Monday, September 28, 2009

Happy Dassera


દુર્ગા બત્રીસી નામમાળા - Jahanvi Jani

જે મનુષ્ય દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી.

એક સમયની વાત છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઇને દુર્ગતિનો નાશ કરનારાં દેવી દુર્ગાએ કહ્યું, ‘દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું. તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુલર્ભ વસ્તુ પણ આપીશ.’
દુર્ગાદેવીનું આ વચન સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘હે દેવી, જે ત્રણેય લોકો માટે કંટકરૂપ હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો. એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઇ ગયું છે.

તમારી જ કપાથી અમને પોતપોતાનાં પદ ફરીથી પાછાં મળી ગયાં છે. તમે ભકતો માટે કલ્પવૃક્ષ છો. અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેથી અમારા મનમાં હવે કશું મેળવવાની અભિલાષા બાકી રહી નથી. અમને સર્વ કાંઇ મળી ગયું છે. તેમ છતાં તમારી આજ્ઞા છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને કશુંક પૂછવા ઇરછીએ છીએ.
હે મહેશ્વરી! એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઇને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો? હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો.’
દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગાદેવીએ કહ્યું, ‘હે દેવો! સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે. મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિનો નાશ કરનારી છે. ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઇ સ્તુતિ નથી. આ રહસ્યરૂપ છે. આને બતાવું છું, સાંભળો.’

જે મનુષ્ય મુજ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી. દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અંર્તઘ્યાન થઇ ગયા. દુર્ગાજીનું આ ઉપાખ્યાન જે સાંભળે છે તેના પર કોઇ વિપત્તિ આવતી નથી.