Friday, March 27, 2009

Gudi Padva & Chaitra Navratri - March 27, 2009

નવ વર્ષારંભ ગૂડી પડવો - Parv Vishesh, Parmanand Gandhi

સૃષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ આ દિવસે થયો, તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ આ દિવસનું આગવું મહત્ત્વ છે. ‘ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી.’ - બ્રહ્મપુરાણ

આપણા નવા વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમથી થાય છે. તે નવા વર્ષનો પહેલો દિવસ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. ગૂડી પડવાનો તહેવાર પ્રાચીન કાળથી પ્રચલિત છે અને વેદાદિ શાસ્ત્રોમાં તેના મહત્ત્વનું વર્ણન છે.

ચૈત્ર માસના પ્રથમ દિવસે બ્રહ્માજીએ સષ્ટિની રચના કરી. ભગવાન વિષ્ણુએ ચૈત્ર શુકલની પ્રતિપદાના દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સષ્ટિ નિર્માણના કાર્યનો પ્રારંભ આ દિવસે થયો.

તેથી, અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારના પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પહેલો અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ આ દિવસનું આગવું મહત્ત્વ છે. તે દિવસે સૂર્યોદય સમયે જે વાર હોય તે વાર વર્ષનો રાજા ગણાય તેવો ઉલ્લેખ સ્કન્દ પુરાણમાં છે.

તે દિવસે પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું હોય છે. તે માટે વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના ઉપર યથાવિધિ કળશ સ્થાપના કરી ગણપતિની સાથે બ્રહ્માજીનું ષોડશોપચારથી પૂજન કરવાનું. પૂજન કરી અનેક દેવદેવતાઓને નમસ્કાર કરી. વિષ્ણુ ભગવાનની સ્થાપના કરી વિધિયુકત પૂજન કરવાની પ્રણાલિકા હજુ કેટલાંક સ્થળોમાં પ્રચલિત છે. પૂજન પછી પંચાંગનું (આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે.) શ્રવણ કરી નિવાસસ્થાનો ઘ્વજા પતાકાથી સુશોભિત કરી ઘ્વજારોપણ કરવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં ગૂડી પડવાનો ઉત્સવ વધુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે આ જ દિવસે પ્રભુ રામચંદ્રે વાલીના ત્રાસમાંથી લોકોને મુકત કર્યા તેથી તેની ખુશાલીમાં પ્રજાએ ઘરે ઘરે ગૂડી (ઘ્વજારોપણ) ઊભી કરી ઉત્સવ ઊજવ્યો. તેથી ગૂડી પડવો નામ પ્રચલિત થયું.

શક સંવત્સર - બીજી પણ એક કિંવદંતી પ્રચલિત છે કે શકોએ હુમલો કર્યોતે સમયમાં લોકો સાવ ચેતનહીન, પરાક્રમશૂન્ય અને હતોત્સાહિત બન્યા હતા. આવી નિર્માલ્ય પ્રજા, શકોને યુદ્ધમાં કયાંથી પરાજિત કરી શકવાની હતી? ત્યારે શાલિવાહને આવા લોકોમાં ચૈતન્ય પ્રકટાવ્યું, સૈન્યમાં પ્રાણ પૂર્યા. Aemu પૌરુષ જાગૃત કરી શકોનો પરાભવ કર્યો. તેથી આજે પણ આપણે શાલિવાહનના તે કતૃર્ત્વને યાદ કરી શક તરીકે વર્ષની ઉજવણી કરીએ છીએ અને નવા વર્ષનો પ્રારંભ કરીએ છીએ.

આયુર્વેદિક મહત્ત્વ - ચૈત્ર માસથી ગરમીની શરૂઆત થતી હોવાથી ઋતુજન્ય ગડગૂમડ, અળાઇ તથા ચર્મરોગથી બચવા લીમડાનું સેવન પથ્યકર ગણાયું છે અને દસ સુધી નિયમિત લીમડાનું સેવન, ઉનાળાના ઋતુજન્ય રોગોથી રક્ષણ કરે છે.

તાત્ત્વિક દ્રષ્ટિ - જીવનમાં દરેકે કડવા ઘૂંટડા પણ પીવા પડશે. તે માટે લીમડાનું સેવન કરતી વખતે તેની પણ માનસિક તૈયારી રાખવી. એટલે દુ:ખી ન થતાં હસતાં હસતાં તે પી જવા એ જ હિતાવહ છે. પ્રભુ રામચંદ્રજીની જેમ આપણા જીવનમાં નિર્માણ થતી આસુરી વૃત્તિ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે.

આજના શુભ દિને શુભ સંકલ્પ કરી તે પૂરો કરવાનું સામથ્ર્ય પ્રભુ આપણને આપે-એ ભાવનાથી નૂતનવર્ષના આ માંગલિક પ્રસંગની ઉજવણી કરીએ.

***************************************************************************************
શક્તિ જાગરણનું પર્વ ચૈત્રી નવરાત્રિ - Sunil A. Shah

ચૈત્ર નવરાત્રિમાં વિધિવત દુર્ગા સપ્તશતીનો શ્રદ્ધાભાવથી પાઠ કરવાથી માદુર્ગાની કપાથી શક્તિઓ જાગૃત થવાથી મનવાંછિત ફળ અવશ્ય મળે છે.


નવરાત્રિ એટલે શક્તિ આરાધનાનું પર્વ. આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે પરંતુ આપણે ત્યાં બે નવરાત્રિ મનાવવાની પરંપરા છે. એક ચૈત્ર માસમાં વાસંતિક અને બીજી આસો માસમાં શારદીય નવરાત્રિ.

વર્ષની બંને નવરાત્રિ શક્તિપૂજન, શક્તિ સંવર્ધન અને શક્તિ સંચય માટે ખૂબ જ ઉપયોગી છે. ભગવાને આપણા શરીરમાં જે વિશેષ શક્તિઓ આપી છે તેના છ પ્રકારનાં ચક્ર છે. છ પ્રકારનાં ચક્રનાં દ્વાર ખોલ્યા પછી જે મહાન શક્તિને જાગવાનો અવસર મળે છે તેને કુંડલિની શક્તિ કહે છે. તે વિધુતમય પરાશક્તિ છે.

સુધાંશુજી મહારાજના કથન અનુસાર શરીરની સંપૂર્ણ શક્તિઓનો આધાર કુંડલિની જ છે. જે શરીરની સમસ્ત ઊર્જાને ધારણ કરી સર્પાકારે કરોડની બરાબર નીચે સુષુપ્ત અવસ્થામાં વિધમાન છે. તે છે કેન્દ્રીભૂત પ્રાણશક્તિ. જે જાગૃત થવાથી માણસ અલૌકિક શક્તિઓની ચાવીને પ્રાપ્ત કરે છે.

અનેક મહાપુરુષોઐ પોતાની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી છે. નામદેવ ઘ્યાનમાં બેસી સ્વયં જાગૃત થઇ ગયા. દાદુદયાલ ભજન અને સેવા કરતા પોતે સ્વયં જાગૃત થઇ ગયા. મીરાંબાઇ નાચગાન કરીને પ્રભુને સમર્પિત થઇ ગયાં. ગોરખનાથ સાધના કરતાં કરતાં પોતાની શક્તિને જાગૃત કરીને યોગી ભર્તુહરિ કહેવાયા. ચૈતન્ય મહાપ્રભુજી પ્રેમભકિતથી પ્રભુમય બની ગયા.

મા દુર્ગાની ઉપાસના કરવાથી માની કૃપાથી સાધકમાં કુંડલિની શક્તિ જાગૃત થઇ જાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે છે. આમ બ્રાહ્મી શક્તિ એ સૃષ્ટિ શક્તિ તથા ક્રિયા શક્તિ છે. કૌમારી શક્તિ એ અસુર વિજયી શક્તિ છે. માહેશ્વરી શક્તિ એ જ્ઞાન શક્તિ છે. વૈષ્ણવી શક્તિ એ પાલક શક્તિ છે. વારાહી શક્તિ એ આધાર શક્તિ છે. નારસિંહી શક્તિ એ આત્મસ્વરૂપ જ્ઞાન શક્તિ છે. ચામુંડા શક્તિ એ સ્વપ્રકાશ શક્તિ છે.

શક્તિ અને શકત બંને સૃષ્ટિનું સાચું કારણ છે શક્તિઓનું જ્ઞાન મેળવો. શક્તિઓની કૃપાથી જ જીવનમાં અદભૂત ચમત્કારો થશે. ચૈત્ર નવરાત્રિમાં વિધિવત દુર્ગા સપ્તશતીનો શ્રદ્ધાભાવથી પાઠ કરવાથી માદુર્ગાની કપાથી શક્તિઓ જાગૃત થવાથી મનવાંછિત ફળ અવશ્ય મળે છે. એમાં જરા પણ સંદેહ નથી.

આધશક્તિ સાંસારિક દુ:ખોના કળણમાં (દલદલ) ફસાયેલી વ્યકિતને તેમાંથી નિકાળી સુખ, શાંતિ અને મુકિત આપે છે. એથી એની કપા મેળવવા માટે તેની ઉપાસના કરવી જોઇએ. તે સ્વયં એક અને અદ્વિતીય હોવા છતાં પણ પોતાના ભકતોનું કલ્યાણ કરવા માટે નવદુર્ગાના રૂપે પ્રગટ થાય છે. ખરેખર તો તે સંસારનાં પ્રાણીઓને દુર્ગતિથી નિકાળે છે, એથી ‘દુર્ગા’ કહેવાય છે. તેથી તેનાં નામ અને રૂપ અનેક છે.

નવરાત્રિ દરમિયાન પ્રાત:કાળે ઊઠીને માતાજીનું સ્થાપન અથવા તો જયાં યંત્રની સ્થાપના કરી હોય ત્યાં આસન ઉપર બેસીને માતાજીને આહ્વાન કરવું. ત્યાર બાદ જળ ભરેલા કુંભમાં ચંદન, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, સિંદૂર, સોપારી તથા સવા રૂપિયો પધરાવવા. કુંભના મુખ પર નાગરવેલનાં પાન ફરતે મૂકીને તેની વરચે શ્રીફળ મૂકવું અને માતાજીની મૂર્તિ પાસે કુંભ મૂકી તેનું પૂજન દરરોજ કરવું. ત્યારબાદ માતાજીના સન્મુખ દીવો, અગરબત્તી કરી માતાજીનાં ગરબા-સ્તુતિ ગાઇને માતાજીને પોતાને ત્યાં પધારવા આજીજી કરવી.

આ નવ દિવસ દરમિયાન બની શકે તો ઉપવાસ અથવા મીઠા વિનાનું ભોજન લઇને એકટાણું કરવું. નવ દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. નિત્ય આરતી કરી માતાજીને નૈવેદ ધરાવવો. તેમજ સાત્ત્વિક પ્રવૃત્તિઓ કરવી જેવી કે ધર્મગ્રંથોનું વાંચન, મંત્રલેખન વગેરે. શકય હોય તો દરરોજ એક કુંવારિકાને ભોજન કરાવી, વસ્ત્ર કે આભૂષણ અર્પણ કરી તેને પ્રસન્ન કરવી.
પૂણાર્હુતિ સમયે પ્રાત:કાળમાં પૂર્વાભિમુખ બેસી મંત્ર જાપ કરવા. તેમજ નાની બાળાઓને ભોજન કરાવવું. જીવનને કર્તવ્યપરાયણ બનાવવાનો દ્રઢ સંકલ્પ કરવો. ઘણા જાતકો છેલ્લા દિવસે હવન કરીને આસુરી વત્તિઓને તેમાં હોમી દેવીશક્તિ પ્રાપ્ત કરી પોતાનું જીવન સાર્થક બનાવે છે.

ચૈત્ર સુદ એકમ, ચૈત્રી નવરાત્રિ : નવરાત્રિ એટલે શકિત-આરાધનાનું પર્વ. ચૈત્ર માસમાં વાસંતિક અને બીજી આસો માસમાં શારદીય નવરાત્રિ. વર્ષની બંને નવરાત્રિ શકિતપૂજન, શકિત સંવર્ધન અને શકિત સંચય માટે ખૂબ જ ઉપયોગી છે.
*******************************************************************************


Tuesday, March 10, 2009

HAPPY HOLI


Narendra Modi's Views on "Beti or Dikri"

દીકરીને અવતરવા દો, આ જગતમાં... - Narendra Modi
Sunday, March 08, 2009 03:49 [IST]


સમયની માંગ છે બેટી બચાવો... બેટી વધાવો...નહીં કે બેટી વધેરો...
દીકરી...વહાલપનો દરિયો...ઘરની દીવડી...અને સંવેદનાનું સરોવર...આવી દીકરી વગર માતૃત્વ-પિતૃત્વ અધૂરું એના વિના પરિવાર અધૂરો... સંસાર અસંભવ

હજુ અવતરી નથી એવી એ દીકરી માના ગર્ભમાં છે...કહેવાતો આધુનિક સમાજ માના ગર્ભમાં જ દીકરીને મારી નાખવાનો વિચાર કરે ત્યારે એ બાળકી શું કલ્પના કરતી હશે?
આ બાળકી એની માને ચિત્કાર કરીને કહે છે...મા, તારી આંગળી પકડીને મને ચાલવા દે...મને આ જગતમાં આવવા દે...તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે? તારી આકતિ ફરી સર્જવા દે...હું તને આપું છું વિશ્વાસ-તારે ખોળે અવતરીશ તો વ્હાલની વેલી થઇ ઝૂલીશ...આંગણે સંવેદના મહેંકાવા દે...સાપનો ભારો નથી મા! હું તો તારો જ અંશ છું...મા, આ જગતમાં મને આવવા દે...

૨૧મી સદીના આ સમયમાં...વિજ્ઞાનના આ યુગમાં...દીકરીનો આ ચિત્કાર...આપણે ભણેલા-ગણેલા-શિક્ષિત લોકો નહીં સાંભળીએ!!!

એની વેદના-સંવેદનાની અનુભૂતિ નહીં કરીએ તો, સમાજની આવતી કાલ બહુ બિહામણી હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં ૨૦૦૧માં નવી શતાબ્દીના આરંભે હજાર દીકરાઓની સામે આઠસો ને બે દીકરીઓ અવતરતી હતી. એટલે કે ૧૯૮ દીકરીઓ ઓછી જન્મતી... તમે કલ્પના કરો સમાજમાં દીકરી જ નહીં અવતરે તો સમાજ છિન્ન- ભિન્ન થઇ જશે. સમાજ એની બધી જ શકિત ગુમાવી દેશે. દીકરી જન્મ લે એ પહેલાં જ માના ગર્ભમાં એની હત્યા કરી નાખવાથી સમાજમાં કેવું અસમતોલપણું સર્જાશે?

સમાજ અસમતોલ બને ત્યારે કેવી સ્થિતિ પેદા થાય છે એ યુરોપના દેશોએ અનુભવ્યું છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં લગાતાર લડાઇઓ લડતા આ દેશોના જુવાનિયાઓ યુદ્ધની અંદર ખપી ગયા. એના કારણે ત્યાં પુરુષોની સંખ્યા ઘટી ગઇ. પરિણામે એ દેશોમાં સ્ત્રી એક બજારુ ચીજ બની ગઇ હતી. સમાજમાં અસમતુલન પેદા થાય ત્યારે સમાજમાં કેવી વિકતિ પેદા થાય છે એનું આ જીવતું-જાગતું ઉદાહરણ છે. આપણે ત્યાં પણ એક હજારે સો-દોઢસો છોકરા કુંવારા ફરતા હશે ત્યારે આ સમાજજીવન કેટલું ખેદાનમેદાન થઇ ગયું હશે એનો અંદાજ લગાવો. આવું અસંતુલન પેદા થશે તો આ સમાજજીવનનું ચક્ર કેવી રીતે ચાલશે?

સમાજની આ અસમતુલા કેવું વિકરાળ રૂપ ધારણ કરે! કલ્પના માત્રથી જ હૈયું હચમચી જાય. અંતરમન ચીસ પાડી ઊઠે. દીકરીનો ગર્ભપાત જાણે માનવજીવનના ઉજજવળ ભવિષ્યનો જ ગર્ભપાત કરી નાખે છે. આ ભ્રૂણહત્યા એક દીકરીની નહીં, આ તો ભ્રૂણહત્યા આવનારી પેઢીની સ્વસ્થતાના બીજની જ ભ્રૂણહત્યા છે. આ વેદનામાંથી જન્મ્યું છે બેટી બચાવ આંદોલન...સમયની માંગ છે- બેટી બચાવો... બેટી વધાવો... નહીં કે બેટી વધેરો...

અમે ‘બેટી બચાવો અભિયાન’ સમાજના સથવારે ઉપાડયું... શાયદ સમગ્ર હિંદુસ્તાનમાં આવું પહેલું અભિયાન હશે, જેણે દીકરીની ચિંતા કરી. સંવેદનાના ગર્ભમાંથી પ્રગટેલા આ ‘બેટી બચાવો અભિયાન’ નાં પરિણામ પણ જોવાં મળ્યાં. ૨૦૦૧માં દીકરીઓ એક હજારે ૮૦૨ અવતરતી હતી, આજે ૨૦૦૮ના અંતે દીકરીનો જન્મદર ૮૯૪ ઉપર પહોંરયો છે.

અગર સમાજ ઇરછે, સંકલ્પ લે, તો પરિણામ મળી શકે છે. દીકરીની હત્યાના કલંકમાંથી આપણે મુકત થઇ શકીએ છીએ. હું એવી સ્થિતિ જોવા માગું છું કે ગુજરાતમાં એક પણ ઘરમાં ભ્રૂણહત્યા ન થાય. આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ. આ સદી જ્ઞાનની સદી ગણાય છે. આજે ભણતર વઘ્યું છે. આર્થિક સ્થિતિ સુધરી છે ત્યારે, સમાજની આ અધોગતિ! ૧૮મી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાનો પિશાચી રિવાજ હતો. દીકરીની ગર્ભમાં હત્યા કરતાં સમાજની દુર્દશા જોઉ છું ત્યારે એમ લાગે છે કે, ૧૮મી સદીમાં લોકો જે પાપ કરતા હતા એના કરતાં પણ વધારે મોટું પાપ આજે આપણે કરી રહ્યા છીએ.

૧૮મી સદીના પાપ કરતાં ૨૧મી સદીનું પાપ વધારે હિચકારું છે. એ વખતે દીકરી જન્મે એ પછી એક મોટા તપેલાની અંદર દૂધ ભરવામાં આવતું, ત્યારે પછી આખું કુટુંબ ભેગું થઇને દીકરીને એ દૂધની અંદર ડુબાડીને મોતને ઘાટ ઉતારતું હતું. આ ભયાનક પાપ હતું, છતાં કમ-સે-કમ એમાં દીકરીને અવતરવાનો અવસર તો મળતો હતો. જે માતાએ નવ-નવ મહિના એના ગર્ભમાં રાખી છે એ દીકરી માનાં દર્શન તો કરી શકતી હતી.માતાને પણ દીકરીનું મોં જોવાનો અવસર મળતો હતો. એ દીકરીને પળ -બે પળ માટે પણ આ જગત જોવા મળતું.

પછી સમાજના ક્રૂર-કલંકરૂપ રિવાજના કારણે પાપી સમાજ એને મારી નાખતો. પરંતુ ૨૧મી સદીમાં પોતાને સૌથી બુદ્ધિશાળી ગણનારા આપણે કયાં છીએ? આપણે તો એનાથી પણ અધમ છીએ. દીકરી ગર્ભમાંથી બહાર આવે એ પહેલાં જ એને માના પેટમાં જ મોતને ઘાટ ઉતારી દઇએ છીએ. આવું ઘોર પાપ કર્યા પછી પણ આપણને પશ્ચાત્તાપ ન થાય. જાણે એક મોટી આફતમાંથી છૂટી ગયાની રાહત અનુભવીએ! જયાં પરમાત્માની પ્રસાદી રૂપ દીકરીની માના પેટમાં જ હત્યા કરી નાખતા આપણું હૃદય જરા પણ કંપે નહીં ! આનાથી હીન કત્ય બીજું કોઇ હોઇ ન શકે.

માના પેટમાં દીકરીની હત્યા કરનારાઓને મારે ચેતવવા છે. મજબૂરીથી કે ઇરછાથી પણ કોઇ માતા ભ્રૂણહત્યા કરાવતી હશે તો પણ તેના મન ઉપર હત્યારા હોવાનો બોજ અચૂકપણે રહેવાનો. આ મનોભાવને કારણે તેનાં અન્ય સંતાનોના ઉછેર ઉપર પણ વિપરીત અસર થવાની. ભવિષ્યમાં તેની કૂખેથી જન્મનાર સંતાનના મન ઉપર પણ અસર થયા વિના રહેશે નહીં.

સરવાળે આખું કુટુંબ અજાણપણે હત્યારાના મનોભાવ સાથે વિસ્તરશે, તેની મનોવૈજ્ઞાનિક અસરો કયારેય કુટુંબને સુખ, શાંતિ કે સંતોષ નહીં જ આપી શકે. એટલું જ નહીં, માતાના ગર્ભમાં જયારે ભ્રૂણહત્યા થાય છે ત્યારે માત્ર ભાવિ દીકરીની હત્યા થાય છે એવું નહીં, જન્મ આપનાર માતાના ‘મા’ પણાની પણ હત્યા થાય છે. શરીરથી તે સ્ત્રી હશે, માતા હશે... પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે તેનું માતાપણું મરી પરવાર્યું હશે, માતાપણા વિનાનું સ્ત્રીશરીર પરિવારને શું આપી શકશે? ઘણીવાર મને વિચાર આવે કે, આ અધમ કત્ય માટે કેવળ પુરુષ જ જવાબદાર હશે? પણ કમનસીબી એ છે કે, આ સમગ્ર પાપની અંદર જેટલો ભાગીદાર પુરુષ છે એટલી જ ભાગીદાર સ્ત્રી પણ છે.

દીકરાની લાલચમાં એ પણ આ પાપમાં ભાગીદાર બને એથી વધારે પીડાદાયક કોઇ બાબત ના હોઇ શકે! કોઇ એમ કહેતું હોય કે, આવું પાપ કરવા માટે નારી મજબૂર છે. ઘરમાં બિચારી ઉપર પતિ, સાસુ-સસરા દ્વારા દબાણ થાય છે, એટલે એણે આ પાપના રસ્તે જવું પડે છે. પરંતુ કોઇ મા એના પેટમાં રહેલા સંતાનને મારવા માટે તૈયાર થાય એવું કેવી રીતે બની શકે?

કરુણા... સંવેદના જ જેના સ્વભાવનો પિંડ છે એ મા જન્મતા પહેલાં જ એના બાળકની હત્યા કરે? જાણો છો, માનો સ્વભાવ? એને ખબર પડે કે એના પેટમાં જે સંતાન છે તે અપંગ જન્મવાનું છે તો પણ માતા કહેશે કે મારા નસીબમાં જે હશે તે... ભગવાનની જેવી ઇરછા.
પણ, હું એ સંતાનને જન્મ આપીશ, મોટું કરીશ. આ હિંદુસ્તાનની માતાનો સ્વભાવ અને સંસ્કાર છે. આપણે ત્યાં એવી દલીલો થાય છે કે, દીકરી તો સાપનો ભારો, દીકરી તો પારકે ધેર જતી રહેવાની, દીકરો હોય તો સેવા કરે, દીકરાથી જ વંશવેલો ચાલે, આ બધી જ દલીલ સાવ પાયા વગરની છે, ઓ... વંશવેલો વધારનારાઓ એ પણ તમારું દિવાસ્વપ્ન બની રહેવાનું છે.

અરે... કન્યા જ નહીં હોય તો વંશવેલો કયાંથી વધવાનો છે? હું તમને એવાં અનેક ઘર બતાવું કે જયાં ચાર-ચાર દીકરાઓ હોય છતાં બાપ વૃદ્ધાશ્રમની અંદર વલખાં મારતો હોય છે. એવાં અનેક ઘર છે જયાં દીકરાને જન્મ આપનારી જનેતા પર દીકરાએ હાથ ઉપાડયો હોય. સામે પક્ષે, એવાં એક નહીં અનેક ઉદાહરણો છે કે જયાં ઘરમાં એકની એક દીકરીએ મા-બાપનાં સુખ ખાતર પોતાનાં બધાં સુખ-ચેન છોડયાં હોય. પોતાનું સર્વસ્વ મા-બાપની સેવામાં સમર્પિત કરી દીધું હોય. જોજનો દૂર રહેતી દીકરી મા-બાપની ચિંતામાં અડધી -અડધી થઇ જતી હોય.

સંવેદનાનું બીજું નામ જ દીકરી, તો પછી દીકરા-દીકરીના ભેદ શા માટે? સમાજ કે રાષ્ટ્રજીવનનું કોઇ પણ ક્ષેત્ર તમે જોઇ લો, બહેનો દરેક ક્ષેત્રમાં આગળ નીકળી રહી છે. દસમા-બારમા ધોરણની પરીક્ષાનાં પરિણામ જોઇ લો, દસમાંથી છ કરતાં વધારે દીકરીઓ અગ્ર હરોળમાં આવી છે, રમત-ગમતમાં જેટલા સુવર્ણચંદ્રક છોકરાઓ લાવ્યા છે એટલા જ સુવર્ણચંદ્રક દીકરીઓ લઇ આવી છે. જીવનના દરેક ક્ષેત્રમાં દીકરીઓ ભાગીદાર બની રહી છે. તો પછી દીકરીની ભ્રૂણહત્યા શા માટે? દીકરા-દીકરી વચ્ચે કોઇ ભેદ હોય, એ કોઇ સુસંસ્કત સમાજનું લક્ષણ નથી.

સમાજજીવન ઈશ્વરદત્ત વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને જયારે પણ તોડીફોડી નાખવામાં આવે ત્યારે સમાજ એની જીવવાની બધી જ શકિત ગુમાવી દેતો હોય છે.અને તેથી,સ્ત્રી ભ્રૂણહત્યાની સામે લોકજાગૃતિ થવી જોઇએ, ભ્રૂણહત્યા સામે લોકાક્રોશ પ્રચંડ બનવો જોઇએ. માતા-બહેનોને એમનો અધિકાર મળે, એમને રક્ષણ મળે, વિકાસનો અવસર મળે, એમની શકિતઓ રાષ્ટ્રસેવામાં કામ આવે એવી મથામણ સાથે ‘બેટી બચાવો અભિયાન’ ઉપાડયું છે. સામાજિક સંગઠનોને પણ મારું આહ્વાન છે કે આ પવિત્ર કામમાં મદદ કરે. મીડિયા સ્ત્રી ભ્રૂણહત્યા સામે સમાજમાં એક રોષનું વાતાવરણ સર્જવામાં સહાયક બને.

મારી રાજકીય પક્ષોને વિનંતી છે કે, રાજકીય આટાપાટાથી દૂર રહી સમાજની ચિંતા અને સેવામાં ખભે ખભા મિલાવીને કામ કરીએ. સમાજમાંથી સ્ત્રી ભ્રૂણહત્યાના કલંકને મિટાવવા માતાઓની સક્રિય ભૂમિકા જ સૌથી ઉપકારક બની શકે છે. માતાઓને મારી એટલી જ વિનંતી કે, કોઇ માતા ભ્રૂણહત્યા માટે ઘરના લોકોને મંજૂરી આપે નહીં. ઘરમાં ગમે તેટલું દબાણ હોય, અત્યાચાર થાય, પણ એની સામે બાથ ભીડીને પણ દીકરીની રક્ષા કરજો. હું આપની સાથે છું, આ પાપ ધોવા માટે મારે આપની મદદ જોઇએ છે. ગર્ભમાં રહેલી દીકરીનો ચિત્કાર આપણે સાંભળીને આ અભિયાનમાં સહભાગી બનીએ.

દીકરી વિના પરિવાર અધૂરો છે, દીકરી વિના માતા-પિતાનું હૃદય સૂનું છે, દીકરી વિના માતૃત્વ -પિતત્વ પૂર્ણ નથી, બેટી એ પરિવારનું ગૌરવ હોવું જોઇએ, દીકરી તો ઘરનું ઘરેણું છે. ઊબડ-ખાબડ આ જિંદગીમાં, દીકરી ઝરણાની જેમ શાતા આપે છે. જિંદગીની વેરાન વન જેવી પળોમાં, દીકરી ફૂલદાની બની જિંદગી મહેકાવી આપે છે.

અરે, દીકરી જ તો છે જે તમને, તમારા નાનકડા ખાબોચિયા જેવા પરિવારમાંથી બહાર કાઢી સમાજના ઉબરે લાવી મૂકે છે. દીકરી એ તો તમારી જિંદગીનું કયારેય ન ઓસરે એવું સ્મિત છે. વેદનાથી ભરેલી જિંદગીમાં અટવાતા માનવીને, આશાની સરવાણી દીકરીમાં જ ડોકાય છે. દીકરો વર્તમાન હશે તો દીકરી આવતી કાલ છે, મા વગર સંસાર સૂનો છે, તો દીકરી વિના મા પણ અસંભવ જ છે.

બેટી બચાવો... બેટી વધાવો...

દરેક પરિવારની જવાબદારી છે, નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે, માનવતાની ઉત્તમ અભિવ્યકિત છે, વેદનાના ચિત્કાર સામે સંવેદનાની સોડમ છે. વર્તમાનના સુખની મૂર્ખતા નહીં, ઉજજવળ ભવિષ્યની બાંયધરી છે. પાપમુકત પરિવાર, ભાવયુકત સમાજ, સ્વસ્થ સંસારચક્ર, આ સઘળું દીકરી બચાવી, વધાવવાનું શ્રેય લઇએ.

Monday, March 2, 2009

IN ANTICIPATION - Adadiyu

In anticipation of 10 inches of snow, last night I prepared Adadiyu - a delicacy eaten during the cold season. Here's the recipe - I will try to post the picture of the final product.

1 bowl of coarse besan flour (the kind you use to make magaz or laddoo)
1/2 bowl udad daal flour (coarse is preferred - but the Indian stores only sell the fine one. So I used my handy Sumeet and made a coarse powder out of udad daal (white one))
1/2 bowl singoda flour (water chestnut flour)
lots of ghee
1 bowl of coarsely crushed almonds
1 bowl of chopped dates
1/4 bowl of methi seeds - fine powder
1 tablespoon of powdered elaichi
6 tablespoons of whipping cream - heavy or light
2 bowls of sugar - fine powder

I have an electric stove - all of this was done on a setting of 6.

Warm up a pan, put 2 ladles of ghee in it and the coarse besan flour. Keep on stirring it until the color changes to pinkish red. The flour will have fluffed up really well by this time. Take it off the stove and put 3 tablespoons of whipping cream in it. Mix it well. Pour this mixture into a huge mixing bowl. Make sure it is properly cooked - otherwise you will get the runs!!

Use the same pan, put 1 ladle of ghee in it and the udad daal powder. Keep on stirring it until the
color changes to very light brown. The flour will emit a strong udad daal smell. This is your clue that the flour is cooked. Take it off the stove and put 3 tablespoons of whipping cream in it. Mix it well and pour it with the besan in the huge mixing bowl.

Using the same pan, put 1/2 ladle of ghee in it and the singoda flour. The singoda flour will immediately turn brown. Don't panic. If you get your singoda flour freshly powdered from India - it will not turn brown. But God knows how old the singoda flours are in these Indian stores - so we just have to live with it. I was not able to tell by the color change that the singoda flour was cooked. But after 15 minutes of stirring constantly, it emitted a nice smell - which I took to be that it was cooked. Take it off the stove and mix it will the besan and udad daal mixture. There is no need to add whipping cream for this flour.

Using the same pan, put 1/4 ladle of ghee and cook the chopped dates. After 7-10 minutes, take it off the stove and mix it with all the flours. Mix all the flours together properly. Add the crushed almonds, powdered methi and elaichi - mix it well again. Add the sugar and add 1/4 ladle of ghee - mix it all thoroughly.

Take a big steel thali - rub a teaspoon of ghee all over it. Pour this mixture into the thali. Take a small katori (vadki), put a little ghee on the bottom of it and use this katori's bottom to smooth out the mixture in the thali. You should see a little ghee on top of your smoothened mix. You can sprinkle some chopped almonds or pistas on top for decoration. Start making the cuts as if you would, if you were making barfi. Store it in a container & refrigerate. You can enjoy this for 2 weeks.

Eat a piece of this adadiyu and a warm glass of milk before you venture out in the cold.

Enjoy!!