
  • Oct 26 - Durgashtami
  • Oct 29 - Devuthi Ekadashi, Bhismah Panchak starts
  • Oct 30 - Chaturmas finishes. Tulsi Vivah Begins
  • Nov 2 - Dev Diwali, Bhismah Panchak finishes, Tulsi Vivah finishes, Tripurari Vrat Poonam
  • Nov 5 - Sankat Chauth
  • Nov 9 - Kalashtami, Kalbhairav Jayanti
  • Nov 12 - Utpatti Ekadashi
  • Nov 14 - Nehru Jayanti (Children's Day), Shani Pradosh
  • Nov 16 - Amavasya

Monday, September 28, 2009

Happy Dassera


દુર્ગા બત્રીસી નામમાળા - Jahanvi Jani

જે મનુષ્ય દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી.

એક સમયની વાત છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઇને દુર્ગતિનો નાશ કરનારાં દેવી દુર્ગાએ કહ્યું, ‘દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું. તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુલર્ભ વસ્તુ પણ આપીશ.’
દુર્ગાદેવીનું આ વચન સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘હે દેવી, જે ત્રણેય લોકો માટે કંટકરૂપ હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો. એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઇ ગયું છે.

તમારી જ કપાથી અમને પોતપોતાનાં પદ ફરીથી પાછાં મળી ગયાં છે. તમે ભકતો માટે કલ્પવૃક્ષ છો. અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેથી અમારા મનમાં હવે કશું મેળવવાની અભિલાષા બાકી રહી નથી. અમને સર્વ કાંઇ મળી ગયું છે. તેમ છતાં તમારી આજ્ઞા છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને કશુંક પૂછવા ઇરછીએ છીએ.
હે મહેશ્વરી! એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઇને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો? હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો.’
દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગાદેવીએ કહ્યું, ‘હે દેવો! સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે. મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિનો નાશ કરનારી છે. ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઇ સ્તુતિ નથી. આ રહસ્યરૂપ છે. આને બતાવું છું, સાંભળો.’

જે મનુષ્ય મુજ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી. દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અંર્તઘ્યાન થઇ ગયા. દુર્ગાજીનું આ ઉપાખ્યાન જે સાંભળે છે તેના પર કોઇ વિપત્તિ આવતી નથી.

Wednesday, September 16, 2009

Navratri 2009

નવરાત્રિ એટલે જીવનની દિશા પલટાવતું વ્રત. આ વ્રત દ્વારા પરમ શક્તિને પામી શકાય છે. નવરાત્રિના વ્રતના કારણે જ જીવનમાંથી ઉદાસીનતા અને નિરાશા દૂર થાય છે. આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં એમ બે વાર વર્ષમાં નવરાત્રિ આવે છે તેથી તેનું ઘણું મહત્ત્વ છે. આ સમયમાં પૂજન અને ભક્તિનું મહત્ત્વ છે. કારણ કે આ સમયગાળો ભારે કહેવાય છે. આથી આ સમયમાં વધુ શક્તિ મેળવીને માનવીએ મજબૂત થવું પડે છે. માનસિક રીતે મજબૂત થવા ધ્યાન અને ચિંતનની જરૃર પડે છે. આ શક્તિ આપણે માતાજીની પૂજા અને અનુષ્ઠાનમાંથી મેળવીએ છીએ. ભક્તિના માધ્યમથી શક્તિ મેળવવા ઇચ્છતા મનુષ્યે વિશેષ રીતે અનુષ્ઠાન કરવું પડે તો તેનો બેડો પાર થઈ જાય.

નવરાત્રિ અનુષ્ઠાન કરવા માટેની વિધિ આ પ્રમાણે છે : ભાદરવી અમાસના દિવસે પૂજનની તમામ સામગ્રી તૈયાર કરી તે દિવસથી જ એક વખત ભોજન કરવું. પ્રથમ ઉપવાસ અથવા રાત્રિ ભોજન વખતે નવ દિવસના ભોજનનો સંકલ્પ લઈને માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે માવડી ! હું મારી શક્તિ મુજબ નવરાત્રિ વ્રત કરવા જઈ રહ્યો છું. તે દરમિયાન કોઈ ભૂલચૂક થઈ જાય તો પુત્ર સમજી માફ કરી દેજે, તેમજ વ્રત કરવાની મને shakti આપજે.

નવરાત્રિ પર્વની પરંપરા અનેક યુગોથી ચાલી આવે છે. રાવણ સામે યુદ્ધની ચઢાઈ કરતા શ્રીરામે માતાજીની આરાધના કરી હતી. નવદુર્ગાના આશીર્વાદ મેળવી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. નવરાત્રિમાં વ્રત કર્યું હોય તો ફળ કે દૂધ સિવાય ખોરાકમાં કાંઈ લેવું નહીં. બ્રહ્મચર્યવ્રત પાળવું અને માતાજીની ભક્તિ કરવી. આઠમના દિવસે દશાંગ હોમ કરવો. નવમીના દિવસે વિશેષ હવન કરવો. નવરાત્રિમાં એક તિથિનો વધારો થતો હોય તો આઠમના રોજ વ્રત પૂર્ણ કરવું. જો તિથિનો ક્ષય થતો હોય તો અમાસ સહિત પડવાની રાત્રિએ નવરાત્રિનો પ્રારંભ કરવો. આ રીતે જોતા નવરાત્રિએ અહોરાત્રનો અભિપ્રેત છે જે ખરેખર સાર્થક છે.

નવરાત્રિ વ્રતનો પ્રારંભ કર્યા પછી સૂતક આવે તો જપ - પૂજન, દાન દક્ષિણા કે અર્ઘ્યમાં કોઈ દોષ ગણાતો નથી. વ્રતનો પ્રારંભ થઈ ગયો હોય તો પૂજન - અર્ચન જેવા વિધિ - વિધાન બીજાની પાસે કરાવી શકાય. નવરાત્રિ વખતે ત્રણ દેવીની ઉપાસના થાય છે. જગતના સર્જનહાર બ્રહ્માણી, સૃષ્ટિના પાલનહાર લક્ષ્મી અને સંહારક દેવીના સ્વરૃપ એવા મહાકાલી. તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રવૃત્તિઓ પણ શક્તિને આભારી છે. નવરાત્રિના દિવસોમાં કુંભનું સ્થાપન કરવામાં આવે છે. જ્વારા પણ વાવવામાં આવે છે. નવ દિવસ અખંડ દીવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. વ્રત દરમિયાન જ્યોત બુઝાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. એ જ રીતે વ્રત કરનારની શક્તિની જ્યોત પણ ન બુઝાઈ જાય તેનું ધ્યાન રાખવું પડે છે.

નવરાત્રિમાં કુમારિકા પૂજન અવશ્ય કરવું જોઈએ. બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાને પૂજવામાં આવે છે. કુમારિકાનું પૂજન કરવાથી દુઃખ, દરિદ્રતા અને શત્રુઓનો નાશ થાય છે. ત્રિમૂર્તિના પૂજનથી આયુષ્ય, ધર્મ, અર્થ, કામનું ફળ, ધન - ધાન્યમાં વૃદ્ધિ થાય છે. કલ્યાણીના પૂજનથી વિદ્યા, વિજય, સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. શત્રુઓનો નાશ કરવા કાલિકા માતાનું અને ધન મેળવવા ઇચ્છતા લોકોએ ચંડિકા પૂજન કરવું.

શાંભવીના પૂજનથી દુઃખ અને ગરીબી દૂર થાય છે. દુર્ગા પૂજનથી શત્રુઓનો વિનાશ થાય છે. ઇચ્છિત ફળની સિદ્ધિ માટે સુભદ્રા, રોગોના નાશ માટે મનુષ્યે રોહિણીનું પૂજન કરવું. આ રીતે કુમારિકા પૂજન કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. નવરાત્રિમાં શક્તિની આરાધના કરવાથી મનની પ્રસન્નતા તો અનુભવાય છે. આ ઉપરાંત મનની નબળાઈઓ દૂર થતા દરેક કાર્યમાં સફળતા મળે છે. પરિવાર અને સમાજના લોકોની પણ સુખાકારી વધેછે. =============================================================
નવદુર્ગા શક્તિનું દૈવી જાગરણ - 'kunalsandesh';
નવરાત્રિના નવ દિવસ... મા અંબા... દુર્ગા... નવશક્તિની આરાધના થશે. ગુજરાતનાં ગામડે ગામડે, શહેરની ગલીએ ગલીએ સાક્ષાત્ અદ્યાશક્તિ નવદુર્ગાનું પ્રાગટય થશે. શ્રદ્ધા અને ભક્તિના મહાસાગર હિલોળા લેશે. માના ગરબા ગવાશે. રાસ - ગરબાની રમઝટ બોલશે. મન મૂકીને લોકો ગરબે ઘૂમશે. સમાજમાં એક નવચૈતન્યનો સંચાર થશે... ત્યારે અહીં નવદુર્ગા વિશે જાણીએ.

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રર્ધકૃતશેખરામ ।વૃષારૃઢાં શૂલધરાં શૈલપૂત્રી ચશસ્વિનીમ્ ।।

(૧) શૈલપુત્રી : મા દુર્ગા પોતાના પ્રતમ સ્વરૃપમાં ‘શૈલપુત્રી’ નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૃપે ઉત્પન્ન થવાને કારણે તેમનું નામ ‘શૈલપુત્રી’ પડયું હતું. વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે.
પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૃપે અવતર્યા હતાં. ત્યારે તેમનું નામ ‘સતી’ હતું. તેમનો વિવાહ ભગવાન શંકરજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞા કર્યો. તેમાં તેમણે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞાભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેમણે શંકરજીને આ યજ્ઞામાં નિમંત્રિત ન કર્યા. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞાનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઊઠયું. તેમણે પોતાની આ ઇચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ‘પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે. પોતાના યજ્ઞામાં તેમણે સર્મિપત કર્યા છે, પણ આપણાને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહીં ગણાય.’ શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞા જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.

પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોનાં મોં ચઢેલાં છે. કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસાં ચાંપ્યાં. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિજનોના આ વ્યવહારથી તેમના મનને ઠેસ પહોંચી. તેમણે એ પણ જોયું કે ત્યાં ચર્તુિદક ભગવાન સદાશિવજી પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યાં. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઊઠયું. તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યાં. યોગાગ્નિ દ્વારા પોતાના તે રૃપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું. વજ્રપાત જેવી આ દારુણ - દુઃખદ બીના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી દક્ષના તે યજ્ઞાનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો.

સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૃપે નવો જન્મ લીધો. તેઓ હવે ‘શૈલપુત્રી’ નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદની એક કથાનુસાર તેમણે હૈમવતી સ્વરૃપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.

‘શૈલપુત્રી’ દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીનાં અર્ધાંગના બન્યાં. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્ત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાનાં મનને ‘મૂળાધાર’ ચક્રમાં સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગસાધનાનો પ્રારંભ થાય છે.

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।દેવી પ્રસીદતું મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।

(૨) બ્રહ્મચારિણી : મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૃપ બ્રહ્મચારિણીનું છે. અહીં ‘બહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત્ તપનાં ચારિણી - તપનું આચરણ કરનારાં. કહેવાયું છે કે વેદસ્તત્ત્વં તપો બ્રહ્મવેદ, તત્ત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૃપ પૂર્મ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમા કમંડળ છે.

પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રીરૃપે અવતર્યાં, ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિરૃપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમને તપશ્ચારિણી અર્થાત્ બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયાં. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ - મૂળ ખાઈને વ્યતીત કર્યા. સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો. કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લાં આકાશ નીચે વરસાદ અને તડકાનાં ભયાનક કષ્ટો સહ્યાં. આ કઠિન તપશ્ચર્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલાં બીલીપત્રો ખાઈને અર્હિનશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ તેમણે સૂકાં બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું. કેટલાંક વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતાં રહ્યાં. પાંદડાં (પર્ણ) ખાવા છોડી દેવાના કારણે તેમનું એક નામ ‘અપર્ણા’ પણ પડી ગયું.

કેટલાંક વર્ષોનાં આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તેઓ અત્યંત કૃશકાય થઈ ગયાં. તેમની આ દશા જોઈને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થઈ ઊઠયાં. તેમણે તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો; ‘ઉ...મા’, અરે ! નહીં... ઓ ! નહીં ! ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મનું એક નામ ‘ઉમા’ પણ પડયું.

તેમના આ તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો. દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. મા દુર્ગાજીનું આ દ્વિતીય સ્વરૃપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે.

પિણ્ડજપ્રવરારૃઢા ચણ્ડકોપાસ્ત્રકૈર્યુતા ।પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ।।

(૩) ચન્દ્રઘંટા : મા દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ ‘ચન્દ્રઘંટા’ છે. નવરાત્રિ - ઉપસાનાના ત્રીજા દિવસે એમના જ સ્વરૃપનું પૂજન - આરાધના કરવામાં આવે છે. તેમનું આ સ્વરૃપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમનાં મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એ જ કારણે તેમને ચન્દ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમને દસ હાથ છે. તેમના દસેય હાથમાં ખડ્ આદિ શસ્ત્ર તથા બાણ આદિ અસ્ત્ર શોભાયમાન છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી હોય છે. તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ - દૈત્ય - રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે.

નવરાત્રિની દુર્ગા - ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્ત્વ અધિક છે. આ દિવસે સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. મા ચન્દ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓનાં દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે હોય છે.

મા ચન્દ્રઘંટાની કૃપાથી સાધકનાં સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહે છે, તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે. તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત - બાધા વગેરેમાં રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાં જ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઊઠે છે.

દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા - નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનોય વિકાસ થાય છે. તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. મા ચન્દ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદૃશ્ય વિકિરણ થતું રહે છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવનારા લોકો આનો અનુભવ સુપેરે કરતાં રહે છે.

સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।દધાના હસ્તપદ્માભં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ।।

(૪) કૂષ્માણ્ડા : મા દુર્ગાના ચોથા સ્વરૃપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મન્દ, હળવી હસી દ્વારા અણ્ડ અર્થાત્ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૂષ્માણ્ડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે. જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારેકોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે આ જ દેવીએ પોતાના ‘ઈષત્’ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એ જ સૃષ્ટિના આદિસ્વરૃપા, આદિશક્તિ છે. તેમના પૂર્વ બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં.

તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન જ દેદીપ્યમાન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય. અન્ય કોઈ પણ દેવી - દેવતા તેમનાં તેજ અને પ્રભાવની સમાનતા કરી શકે તેમ નથી. તેમનાં તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે.

તેમને આઠ ભુજાઓ છે. તેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે. તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કૂષ્માણ્ડ કહે છે. બલિમાં કૂષ્ણાડની બલિ એમને સર્વાધિક પ્રિય છે અને આ જ કારણે તેઓ કૂષ્માણ્ડા પણ કહેવાય છે. નવરાત્રિ - પૂજનના ચોથા દિવસે કૂષ્માણ્ડા દેવીના સ્વરૃપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે તેણે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૂષ્માણ્ડા દેવીના સ્વરૃપને ધ્યાનમાં રાખી પૂજા - ઉપાસનાના કાર્યમાં પરોવવું જોઈએ. મા કૂષ્માણ્ડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ - શોકનો નાશ થાય છે. તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. મા કૂષ્માણ્ડા અતિ અલ્પ સેવા અને ભક્તિથીય પ્રસન્ન થનારા દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહાસનગતા નિત્યં પદ્માશ્રિતકરદ્વયા ।શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।।

(૫) સ્કન્દમાતા : મા દુર્ગાજીના પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર ર્કાિતકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયૂર છે. તેથી તેમને મયૂરવાહન નામે પણ અભિહિત કરાયા છે.

આ જ ભગવાન સ્કન્દનાં માતા હોવાને લીધે મા દુર્ગાજીના આ પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામે ઓળખાવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ - પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ ચક્રમાં’ અવસ્થિત હોય છે. તેમના સ્વરૃપમાં ભગવાન સ્કન્દજી બાળરૃપે તેમના ખોળામાં બેઠેલા હોય છે. સ્કન્દમાતૃસ્વરૃપિણી દેવીને ચાર ભુજાઓ છે. તેઓ જમણી બાજુની જે નીચેની ભુજા જે ઉપર તરફ ઊઠેલી છે. તેમાં કમળપુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરદમુદ્રામાં છે તેમજ નીચેવાળી જે ભુજા ઉપર ઊઠેલી છે તેમાં પણ કમળપુષ્પ ધારણ કરેલું છે. તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે. આથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે.

નવરાત્રિપૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ‘વિશુદ્ધ’ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૃપ તરફ આગળ વધતો જાય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસના મા સ્કન્દમાતાના સ્વરૃપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપસના તરફ વધવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન - વૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાપથ પર આગળ વધતા રહેવું જોઈએ.

મા સ્કન્દમાતાની ઉપાસનાથી ભક્તની સમસ્ત ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. આપણે એકાગ્રભાવે મનને પવિત્ર રાખી માનું શરણું લેવાં પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભવસાગરનાં દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.

ચન્દ્રહાસોજ્જવલકરા શાર્દૂલવરવાહના ।કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ।।

(૬) કાત્યાયની : મા દુર્ગાના છઠ્ઠા સ્વરૃપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાથી કથા આ પ્રમાણે છે : કત નામે એક પ્રસિદ્ધ મર્હિષ હતા. તેમના પુત્ર ઋષિ કાત્ય થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મર્હિષ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણાં વર્ષોે સુધી કઠિન તપ કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેર પુત્રીરૃપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.

થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવાયાં.

એવી પણ કથા મળે છે કે તેઓ મર્હિષ કાત્યાયનના ત્યાં પુત્રીરૃપે પણ ઉત્પન્ન થયાં હતાં. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી (ત્રણ દિવસ), તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો.

મા કાત્યાયની અમોઘ ફળ આપનારાં છે. ભગવાન કૃષ્ણને પતિરૃપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિન્દી - યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૃપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૃપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તથા નીચેનો હાથ વરદમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.
દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૃપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધકનું મન ‘આજ્ઞા’ ચક્રમાં સ્થિત હોય છે. યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

એકવેણી જપાકર્ણપૂરા નગ્ના ખરાસ્થિતા ।લમ્બોષ્ઠી ર્કિણકાકર્ણી તૈલભ્યકતશરીરિણી ।।
વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા ।વર્ધનમૂર્ધધ્વજા કૃષ્ણા કાલરાત્રીર્ભયઙ્કરી ।।

(૭) કાળરાત્રિ : મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમનાં ત્રણ નેત્રો છે. એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ - પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. ઉપર બેઠેલા જમણા હાથની વરદમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડ્ગ (કટાર) છે. મા કાળરાત્રિનું સ્વરૃપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ કાયમ શુભ ફળ જ આપનારાં છે. એ જ કારણે એમનું એક નામ ‘શુભ’ પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી.

દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાળરાત્રીની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્રાર’ ચક્રમાં સ્થિત રહે છે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓનાં દ્વાર ઉઘડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રિનાં સ્વરૃપમાં અવસ્થિત રહે છે. તેમના સાક્ષાત્કારથી મળનારાં પુણ્યનો તે ભાગી બની જાય છે. તેનાં સમસ્ત પાપો - વિઘ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય - લોકની પ્રાપ્તિ થાય છે.
મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારાં છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણમાત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે. તેઓ ગ્રહ - બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લાગતા નથી. એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે.

શ્વેતે વૃષે સમારૃઢા શ્વેતામ્બરધરા શુચિ : ।મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ।।

(૮) મહાગૌરી : મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે. ‘અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.’ તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાતમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરદમુદ્રામાં છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે.
પોતાના પાર્વતીરૃપમાં તેમણે ભગવાન શિવને પતિરૃપે પ્રાપ્ત કરવા મટે ઘણું કઠોર તપ કર્યું હતું. તેમની પ્રતિજ્ઞા હતી કે ‘વ્રિયેડહં વરદં શમ્ભું નાન્યં દેવં મહેશ્વરાત્’ (નારદ પાશ્ચરાત્ર)

ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.
જન્મ કોટિ લગિ રગર હમારી ।બરઉં સંભુ ન ત રહઉં કુંઆરી ।।
આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન - ગૌર થઈ ઊઠયાં. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડયંુ.

દુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમોઘ બને તુરંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે. તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ - સંતાપ, દૈત્ય - દુઃખ તેની પાસે ક્યારેય આવતાં નથી. તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે.

સિદ્ધગન્ધર્વપક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ।।

(૯) સિદ્ધિદાત્રી : મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓ આપનારાં છે. માર્કંડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે.
નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લાં છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા - ઉપાસના શાસ્ત્રીય વિધિવિધાન અનુસાર કરતાં કરતાં ભક્ત દુર્ગાપૂજન નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક - પરલૌકિક સર્વે પ્રકારની કામનાઓની ર્પૂિત થઈ જાય છે. પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી, જે તે પૂર્ણ કરવા માગે. તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઊઠીને માનસિકરૃપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતાં અને તેમના કૃપા - રસ - પીયૂષનું નિરંતર પાન કરતાં કરતાં વિષય - ભોગ - શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાંનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે. આ પરમ પદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી.

માના ચરણોનું આ સાંનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદ તરફ લઈ જનાર છે. ==============================================================
સદ્પ્રેરણાનું પર્વ વિજયા દશમી - 'kunalsandesh';
વિજયા દશમીનું પર્વ માનવીમાં રહેલા દશેય પ્રકારનાં પાપો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ વગેરેનો ત્યાગ કરવાની પ્રેરણા આપે છે. આશરે સાત હજાર વર્ષથી પરંપરાગત રીતે ઉજવાતો આ ઉત્સવ જુદી જુદી જગ્યાએ અલગ રીતે ઉજવાતો જોવા મળે છે. દેશભરમાં દશેરાનો ઉત્સવ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. દસ દિવસ રામલીલાનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ભગવાન રામે રાવણ પર જે વિજય મેળવ્યો હતો તેના વિજયના પ્રતીકરૃપે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. રાવણના પૂતળા બાળવાથી આજના પેદા થયેલા નવા રાવણો સામે લડવાની પ્રેરણા અને શક્તિ પ્રાપ્ત થતી હોય તો જ રાવણ દહન સાર્થક ગણાશે.

વિજયા દશમીનો પાવન તહેવાર ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો ત્યારથી તેની યાદમાં પ્રેરકપર્વ તરીકે મનાવવામાં આવે છે. દશેરાના દિવસે દેવતાઓ અને મનુષ્યો પર લાંબા સમયથી જે અત્યાચારનાં વાદળો છવાયાં હતાં તેને દૂર કરીને સદાચારનો સૂર્ય પ્રકાશિત થયો હતો. ભગવતી સીતાને રાવણે લંકામાં કેદ કરી હતી તેને છોડાવવા માટે શ્રીરામે યુદ્ધ કર્યું હતું. યુદ્ધમાં રામનો રાવણ પરનો વિજય એ દૈવી શક્તિનો આસુરી શક્તિ પરના વિજય સમાન હતો. આ સત્ય માટેના યુદ્ધમાં શ્રીરામ સાથે ભાઈ લક્ષ્મણ તેમજ હનુમાનજીની આખી વાનરસેના હતી.

દશેરાનું આ પ્રેરણા પર્વ માનવમનમાં છવાયેલી નિરાશાઓની વચ્ચે આશાનો સંચાર કરે છે. આ પર્વ આપણને એ સંદેશ આપે છે કે અન્યાય અને અત્યાચારનું સામ્રાજ્ય ગમે તેટલું ફેલાઈ જાય પરંતુ તેણે એક દિવસ તેણે ન્યાય અને સદાચારના હાથે પરાજિત થવું જ પડે છે. સત્યનું આચરણ કરતાં દુઃખો ગમે તેટલાં આવી પડે પણ ધીરજ ન ગુમાવીએ તો સુખનું પ્રભાત અવશ્ય ઊગવાનું છે. દશેરાનું પર્વ અન્યાયના અંતનું સૂચન કરે છે. આ ઘટનાનો ભાવાર્થ લોકોના જીવનમાં સતત જળવાઈ રહે તે માટે આજે પણ ગ્રામીણ અને કેટલાક શહેરી વિસ્તારોમાં રામલીલા ભજવવામાં આવે છે. રામનું ચરિત્ર આપણને જીવનમાં સદાચાર લાવવાનું શીખવે છે. જ્યારે રાવણના પાત્રમાં આપણને ભારોભાર આસુરી વૃત્તિનાં દર્શન થાય છે. દરેક વ્યક્તિએ જીવનમાં દૈવી શક્તિની આરાધના કરવી જોઈએ એ દશેરા પર્વનો મુખ્ય સંદેશ છે. આસુરી વૃત્તિ સામે લડવાની પ્રેરણા આપણને શ્રીરામનાં જીવનમાંથી મળે છે.

દશેરાનો દિવસ એ વીરતાનો પણ દિવસ છે. શ્રીરામની જેમ તે આપણને શત્રુઓ સામે પરાક્રમ કરવાની પ્રેરણા આપે છે. ભારતીય સંસ્કૃતિ શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ અને સમાજમાં વીરતા પ્રગટે તે આજના સમયની માંગ છે. દેશ સામે આતંકવાદ અને ઉગ્રવાદનો રાક્ષસ જ્યારે આક્રમક બનીને ત્રાટકતો હોય ત્યારે શ્રીરામની જેમ તે આતંકવાદી રાવણ સામે લડવા કટિબદ્ધ થવું જ રહ્યું.
===================================================
નવરાત્રિ શક્તિ ઉપાસનાનું પર્વ - 'kunalsandesh'
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન અને શ્રેષ્ઠ છે. આપણું સામાજિક માળખું, પરંપરાઓ, ઉત્સવો, તહેવારો વગેરે અનોખા અને વિશિષ્ટ પ્રભાવ પાડનારા છે. ભારતીય તહેવારોમાં આપણને એક ચોક્કસ પ્રકારનો આધ્યાત્મિક લય જોવા મળે છે. આપણે ત્યાં ઉજવાતા મહત્ત્વના પર્વોમાં નવરાત્રિ મહોત્સવનું અનેરુ મહત્ત્વ છે. વર્ષમાં આસો અને ચૈત્ર મહિનામાં એમ બે વાર નવરાત્રિ આવે છે. જોકે તે બેમાંથી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહ્યુ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ ઉપાસનાની દૃષ્ટિએ વધુ મહત્ત્વ ધરાવે છે જ્યારે આસોની નવરાત્રિ વર્તમાન સમયમાં એક ઉત્સવ તરીકે વધુ પ્રસ્થાપિત થઈ છે. નવ દિવસ સૌ સાથે મળીને આદ્યશક્તિની આરાધના કરે છે. નવરાત્રિમાં વ્રત, ઉપવાસ અને આરાધના કરવાથી શારીરિક શક્તિની સાથે આધ્યાત્મિક ફળ પણ અવશ્ય મળે છે. જમાનાની સાથે નવરાત્રિનું સ્વરૃપ બદલાતું જાય છે. ભક્તિની સાથે હવે વિશેષ રીતે યોજાતા ગરબા મહોત્સવોમાં ગરબા અને રાસની રમઝટ નવેનવ દિવસ જોવા મળે છે. ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. નવલાં નોરતાંમાં સમગ્ર ગુજરાત એક નવો થનગનાટ અનુભવે છે. યુવાનો અને યુવતીઓ આખી રાત સંગીતના તાલે ઝૂમી ઊઠતા હોય છે.
નવરાત્રિનું માહાત્મ્ય હજારો વર્ષથી ચાલ્યું આવે છે. કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતાં પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. નવ દિવસ પછી વિજયાદસમી આવે છે. વિજયાદસમી એ આસુરી શક્તિ સામે દૈવી શક્તિના વિજયના પ્રતીક રૃપ પર્વ છે. નવરાત્રિ એક રીતે દૈવી પૂજનનું મહત્ત્વ દર્શાવે છે. નવ દિવસ સુધી આપણે માતાજીનું પૂજન - પાઠ વગેરે કરીએ છીએ. વ્રત અને ઉપવાસ કરીને માતાજીની ભક્તિ કરીએ છીએ. માતાજીની આ રીતે સતત નવ દિવસ આરાધના કરવાથી જીવનમાં શક્તિનો સંચાર અવશ્ય થાય છે.

નવરાત્રિની જે હજારો વર્ષથી મહત્તા બતાવવામાં આવી રહી છે તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ સૌને રંજાડી રહ્યો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને હેરાન કરી દીધા હતા. દૈવી વિચારોની શક્તિ ઢીલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ભયભીત બની ગયેલા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા. જ્યારે દેવોએ મહિષાસુરના ત્રાસ અંગે ત્રણ દેવતાઓને વાત કરી તો તેઓ ખળભળી ઊઠયા. આ દેવતાઓ મહિષાસુર પર કોપાયમાન થયા. તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ. સૌ દેવતાઓેએ તે દિવ્ય શક્તિને વધાવી લીધી. તે શક્તિએ નવ દિવસનાં યુદ્ધ પછી તે રાક્ષસ મહિષાસુરને હણી નાખ્યો હતો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવી શક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો. ત્યાર બાદ દેવો નિર્ભય બની ગયા હતા.

વર્તમાન સમયમાં દિવસેને દિવસે આસુરી શક્તિનો વધુ જયજયકાર થઈ રહ્યો છે ત્યારે દૈવી શક્તિનો મહિમા વધારવા માટે દુર્ગાદેવીની આરાધનાની જરૃર છે. કહેવાય છે કે શક્તિ વગરની ભક્તિ નકામી છે. આજના સમયમાં વિચાર ગમે તેટલો સારો હોય પણ તમારી પાસે શક્તિ ન હોય તો તે વિચારને કોઈ સ્વીકારતું નથી. આજના યુગમાં સંગઠનશક્તિ જ ખૂબ મહત્ત્વની બની ગયેલ છે. સમાજમાં જ્યારે સ્વાર્થ, વેરઝેર, ઈર્ષ્યા, ભાવનાશૂન્યતા અમાપ દેખાઈ રહી હોય ત્યારે માતાજી પાસે જઈને તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આશીર્વાદ મેળવવા રહ્યા.આપણા શાસ્ત્રોમાં શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. શક્તિ ન હોય તો શેક્યો પાપડ પણ ભાગી શકાય નહીં. રામાયણ અને મહાભારતમાં રામ, લક્ષ્મણ, હનુમાનજી, કૃષ્ણ, ભીમ, અર્જુન, કર્ણ, દ્રોણ જેવા બળશાળી વ્યક્તિઓનો મહિમા જોવા મળે છે. જેનામાં શક્તિ - સામર્થ્ય હોય તેને દુનિયા જીતતા કોઈ રોકી શકે નહીં. મહાભારતનાં યુદ્ધમાં કૌરવો સામે જીત મેળવવા અર્જુને ભગવાન શંકર પાસેથી દિવ્ય શસ્ત્રો - અસ્ત્રો મેળવવા પડયાં હતાં. આજે સમાજ વિરોધી અને દેશ વિરોધી તાકાતો જ્યારે માથું ઊંચકી રહી હોય ત્યારે નિર્બળ થઈને બેસી રહેવાને બદલે આળસ ખંખેરી પુનઃ શક્તિની ઉપાસના કરવી આવશ્યક છે. આપણા દરેક દેવી - દેવતાઓ પાસે શસ્ત્રો ધારણ કરવામાં આવેલ છે. આ બાબત જ દર્શાવે છે કે શક્તિ અને શસ્ત્રો વગર દેવતાઓ પણ અધૂરાં છે ત્યારે પામર માનવીનું તો ગજું જ શું હોય !

છેલ્લાં ત્રીસ વર્ષથી નવરાત્રિની ઉજવણીમાં મોડર્ન ટચ આવી ગયો છે. શક્તિ ઉપાસનાની જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિ વધુને વધુ છવાતી જાય છે. ત્યારે ભારત અને ભારતીય સંસ્કૃતિની ચિંતા કરનારા લોકોએ આપણી મૂળ ભાવના જીવંત બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. ભારતની ભવ્ય અને મહાન સંસ્કૃતિ જ્યારે મૃત્યુશૈયા પર અંતિમ શ્વાસ લઈ રહી હોય ત્યારે ચૂપ બેસી રહેવું કેટલું યોગ્ય ગણાશે ?==========================================================
ભક્તિમાં એકાગ્રતા - 'kunalsandesh';
જીવનમાં એકાગ્રતાનું ખૂબ જ મહત્ત્વ છે. એકાગ્રતા વગર કોઈ કાર્ય જલદીથી સફળ થતું નથી. ભક્તિમાં પણ એકાગ્રતા હોય તો ઈશ્વર પ્રાપ્તિ જરૃર થઈ શકે છે. મીરા કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ હતી તો તેને ભગવાન જરૃર મળ્યા હતા. આવા તો અનેક ભક્તોનાં ઉદાહરણો છે જેમના જીવનમાં પ્રભુ ભક્તિને કારણે મોટું પરિવર્તન આવ્યું હોય. પૂજા - ભક્તિ એકાગ્રતા માંગી લે છે. માત્ર બાહ્ય દેખાવ માટે ભક્તિ કરીએ તો કોઈ અર્થ નથી. મનુષ્યનો સ્વભાવ જ વિચિત્ર છે. મન સ્થિર રહેતું જ નથી. માળા લઈને બેઠા હોઈએ પણ મન ક્યારેક મુંબઈ જઈ આવે તો ક્યારેક મહેસાણા જઈ આવે. મંદિરમાં ગયા હોઈએ પણ જીવ જૂતામાં હોય કે કોઈક નવા બૂટ ઉઠાવી તો નહી જાયને ! આ પ્રકારનો અનુભવ સૌને થયો જ હશે.

કોઈપણ પ્રકારનો અભ્યાસ હોય તેમાં મન ખૂબ સારી રીતે લાગેલું જોઈએ. વિદ્યાર્થી જ્યાં સુધી અભ્યાસમાં બરાબર ડૂબી જતો નથી ત્યાં સુધી તેને સફળતા મળવી મુશ્કેલ હોય છે. કોઈપણ બાબતમાં લીન થઈ જવું એ સારી બાબત છે. મન જ્યારે એક જ જગ્યાએ કેન્દ્રિત થાય તેને આપણે એકાગ્રતા કહી શકીએ. જેમ કે મહાભારતમાં અર્જુનને ધનુષ્ય ચલાવતી વખતે માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. તેથી તે મત્સ્યવેધમાં સફળ થયો હતો. આપણે પણ જીવનમાં સફળતા મેળવવા અર્જુન જેવી એકાગ્રતા કેળવવી રહી. ભક્તિમાં પણ આ પ્રકારની સ્થિતિ નિર્માણ પામે ત્યારે જ આપણે ઈશ્વર સાથેની તાદાત્મ્યતા કેળવી શકીએ. જે ઈશ્વર સાથે એકાકાર થઈ જાય છે તેના જીવનમાં ભગવાને કોઈપણ સ્વરૃપે આવવું જ પડે છે. ભક્ત નરસિંહ મહેતા આખો દિવસ ભજનમાં લીન રહેતા હતા તો તેમની લાજ રાખવા કૃષ્ણે આવવું પડતું હતું. શામળિયાએ તેમની હૂંડી સ્વીકારી હતી. ઈશ્વર પ્રત્યેની ભક્તિની તે પરાકાષ્ઠા હતી.

સંત હોય કે ભક્ત, તેઓ ઈશ્વરની સમીપ જ રહેવા ઈચ્છતા હોય છે. તેમનું મન હંમેશા ભગવાન સાથે એકીકૃત થઈ ગયેલું હોય છે. એક સંત નદી કિનારે બેસીને હરિનું નામ લઈ રહ્યા હતા. તેઓ ખુલ્લા શરીરે બેઠા હતા. અચાનક એક વીંછી ત્યાં આવી ચડયો. વીંછીએ તેમની પીઠ પાછળ બે - ત્રણ ડંખ મારી જોયા પરંતુ તેનાથી હલી જાય તો તે સંત શેના કહેવાય ? જરાય હલ્યા વગર તેઓ પ્રાર્થનામાં લીન રહ્યા. આને કારણે તેમને વીંછીના ડંખની કોઈ ખાસ અસર પણ થઈ નહીં. સંતની ભક્તિ માટેની એકાગ્રતા હતી તેથી બાહ્ય પરિસ્થિતિની તેમના પર કોઈ મોટી અસર થઈ નહીં. એકાગ્રતાથી ઘણા બધા કાર્ય સિદ્ધ થઈ શકે છે તે આ પ્રસંગ પરથી આપણને શીખવા મળે છે. ============================================================

Parent of a High School Senior

This year my son is a senior in high school. He is taking two classes in high school - both AP courses. Then he goes to a local college, where he takes two courses (7 credits). He has also begun taking the car to school.

I am so proud that he is learning to be independent in some ways. But in the evening, unless I hear, "Mom, I am home" I am so restless and my heart beats at an absurd rate!! But, I have decided to give him room to grow and learn and not hold him back with my worries.

Are any of you facing the same issues??

September/October Important Hindu Dates

9/18/09 - Shraddh ends
9/19/09 - Navratri begins
9/28/09 - Vijaya Dashmi
10/04/09 - Sharad Purnima
10/14/09 - Rama Ekadashi & Vagh Baras
10/15/09 - Dhan Teras
10/16/09 - Kali Chaudas
10/17/09 - Diwali
10/19/09 - Saal Mubarak/Happy New Year
10/19/09 - Bhai Beej
10/29/09 - Dev Diwali

Tuesday, September 15, 2009

Raas Garba in Maryland and Virginia

Gujarati Samaj of Metropolitan Washington presents Raas Garba:
Members $ 8.00
Non-Members $ 10.00

9/18/09 - Music by Alaap Group
Northern Virginia Community College, Annandale
8333 Little River Turnpike, Annandale, VA 22003

9/19/09 - Music by Nayan Pandya & Group
University of MD, College Park - Grand Ballroom
Stamp Student Union Building, Campus Drive, College Park, MD 20742

9/19/09 - Music by Arpan Group
Northern Virginia Community College, Annandale

9/25 and 9/26 - Music by Hemi Orchestra (25th) and Melody Musical Orchestra (26th) from India
University of Maryland, Shady Grove Campus - Ballroom - Building 2
9640 Gudesky Drive, Rockville, MD 20850

October 3 - Music by Alaap Group
Northern Virginia Community College, Annandale
***********************************************************************
FREE GARBAS AT MARTIN LUTHER JUNIOR HIGH SCHOOL IN GERMANTOWN BY GUJARATI MITR MANDAL
Will post the dates and timings later.

Wednesday, July 29, 2009

Upcoming Hindu important religious dates

Wednesday, July 29 , 2009 - Durgasthami
Saturday, August 1, 2009 - Pavitra Ekadashi or Putrada Ekadashi
Monday, August 3, 2009 - Pradosh
Wednesday, August 5, 2009 - Rakshabandhan
Friday, August 7, 2009 - Hindola ends
Sunday, August 9, 2009 - Phoolkajli vrat
Tuesday, August 11, 2009 - Nag pancham
Wednesday, August 12, 2009 - Randhanchat
Thursday, August 13, 2009 - Sheetlasatam
Friday, August 14, 2009 - Janmasthami
Saturday, August 15, 2009 - Nand Mahotsav, India's Independence Day
Monday, August 17, 2009 - Aja Ekadashi
Tuesday, August 18, 2009 - Pradosh
Wednesday, August 19, 2009 - Pateti - Parsi New Year
Thursday, August 20, 2009 - Shravan Maas ends, amavasya

Friday, August 21, 2009 - Bhadarvo Maas begins

Thursday, July 23, 2009

Shravan Mahina - Reading

શ્રદ્ધા અને ભક્તિ સાથે શ્રાવણમાસની ઉજવણી
શ્રાવણ માસમાં શિવની પૂજા કરવાથી મોટે ભાગે સઘળા દેવતાઓની પૂજાનું ફળ મળી જાય છે. આ માસ દરમિયાન હાલના દેવોના ભગવાન શિવની પૂજા કરવી, કથા સાંભળવી તથા પુરણોનું શ્રવણ કરવું એ ઉત્તમ ગણાય છે. આની સાથે ખરાબ વિચારોને ત્યાગ કરી સ્વભાવમાં નમ્રતા દાખવી ધીરજ અને નિષ્ઠાપૂર્વક ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ. બ્રહ્મસેવા કરી, બ્રહ્મચર્યનું પાલન કરી તપસ્વી વૃત્તિમાં લીન રહેવું જોઈએ. આ માસનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માટે જ તેને શ્રાવણ માસ કહ્યો છે. પૂર્ણમાસીને શ્રવણ નક્ષત્રનો યોગ હોવાના કારણે પણ આ માસ શ્રાવણ માસ કહેવાય છે.

આ માસની સંપૂર્ણ કલાને કેવળ બ્રહ્મજી જ જાણે છે. આ માસના કુલ ત્રીસ દિવસ વ્રત અને પુણ્ય કાર્યોને માટે જ હોય છે. ભગવાન શિવને આ માસ ઘણો જ પ્રિય છે.

આ માસ નિયમ અને સંયમપૂર્વક તપ કરતા કરતા વ્યતિત કરવો. એક માસ સુધી રુદ્રાભિષેક કરવો, રુદ્રાક્ષની માળા ધારણ કરવી તથા તેનાથી ઓમ નમઃ શિવાય નો જય કરવો. વ્રતીએ આ માસ દરમિયાન પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુનો ત્યાગ કરવો. પુષ્પ, તુલસીદલ, ફળ, ધાન્ય અને બીલીપત્રથી મહાદેવની પૂજા કરવી જોઈએ. ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, જૂઠું બોલવું નહીં. પ્રાતઃકાળે સ્નાન વિધિ પતાવી એકાગ્રચિત્તે સૂકનનો પાઠ કરવો જોઈએ. આ માસ દરમિયાન કોટિહોમગ્રહ યજ્ઞા કરવાથી મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસમાં વારોનું મહત્ત્વ :
શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૃ કરી નિરંતર કરવામાં આવનારું વ્રત સઘળી મનોકામનાઓ પૂરી કરે છે. સોમવારનું વ્રત રોટક, મંગળવારનું વ્રત મંગલાગૌરી, બુધવારનું બુધવ્રત, બૃહસ્પતિનું બૃહસ્પતિ વ્રત, શુક્રવારનું જીવંતિકા વ્રત, શનિવારનું હનુમાનયા નૃસિંહ વ્રત અને રવિવારનું સૂર્ય વ્રત કહેવાય છે.

શ્રાવણ માસમાં તિથિઓનું મહત્ત્વ :
શ્રાવણ માસમાં ઘણાં બધાં વ્રતો કરવામાં આવે છે. સુદ બીજનું ઓદુંબર વ્રત, ત્રીજનું ગૌરીવ્રત, ચોથનું દૂર્વા ગણપતિ વ્રત (તેને વિનાયક ચોથ પણ કહે છે.) પાંચમનંુ નાગપંચમી વ્રત, છઠનું સૂયૌદન વ્રત, સાતમનું શીતળાદેવી વ્રત, આઠમનું અને ચૌદસનું દેવી વ્રત, નોમનું નહન વ્રત, દશમનું આશા વ્રત, અને બારસના વ્રતને શ્રીધર વ્રત કહે છે. માસની અંતિમ તિથિ પૂર્ણમાસી વિસર્જન કરી સઘળી સ્ત્રીઓ સૌથી પહેલાં પોતાના ભાઈના જીવનના રક્ષણ માટે રક્ષાબંધન બાંધે છે.


પ્રતિપદાથી અમાસ તિથિ સુધી કરવાના ઉપવાસોનું દેવ-દેવીઓ પણ ભિન્ન-ભિન્ન હોય છે. પ્રતિપદાને દિવસે કરવામાં આવતા વ્રતને દેવતા, અગ્નિ, બીજના બ્રહ્મા, ત્રીજના ગૌરી, ચોથના વિનાયક, પાંચમના સર્પ, છઠના સ્કંદ, સાતમના સૂર્યો, આઠમના શિવ, નોમના દુર્ગા, દશમના યમ, અગિયારસના વિશ્વેદેવ, બારસના શ્રી નારાયણ, તેરસના રતિપતિ કામદેવ, ચૌદસના શિવ પૂર્ણમાસીના ચંદ્રદેવ અને અમાસ માટેના વ્રતના આરાધાદેવ પિતૃ છે.

રુદ્રી પાઠનું મહત્ત્વ :
શિવપૂજાનો સર્વપ્રથમ સંકલ્પ કરવો તે પછી શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવી નિષ્ઠાપૂર્વ ઓમ નમઃ શિવાય નો જાપ કરવો, યોગ્ય બાહ્મણ દ્વારા રુદ્વાષ્ટધ્યાયીનો પાઠ કરાવવો અને તેનું શ્રવણ કરવું રીુદ્રના એક પાઠથી લાલ ગ્રહોની શાંતિ થાય છે. ત્રણ પાઠથી ઉપદ્રવની શાંતિ થાય છે. પાંચ પાઠથી ગ્રહોની, સાત પાઠથી ભયની, નવ પાઠથી સઘળા પ્રકારની શાંતિ ને વાજપેઇ યજ્ઞાની પ્રાપ્તિ, અગિયાર પાઠ કરવાથી એક રુદ્રનો પાઠ થાય છે. ત્રણ રુદ્ર પાઠ થકી કામનાની સિદ્ધિ અને શત્રુઓનો નાશ થાય છે. પાંચ પાઠથી શત્રુ અને સ્ત્રીનું વશીકરણ, સાત પાઠથી સુખની પ્રાપ્તિ, નવ પાઠથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આમ આ રીતે નવ રુદ્રોથી એક મહારુદ્રનું ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન શંકરનું શ્રેષ્ઠ દ્રવ્યોથી અભિષેક કરવાનું ફળ :
જળ અર્પણ કરવાથી વર્ષાની પ્રાપ્તિ, કુસાનું જળ અર્પણ કરવાથી શાંતિ, દહીંથી પશુ પ્રાપ્તિ, શેરડીના રસથી લક્ષ્મીની પ્રાપ્તિ, મધ અને ઘીથી ધનની પ્રાપ્તિ, દૂધથી પુત્ર પ્રાપ્તિ, જળની ધારાથી શાંતિ, એક હજાર મંત્રો સહિત ઘીની ધારાથી વંશની વૃદ્ધિ અને કેવળ દૂધની ધારા અર્પણ કરવાથી પ્રમેહ રોગમાંથી મુક્તિ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોરસ ભેળવેલ દૂધ અર્પણ કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે. સરસિયાના કે તલના તેલથી શત્રુનો નાશ થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે. તથા પાપનો ક્ષય થાય છે. પુત્રાર્થને ભગવાન સદા શિવના અભિષેક કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોની સઘળ મનોકામના પૂરી કરે છે. રુદ્રાભિષેક પછી અગિયાર ર્વિતકાઓ પ્રજ્જવલિત કરીને આરતી ઉતારવી જોઈએ. આમ ભગવાન શિવમાં ભિન્ન ભિન્ન ફળની પ્રાપ્તિ થાય છે. કમળપત્ર, બીલીપત્ર, શનપત્ર અને શંખપુષ્પી દ્વારા પૂજન કરવાથી ધન - ધાન્યની પ્રાપ્તિ થાય છે.
************************************************************************************
baar જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
શિવની પૂજા-ઉપાસનાના વિવિધ રૃપ દેશભરમાં ફેલાયેલ અનેક મંદિરોમાં જોવા મળે છે. આમાંથી બાર જ્યોતિર્લિંગને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના સ્વરૃપમાં શિવજયોતિ અને અગ્નિના રૃપમાં પૂજવામાં આવે છે. આ પ્રકારના જ્યોતિર્લિંગને દેવી રૃપમાંથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. પ્રત્યેક જ્યોતિર્લિંગની તેના મહત્ત્વની કથા વણાયેલી છે. દેશના જુદા જુદા ખૂણાઓમાં બાર જ્યોતિર્લિંગો ફેલાયેલા જોવા મળે છે.

સોમનાથ : બાર જ્યોતિર્લિંગોમાં સૌથી વિશિષ્ટ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે આવેલ સોમનાથનું મંદિર છે. અહીંના શિવલિંગની જાણીતી કથા એવી છે કે સોમ(ચંદ્રમાનું માનવીય રૃપ) જે ચંદ્રમાના નામથી પણ ઓળખાય છે. તેના વિવાહ દક્ષની સત્તાવીસ પુત્રીઓની સાથે કરવામાં આવ્યા. જેમાં સોમ રોહિણીને વધુ ચાહતો હતો. આથી બાકી બહેનોએ ચંદ્ર અંગે દક્ષને ફરિયાદ કરી. આથી દક્ષે સોમને યક્ષ્મા નામનો રોગ થવા અંગે શાપ આપ્યો. ત્યારબાદ સોમે દક્ષની માફી માગી. દક્ષે સોમ અને રોહિણીને આ સ્થાન પર શિવતપ કરવાનું કહ્યું . બંને જણે વર્ષો સુધી શિવનું તપ કર્યુ એટલે શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ચંદ્ર મહિનામાં પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે. તે સાવ ક્ષય પામશે નહીં. સોમે ત્યારબાદ તે જગ્યા પર લિંગની સ્થાપના કરી. આથી તે સ્થાન સોમનાથ તરીકે જાણીતંુ થયું.

મલ્લિકાર્જુન : મલ્લિકાર્જુન તીર્થ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કિનારે આવેલ છે. અનેક સદીઓ પહેલાં એક ગોપાલકના છોકરાને લિંગ પર રહીને દૂધની ધાર છોડતી ગાય જોવા મળી હતી. એ રાતે ગોપાલકને સ્વપ્નમાં તે શિવલિંગ દેખાયું . તેણે તેના પર એક નાનું મંદિર બનાવ્યું. તે શિવલિંગ પર વન મલ્લિકા સોનજૂહીના ફૂલ ચઢાવ્યાં તેથી તેનું નામ મલ્લિકાર્જુન પડયું.

મહાકાલેશ્વર : પવિત્ર એવી ક્ષિપ્રા નદીને કિનારે આવેલ ઉજ્જૈન નગરમાં મહાકાલેશ્વર શિવ મંદિર આવેલું છે. મધ્યપ્રદેશનાં મુખ્ય ર્ધાિમક આકર્ષણોમાં તેનો સમાવેશ થાય છે. ર્ધાિમક લોકકથા અનુસાર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ આ જગ્યાએ મળ્યા હતા. આ નગર જ્યારે રાક્ષસથી ત્રસ્ત હતું ત્યારે શિવ મહાકાલ સ્વરૃપે પ્રગટ થયા અને રાક્ષસોને ભસ્મ કરી દીધા હતા ત્યારથી તે જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર તરીકે જાણીતું છે.

ઓમકારેશ્વર : નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. અહીં એક માઈલ લાંબો અને અડધો માઈલ પહોળો ટાપુ છે. સવાર-સાંજ અહીં આરતી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને શિવલિંગની પૂજા કરે છે. સૂર્યવંશના રાજા માંધાતાએ આ જગ્યાએ સો યજ્ઞા કરાવ્યા હતા ત્યારથી આ સ્થાનનું મહત્ત્વ વધી ગયું હતું .

કેદારનાથ : ઉત્તરાંચલના ટિહરી-ગઢવાલ જિલ્લામાં આવેલ કેદારનાથ દેશના પરમ પાવન તીર્થ સ્થાનોમાંનું એક છે. એવી કથા છે કે પાંડવો આ જગ્યાએ આવ્યા હતા. કુરુક્ષેત્રમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોએ પાપનું પ્રાયશ્ચિત કરવા શિવની કાશીમાં આરાધના કરી પરંતુ શિવે પાંડવોની પરીક્ષા કરવા કેદારનાથ આવીને નંદીનું રૃપ ધારણ કરી લીધું હતું . ભીમે તેમને ઓળખી લીધા અને પીછો કર્યો પરંતુ શિવજી ત્યાંથી કૂદીને અંતરધ્યાન થઈ ગયા. ત્યાં માત્ર નંદીનાં ખરીનાં નિશાન રહી ગયાં. જ્યાં આજે શિવલિંગ ઊભું છે. આદિ શંકરાચાર્યનું આ મહત્ત્વનું સ્થાન રહ્યું હતું.

ભીમશંકર : મહારાષ્ટ્રમાં ખેડની નજીક ભાવગિરિમાં ભીમશંકરની જગ્યા આવેલી છે. તે ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન છે. જે અહીંથી દક્ષિણ-પૂર્વ વહેતા રાયપુરની નજીક કૃષ્ણા નદીને મળે છે. કથા એવી છે કે શિવજીએ અહીં સહ્યાદ્રિ પર્વતના શિખર પર ભીમના રૃપમાં નિવાસ કર્યો હતો. આથી આ સ્થાન ભીમશંકર તરીકે જાણીતું છે.

કાશીવિશ્વનાથ : કાશી એ ભારતનું સૌથી પવિત્ર અને પ્રાચીનતમ તીર્થસ્થાન છે . કાશીમાં સ્થાપિત જ્યોતિર્લિંગ બ્રહ્માંડીય ડિંબના રૃપમાં પૂજવામાં આવે છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી. કાશી આમ પણ ચારધામમાંનું મહત્ત્વનું ધામ છે. જ્યાં સાક્ષાત્ ભગવાન વિશ્વનાથ બિરાજે છે.

ત્ર્યંબકેશ્વર : ત્ર્યંબકેશ્વર મહારાષ્ટ્રમાં નાસિકથી નજીક આવેલું છે. અહીંના શિવલિંગની ઉત્પત્તિની કથા ગૌતમ ઋષિ સાથે જોડાયેલી છે. ભગવાન શિવ ગંગાની મદદથી ગૌતમ ઋષિનાં પાપો દૂર કરવા માટે ત્ર્યંબકેશ્વર ખાતે પ્રગટ થયા હતા ત્યારથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. લોકો મહારાષ્ટ્રમાં નાસિક, શિરડી અને ત્ર્યંબકેશ્વરની યાત્રાએ ખૂબ જાય છે.

વૈદ્યનાથ : મરાઠાવાડાના બીડ જિલ્લામાં આવેલ વૈદ્યનાથનું મંદિર પ્રાચીન સમયનું છે. અહીંના શિવલિંગની સ્થાપના ઋષિ માર્કંડેયની કથા સાથે વણાયેલી છે. પ્રાચીન સમયમાં ભગવાન શિવ દિવ્ય ચિકિત્સક વૈદ્યનાથ તરીકે આ જગ્યાએ પ્રગટ થયા હતા આથી તે સ્થાન વૈદ્યનાથધામ તરીકે ઓળખાયું હતું.

રામેશ્વરમ્ : તમિલનાડુના સમુદ્રતટ પર આવેલું રામેશ્વરમ્નું શિવલિંગ સ્વયં ભગવાન રામે સ્થાપ્યું હતું આથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. આ સ્થાન ભગવાન રામ અને શિવજીના મહિમાને અભિવ્યક્ત કરે છે. કહેવાય છે કે રામે રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવવા માટે અહીં દરિયાકિનારે માટીનું લિંગ બનાવીને તેની પૂજા કરી હતી. આ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. અનેક રાજાઓેએ તેનું સમારકામ અને નિર્માણકામ કરાવેલું છે.

ઘુશ્મેશ્વરમ્ : ઘુષ્મેશ્વરમ્ કે ઘુશ્મેશ્વરમ્ મહારાષ્ટ્રમાં ઈલોરાની ગુફાઓ નજીક આવેલું પ્રાચીન તીર્થ છે. આ સ્થાન સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ઘુષ્મા નામની સ્ત્રીની શિવભક્તિને કારણે તેના પુત્રને શિવજીએ બચાવ્યો હતો તેથી તેનું નામ ઘુશ્મેશ્વર પડયું હોવાનું કહેવાય છે. આ તીર્થસ્થાન ઓછું જાણીતું છે પરંતુ તેનું મહત્ત્વ અને મહિમા જરાય ઓછો નથી.

નાગેશ્વર : નાગેશ્વર તીર્થ દારુકા વનમાં આવેલું હોવાનું કહેવાય છે. આજની એ જગ્યા દ્વારકા પાસે આવેલી છે. આજે તો આ તીર્થ ભવ્ય બનાવવામા આવેલ છે. ભગવાન શિવે અહિ દારુકા નામના અસૂરનો વધ કર્યો હતો. શિવ જ્યારે આ જગ્યા પર આવ્યા ત્યારે નાગને તેમણે ગળામાં ધારણ કરેલ હતો તેથી તેઓ નાગેશ્વર કહેવાયા. એવું પણ કહેવામા આવે છે કે પહેલાના જમાનામા અહિ નાગ ખૂબ જોવા મળતા હતા આથી તે નાગેશ્વર ની જગ્યા કહેવાય છે. ભગવાન નાગેશ્વર અને નાગેશ્વરી દેવી પાર્વતી પણ અહિ બિરાજતા હોવાનું કહેવાય છે.
**********************************************************************************
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના
ભગવાન શિવના સ્વરૃપના પ્રતીકરૃપે હજારો વર્ષથી શિવલિંગની પૂજા થતી રહી છે. શિવલિંગની પૂજા સ્વયંભૂ અર્થાત્ સ્વયં ઉત્પન્ન પથ્થરના રૃપમાં કરવામાં આવે છે. શિવલિંગ એ પરમ પુનિતતાનું પિંડ છે. તે કોઈ પણ પદાર્થ જેમ કે માટી, ધાતુ, કિંમતી પથ્થર કે પારાનું પણ હોઈ શકે છે. નર્મદા નદીના કિનારે આવેલ ઓમકારેશ્વર જેવાં સ્થાનો પર તે સ્ફટીકરૃપે મળી આવે છે. પુણ્ય અગ્નિ સ્તંભ સ્વરૃપ પવિત્ર લિંગ શિવની અપ્રતિમ શક્તિનો ભંડાર છે. શિવ જ્યોતિર્મય સૌંદર્યને સાકાર કરતું આ દિવ્યલિંગ દૈવી સ્તંભ તરીકે પણ ર્ચિચત છે. સંસારના ઉદ્ગમ તેમજ ઉત્પત્તિના મૂળ સ્વરૃપ હોવાને કારણે તે સમાજનો આધારસ્તંભ કહેવાય છે. તે અગ્નિ અને પ્રકાશનું રૃપાંતરિત સ્વરૃપ છે.

સોમવાર એ પરંપરાગત રીતે શિવના પૂજન માટેનો મહત્ત્વનો દિવસ છે. આ દિવસે ભક્તો સોમવારનો ઉપવાસ કરીને શિવની પૂજા-અર્ચના કરતા રહે છે. પ્રાચીન સમયથી શિવમંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવામાં આવે છે. શંકરને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. શિવના પૂજન- અર્ચન માટે ત્રણ વસ્તુઓનું ખાસ મહત્ત્વ છે. જેમાં બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મનો સમાવેશ થાય છે. અગ્નિના સ્વરૃપ હોવાને કારણે શિવજીની પૂજાવિધિઓમાં ભસ્મનું ખાસ મહત્ત્વ છે. તે માનવીય કાર્ય -કલાપોના આરંભ અને અંતનો બોધ કરાવે છે. શિવ આનાથી પ્રસન્ન થાય છે. 'મહાશિવરાત્રી' શિવનો અનેરો મહિમા દર્શાવતું પર્વ છે. શિવરાત્રિના પર્વનો દિવસ પૂજા-અર્ચના અને ઉપવાસમાં વીતે છે. રાત થતા જ શિવની શક્તિઓ વિશ્વમાં વિચરણ કરે છે. આ દિવસે વિશેષ પૂજા થાય છે. શિવને ભાંગ ધરાવવામાં આવે છે.

શ્રાવણ મહિનો પણ શિવની પૂજા માટે ઉત્તમ ગણાય છે. તે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માસ કહેવાય છે. આથી આખો મહિનો મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. પૂજા, ભક્તિ, અર્ચન તેમજ મંત્ર-શ્લોક વગેરેથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠતું હોય છે. બીલીપત્ર તેમજ આસોપાલવના પાન શિવલિંગ પર ચડાવવામાં આવે છે. નાળિયેરને કપડામાં લપેટીને કળશ પર મૂકવામાં આવે છે. નાળિયેરના રેસાઓ મહાયોગીની જટાના પ્રતીક છે. નાળિયેર પરની આંખો શિવનાં ત્રણ નેત્રોને દર્શાવે છે. કામનાઓને પૂર્ણ કરનારી કામધેનુ ગાયથી ઉત્પન્ન અગિયાર સહાયક રુદ્ર અગિયાર પ્રાણ ઊર્જાઓના પ્રતીક છે. શ્રાવણમાં શિવની ભક્તિ તમામ રીતે કલ્યાણકારી છે .

શ્રાવણ માસ એટલે ભગવાન શ્રી શિવજીની પાવન ઉપાસનાનું મહાપર્વ. દર વર્ષે આવતો આ પવિત્ર શ્રાવણ માસ દાન - પુણ્ય અને ભક્તિભાવનો જેમાં મહિમાનો શ્રેષ્ઠ મહિનો છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવજીની ઉપાસના અલગ અલગ રીતે થાય છે. કોઈ ભક્તો આખાય માસ દરમિયાન ઉપવાસ- એકટાણાં વગેરે શરૃ કરે છે.

આ માસમાં શિવજીની ઉપાસના શ્રેષ્ઠ અને ફળદાયી છે. દરરોજ સવારે શિવમંદિરે જઈ મહાદેવજીના શિવલિંગ ઉપર જળ અથવા દૂધની ધારથી અભિષેક થાય છે. આ અભિષેકમાં ઘણા બધા પ્રકાર છે પરંતુ ખાસ કરીને શિવમહિમ્ન દ્વારા અથવા રુદ્રિનો પાંચમો અધ્યાય આ બંનેનો પાઠ ભણવામાં આવે છે. તેમાં અગિયાર વખત શિવમહિમ્ન અથવા રુદ્રિનો પંચમ અધ્યાય ''નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે'' જે અગિયાર વખત ભણવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય. ઘણી જગ્યાએ ભક્તજનો શિવમાનસપૂજાના મંત્રો દ્વારા જળ અથવા દૂધનો અભિષેક કરે છે. પંચોપચાર અથવા સોડસોપચાર આ બંનેમાંથી શિવપૂજા કરી તેના ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. તેનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવતી વખતે મંત્ર બોલવામાં આવે છે. 'ઓમ ત્રિદલ, ત્રિગુણાકારં, ત્રિનેત્રં, ત્રિયુયુધમ, ત્રિજન્મ પાપ સંહાર, એક બિલ્વપત્ર શિવાર્પણમ' અથવા પંચાક્ષર મંત્ર પણ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. 'ઓમ નમઃ શિવાય' શિવ માનસપૂજામાં સ્તોત્રના અંતે આવે છે. ''પંચાક્ષર મિદંપુણ્ય યઃ પઢે શિવ સંન્નિદ્યૈ શિવલોકે મવાપ્નોતિ શિવેન : સહમોદતે'' આ પંચાક્ષર મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.

આ પવિત્ર માસમાં પાર્થેશ્વર પૂજાનું પણ અદ્ભુત મહાત્મ્ય છે. પાર્થેશ્વપૂજનમાં દરરોજ નવી માટી લાવી શિવલિંગ બનાવામાં આવે છે. તેની આજુબાજુ બાણ બનાવાય છે. ચંદન અને આખા ચોખાથી પૂજન કરવામાં આવે છે. તેનો મંત્ર છે 'નમ : શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાયમ મયસ્ક્રરાય ચ શિવાયચ શિવતરાય ચ'!

એક માસ સુધી અખંડજ્યોત રાખી એકટાણું ઉપવાસ કરી સવાલક્ષ જપ પણ કરવામાં આવે છે. તેમાં બે મંત્રો છે. ''ઓમ મત્યું જય મહાદેવ ત્રાહિમામ શરણાગત્ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પિડિંત બંધનૈ''!! ''ઓમ ત્ર્યંબકં યજામહે, સુગંધિમપુષ્ટિવર્ધનમ્, ઉર્વારૃકમિવ બંધનાત્, મૃત્યુર્મોક્ષિય મામૃતાત્''

તેમાંથી કોઈ એક મંત્ર લઈ એક માસ સુધી સવા લક્ષ જપ પૂર્ણ કરી તેનો દશાંશ હોમ આપવામાં આવે છે. ઘણી વખત રુદ્રગાયત્રી પણ બોલવામાં આવે છે.
''ઓમ તત્ પુરુષાય વિદ્મહે
મહાદેવાય ધિમહિ
તન્નો રુદ્ર પ્રચોદયાત!!''
સ્વાહાકાર મંત્રથી આહુતિ પૂર્ણ કરી આમ એક આમ સુધી ભગવાન શિવજીની ઉપાસના થાય છે. આમ કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. સર્વ પાપનો નાશ થાય છે. મોક્ષની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રના કથન અનુસાર ''શિવલોક મવાપ્નોતિ'' શિવલોકની પ્રાપ્તિ થાય છે તો ભક્તો ચાલો આપણે પણ આ પવિત્ર માસમાં શિવજીની ઉપાસના કરી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરીએ.
*************************************************************************************
ભોળા શંકર પ્રત્યેની સાચી પ્રાર્થના
ભગવાન શંકર આ બ્રહ્માંડના સૌથી મહાન યોગી છે. સમાજમાં આત્મસન્માનની જો કોઈ વાત હોય તો તેના સૂત્રધાર સ્વયં ભોળા શંકર જ છે. તેઓએ પાર્વતીને સમજાવ્યું હતું કે વગર બોલાવ્યે કોઈના ત્યાં જવું નહીં. પરંતુ પોતાના પિતાએ યોજેલ યજ્ઞામાં પાર્વતી જતાં તેમણે તેની કિંમત પ્રાણોની આહુતિ દ્વારા ચૂકવવી પડી. ત્યાર બાદ મૃત પાર્વતીને જોઈને શિવે જે તાંડવ મચાવ્યું તે સર્વવિદિત છે. પાર્વતીનાં અંગ જ્યાં પડયાં તે જગ્યાઓ આજે શક્તિપીઠો તરીકે ઓળખાય છે.

સૌના કલ્યાણકારી એવા ભોળા શિવજીની સાથે રહીને પાર્વતીએ શું મેળવ્યું હશે ? આપણે પણ શિવની કૃપા મેળવવી હોય તો તેમની પ્રાર્થના કરવી જોઈએ. શિવની પ્રાર્થના કરીએ એટલે તેઓ આપણી સમક્ષ હાજર થઈ જાય તેવું નથી પરંતુ જયારે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેમનું સ્વરૃપ આપણા મનમાં ઉભરે છે. આપણે તેને જ સર્મિપત રહીને પ્રાર્થના કરીએ છીએ. દેવોના અનેક સ્વરૃપ છે જે આપણે જાણીએ છીએ. આપણે જે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ તે આપણા મન પર છવાઈ જાય છે. આનાથી સાબિત થાય છે કે મન એ અરીસા જેવું છે. જેનું સ્મરણ કરીએ છીએ તેનું રૃપ આપણી સામે ઉભરી આવે છે. રાવણ શિવનો ભક્ત હતો પરંતુ તેણે સીતાહરણ કર્યું તો તેનાં માઠાં પરિણામ તેણે ભોગવવા જ પડયાં. તે કર્મના ફળથી બચી શકે નહીં.

ભક્તિનું એક મહત્ત્વ છે તો ફળપ્રાપ્તિનું અલગ મહત્ત્વ છે. જ્યારે મનમાં બૂરાઈ હોય ત્યારે અંદરથી જ એક વિરોધનો અવાજ બહાર આવે છે. જો ભક્તિનો ઉદ્દેશ્ય ખોટો હોય તો તે વિનાશ નોતરે છે. આપણે શિવને પ્રાર્થના કરીએ તેમાં ધ્યાન સારા માટે કરવાનું છે. સત્યની પૂજા એ જ શિવ પૂજા છે. મનમાં ખરાબ ભાવ લાવ્યા વગર પ્રાર્થના કરીએ તો શિવ આપણા પર જરૃર કૃપા કરે છે.
***************************************************************************************
સોમવારી વ્રતોનું મહાત્મ્ય

બાર મહિનાઓમાં શ્રાવણ માસમાં જ શિવપૂજન સૌથી વધારે થાય છે. ભગવાન શંકરે સ્વયં પોતાના શ્રીમુખથી બ્રહ્માજીના માનસપુત્ર સનતકુમારને શ્રાવણ માસનો મહિમા આ પ્રમાણે દર્શાવ્યો છે.

'મારાં ત્રણ નેત્રોમાં સૂર્ય જમણું અને ચન્દ્ર ડાબું નેત્ર તથા અગ્નિ મધ્યમ નેત્ર છે. ચન્દ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ સિંહ છે. જ્યાં સૂર્ય કર્કથી સિંહ રાશિ સુધીની યાત્ર કરે છે ત્યારે આ બંને સંક્રાન્તિયો ખૂબ જ પુણ્ય ફળદાયી હોય છે અને તે આવો પુણ્યકાળ શ્રાવણ મહિનામાં જ આવે છે. અર્થાત્ આ બંને સંક્રાન્તિઓ શ્રાવણમાં જ આવે છે માટે જ શ્રાવણ માસ મને વધુ પ્રિય છે.'

કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધી સૂર્યની યાત્રાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ :
સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે, જે ભગવાન શંકરનું જમણું નેત્ર છે ત્યારે ભગવાન શિવના જમણા નેત્રમાં રહેલી કરુણા, દયા વગેરેમાં દ્રવિત અર્થાત્ વધુ તરબ કરી દે છે અને જ્યારે કર્ક રાશિ અર્થાત્ જમણા નેત્રથી સિંહ રાશિ (ડાબા નેત્ર) તરફ ચાલે છે ત્યારે સૂર્યના કિરણોની સાથે ભગવાન શિવની કરુણા અને દયા ભૂમંડળ પર વરસાવતી ચાલતી જાય છે. સૂર્યની સાથોસાથ ભગવાન શિવનાં નેત્ર ભૂમંડળ પરના સમસ્ત જીવોને પોતાની દયા દૃષ્ટિથી જુએ છે અને જળથી અભિષેક કરતાં ચાલે છે. શ્રાવણના પવિત્ર યોગમાં કરવામાં આવતું શિવપૂજન અને વ્રત અસીમ ફળદાયી હોય છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ કર્ક સંક્રાન્તિથી સિંહ સંક્રાન્તિ સુધીની અવધિમાં બાષ્પીકરણ વધુ હોય છે અને વરસાદ પડે છે. વર્ષોથી અનેકાનેક વનસ્પતિઓનું પોષણ થાય છે. શ્રાવણ માસમાં સોમવારનું વ્રત વધુ પ્રચલિત છે. લોકો સોળ સોમવાર સુધીનું વ્રત કરે છે. ચન્દ્ર એ ભગવાન શિવનાં નેત્ર છે, અને તેમનું બીજું નામ સોમ છે. સોમ એ બ્રાહ્મણોનો રાજા અને ઔષધિઓનો દેવતા છે તેથી સોમવારનું વ્રત કરવાથી સમસ્ત શારીરિક, માનસિક અને આર્િથક કષ્ટ દૂર થાય છે અને જીવન સુખમય બની જાય છે. આ માસના સોમવારનાં વ્રતોનું પાલન કરવાથી બારેય મહિનાઓના સોમવારોનાં વ્રતોનું ફળ મળી જાય છે. સોમવારના વ્રતનું વિધાન ઘણું જ સરળ છે. સ્નાન કરીને શ્વેત યા હરિયાળા વસ્ત્રનું ધારણ કરવું. દિવસભર મન પ્રસન્ન રાખવું, ક્રોધ, ઈર્ષ્યા, ચાડી - ચુગલી કરવી નહીં. પોતાને શિવમય (કલ્યાણકારી) માનવું. દિવસ દરમિયાન શિવના પંચાક્ષરી મંત્ર 'ઓમ નમઃ શિવાય'નું મનોમન રટણ કર્યા કરવું.

સાયંકાળને પ્રદોષ વેળા કહેવામાં આવે છે. આ સમયે જો ભગવાન શિવની નિકટતા મળે તો સમસ્ત દોષો દૂર થઈ જાય. તેથી સાયંકાળે શિવ મંદિરમાં યા પોતાના ઘરમાં માટીનું શિવલિંગ અને પાર્વતી તથા શ્રી ગણેશજીની ર્મૂિત બનાવીને સોળ પ્રકારે પૂજન કરવું. તેમાં સોળ દુર્વા, સોળ સફેદ ફૂલ, સોળ માળાઓથી શિવપૂજન કરવાથી તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર છે. તેથી સોળ દીવેટોના દીપકોથી આરતી કરી ક્ષમાપ્રાર્થના કરવી.
***********************************************************************************
મંગળાગૌરી વ્રત
મંગળવારના દિવસે કન્યાએ પ્રાતઃકાળે ઊઠી સ્નાન વિધિથી પરવારી માતા પાર્વતીજીનું સ્થાપન કરી, સૌભાગ્ય વસ્તુ સાથે અર્ચન - પૂજન કરવું. ઉપવાસ, એકટાણું અથવા મોળું ભોજન લેવું. દેવી પાર્વતીનું પૂજન કર્યા પછી વ્રતકથાનું વાંચન કે શ્રવણ કરવું. રાત્રે જાગરણ કરવું અને ગૌરીમાતાની ભક્તિ કરવી. પાર્વતીજીએ આ વ્રત સૌપ્રથમ કરેલ તેથી આ વ્રતને 'ગૌરી' વ્રત પણ કહેવામાં આવે છે.

વ્રતકર્તા સ્ત્રીએ સૌભાગ્યસૂચક વસ્તુઓ બંગડીઓ, ચાંદલા, કાંસકી, કાંચળી માટે કપડાનો ટુકડો એટલે કે બ્લાઉઝ પીસ, મીઠાઈ, ફળફળાદી વ્રતના ઉજવણા પછી બ્રાહ્મણને દાનમાં આપી પ્રસન્ન કરવા. દર મંગળવારે મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું.

સ્ત્રીઓ આ વ્રત સંતતિ, સંપત્તિ અને પતિના દીર્ઘાયુષ માટે કરે છે. પ્રત્યેક વર્ષના શ્રાવણ માસના મંગળવારે આ 'મંગળાગૌરી' વ્રત કરવામાં આવે છે. છેલ્લા વર્ષે ઉપરોક્ત વિધિ અનુસાર વ્રતનું ઉજવણું કરવાથી પતિનું આત્યંતિક કલ્યાણ થાય છે.

વ્રતકથા આ પ્રમાણે છે: ધનબાદ નામે નગરમાં ધરમચંદ ધર્મશીલ અને મહાન દાનેશ્વરી તરીકે પ્રખ્યાત હતો. તેના આંગણેથી કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. જાણે દાનેશ્વરી કર્ણનો બીજો અવતાર જ જોઈ લ્યો. આ વણિક શેઠની પત્ની પણ એટલી જ ધર્મશીલ અને પ્રભુપરાયણ હતી. આ દંપતીને નિઃસંતાનપણું સાલતું હતું.

આ વણિક શેઠને ત્યાં રોજ એક સાધુ મહારાજ આવે, આવે ભિક્ષા માટે પણ કંઈ લે નહીં અને ચાલ્યો જાય. એક દિવસ ધરમચંદ શેઠે શેઠાણીને કહ્યું, આ સાધુ મહારાજ કંઈ લેતા નથી માટે તેની ઝોળીમાં એક સોનામહોર મૂકી દેજે. શેઠાણીએ સોનામહોર ઝોળીમાં મૂકી કે તરત જ સાધુ મહારાજનો ક્રોધ ભભૂકી ઊઠયો. સાધુએ કહ્યું, તમારે સંતાનની ઈચ્છા છે પણ તે ઈચ્છા પૂર્ણ નહીં થાય.

સાધુ મહારાજનો આ શાપ સાંભળીને શેઠાણી તો ધ્રૂસકે ને ધૂ્રુસકે રડી પડયાં. આંસુ એ સ્ત્રીનું શક્તિશાળી હથિયાર છે. આ સ્ત્રીના આંસુ જોઈ સાધુ મહારાજનું હૃદય દ્રવી ઊઠયું. સાધુ મહારાજે કહ્યું "બહેન ! શેઠને કહેજો કે શ્યામ વસ્ત્રો પરિધાન કરીને શ્યામ ઘોડા પર સવાર થઈ પૂર્વ દિશા તરફ પ્રયાણ કરે. આ ઘોડો ચાલતા ચાલતા જે સ્થળે ઠેસ કે ઠોકર ખાય ત્યાં ખોદવાનું કહેજો. તે સ્થળે એક પ્રાચીન મંદિર હશે અને મંદિરમાં મા જગદંબા પાર્વતીજીની દેદીપ્યમાન ર્મૂિત હશે. આ દિવ્ય અને ભવ્ય ર્મૂિતની તમે બંને પૂજા કરજો."

આટલું કહીને તે સાધુ મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા! શેઠાણી તો અનિમેષ નેત્રે જે દિશામાં સાધુ મહારાજ અલોપ થયા તે દિશા તરફ જોઈ જ રહ્યાં.

શેઠે સાધુ મહારાજના આદેશ અનુસાર કાળાં વસ્ત્રો પહેરી, કાળા ઘોડા પર બેસીને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. જે સ્થળે ઘોડાને ઠોકર લાગી તે સ્થળે ખોદકામ કરાવ્યું તો ખરેખર જૂનું પુરાણું મંદિર અને ર્મૂિત મળી આવ્યા. આ દંપતીએ વિધિપૂર્વક ર્મૂિતનું અર્ચન - પૂજન કર્યું.

પાર્વતીજી આ વણિક શેઠ પર પ્રસન્ન થયાં, માતાજીએ કહ્યું, 'માગ માગ !' શેઠે બે હાથ જોડી પુત્રરત્નની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું, તમારા ભાગ્યમાં સંતાન છે જ નહીં, છતાં તમે એમ કરો સામેના આમ્રવૃક્ષની કેરી તમારી પત્નીને પ્રસાદ તરીકે આપજો. આ કેરી આરોગવાથી અલ્પ આયુષ્યવાળા પુત્રની પ્રાપ્તિ થશે. વીસેક વર્ષની ઉંમરે એને સર્પદંશ થશે. શેઠ કહે ભલે જે થવાનું હોય તે થાય પણ મને પુત્રપ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો. પાર્વતીજી 'તથાસ્તુ' કહી અંતર્ધ્યાન થઈ ગયાં.

શેઠાણીએ પૂરા માસે પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્રનું નામ 'શંભુ' પાડયું. મામા પોતાના ભાણેજ શંભુને લઈને બાધા પૂર્ણ કરવા પગપાળા કાશીએ જવા નીકળ્યા. મામો - ભાણેજ માર્ગમાં એક તળાવના કાંઠે વિસામો લેવા બેઠા.

અહીં કેટલીક 'કુમારિકાઓ' અંદરોઅંદર વાર્તાલાપ કરી રહી હતી. એક સ્વરૃપવાન કન્યાએ કહ્યું, "તું માન કે ન માન, પણ લગન થયા પછી હું તો અખંડ સૌભાગ્યવતી જ રહેવાની છું કારણ કે મારી માતાએ મંગળાગૌરી વ્રત કર્યું છે અને હું પણ મારા વિવાહ થાય ત્યારે આ વ્રત કરવાની છું. આ વ્રત કરવાથી કુટુંબની સ્ત્રીઓ આજન્મ સૌભાગ્યવતી રહે છે.

મામો - ભાણેજ આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. મામાએ વિચાર્યું કે જો આ કન્યા સાથે મારા ભાણેજનાં લગ્ન કરવામાં આવે તો તે દીર્ઘાયુષી બની જાય અને સર્પદંશની ઘાત જાય, તેમજ અકાળે મોત થવાનું છે તેમાંથી તે ઉગરી જાય. મામો - ભાણેજ આ સ્વરૃપવાન કન્યાની પાછળ પાછળ તેના ઘર તરફ ગયા અને તેનું ઘર જોઈ લીધું અને પાડોશમાં પૂછીને નામ - ઠામ જાણી લીધું. ત્યાર પછી બંનેએ કાશી તરફ પ્રયાણ કર્યું. કાશી જઈને ગંગાસ્નાન તથા શિવદર્શનની બાધા પૂરી કરી. પાછા ફરતી વખતે મામો - ભાણેજ પેલી કન્યાને ઘેર આવી પહોંચ્યા. તેનાં માતા - પિતાને મળી વાતચીત કરી. શંભુ અને સુશીલા શયનખંડમાં સૂતા હતા ત્યારે દેવી મંગળાગૌરી (પાર્વતીજી)એ સ્વપ્નમાં દર્શન દઈ સુશીલાને કહ્યું કે, "હું તારા પર પ્રસન્ન થઈ છું, કારણ કે તેં તારા પતિના આયુષ્ય માટે, આરોગ્ય માટે અને સુખ - સમૃદ્ધિ માટે મારું વ્રત કર્યું છે. હું તને જે કહું તે તું ધ્યાનથી સાંભળી લે. તારા પતિનું આયુષ્ય પૂરું થયું છે. તારા પતિને દંશ દેવા એક સર્પ હમણાં જ આવશે. સર્પ આવીને સૌપ્રથમ દૂધ પી જશે. પછી તે ઘડામાં પ્રવેશ કરશે. સર્પ ઘડાની અંદર પ્રવેશે કે તરત જ તું ઘડાનું મોઢું કપડાથી ઢાંકી કપડું બાંધી દેજે અને વહેલી સવારે તે ઘડો ગામની બહાર મૂકી આવજે." આટલું કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગયાં.

સુશીલાએ તરત જ ઊઠીને દેવીની અજ્ઞાનુસાર સાકર નાખેલું દૂધ થાળીમાં તૈયાર કરી પલંગ પાસે મૂકી રાખ્યું અને ખાલી ઘડો પણ આડો પાડીને બાજુમાં ગોઠવી દીધો. ઝેરી સાપ શયનખંડમાં ફૂંફાડા મારતો આવ્યો. સાપે દૂધ જોયું કે તરત જ પીવા લાગ્યો અને દૂધ પીધા પછી બાજુમાં પડેલ ઘડામાં ભરાઈ બેઠો. સુશીલાએ સૂચના અનુસાર તૈયાર રાખેલું કપડું ઘડાના મોઢા પર બાંધી દીધું અને વહેલી સવારે ઘડો ગામની બહાર મૂકી આવી. મા જગદંબા મંગળાગૌરીએ સુશીલાને સ્વપ્નમાં દર્શન દઈ તેના પતિની રક્ષા કરી અને આ પ્રકારે સુશીલાએ કરેલ આ વ્રત તેને ફળ્યું, તેથી તેણે મનોમન મંગળાગૌરીનો આભાર માન્યો. સવારે સુશીલાએ પોતાના પતિદેવને અને સાસુ - સસરાને સઘળી હકીકત વિગતે કહી સંભળાવી.

સુશીલાએ કરેલ મંગળાગૌરી વ્રતથી શંભુનું આયુષ્ય વધ્યું અને સર્પદંશની ઘાત ગઈ. મંગળાગૌરીએ આ દંપતી પર મહેર કરી. આ વ્રત કરવાથી યશ, વૈભવ અને રિદ્ધિ - સિદ્ધિ પ્રાપ્ત થવા માટે સ્ત્રીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ઉપરોક્ત વિધિ - વિધાન અનુસાર જો આ વ્રત કરવામાં આવે તો મંગળાગૌરી સુશીલાને ફળ્યાં, તેવાં આ વ્રત કરનાર સૌને ફળે છે.
************************************************************************************

Shri Shiv Raksha Strotram

શ્રી શિવરક્ષા સ્તોત્રમ્

વિનિયોગ

અસ્ય શ્રીશિવરક્ષા સ્તોત્ર મન્ત્રસ્ય યાજ્ઞાવલ્ક્યો ઋષિઃ

શ્રી સદાશિવો દેવતા અનુષ્ટુપ્ છન્દઃ

શ્રીસદાશિવ પ્રીત્યર્થે શિવરક્ષાસ્તોત્ર જપે વિનિયોગઃ

કવચ-પાઠ

ચરિતં દેવદેવસ્ય મહાદેવસ્ય પાવનમ્

અપારં પરમોદારં ચતુર્વર્ગસ્ય સાધનમ્ ૧

ગૌરીવિનાયકોપેતં પંચવક્ત્રં ત્રિનેત્રકમ્

શિવં ધ્યાત્વા દશભુજં શિવરક્ષાં પઠેન્નરઃ રા

ગંગાધરઃ શિરઃ પાતુ ભાલમર્ધેન્દુશેખરઃ

નયને મદનધ્વંસી કર્ણો સર્પવિભૂષણઃ ૩

ઘ્રાણં પાતુ પુરારાતિર્મુખે તાપુ જગત્પતિઃ

જિહ્વાં વાગીશ્વરઃ પાતુ કન્ધરા શિતિકન્ધરઃ ૪

શ્રીકણ્ઠઃ પાતુ મે કણ્ઠં સ્કન્ધૌ વિશ્વધુરંધર

ભૂતૈ ર્ભૂભારસંહર્તા કરૌ પાતુ પિનાકધૂક ૫

હ્ય્દયં શંકરઃ પાતુ જઠરં ગિરિજાપતિઃ

નાભિં મૃત્યુંજયઃ પાતુ કરી વ્યાઘ્રજિનામ્બરઃ ૬

સકિથની પાતુ દીનાર્તશરણાગત વત્સલઃ

ઊરુ મહેશ્વરઃ પાતુ જાનુની જગદીશ્વરઃ ૭

જંઘે પાતુ જગત્કર્તા ગુલ્ફૌ પાતુ ગણાધિપઃ

ચરણૌ કરુણાસિન્ધુઃ સર્વાંગાનિ સદાશિવઃ ૮

એતાં શિવબલોપેતા રક્ષાં યઃ સુકૃતિં પઠેત્

સ ભુકત્યા સકલાન્ કામાન્ શિવસાયુજ્યમાપ્નુયાત્ ૯

ગ્રહ-ભૂત-પિશાચાદ્યાસ્ત્રૈલોક્યે વિચરન્તિ યે

દૂરાદાશુ પલાયન્તે શિવ - નામાભિરક્ષણાત્ ૧૦

અભયંકરનામેદં કવચં પાર્વતીપતેઃ

ભુક્ત્યા બિર્ભિત યઃ કણ્ઠે તસ્ય વશ્યં જગત્ત્રયમ્ ૧૧

ઈમાં નારાયણઃ સ્વપ્ને શિવરક્ષાં યથાડડદિશત્

પ્રાતરુત્થાય યોગીન્દ્રો યાજ્ઞાવલ્કયસ્તથાડખિલત્ ૧૨

ઈતી શ્રીયાજ્ઞાવલ્ક્યપ્રોક્તં શિવરક્ષા સ્તોત્રં સમ્પૂર્ણમ્

Shravan Mahino 2009

આજથી શ્રાવણ માસ - શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઊઠશે by Parmanand Gandhi

ભારતીય સંસ્કતિમાં શ્રાવણ માસનું એક આગવું મહત્ત્વ છે. શ્રાવણ મહિનો એટલે વ્રત, જપ, તપનો મહિનો, એકટાણે ઉપવાસનો મહિનો. રોજિંદા જીવન-વ્યવહારમાં બદલો લાવવાનો મહિનો. વર્ષ દરમિયાન ભોગોમાં જ રમમાણ થયેલા મનને ઈશ્વરાભિમુખ કરવાનો મહિનો. ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો. તેથી તે પવિત્ર, તેથી તેનું અદકું મહત્ત્વ. ભોગોની આસકિત ઓછી કરવાનો-તે છોડવાનો અભ્યાસ કરવાનો મહિનો એટલે શ્રાવણ મહિનો. તેથી તો કેટલાક અલૂણું વ્રત રાખી મીઠું છોડે છે, તો કેટલાક વળી એક ટંકનું ભોજન છોડે છે. તો કોઈ આ માસ દરમિયાન કાંદા-લસણનો ત્યાગ કરે છે. આ બધું છોડવા પાછળ એક જ પ્રામાણિક આશય હોય છે કે તે નિમિત્તે ચંચળ મતને વધુને વધુ ઈશ્વર તરફ વાળવું. તેને સુખશાંતિ સમાધાન આપવું. આખું વરસ તો ભગવાન તરફ પૂરતું ઘ્યાન નથી આપ્યું તો એક મહિનો તેના તરફ ઘ્યાન આપી ભગવાન શિવજીનું સ્મરણ તો કરીએ!

તેથી આ ભગવાન વિષ્ણુ ઉપર તુલસીદલ મૂકી શ્રીવિષ્ણુ સહસ્ત્રનો પાઠ થાય છે તેમ શ્રાવણ માસમાં ભગવાન શિવજીના લિંગ ઉપર જળાભિષેક કરી તેના ઉપર સહસ્ત્રબીલી પત્ર ચડાવી તેની આરાધના કરવામાં આવે છે. ભગવાન ઉપર બીલીપત્ર ચડાવતી વખતે ગવાતું ‘બિલ્વાષ્ટકમ્’ શિવપૂજાનું હાર્દ ગણાય છે. ત્રણ પત્રવાળું, સત્ત્વ, રજસ્ તથા તમસ્ એ ત્રણ ગુણ સ્વરૂપ, ત્રણ નેત્રરૂપ, ત્રણ આયુધ સ્વરૂપ અને ત્રણે જન્મોનાં પાપ નાશ કરનારું આ એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું.

બીલીવૃક્ષનાં દર્શન અને સ્પર્શ બધાં પાપોનો નાશ કરનારું છે. અરે અઘોર પાપ હોય તો તે પણ નાશ કરનારું બીલીપત્ર છે અને તે ભગવાન શિવજીના ચરણે ધરવામાં આવે છે. આ કલ્યાણકારી બિલ્વાષ્ટકમ્નો પાઠ ભગવાન શંકર સમક્ષ કરવામાં આવે તો માણસ બધા પાપોથી મુકત થઈ શિવલોક પામે છે.

બીલીપત્રનું આટલું મહત્ત્વ છે તેનું પૌરાણિક કારણ પણ છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરી જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું. એક દિવસ ફરતાં ફરતાં દેવીએ એક ઘટાદાર વૃક્ષ જોયું. તેમની સાથે આવેલી સહિયર જયાને તેમણે કહ્યું, ‘જયા, શા માટે તે ખબર નથી પણ આ વૃક્ષને જોઈને મન અત્યંત પ્રસન્ન થાય છે.’ પાર્વતીજીની વાતનો ફોડ પાડતાં જયાએ કહ્યું, ‘દેવી, તમારા પ્રસ્વેદ બિંદુમાંથી તે ઊગ્યું છે. તેથી તેનું નામ બિલ્વ રાખવામાં આવ્યું છે. (શિવપુરાણ) પૌરાણિક એવી સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં સમગ્ર વૃક્ષમાં દેવીનાં જુદા જુદા સ્વરૂપો વસે છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બીલીપત્રનું આગવું મહત્ત્વ છે.

બીલીપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે બીલીપત્રનાં ત્રણ પાન જોડેલાં છે તે ત્રિદલ છે અને તે ત્રણ પાત્ર જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે. તેથી ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવતી વખતે આ ભાવના કેળવી હોય તો ભગવાન જરૂર પ્રસન્ન થાય. હકીકતમાં ભગવાનની આરાધનામાં આ ત્રણેની આવશ્યકતા છે.
******************************************************************************************
દેવાધિદેવ મહાદેવનો મહિનો by Yogesh Joshi

શંકર ભગવાનને વરદાનોના ભંડારી કહેવામાં આવે છે. મહાદેવ બહુ જલદીથી પોતાના ભકતો પર રીઝી જાય છે અને મોં માગ્યું વરદાન આપે છે. રાવણ અને હિરણ્યકશિપૂ જેવા દાનવોને પણ ભોળાનાથે પ્રસન્ન થઇને વરદાનો આપેલાં છે.

દેવોમાં તું મહાદેવ,તારો મહિમા અપરંપાર,ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર

શ્રાવણ મહિનો શરૂ થવામાં બે દિવસની વાર છે. શ્રાવણ મહિનો હિંદુઓનો પવિત્ર મહિનો ગણાય છે. આ માસમાં લોકો ઉપવાસ કે એકટાણાં કરે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી જીવનમાં ન ધારેલી સફળતા પ્રાપ્ત થાય છે. આપણાં ગ્રંથો અને પુરાણોએ પણ શ્રાવણ મહિનાનો મહિમા ગાયો છે. શ્રાવણ મહિનો પુણ્ય કમાવાનો અને દાન કરવાનો ઉત્તમ મહિનો છે. ભગવાન શંકર એ દેવોના પણ દેવ ગણાય છે તેથી દેવાધિદેવ કે મહાદેવ તરીકે પૂજય છે. મહાદેવને કોઇ શોભા કે શણગાર નથી ફકત તેમના શરીર પર વ્યાધ્રચર્મ વીંટાયેલું હોય છે. ગળામાં સર્પો ફરતા હોય છે. શરીર પર ત્રિપુંડ અને ભસ્મના લેપ હોય છે. માથે કાળી જટા ધારણ કરેલી છે, તેમાંથી પવિત્ર ગંગા નદી નીકળે છે. જટા પર અર્ધચંદ્ર બિરાજમાન છે. હાથમાં ડમરુ તથા ત્રિશૂળ શોભાયમાન છે. મહાદેવનું ભવ્ય ભાલ (કપાળ) દેદીપ્યમાન છે. મહાદેવ પાસે ભૂત-પ્રેતનું સૈન્ય છે, ચોતરફ ડમરુ તથા ડાકલાં વાગતાં હોય છે. જયાં બરફમાં કોઇ જઇ શકે નહીં તેવા કૈલાસ ધામમાં મહાદેવજીએ વાસ કરેલો છે.

ભગવાન શંકરને લોકો અલગ અલગ નામથી પણ ઓળખે છે. જેમ કે શંકર, શિવ, શંભુ, ભોળાનાથ, હરેશ્વર, આશુતોષ, ગંગેશ્વર વગેરે. કોઇ પણ શહેર, નગર, ગામડું કે ઉપનગર એવું નહીં હોય કે જયાં મહાદેવનું મંદિર નહીં હોય. બીજું, અન્ય દેવોમાં કોઇ દેવનું મોઢું પૂજાય છે, કોઇનું મસ્તક, કોઇના હાથ કે પગ અથવા કોઇ દેવના વાહન અથવા આયુધ પૂજાય છે, જયારે મહાદેવ જ એક એવા દેવ છે, જેમનું લિંગ પૂજાય છે. મંદિરમાં હંમેશાં લિંગ સ્વરૂપ જ હોય છે, ભાગ્યે જ કોઇ સ્થળે શિવજીની પ્રતિમા જોવા મળે છે. શિવજીનાં મંદિરો શોધવામાં પણ ભાવિક ભકતોને કોઇ તકલીફ પડતી નથી, કારણ કે જે નામની પાછળ શ્વર શબ્દ લાગે તે શંકરદાદાનું જ મંદિર હોય તેવું આપોઆપ સમજાય છે. દા.ત.સોમેશ્વર, રામેશ્વર વગેરે વગેરે.

પુરાણોમાં એક એવી કથા આવે છે કે, એક અવાવરુ જંગલમાં શિવજીનું મંદિર હતું. એક પૂજારી વર્ષોથી મહાદેવની સેવા પૂજા કરતો હતો અને મંદિરમાં જ રાતવાસો કરતો હતો. એક વખત એક ચોર ચોરી કરવા ગયો. અનાયાસે જંગલમાં પહોંચી ગયો અને રસ્તો ભૂલી ગયો. અચાનક તેની નજર મંદિર પર પડી અને નક્કી કર્યું કે આજની રાત અહીં રોકાણ કરી લઉ અને સવારે અજવાળું થતાં મારા ગામ ભેગો થઇ જઇશ. આમ કરી મંદિરમાં પ્રવેશ કર્યો, પણ મૂળ તો ચોરનો અવતાર અને ચોરી તેના જીવતરમાં વણાયેલી હોવાથી ચોરી કરવાની લાલચ રોકી શક્યો નહીં, પરંતુ શંકરદાદાના મંદિરમાં હોય પણ શું જે ચોરી શકાય. આથી તેણે તાંબાની ગળતી ચોરવાનો મનસૂબો ઘડ્યો. નસીબજોગે ગળતી ખાસી ઊચે બાંધી હતી તેથી ચોર પહોંચી શકયો નહીં, આથી તેણે ભગવાનના લિંગ ઉપર બંને પગ મૂકી દીધા અને ગળતી ઉતારવા ગયો, ત્યાં જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, વત્સ માગ માગ તું માગે તે આપું. આ બાજુ ખૂણામાં લપાઇને સૂતેલો પૂજારી આ બધો તમાશો જોતો હતો તે પણ સફાળો બેઠો થયો અને ભગવાનને રોષપૂર્વક આકરાં વેણ કહેવા લાગ્યો અને કહ્યું કે હું આટલાં વર્ષોથી આપની સેવા-અર્ચના કરું છું છતાં તમો મારા પર પ્રસન્ન થતાં નથી અને આ ચોર ચોરી કરવાના આશયે આવ્યો છતાં તમો તેને વરદાન આપવા તૈયાર થયા છો.

આ સમયે મહાદેવે શાંતચિત્તે, પ્રસન્ન વદને તે પૂજારીને જણાવ્યું કે, તેં તો આખી જિંદગી મારી પર દૂધ અને પાણી જ ચઢાવ્યાં છે, જયારે આ ચોરે તો પોતાનું આખું શરીર જ મને અર્પણ કર્યું છે તેથી મારે પ્રસન્ન થયે જ છૂટકો હતો. આમ ભોળાનાથ અપકાર કરનારા પર પણ ઉપકાર કરનારા શૈલવિહારી છે. એટલે જ કહેવાયું છે કે, દેવોમાં તું મહાદેવ તારો મહિમા અપરંપાર, ભવ્ય ભાલ પર ચંદ્રજટા, બીચ બહે ગંગાકી ધાર-- ૐ નમ: શિવાય

શ્રાવણ મહિનો બીજી રીતે પણ મહત્ત્વનો અને પવિત્ર મહિનો ગણાય છે કારણ કે ભગવાન શિવજીનો અતિપ્રિય મહિનો છે. જાણકારો કહે છે કે આ માસમાં વહેલી સવારે મહાદેવજીના મંદિરે જઇ, જે કોઇ વ્યક્તિ ભોળાનાથ ઉપર ગાયના દૂધનો અભિષેક કરે તેમના પર મહાદેવજી જરૂર પ્રસન્ન થાય છે. ઘણા લોકો દૂધ અને જળનો ભેગો અભિષેક કરે છે, તો કેટલાક લોકો ફકત જળનો જ અભિષેક કરે છે. લોકો ‘ઓમ્ નમ: શિવાય’નો જાપ જપે છે અને મહાદેવને પ્રિય એવી રુદ્રી કરે છે અથવા બ્રાહ્મણો પાસે કરાવે છે.

મહાદેવજી એ એક એવા દેવ છે કે તેમને કોઇ ભોગ ધરવામાં આવતા નથી, ફક્ત શુદ્ધ મનથી શુદ્ધ જળ ચઢાવો તો પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. મહાદેવને બીલીપત્ર ઘણાં ગમે છે. એમાંય જો ત્રણ પાંદડીવાળા બીલીપત્રનો અભિષેક કરવામાં આવે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે. ઘણા લોકો શિવજી પર ધતૂરો અને કેવડો પણ ચઢાવે છે.
*****************************************************************************************
જીભ: શ્રેષ્ઠ અંગ પણ દુષ્ટ પણ by Jivan Darshan

વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી.

પ્રાચીન સમયમાં અરબમાં અમીર લોકો ગરીબોને ખરીદીને ગુલામ બનાવીને રાખતા હતા. લુકમાન પણ આવો જ એક ગુલામ હતો. લુકમાન પોતાના માલિક (જે એક શેખ હતો) પ્રત્યે અત્યંત વફાદાર હતો. તે પોતાના માલિકની દરેક પ્રકારે સેવા-ચાકરી કરતો રહેતો. લુકમાન બુદ્ધિશાળી પણ હતો. શેખ પણ આ વાત જાણતો હોવાથી તે લુકમાન સાથે તત્ત્વપૂર્ણ ચર્ચાઓ કર્યા કરતો. તે લુકમાનને વિચિત્ર પ્રશ્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરતો અને લુકમાન પણ કયારેય તેને નિરાશ ન કરતો.

એક વાર શેખે તેને પૂછ્યું, લુકમાન! બકરાના શરીરમાં શ્રેષ્ઠ અંગ કયું હોય છે? લુકમાને તરત જવાબ આપી દીધો, જીભ. શેખે તેને ફરી પ્રશ્ન કર્યો , લુકમાન, હવે તું મને એ જણાવ કે બકરાના શરીરમાં સૌથી ખરાબ અંગ કયું ગણાય? લુકમાને ફરી એ જ જવાબ આપ્યો, જીભ. શેખે કહ્યું, આ તે કેવું? શ્રેષ્ઠ અને ખરાબ અંગ એક જ કઈ રીતે? લુકમાને જવાબ આપ્યો, માલિક! શરીરનાં તમામ અંગોમાં જીભ જ એવું અંગ છે, તે સૌથી સારી પણ છે અને સૌથી ખરાબ પણ. જીભથી ઉત્તમ વાણી બોલવામાં આવે તો બધાને સારું લાગે છે અને જો એ જ જીભે કડવું બોલવામાં આવે તો કોઈને એ ગમતું નથી. શેખ ફરી એક વાર લુકમાનની બુદ્ધિને માની ગયા.

કથાનો સાર એટલો જ છે કે વાણીની મધુરતાથી આપણે દુશ્મનોને પણ આપણા બનાવી શકીએ છીએ, જ્યારે કર્કશ વાણીને કારણે ઘણી વાર આપણાં પોતાનાં સગાંને-મિત્રોને જ દુશ્મન બનતા વાર નથી લાગતી. કદી કોઈ વિરુદ્ધ અપશબ્દો બોલવા ન જોઈએ. જીભનો ઉપયોગ જો સારી રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે, બાકી કડવી વાણી જ બોલવામાં આવે તો તે જીવનું જોખમ પણ ઊભું કરી દે છે.
************************************************************

શિવજી કરે કામના પૂરી by Dr. Urvashi Bandhu

શ્રાવણ મહિનો ભગવાન શિવજીને બેહદ પ્રિય છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન આશુતોષ દરેક ઇચ્છાઓ પૂરી કરે છે. જો જીવનમાં શિવત્વ પ્રાપ્ત કરવું હોય તો શ્રાવણ માસ સિવાય કોઇ સારું મુહૂર્ત નથી ગણાતું.

--- પહેલો સોમવાર:
શ્રાવણ માસનો પહેલો સોમવાર વિશેષ યોગ માટે હોય છે. લક્ષ્મી પ્રાપ્તિ, નોકરી કે પ્રમોશન, વેપારવૃદ્ધિ, દેવા માફી, પોતાનું મકાન કે વાહન પ્રાપ્તિ માટે આ ઉપાય કરો. પરિવારની મુખ્ય વ્યક્તિ કે કોઇ પણ સદસ્ય સ્નાનાદિ કરી સ્વરછ વસ્ત્રો ધારણ કરે. પૂર્વ દિશા તરફ મુખ રાખી સફેદ આસન પર બિરાજી લાકડાના બાજોઠ પર સફેદ વસ્ત્ર પાથરીને બાજોઠમાં થાળી મૂકી તેમાં કેસરથી ‘ૐ નમ: શિવાય’ લખવું. તેના પર શિવયંત્ર કે પારાનું શિવલિંગ રાખવું. ‘ૐ નમ: શિવાય’નું ઉરચારણ કરતાં જલપાત્રમાં થોડું કાચું દૂધ મેળવીને પારાના શિવલિંગ પર ચઢાવવું. જળ એટલું ચઢાવવું કે શિવલિંગ જળમાં ડૂબી જાય. પછી રુદ્રાક્ષની માળાથી ૧૦૮ વખત ૐ રુદ્રાય નમ:નો મંત્ર જપવો. ભગવાન શિવની આરતી ઉતારવી, પ્રસાદ ધરાવવો, પ્રસાદમાં ચૂરમું ધરાવવું અને પ્રસાદ બાળકોમાં વહેંચવો. બીજા દિવસે જે જળ ચઢાવ્યું તે ચરણામૃત રૂપે ઘરના સભ્યો લે, બાકી વધેલાં જળને ફૂલ દ્વારા આખા ઘરમાં છંટકાવ કરવો. આખો મહિનો ૐ રુદ્રાય નમ: મંત્રની એક માળાનો જાપ કરવાથી તે અત્યંત લાભદારી રહેશે.

--- બીજો સોમવાર:
શ્રાવણનો બીજો સોમવાર વિલક્ષણ ફળ આપનાર છે. મનોવાંછિત પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે કે કૌટુંબિક કલહ દૂર કરવા, સુખ-શાંતિ માટે, પિતૃદોષ, ગૃહદોષ, ભાગ્યોદય માટે પ્રાત: વહેલા ઊઠીને સ્નાન કરી શુદ્ધ અને સ્વરછ સફેદ વસ્ત્ર ધારણ કરો. એક સફેદ વસ્ત્ર લઇ કંકુથી તેના પર ત્રિશૂલ બનાવી કાર્યસિદ્ધિ યંત્ર સ્થાપિત કરો. યંત્રનું પૂજન અષ્ટગંધ, ધતૂરો, આકડાના ફૂલથી કરવું. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. પૂર્વમુખી બેસી શિવજીનું ઘ્યાન ધરવું. ‘નમ: શભ્ભવાય ચ ભયોભવાય ચ નમ: શંકરાય ચ ભયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતરાય ચ’ મંત્ર કાગળ પર લાલ પેનથી લખી મનોકામના સાથે કાર્યસિદ્ધિ યંત્રની નીચે રાખવો. રોજ ૨૧ વખત મનોકામના કહેવી, ચંદનની પાંચ અગરબત્તીઓ પ્રગટાવવી. મનોરથ અવશ્ય પૂર્ણ થશે.

--- ત્રીજો સોમવાર:
શ્રાવણનો ત્રીજો સોમવાર દુર્લભ અને મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ દિવસે હરિયાળી ત્રીજ આવતી હોય તો તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિ-પત્નીની આવરદા માટે, સંતાન પ્રાપ્તિ, પુત્રની પ્રગતિ અને સફળતા માટે, કન્યાનાં શીઘ્ર લગ્ન અને ઉત્તમ વરની પ્રાપ્તિ માટે, ઘરમાં શાંતિ માટે, કુબેરવ્રત સમદ્ધિ માટે નિત્યક્રિયાથી પરવારીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને આસાન પર બેસી જાવ. દહીં, દૂધ, સાકર, ઘી અને ગુલાબ મેળવીને ૐ નમ: શિવાયનો જાપ કરતા પંચામત ચઢાવો. હવે શુદ્ધ પાણીથી ધોઇને શિવલિંગ અને રુદ્રાક્ષને બાજોઠ પર ફૂલોનું આસન બનાવી બિરાજમાન કરો. બીલીપત્ર, બિલ્વ ફળ વગેરે બધી સામગ્રી ૐ નમ: શિવાય મનમાં બોલતાં ચઢાવવી. રુદ્રાક્ષની માળાથી વરદાયી મંત્રની પાંચ માળા અવશ્ય કરવી. ૐ રુદ્રાક્ષ પશુપતિ નમ: મંત્ર જપ્યા બાદ આશુતોષ ભગવાનની આરતી ઉતારવી. ગુલાબનું ફૂલ શિવજીનાં ચરણોમાં શ્રદ્ધાથી સમર્પિત કરવું.

--- ચોથો સોમવાર:
ચોથો અને છેલ્લો સોમવાર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ સોમવારે વિધિ-વિધાનથી પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. શત્રુઓને પરાસ્ત કરવા માટે, કોર્ટ-કચેરીમાં પૂર્ણ સફળતા અને ઝડપથી અનુકૂળ ચુકાદા માટે, ભવિષ્યમાં મુશ્કેલી, ભય, અપમાન, અકાળે મૃત્યુ નિવારવા, અકસ્માતથી બચવા, બાળકોના સ્વાસ્થ્ય અને તેમની આવરદા માટે, રોગમુકિત, સુખ-સમૃદ્ધિ માટે, ઘડપણ રોકવા માટે તમે ચોથા સોમવારની પૂજાથી મનોરથ પૂરો કરી શકો છો. શ્રાવણ મહિનામાં પુરાણ વાંચવું લાભકારી છે.રામચરિતના દોહા નં ૧૦૭માં રુદ્રાષ્ટક આપેલ છે. શ્રાવણના ચોથા સોમવારથી તેનો નિત્ય પાઠ કરવો, પૂજામાં શ્રી લક્ષ્મી વિસા યંત્ર સ્થાપિત કરવું, ભગવાન શિવની સાક્ષાત્ કપા પ્રાપ્ત થશે. ઉપરોકત બધી સમસ્યાઓનું નિરાકરણ થઇને બધા મનોરથ પૂર્ણ થશે. શ્રાવણ માસમાં કરેલી શિવ આરાધના અને સોમવારે કરેલ પૂજા-પાઠ ગૃહસ્થો માટે પૂર્ણ સૌભાગ્યનાં દ્વાર ખોલી નાખે છે.

પદાર્થ શિવલિંગના અણમોલ પ્રયોગ:
- ફૂલોથી બનેલા શિવલિંગની પૂજાથી જમીન સંપત્તિ પ્રાપ્ત થાય છે.
- જવ, ઘઉ, ચોખાનો લોટ સરખા ભાગે મેળવીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી ધન અને સંતાન આપે છે.
- સાકરથી બનાવેલા શિવલિંગની પૂજાથી રોગોથી છુટકારો મળે છે.
- ખાંડની ચાસણીના શિવલિંગથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય.
- દહીંને કપડામાં બાંધી નિચોવીને (મઠ્ઠો) જે શિવલિંગ બનાઓ તેની પૂજાથી લક્ષ્મી અને સુખ પ્રાપ્ત થાય છે.
- ગોળમાં અનાજ ચિપકાવીને બનાવેલા શિવલિંગની પૂજા કરવાથી કષિ ઉત્પાદન વધુ થશે.
- સુવર્ણ નિર્મિત શિવલિંગ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
- ચાંદીના શિવ- લિંગની પૂજા કરવાથી ધન-ધાન્યનીં વૃદ્ધિ થાય.
- પિત્તળનું શિવલિંગ દરિદ્રતા દૂર કરે છે.
- લસણિયા હીરાનું શિવલિંગ વિજય અપાવે છે.
- સ્ફટિકથી બનેલા શિવલિંગનો રુદ્રાભિષેક કામનાઓની પૂર્તિ કરે છે.
- પારાના બનેલા શિવલિંગનું પૂજન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ સાક્ષાત્ શિવસ્વરૂપ છે. તે બધાં પાપો દૂર કરે છે. તેના દર્શન માત્રથી જ સંસારનાં સર્વે સુખો અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ***********************************************************************************
શિવજીને પ્રિય બીલીપત્ર by Divyabhaskar

બિલ્વના ઝાડને સીંચવાથી બધાં તીર્થોનું ફળ અને શિવલોકની પ્રાપ્તિ થાય છે. બીલીપત્ર એક ઔષધી છે. બીલીપત્ર ખાસ કરીને ત્રણ-ત્રણ પાંદડાના સમૂહમાં હોય છે. કેટલાંક પાન પાંચના સમૂહમાં પણ હોય છે, પરંતુ તે બહુ દુર્લભ હોય છે. એવી પણ માન્યતા છે કે શિવજીને બીલીપત્ર ચઢાવવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. બિલ્વના વૃક્ષના મૂળમાં મહાદેવજીનો વાસ છે. શિવપુરાણમાં પણ કહ્યું છે કે, બિલ્વના મૂળમાં લિંગરૂપી અવિનાશી મહાદેવજીનું પૂજન જે પુણ્યાત્મા કરે છે તેનું કલ્યાણ થાય છે. જે વ્યકિત બિલ્વના મૂળમાં જળ ચઢાવે તેને બધાં તીર્થોનું ફળ મળે છે.

બીલીપત્ર અમુક ખાસ દિવસે કે પર્વ પર તોડવાં નહીં. શાસ્ત્રો અનુસાર બીલીપત્ર સોમવાર, તિથિઓમાં ચોથ, આઠમ, નોમ, ચૌદસ અને અમાસ તેમજ સંક્રાંતિના પર્વ પર નહીં તોડવા. જો તમારી પાસે બીલીપત્ર ન હોય તો ચઢાવેલા બીલીપત્રને ધોઇને તમે ફરીથી ચઢાવી શકો છો. રુદ્રાક્ષની માળા જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, અને નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, મુનિઓમાં કશ્યપ અને દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેમ માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે.
**************************************************************************************
વંદે શિવં શંકરમ્ by Vaidehi Adhyaru

પરમાત્માની ત્રણ રૂપમાં નિરંતર અભિવ્યક્તિ જગતમાં આપણને જોવા મળે છે. સર્જક, પાલક અને સંહારક. રજોગુણનો આશ્રય લઇને પરમાત્મા સર્જક બને છે ત્યારે ભવ કે બ્રહ્મા કહેવાય છે. સત્ત્વગુણનો આશ્રય લઇને જગતનું પાલન કરે છે ત્યારે વિષ્ણુ કે મડ કહેવાય છે અને તમોગુણનો આશ્રય લઇને સંહારક બને છે ત્યારે હર કે રુદ્ર કહેવાય છે. આ ત્રણે રૂપ મંગળકારી છે. જીવોના કલ્યાણ માટે પરમાત્મા પોતે સર્જક, પાલક અને સંહારક ત્રણે રૂપમાં નિત્ય લીલા કરે છે.

-- શિવ એટલે સત્યમ્ શિવમ્ સુંદરમ્રુદ્ર એ સંહારકના રૂપમાં અભિવ્યક્ત થતા પરમાત્માનું નામ છે. રોદયતિ સર્વ ઈતિ રૂદ્ર સર્વને જે રડાવે છે તે રુદ્ર છે. જગતની સ્થિતિ દરમિયાન ભગવાન રુદ્ર જીવોના પ્રાણ હરી લઇને તેમને રડાવે છે અને પ્રલયકાળે પણ તે સમગ્ર જગતનો કોળિયો કરી જાય છે. શરીર જીર્ણ થાય છે ત્યારે ભગવાન રુદ્ર તેના પ્રાણ હરી લે છે. જીવ નવું શરીર ગ્રહણ કરી પોતાની જીવનયાત્રા આગળ ધપાવી શકે તે માટેની ભૂમિકા તૈયાર કરી આપે છે. ભગવાન રુદ્ર આપણા દેહમાં રહેલા નિયંતા છે એ સમજાવતી તેમની ઉત્પત્તિની કથા વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં આ રીતે મળે છે.

બ્રહ્માજી જગતનું સર્જન કરી રહ્યા હતા ત્યારે સૌ પ્રથમ તેમણે સનક, સનંદન વગેરે સંતકુમારોને ઉત્પન્ન કર્યા. આ ચાર સંતકુમારો જન્મથી જ જ્ઞાની, વિરકત હતા અને મત્સર વગેરે દોષોથી મુકત હતા. આથી, પિતાજીની સૃષ્ટિના સર્જન વગેરેની પ્રવૃત્તિમાં તેઓ જોડાયા નહીં અને પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તપ કરવા ચાલ્યા ગયા. સંસારરચના પ્રત્યે ઉદાસીન એવા પોતાના પુત્રોને જોઇને બ્રહ્માજીને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. ત્રણેય લોકને ભસ્મ કરી નાખે તેવા આ મહાન ક્રોધથી ત્રણેય લોક જવાળાઓથી દેદીપ્યમાન થઇ ગયા.

-- શિવજી કરે કામના પૂરી - તે સમયે બ્રહ્માજીની વક્ર ભ્રૃકુટિ તેમજ ક્રોધસંતપ્ત લલાટમાંથી મઘ્યાહ્નના સૂર્ય સમાન તેજસ્વી રુદ્રની ઉત્પત્તિ થઇ. નીલલોહિત (રાતો અને શ્યામ રંગ મળવાથી થતા) વર્ણના રુદ્રે જન્મતાંની સાથે જ રડવા માંડયું. રુદ્ર અગિયાર ભાગમાં વિભકત થયા, જે અગિયાર રુદ્રો થયા. તેમનાં નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતુઘ્વજ, ઉગ્રરેતા, ભવ, કામ, વામદેવ અને ધૃતવ્રત. બ્રહ્માજીએ આ અગિયાર રુદ્રોને શરીરમાં અગિયાર કેન્દ્રોમાં સ્થાન આપ્યાં : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન.

ભગવાન રુદ્રનાં બે રૂપો છે : ઘોર રૂપ અને શિવ રૂપ. ઘોર રૂપથી તે દુષ્ટોનો સંહાર કરે છે અને શિવ રૂપથી ભકતો પર અનુગ્રહ કરે છે. આમ તો ભગવાન બધા પર અનુગ્રહ જ કરતા હોય છે, પરંતુ જુદી જુદી પ્રકતિના લોકો પર અનુગ્રહ કરવાની તેમની રીત જુદી જુદી જણાય છે. દુષ્ટોને સજા કરવામાં કે સંહાર કરવામાં ભગવાનની ક્રૂરતા નથી. તે દ્વારા ભગવાન તેમને પોતાના હિતમાં જોડવા માગે છે. ભક્તો પર અનુગ્રહ કરવામાં પણ સંહાર તો રહેલો હોય જ છે. તેમની આઘ્યાત્મિક સાધનાના માર્ગમાં આવતા પ્રતિબંધોનો સંહાર અને છેવટે સર્વ ગ્રંથિઓ સહિત અજ્ઞાનનો સંહાર.

આ જ પરમાત્મા જયારે સંસારમાં ભટકીને થાકેલા જીવોને વિરામ આપવા જગતને પોતાનામાં સમાવી લે છે ત્યારે ‘હર’ કહેવાય છે. જીવોને ભોગ ભોગવવા માટે જગતનું સર્જન કરે ત્યારે ‘ભવ’ કહેવાય છે. સૃષ્ટિકાળ દરમિયાન સર્વનું પાલન કરતા હોય છે ત્યારે ‘મડ’ કહેવાય છે.

-- દેવાધિદેવ મહાદેવનો મહિનો - શિવલિંગ એ પ્રભુના સગુણ સ્વરૂપનું પ્રતીક છે અને નિર્ગુણ સ્વરૂપનું બોધક છે. આ વિશ્વને બ્રહ્માંડ કહેવામાં આવે છે કારણ કે તેનો આકાર અંડ જેવો છે. શિવલિંગ આ બ્રહ્માંડનું પ્રતીક છે. જેમાં સર્વ નામ-રૂપ સમાયેલાં છે. વળી, શિવલિંગનો આકાર અગ્નિશિખાનો પણ સૂચક છે. અગ્નિની જવાળા હંમેશ ઊર્ધ્વમુખી હોય છે, અંધકારનો નાશ કરનારી હોય છે, તેમ શિવજી પણ ભકતનાં પાપો અને અશુદ્ધિઓનું દહન કરીને ભસ્મ કરી નાખે છે. આશુતોષ- ઝડપથી ખુશ થઇ જાય તેવા આડંબરરહિત છે. માત્ર જળ ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે. સ્તુતિ કરવાથી ગમે તેવા અપરાધને પણ ક્ષમા કરે છે. શીઘ્ર પ્રસન્ન થઇને દોષો અને પાપોને દૂર કરી ધર્મ, અર્થ, કામ, મોક્ષ, જ્ઞાન, વિજ્ઞાન તથા સ્વયં પોતાની જાતને આપી દઇ એ પોતાનાં નામોની સાર્થકતા સૂચિત કરે છે.
****************************************************************************************
શ્રાવણ સુધા by Parmanand Gandhi

કોઈ પણ આપણને બળદિયા જેવો કહે તો તે આપણને ગાળ લાગે છે. આપણું અપમાન થયું એમ લાગે છે. અને તે બળદનું સ્થાન ભગવાન શિવજીના મંદિરમાં! તેમાં ય વળી પહેલાં નમસ્કાર, પહેલું પૂજન તે બળદનું અને પછી ભગવાન શિવજીનું પૂજન!!

પરંતુ ‘સ્વ’માં કેન્દ્રિત થયેલાં માનવી ભૂલી જાય છે કે એ બળદના માનવજાત ઉપર અનંત ઉપકાર છે. માનવજાત તેની ઋણી છે.
ભગવાન શિવજી જ્ઞાનનું પ્રતીક છે. અને બળદ-પોઠિયો-નિષ્કામ કર્મયોગનું પ્રતીક છે. સમાજમાં જ્ઞાનનું વહન નિષ્કામ કર્મયોગી જ કરી શકે ને? અને જેણે પોતાના જીવનમાં ગીતાનો કર્મયોગ વણી લીધો, લોક કલ્યાણ માટે પ્રભુકર્મ માટે જેણે પોતાના હાડકાનું ‘ખાતર કર્યું- લોહીનું ટીપેટીપું ખરયું તેને ભગવાન પોતાની પાસે ન લે?


આવા કર્મયોગીને જ ભગવાન પોતાનું, પોતાના જ્ઞાનનું, વિચારોનું વાહન બનાવે. આ બળદને જ પોઠિયાને ભગવાને પાસે લીધો. તેને પાર્ષદ તો બનાવ્યો જ પણ તેનું હુલામણું નામ નંદિ રાખ્યું. નંદિ એટલે આનંદ જેના જીવનની બેઠકમાં આનંદ હોય તેના ઉપર જ ભગવાન બેસેને? ત્યાં જ ભગવાન સુસ્થિર થાય ને!

નંદિ- ભગવાન શિવજીનો પોઠિયો જીવનને આનંદમ્ય બનાવવાની પ્રેરણા આપે છે. ભગવાનનું પશુસૃષ્ટિ જોડે તા દાત્સ્યતું પ્રતીક એટલે નંદિ અવિરત કર્મયોગનું પ્રતીક એટલે નંદિ.

ભગવાન શિવજીની ઉપાસના કરીએ ત્યારે આપણે પણ નંદિ પાસેથી પ્રેરણા લઈ પ્રભુના વિચારોનું વહન કરનાર કર્મયોગી બનવાનો સંકલ્પ કરીએ.

****************************************************************************************
સિદ્ધનાથ મહાદેવ by Pravin Patel

શ્રાવણમાસમાં હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિર સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું પાણી શિવલિંગમાં સતત આવે છે. જેને ‘ગુપ્તગંગા’ કહે છે. શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે આ જળ લઇ જાય છે.

સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકામાં કુવાદ ગામમાં સરસ ગામ નજીક ‘સિદ્ધનાથ મહાદેવ’નું એક અતિ પ્રાચીન મંદિર છે. જે સુરતથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ છે. જેનો મહિમા શ્રાવણ માસમાં અનેરો છે. શ્રાવણમાસ દરમિયાન રુદ્રાભિષેક કરવા માટે હજારો યાત્રાળુ દૂર દૂરથી અહીં આવે છે.

શ્રાવણમાસના દર સોમવારે હજારો કાવડિયાઓ જલાભિષેક કરવા દૂર દૂરથી કાવડમાં જળ ભરીને પગપાળા આવે છે. આ મંદિરની ઐતિહાસિક કથા મુજબ આ જગ્યા ઉપર પ્રાચીન સમયમાં હેડંબા વન હતું. જેમાં ગોકર્ણ ઋષિનો આશ્રમ હતો. જંગલમાં આશ્રમની ગાયો ચરવા જતી ત્યારે એક ટેકરી ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેતી હતી. એક રાત્રે ગૌકર્ણ ઋષિને સપનું આવ્યું અને તપ કરતા શિવલિંગ પ્રગટ થયું હતું. જે તે સમયના ગાયકવાડી રાજા દામાજીરાવ ગાયકવાડે પોતાની માનતા પૂરી થતાં અહીં મંદિર બનાવ્યું. બાદ કેટલાક લુટારુઓએ શિવલિંગમાં ધન છુપાવ્યું હોવાની શંકાથી હુમલો કર્યો. શિવલિંગ ઉપર ભાલા -કુહાડીથી હુમલો થતા લિંગમાંથી શંકર ભગવાનના સ્વરૂપે નીકળેલા ભમરાએ લુટારુઓને ભગાડયા હતા. મંદિરની બહાર કુંડ છે, ત્યાં ભગવાન રામે યજ્ઞ કર્યો હોવાનું પણ કહેવાય છે.

શ્રાવણના દર સોમવારે મેળો તથા માગશર સુદ અગિયારસના દિને મોટો મેળો અહીં ભરાય છે, જે રાત્રે ઘીનું મોટું કમળ શિવલિંગ ઉપર તૈયાર કરવામાં આવે છે. આ દિવસોએ મોટો માનવ મહેરામણ ઊમટે છે. મંદિરની બાજુમાં જ મોટી ધર્મશાળા છે.
*************************************************************************************