Wednesday, May 28, 2008

Gujarati Reading Material - May 28, 2008

અગણિત પાપોમાંથી મુકિત અપાવતું ‘અપરા એકાદશી’નું વ્રત - Courtesy જયેશ રાવલ

વૈશાખ વદ-૧૧ને ‘અપરા એકાદશી’ કહેવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુનું ‘વામન’ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. દશમના દિવસે જવ, ઘઉં અને મગમાંથી બનાવેલ અન્નનું એકવાર ભોજન કરવું, એકાદશીના દિવસે ઉપવાસ કરી રાત્રિ જાગરણ કરવું. બારસના દિવસે ભગવાનના વામન સ્વરૂપને કાકડીનું નૈવેધ ધરાવી પારણાં કરવાં. શાસ્ત્રમાં કહેવાયું છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને અપાર (અગણિત) પાપોમાંથી મુકિત મળે છે.

જે લોકો વૈધ (ડોકટર) થઈને ગરીબોનો ઇલાજ કરતા નથી, વિદ્વાન થઈને અનાથ બાળકોને જ્ઞાન આપતા નથી, સદાવ્રતી રાજા થઈને ગરીબ પ્રજાને સંભાળતા નથી, શકિતશાળી હોવા છતાં અપંગને આપત્તિમાંથી ઉગારી શકતા નથી, ધનવાન થઈને અસરગ્રસ્તોને સહાય નથી કરતા તેવા મનુષ્ય નરક ગતિને પામે તેવા પાપી હોય છે.

જનાર્દન શ્રીકૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવતાં કહ્યું, ‘તેમ છતાં હે રાજન! આવી વ્યકિતઓ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેઓ પાપમુકત થઈને વૈકુંઠને પામે છે. બ્રહ્મ હત્યા, ગૌહત્યા, ગૌત્ર હત્યા, ગર્ભસ્થ શિશુ હત્યા, પરનિંદા તથા પરસ્ત્રીગમન જેવાં અગણિત પાપોમાંથી મુકિત મેળવે છે.

મકરસંક્રાંતિમાં પ્રયાગ સ્નાન કરવાથી, કાશીમાં શિવરાત્રીનું વ્રત કરવાથી, ગયાજીમાં પિંડદાન કરવાથી, સિંહસ્થ ગુરુમાં ગોદાવરીમાં સ્નાન કરવાથી, બદરી યાત્રામાં કેદારનાથનાં દર્શન કરવાથી, સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દાન-દક્ષિણા કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય માત્ર ‘અપરા એકાદશી’નું વ્રત કરવાથી તથા તેનું માહાત્મ્ય સાંભળવાથી પ્રાપ્ત થાય છે. વ્રત ઉપવાસમાં આહાર નિયંત્રણનો ખ્યાલ આપણાં ધર્મશાસ્ત્રોમાં દર્શાવ્યો છે.

ઉપવાસ સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. પરંતુ બીમાર વ્યકિત તથા મધુપ્રમેહ (ડાયાબિટીસ) જેવી તકલીફ ધરાવતી વ્યકિતઓએ નકોરડા ઉપવાસ કરવા નહીં તે શાસ્ત્ર સંમત છે. એકાદશીના ઉપવાસમાં અન્નાહાર લેવામાં આવતો નથી, પરંતુ આ દિવસે ફળાહાર કરીને ઉપવાસ કરવામાં આવે છે.

વળી અવનવી ફરાળી વાનગીઓનો રસાસ્વાદ માણવાની પણ મજા આવે છે! સાબુદાણા, મોરૈયાની ખીચડી, સાબુદાણાની તળેલી સેવ, સાબુદાણાના પાપડ, બટાકાની સૂકી ભાજી, સૂરણનું શાક વગેરે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તે જ રીતે શિંગોડાના લોટમાંથી બનાવેલ વાનગીઓની મીઠાશ મઝેદાર હોય છે! મગફળી તેમ જ તલની બનાવટો પણ છૂટથી ખાઈ શકાય છે. કમળકાકડીના લોટમાંથી પણ વાનગીઓની બને છે.

એકાદશીના વ્રતમાં સમુદ્રી નમક (સાદું મીઠું)ના બદલે સિંધાલૂણ(સાંભરઝીલ)નો ઉપયોગ કરવામાં આવે છે. મોરસને બદલે સાકરનો ઉપયોગ ઇરછનીય છે.

ઉપવાસમાં પંચામૃત શ્રેષ્ઠ છે. તે જ રીતે કંદમૂળ, શક્કરિયાં, બટાકા, કાકડી વગેરે લઈ શકાય છે. કેળાંમાંથી બનાવેલ વાનગીઓ, વિવિધ ફળો, દૂધ અને સૂકામેવાનો પણ આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તત્ત્વત: એકાદશીનો ઉપવાસ નિર્જળા કરવાનું વિધાન આવે છે. તેમ ન બને તો નિરાહાર રહેવું જોઈએ. તેનાથી તન-મનની શુદ્ધિ થાય છે, અને પાચનતંત્રને વિરામ મળે છે. તેવું શકય ન હોય તો સાદો અને સાત્ત્વિક ફળાહાર કરવો જોઈએ. વ્રત નિમિત્તે બ્રાહ્મણને ‘સીધું’ પણ સાદું આપવું જોઈએ.
===================================================================
ભગવાન મહાવીર સ્વામીના ભાલે થતું સૂર્યતિલક - Courtesy ગણિવર્ય અરવિંદસાગ


૨૨મી મેના રોજ વાતાવરણ કયારેક વાદળછાયું હોય તો પણ બરાબર ૨.૦૦ વાગીને ૭ મિનિટે તો વાદળ હટી જાય અને સૂર્યતિલકનાં દર્શન થાય.

ગુજરાતમાં અર્વાચીન સમયમાં પ્રાચીન વિધાઓનાં સમન્વયવાળા જૂજ સ્થાપત્યોમાં શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનું સ્થાન વિશિષ્ટ છે. અહીંના દેરાસરમાં મૂળ નાયક ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્યદેવ પોતાનાં કિરણોનું તિલક કરે છે. એટલે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૦ વાગીને ૭ મિનિટે આ નયનરમ્ય દૃશ્ય સર્જાય છે. એટલું જ નહીં તેનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજયભરમાંથી આવે છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અદ્ભુત સમન્વય છે.

રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને શુભ આશીર્વાદથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાની સ્થાપના ૨૬મી ડિસેમ્બર, ૧૯૮૦ પછી કરવામાં આવી હતી. અહીં ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની ઈરછા હતી કે આ સ્થળે ધર્મ, આરાધના, જ્ઞાન-સાધનાની કોઈ એક નહીં પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થાય. તેમની આ ઈરછાને જૈનાચાર્ય પદ્મસાગરજી મ.સા.એ મૂર્તરૂપ આપ્યું. એટલું જ નહીં ‘આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર’નું નિર્માણ પણ આ જ વિશિષ્ટરૂપે થયું છે.

અહીં જે સૂર્યતિલક થાય છે તેની વિશેષતા પણ જાણવા જેવી છે. ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે દિવસ હંમેશાં બધાને યાદ રહે તે માટે કોઈ વિશિષ્ટ કòતિ તૈયાર કરવી જોઈએ. એવો વિચાર ચાલતો હતો ત્યારે જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તેમના શિષ્ય અરુણોદયસાગરજી મ.સા. તથા મુનિ અજયસાગરજી સાથે અમે મળીને તેમના આશીર્વાદ સાથે આ વિશિષ્ટ શિલ્પશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના સમન્વયથી સૂર્યતિલક થાય તેવી રચના કરી. એટલું જ નહીં તેમનાં અંતિમ સંસ્કાર સમયે એટલે કે બપોરે ૨.૦૦ વાગીને ૭ મિનિટે જ આ આહ્લાદક વિશિષ્ટ દૃશ્ય સર્જાય છે.

એ પણ એક કòપા ગણી શકાય કે ૨૨મી મેના રોજ વાતાવરણ કયારેક વાદળછાયું હોય તો પણ બરાબર ૨.૦૦ વાગીને ૭ મિનિટે તો વાદળ હટી જાય અને સૂર્યદેવ દેખાય. એક વર્ષેર્ તો એવું બન્યું હતું કે સખત વરસાદ પડયો હતો અને સૂર્યનારાયણ આકાશમાં જાણે અદૃશ્ય થઈ ગયા તેવું થયું હતું. આ જૉઈને બધા જ શ્રદ્ધાળુઓને એવું જ થયું કે આ વર્ષે સૂર્ય નહીં દેખાય અને અમને આ સૂર્યકિરણનાં વિશિષ્ટ દર્શન નહીં થાય. બધા જ હતાશ થઈ ગયા હતા. પરંતુ સાધુ ભગવંતોનો વિશ્વાસ મક્કમ હતો અને થયું પણ એવું જ કે બરાબર ૨.૦૭ની થોડીક ક્ષણો પહેલાં જ વરસાદ બંધ થઈ ગયો અને સૂર્યદેવે દેખા દીધી અને ચોક્કસ સમયે સૂર્યતિલક થયું ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થામાં વધારો થયો અને ગરછાધિપતિ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને બધાએ મનોમન યાદ કર્યા હતા. એક પણ વર્ષે એવું બન્યું નથી કે સૂર્યતિલકનાં દર્શન થયાં ન હોય. આ દર્શન માટે મુંબઈ સહિત રાજયભરમાંથી સેંકડો જૈન તથા અજૈન શ્રદ્ધાળુઓ મટી પડે છે.

આ દેરાસરમાં કલાત્મક સ્તંભ અને દરાવાજાઓ છે. સાથે પ્રથમ સ્તરે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામીની સુંદર પ્રતિમાજી તથથ અલગ-અલગ દેરીઓમાં ૧૩ પ્રતિમાઓનાં દર્શન થાય છે. ભૂમિતલ પર આદિશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાઓનાં દર્શન થાય છે.

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે વિશિષ્ટતાઓ છે. જે અંતર્ગત આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરનો સમાવેશ થાય છે. જૈન ધર્મ અને ભારતીય સંસ્કòતિનાં વિશ્વનાં વિશાળતમ સંગ્રહાલય અને શોધસંસ્થાનના સ્વરૂપમાં આ જ્ઞાનમંદિરનું વિશિષ્ટ સ્થાન છે તથા આરાધના કેન્દ્રનો આત્મા છે. અહીં
૧. દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર,
૨. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર,
૩. આર્યરક્ષિતસૂરિ શોધસાગર અને
૪. સમ્રાટ સમ્પ્રતિ સંગ્રહાલયનો સમાવેશ થાય છે.

અહીં આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, જયોતિષ, આયુર્વેદ, ઇતિહાસ-પુરાણ વગેરે વિષયોનાં સંબંધિત મુખ્યત: જૈન ધર્મ અને વૈદિક તથા અન્ય સાહિત્ય સંબંધી સાચવણી થાય છે. વાચકોને યોગ્યતાનુસાર ગ્રંથો મળી રહી તે માટે પણ વ્યવસ્થા છે. અહીં રહેલા ગ્રંથોમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી ઉપરાંત પર્શિયન, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરેબિક, તિબ્બટ, ભૂટાની વગેરે ભાષાઓના ગ્રંથોનો સમાવેશ થાય છે.

આજે જયારે પ્રાચીન લિપિના જાણકારો અને સમજનારાઓ વિદ્વાનો ઓછા થઈ રહ્યા છે ત્યારે વિદ્વાનો અને અઘ્યેતાઓને પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય વાચવામાં સુગમતા રહે તે માટે દેવનાગરી અને ખાસ કરીને પ્રાચીન જૈનદેવનાગરી લિપિનાં પ્રત્યેક અક્ષર-જોડાક્ષરમાં પ્રત્યેક શતકમાં કયા-કયા ફેરફાર આવ્યા અને તેનાં કેટલાં વૈકિલ્પક સ્વરૂપ મળે છે. તેનું સંકલન કરતા અનેક ચિત્રોનું કમ્પ્યૂટર પર એક ડેટાબેસમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારતીય પ્રાચીન સંસ્કૃતિની પ્રાચીનતા અને ભવ્યતાને સમાજ અને નવી પેઢીને પરિચિત થાય તે આનો ઉદ્દેશ્ય છે.

અહીં વિશિષ્ટ આરાધના ભવન આવેલું છે. જેમાં પ્રાકૃતિક હવા અને પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. અહીં સાધુ ભગવંતો સ્થિરતા કરીને પોતાની સંયમ આરાધનાની સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ઘ્યાન, સ્વાઘ્યાય વગેરેનો યોગ પ્રાપ્ત કરે છે. આ ભવન સ્થાપત્યકળાની દૃષ્ટિએ પણ એક વિશિષ્ટ ઉદાહરણ છે.

આ બધાં જ કાર્યોમાં જૈનાચાર્ય પદ્મસાગરજી મ.સા.ની પ્રેરણા રહી છે. તત્કાલીન ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ તથા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નાં અથાગ પરિશ્રમ, કુશળ માર્ગદર્શન અને સફળ સાનિઘ્યનાં ફળસ્વરૂપ શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાતીર્થ આજે એક જીવંત ઐતિહાસિક સ્મારક બની ગયું છે.

ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.
જેમની સ્મૃતિમાં દર વર્ષની ૨૨મી મેના રોજ સૂર્યતિલક થાય એવા ગરછાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના જીવન પણ બધા માટે પ્રેરણારૂપ હતું. તેમનો જન્મ વિ.સં.૧૯૭૧માં માગશર વદ ૬ના રોજ જગરાંવ(પંજાબ)માં થયો હતો. લાહોર વિશ્વવિધાલયમાંથી તેઓ સ્નાતક બન્યા હતા. તેમના દીક્ષા દાતા અને દીક્ષા ગુરુ મહાતપસ્વી મુનિ જિતેન્દ્રસાગરજી હતા. તેમને વિ.સં.૧૯૯૪ પોષ વદી ૧૦ના રોજ અમદાવાદ ખાતે દીક્ષા આપવામાં આવી હતી.

તેમને વિ.સં.૨૦૩૯માં મહુડી તીર્થ ખાતે જેઠ સુદ ૧૧ના રોજ ગરછાધિપતિ પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમની નિશ્રામાં ૮૦ જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. તેમની ગુણાનુરાગી વૃત્તિનો જ એ પ્રભાવ હતો કે વિભિન્ન જૈન ગરછો અને સમુદાયનાં સેંકડો સાધુ-સાઘ્વીજીઓ એમની પાસેથી માર્ગદર્શન લેતા હતાં. દેવદ્રવ્ય આદિની શુદ્ધતા માટે તેઓ વિશેષ જાગૃત હતા. તેમની પ્રેરણાથી અનેક જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળાઓનું નિર્માણ થયું. તેઓ વિ.સં.૨૦૪૧ની જેઠ સુદ બીજના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
==================================================================

Tuesday, May 20, 2008

Hmmm - Something I did not know..................

Eating aloo can help lose weight - Author: By The LifeAtWork Team

Potatoes not only give your body the fuel to burn fat, but satiate you too.

LEAN@WORK
If you are on a weight loss mission, rice, potatoes and pasta are probably banned from your shopping list, kitchen and plate. Author Porter Shimer writes why you might be making a big mistake, in his book, More Fat-burning Foods. We borrow the author’s shopping secrets, appetite-taming tricks and a list of top ten foods, to turn you into a lean, mean fat-burning machine.

Meet the carb-o-phobe
Himesh Reshammiya’s blue-eyed girl, Hansika Motwani avoids rice and roti in order to lose weight.
In Hollywood: Friends star Jennifer Aniston has sworn off carbs.

What it can do to you: Swearing off good carbs will deprive your body of fat-burning fuel. The high-fat, high-protein, low-carb Atkins Diet results in high cholesterol, high triglycerides and affects kidney functioning.

Fat-burning fact: There’s more fat in a single tsp of butter than in 10 pounds of potatoes.

Diets teach fat to fight back
Fad diets or calorie restrictions fail not just because they ask us to accept feeling hungry, but because they undermine the very biochemical process on which fat loss depends. To burn fat effectively, our bodies need energy - something that’s short in supply when dinner is little more than a salad or cup of soup. Without energy from the right food, your body cannot generate enough heat to get the fat burning as energy. In fact, the less we eat, the more stubborn our body fat becomes. The fewer calories we consume, the more inclined our bodies get to store these calories as fat.

Eat these top fat burning foods
Complex carbohydrates: This one’s for all carb-o-phobes, who can’t tell good carbs from the bad ones. Bagels, beans, oatmeal, pasta, rice and whole-grain breads, unlike simple carbs contain nutrients and step up the body’s metabolic rate.

Fruits: Apples, citrus fruits, kiwi, melons, peaches and strawberries.

Veggies: Asparagus, beetroot, broccoli, carrots, brinjal, onions, green beans, potato, yam.

Low-fat proteins: Chicken breast, egg whites, low-fat paneer, white meat.

Fat-burning for the health of it
Weight control aside, there’s another reason fat-burning foods should be on your table every day: They can be your meal ticket to better health. Studies by reputed organisations like American Heart Association and American Cancer Society show that a diet centred around these foods can help reduce risk of heart disease, strokes, diabetes, cancers of the cervix, prostate and breast, and high blood pressure.

Tricks for a leaner lifestyle
Mind games for taming your appetite - Research shows that we can help put our appetites at rest, by soothing our brain.

Here are some hunger-taming tricks:
Dim the lights: Studies by the Johns Hopkins University in Baltimore show that people tend to eat more in environments where lighting is bright and colours, vibrant. Try dimming the lights or using candles.

Dine from plainer plates: Plates with busy patterns tend to be appetite stimulants, according to studies.

Develop a taste for tepid tunes: The faster the music, the faster we eat, so, make your stereo selection accordingly.

In your kitchen
Best fat-fighting weapons:
Arm yourself with these utensils:
Non-stick frying pans and bake ware.
A ridged grill pan for cooking burgers, fish.
Steaming baskets for steaming veggies.
A fat-skimmer for skimming the surface fats from soups and gravies.
A blender for low-fat soups, sauces and shakes.
A good collection of low-fat cookbooks.

Fight fat at the supermarket
Don’t shop when you are hungry: Shopping on an empty stomach can lead to a heaped shopping cart. Try to shop after eating a satiating meal.
BUY fresh or frozen food rather than canned: Not only will you get more nutrition, you’ll also reduce sodium intake.
Know your best low-fat bargains: Your low-fat diet can also be a low-cost diet, if you keep track of this.

Thursday, May 8, 2008

Mother's Day Menu Disaster

Since I have moved from CA to MD - I am now closer to my side of the family. For the past two years, I have been having Mother's Day lunch and Christmas lunch at my house. I try and go all out - prepare a huge meal.

This year too, I had a grand menu planned with recipes that I had read on the other blogs that I visit. To tell you the truth, I was disappointed. Maybe it was my fault or maybe some key instructions were left out - but I am not making any dishes from other blogs - at least until the kadvahat is reduced.

My first dish that turned into a disaster was:
http://www.nandyala.org/mahanandi/archives/2006/04/19/sweet-potato-jamunsranga-alur-poli/

Usually my syrup is much thicker - according to this recipe - I did not make it thicker and it did not turn out well. The consolation was that the jamuns were so soft - very soft. They just melted in your mouth.

The second dish that turned into a disaster was: Majjige Huli - don't remember where I got it from. The curds and the sour cream separated when I put into the vessel - the look was not great, but everyone loved the taste.

The third dish that turned into a disaster was: acorn koftas in sauce - again don't remember where I got it from. Once again, as soon as I added the yogurt to the dish, it separated and started to look yucky. Taste was good but looks were yucky.

If you all know of a way to add the yogurt, without it being separated, pray do tell.

So, this mother's day my menu turned out to be:
rotli
bhaat
daal
kubi nu shaak (cabbage sabzi)
tuvar ringan nu shaak
khandvi
the majjige hule
the acorn koftas
sweet potato gulab jamuns
ras malai
papad
athana
salad
dahi

I am posting this on May 22 - it has taken me this long to cool down. Oh and BTW - my mother's day gift was a digital camera - after I figure out how to use it - will start posting pictures too.

Yeah!!



Monday, May 5, 2008

Gujarati Reading Material - 2

ભાગ્યની દેવીની કૃપાનો શુભયોગ અક્ષય તૃતીયા - Courtesy હરીશ શુકલ

અક્ષય તૃતીયાના દિવસે કરેલા પૂજનનું શુભફળ અવશ્ય મળે છે. ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નામકરણમાં બે શબ્દો છે, અક્ષય અને તૃતીયા. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય નથી થતો અને તૃતીયા એ તિથિ ક્રમ છે. અક્ષય એટલે જે વસ્તુ કે અવસ્થાનો કયારેય નાશ- ક્ષય ન થઇ શકે તે અવસ્થા. ક્ષય તેનો નથી થતો જે સર્વદા સત્ય છે.



હિંદુ કાળગણના મુજબ અક્ષય તૃતીયા એ સ્વયંસિદ્ધ ઇશ્વરીય તિથિ- સ્વયંસિદ્ધિ અભિજિત મુહૂર્ત છે. જે દિવસે તમામ માંગલિક કાર્યોમુહૂર્ત જોયાં સિવાય થઇ શકે છે.


અક્ષય તૃતીયા એટલે જે દિવસે કરવામાં આવેલ દાન-પુણ્ય-ધાર્મિક કાર્યો-સત્કાર્યોનાં પુણ્યનો કયારેય ક્ષય ન થાય તેવી તિથિ.અતિથિ સત્યયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ રોહિણી નક્ષત્ર અને બુધવાર હોય તો તે મહાન ફળ આપનારી હોવાથી રોહિણી નક્ષત્રમાં શિવની પૂજા કરી જળના ઘડાનું દાન કરનાર શિવલોકમાં પૂજાય છે.


વિષ્ણુ ધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આજે વિષ્ણુની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષય તૃતીયા કહેવાય છે. ભગવાન વિષ્ણુના અવતરણના આ દિવસે ભગવાન વિષ્ણુને ઉત્તમ સાથવો ધરાવી, અક્ષતનો હોમ કરી બ્રાહ્મણો-ભૂદેવોને ઉત્તમ સાથવો તથા પકવાન દાન કરવાથી સર્વતૃતીયાનું ફળ પ્રાપ્ત થાય છે.
અક્ષય તૃતીયાના પર્વ કાળે ઉનાળો તેના યૌવન પર હોવાથી આ પર્વે જળ, પંખા, ચરણપાદુકા, છત્રી વગેરેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય છે. જગતનો તાત ખેડૂત પણ તેનું કામ-ખેતીકામ આજના દિવસથી શરૂ કરતા હોવાથી તરસ્યા લોકો અને તરસી ધરતી માટે અતિ આવશ્યક જળ હોવાથી માનવીને માટે પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણીની પરબ તથા પશુઓના પીવાના પાણી માટે હવાડા બનાવવા પણ પુણ્યનું કાર્ય મનાય છે.


દેવાધિદેવ મહાદેવજીના પ્રિય ગોરખનાથજીનું કથન પણ છે જ કે સાધક જુનો હોય કે નવો, અનુભવી હોય કે બિનઅનુભવી કે પછી ઉરચારણમાં પણ નવો સવો હોય અર્થાત્ સાધકનું ઉરચારણ પણ પૂરેપૂરું શુદ્ધ ન હોય તો પણ તેને અક્ષય તૃતીયાના દિવસે કરેલ પૂજનનું શુભફળ અવશ્ય મળે છે.


ઐશ્વર્યની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કòપા મેળવવા માટે અક્ષય તૃતીયા શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. જે શ્રદ્ધાળુ ભાવિકને ત્યાં લક્ષ્મી ટકતી ન હોય સ્થિર ન રહેતી હોય તેમણે લક્ષ્મી પ્રાપ્ત કરવા તથા લક્ષ્મીની ચંચળતા સદાકાળ માટે સ્થિર કરવા તથા દુ:ખ દરિદ્ર દૂર કરવા અક્ષય તૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ પ્રકૃતિના વરદાન એકાંક્ષી નાળિયેરનું વિધિવત્ સ્થાપન કરી અર્થાત્ ઘરના ઇશાન ખૂણામાં બાજોઠ મૂકી તેના પર લાલ રંગનું વસ્ત્ર (આસન) બિછાવી સ્નાન-આદિ વિધિ પશ્ચાત્ અંગ પર રેશમી વસ્ત્ર ધારણ કરી આસન પર એકાંક્ષી નાળિયેર સ્થાપિત કરી તેના પર ચંદન-કંકુ પધરાવી, એકાંક્ષી નાળિયેરની ફરતે લાલ રેશમી વસ્ત્ર ઓઢાડવું અને લગભગ અડધો મીટર જેટલા શ્વેત અગર પીળા રેશમી વસ્ત્ર પર મંત્ર લખી ગંગાજળ-પુષ્પ-અક્ષત તથા નૈવેધ મૂકવાં. મંત્ર લેખન પહેલાં દીપ-ધૂપ અવશ્ય લખી પ્રગટાવવાં તેમજ મંત્રની ત્રણ માળા કરી મંત્ર જાપ કરવાં...

આ મુજબની પૂજનવિધિ પછીના બીજા દિવસે પ્રાત:કાળે સ્નાનાદિથી શુદ્ધ-પવિત્ર થઇ એકાંક્ષી નાળિયેર પર ૧૨૦ ગુલાબનાં ફૂલો ચઢાવવાથી આ એકાંક્ષી નાળિયેર સિદ્ધ થયું ગણાય છે. આ સિદ્ધ એકાંક્ષી નાળિયેરને નિત્ય પૂજા સ્થાને સ્થાપિત કરવું જેનું નિત્ય પૂજન કરનાર સર્વે સાધકોને લક્ષ્મી પ્રાપ્તિ-સ્થિરતા-સુખાકારી-સમૃદ્ધિમાં વધારો થવાના અનુભવે આનંદની પ્રાપ્તિ થાય છે. અલબત્ત લક્ષ્મી પ્રાપ્તિ માટે દીપાવલીના સમયે લક્ષ્મીપૂજનની પરંપરા જે ચાલી આવે છે તે તો યોગ્ય-ઉચિત જ છે પરંતુ લક્ષ્મીને સ્થિર કરવા માટે સદાકાળ માટે સ્થિર કરવા માટે તો અક્ષય તૃતીયાનું પર્વ જ શ્રેષ્ઠ સમય ગણાય છે.

રાષ્ટ્રમાં અક્ષય તૃતીયા મહોત્સવ
અક્ષય તૃતીયાનો દિવસ ભારતભૂમિમાં સર્વત્ર પરશુરામ જયંતીના પર્વ મહોત્સવ રૂપે ભવ્ય યાત્રા સાથે ધામધૂમથી ભારે દબદબાપૂર્વક ઊજવાય છે. ચારધામના ઉલ્લેખનીય ધામમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શનનો માર્ગ આજે ખૂલતાની સાથે જ અક્ષય તૃતીયાએ બદ્રીનાથમાં દર્શનાર્થી ભકતોનો માનવ મહેરામણ છલકાય છે.


આજે અહીં ભાવિકો શ્રદ્ધા-ભાવપૂર્વક ગંગાજળમાં સ્નાન કરી પુણ્યકાર્ય કરી કòતાર્થ બનતાં હોવાથી અહીં બદ્રીનાથ વિસ્તારમાં આ તિથિ બદ્રીનારાયણ દર્શન તિથિ તરીકે મનાવાય છે. વર્ષમાં એક જ વાત થતાં શ્રી વિહારીજીનાં ચરણદર્શન પણ વૃંદાવનમાં માત્ર અક્ષય તૃતીયના દિવસે જ થતાં હોવાથી આ દિવસે રાષ્ટ્રભરમાંથી ભાવિકો શ્રી વિહારીજીનાં ચરણ દર્શનાર્થે વૃંદાવન પધારે છે.


અયોઘ્યામાં આજે શ્રી ઠાકુરજીની વિશેષ અર્ચના થાય છે. વ્રજમાં આજે સ્ત્રીઓ વૈશાખસ્નાન કરી ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવી તે ગ્રહણ કરાય છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિન્દ ચંદન ચર્ચિત વિગ્રહનાં નિરાવરણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.


યાત્રાધામ જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય પણ આજથી જ પ્રારંભ થાય છે. ખેડૂતો દ્વારા ખેતરમાં બીજ રોપવાનો પ્રારંભ થાય છે. આજે અહીં ભવ્ય ચંદનયાત્રાનું પણ આયોજન થાય છે. બુદેલખંડમાં આજનું પર્વ પૌત્ર-પૌત્રઓનું પૂજન કરી સંપન્ન થાય છે, જે બાલિકાઓને અપરોક્ષ રૂપે સામાજિક જીવનની શિક્ષા આપે છે.


આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચાલતો ‘હલ્દીરોરી’ નામનો ઉત્સવ સંપન્ન થાય છે તથા ત્યાંના રિવાજ મુજબ પ્રત્યેક સ્ત્રીને જબરદસ્તીથી હઠાગ્રહપૂર્વક તેમના પતિદેવના નામનું ઉરચારણ કરવા ફરજ પડાય છે. સ્ત્રી જો તેના પતિનું નામ દોહામાં ઉરચારે તો તેને ખાસ આગવી રીતે બિરદાવાય છે, જેને ત્યાં ઉખાણા તરીકે ઓળખાય છે.


ગુજરાતમાં આજે ઘટ, વસ્ત્ર, પંખા તથા અન્ન દ્રવ્ય આદિનું દાન કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ પીવાનાં પાણીની પરબ પણ શરૂ થાય છે. આજે ‘શ્રીનાથજી’માં ભગવાનને વિશેષ કરીને મલયગિરિ ચંદન, શીતળ સામગ્રી તથા મોતીનાં આભરણ ધરાવાય છે અને કીર્તન પણ ગવાય છે. રાજસ્થાનમાં એવી માન્યતા પ્રચલિત છે તે મુજબ આજના દિવસે કરેલાં લગ્ન ખંડિત નથી થતાં તેથી હજારોની સંખ્યામાં બાળ-લગ્ન પણ થાય છે.


આજનો અક્ષય તૃતીયાનો દિવસ સ્વયંસિદ્ધ અભિજિત શુભમુહૂર્ત હોવાથી આજે લગ્ન-વિવાહ આદિ માંગલિક કાર્યો દેશમાં મોટી સંખ્યામાં સંપન્ન થાય છે. આમ, અક્ષય તૃતીયાનું પર્વમાં રાષ્ટ્રનાં રાજયોમાં આગવી રીતે ઊજવાય છે.



=================================================================

મનોવિકાર દૂર કરતી વરુથિની એકાદશી - Courtesy જયેશ રાવલ


ચૈત્ર વદ-૧૧ને ‘વરુથિની’ એકાદશી કહેવામાં આવે છે. આજના દિવસે સંસારના પાલનહાર પરમાત્મા વિષ્ણુની ભગવાન ‘મધુસૂદન’ સ્વરૂપે પૂજા-અર્ચના કરવાનું તથા સક્કરટેટીનું નૈવેધ ધરાવી તેનાથી પારણાં કરવાનું વિધાન છે.

વરુથ એટલે કવચ અને વરુથન એટલે કવચથી રક્ષાયેલું. આમ, વરુથિની એટલે સુરક્ષાકવચ એવો અર્થ થાય છે. તેના નામ પ્રમાણે જ ગુણ ધરાવનારી આ એકાદશીનું વ્રત કરવાથી મનોવિકાર દૂર થાય છે, અને આંતરિક બળ પ્રાપ્ત થાય છે. કુવિચારો, દુરાચારવૃત્તિ અને કુટેવોનું શમન થાય છે. સદ્વિચાર, સદાચાર અને સદ્ગુણોનું સુરક્ષાકવચ પ્રાપ્ત થાય છે.

યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ વરુથિની એકાદશીના વ્રતનું માહાત્મ્ય સમજાવ્યું હતું. ‘વરુથિની’ના વ્રતથી સુખની પ્રાપ્તિ અને પાપનો ક્ષય થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી માંધાતા તથા ધુન્ધુમાર જેવા અનેક રાજાઓ સ્વર્ગલોકને પામ્યા છે. દશ હજાર વર્ષની તપશ્ચર્યા કર્યાનું ફળ માત્ર વરુથિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે.

એકાદશીના દિવસે દાનનું મહત્ત્વ સમજાવતાં ભગવાન શ્રીકòષ્ણ કહે છે, કે ઘોડાના દાનથી હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન હાથીના દાન કરતાં પણ મોટું છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલના દાનનું છે. તલદાનથી સુવર્ણદાન અને સુવર્ણદાનથી અન્નદાન ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. કેમ કે, દેવતા, પિતૃ તથા મનુષ્ય એમ તમામ યોનિઓ અન્નથી જ તૃપ્ત થાય છે.

કન્યાદાન અને અન્નદાન સમાન રૂપે છે. કન્યાદાનના તુલ્ય ધેનુ (ગાય)નું દાન ગણાય છે. આ બધાં જ દાન કરતાં વિધાદાન સર્વોત્તમ છે. જે મનુષ્ય વરુથિની એકદાશીનું વ્રત નિયમપૂર્વક શ્રદ્ધાથી કરે છે, તેને વિધાદાનનું ફળ મળે છે.

જે મનુષ્ય પાપથી મોહિત થઇને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓના પુણ્યનો ક્ષય થાય છે. પુણ્યનો ક્ષય થવાથી નરક જેવી યાતના ભોગવવી પડે છે. તેથી કન્યા (પુત્રી, બહેન, ભાણેજ વગેરે સ્ત્રીધન)ના ધનથી બચવું જૉઇએ. તેને પોતાના કામમાં લેવું જૉઇએ નહીં. જેઓ પોતાની શકિત મુજબ કન્યાદાન કરે છે તેનાથી અનેકગણું પુણ્યબળ મળે છે. વરુથિની એકાદશીનું વ્રત કન્યાદાન સમાન ફળ આપનારું છે.

એકાદશીના દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસુર, ચણા, કોદરી, શાકભાજી, મધ, માંસાહાર, પરાયું અન્ન, બે વાર ભોજન, મૈથુન વગેરેનો ત્યાગ કરવો. ઉપરાંત નિંદક બાબતો, જુગાર રમવો, વધારે ઘવું, પાન ચાવવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી, હિંસા, ક્રોધ અને અસત્ય વચન-વગેરેનો પણ ત્યાગ કરવો જૉઇએ.

આ બધાનું પાલન દશમ-એકાદશી અને દ્વાદશી એમ ત્રણ દિવસ માટે કરવું. મહાત્મા ગાંધીજીએ પણ આ જ બાબતોને ત્યાગ કરવાના મહાવ્રત (નિયમોનું )જીવનમાં હંમેશાં પાલન કરવા માટે કહ્યું છે. રવિશંકર મહારાજ હંમેશાં એકાદશીનું વ્રત કરતા. જેમાં તેઓ દશમ અને બારસ સહિત ત્રણ દિવસના ઉપવાસ કરવા.

ભગવાન કહે છે, આ પ્રમાણેની વિધિથી વરુથિની એકાદશીનું વ્રત કરવું તેમજ રાત્રી જાગરણ કરી ભગવદ્ ભજન નામસ્મરણ કરવું. ભગવાન મધુસૂદનનું પૂજન કરવું. એકાદશીની કથાનું વાંચન અને શ્રવણ કરવું. જેનાથી બધાં પાપમાંથી મુકત થઇ પરમગતિ પ્રાપ્ત થાય છે. મનના વિકારો દૂર થાય છે. આ વખતે બે એકાદશી છે. સામાન્યપણે દશમયુકત ક્ષય પામતી એકાદશી પ્રથમ હોય છે, તેનું વ્રત શિવભકતો કરે છે અને દ્વાદશીયુકત એકાદશી બીજી હોય છે જે વૈષ્ણવ ભકતો પાળે છે. આજ રોજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પુરસ્કર્તા શ્રી મદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટય દિન છે. જેથી આ એકાદશીનું વૈષ્ણવ ભકતો માટે અનેક ઘણું મહત્ત્વ છે.

======================================================================

Thursday, May 1, 2008

RCI - RAJASTHANI CUISINE

To: Padmaja from "Spicy Andhra" blog, who is hosting RCI event this month - Rajasthani Cuisine.



GATTE KI SABJI

INGREDIENTS
Besan, Coriander powder, Ghee, yogurt, Salt, Oil, Red chilly powder, pinch of Haldar

METHOD
Mix besan while adding salt, red chili powder, coriander powder and ghee.
Make a stiff dough.
Make 5-6 thin and long strips of the dough.
Put these strips in boiling water and cook for 5 minutes.
Cut these strings or "gattas" into small pieces.
To the yogurt add salt, red chili powder, coriander powder and haldi.
Mix well.
Add the gatta pieces.
Do vaghar of oil, jeera and hing. Add the vaghar to the yogurt mixture.
Cook it for 5-7 minutes while stirring continuously till it comes to a boil.
Simmer the flame and cook for another 5-7 minutes.
At the end, do another vaghar with only red chili powder.
A complete meal would be this sabzi, pakora kadhi, or any thick kadhi, with roti. This is one of the items cooked during Jain Paryushan - when no green vegetables are eaten.


Bhindi
Ingredients:
onion seeds (kalonji), salt, red chili powder, bhindi or okra, besan, cumin powder, green chilies, coriander powder, fennel seeds or saunf or variyali, amchur powder, oil, garam masala powder, turmeric powder, cumin seeds

Preparation:
Wash and wipe bhindi, snip off the two ends and slit on one side.
Mix everything - bengal gram flour, fennel seeds and all other dry masalas except cumin and onion seeds. Mix in a tblsp of oil and salt and mix well.
Stuff this masala into the bhindi.
Heat up oil and mix in the remaining fennel seeds, cumin seeds, green chillies and onion seeds, fry for a minute - like vaghar.
Mix in bhindi and saute for 5 minutes, cover and frequently keep on stirring till they are cooked ~ about 15-20 minutes.
Uncover and stir till bhindi is crisp.
Serve hot. This tastes good, but drinks a lot of oil.


Moong Dal Ka Halva or mag ni dal no sheero

Ingredients:
Moong Dal, Ghee, Sugar ( 1 Moong dal : 1 Sugar : 2 Ghee)
Water, Badam, Pista, golden raisins

Preparation:
grind the moong dal to a coarse powder. Heat ghee in a pan and put the moong dal in it.
Saute on low flame till it turns golden brown and leaves a distinct aroma. Remove from the flame and set aside.
Heat water in a pan, add sugar and boil the mixture till sugar melts.
Put the moong dal mixture in this sugar syrup and cook on a low flame till the dal and sugar blends well.
Remove moong dal ka halwa from the flame and decorate it with chopped badam, pista and golden raisins.


Missi Roti
Ingredients:
Wheat flour, Red chili powder, Besan, Dhaniya Powder, Ghee, Jeera, Salt, Ajmo
Preparation:
Mix the wheat flour and besan together. Add oil and all the ingredients.
Mix well. Make a stiff dough. Roll into small and thick rotis and roast.
Brush missi roti slightly with melted ghee. Serve hot. Can be served with gatte ki sabzi.