Wednesday, August 27, 2008

Janmashtami - Krishna Leela

He more kanhaiya, he nandlala
tere daras se, ho jaaye ujala

he Krishn janam ka shubh din aaya
jeevan mein kitni khushiya laaya

he more kanhaiya, he nandlala
tere daras se, ho jaaye ujala

sab jan milke janamdin manaye
main chahu mera piya ghar aaye

ghar mera mandir, usko sajao
mere mohan ke manmein samao

he more kanhaiya, he nandlala
tere daras se ho jaaye ujala

***********************************************************
heyyyyyy savan ki ye ashtami
beet rahi hai raat
yada yada tumne hi kaha tha
kya tumko hai yaad

o mere kanha ab na satana (2)
tumko hai aana, o mere kanha (2)

radhe shyaam
radhe shyaam
radhe shyaam

phir se manaye janam tumhara
phir khul jaaye bhag hamara
bansi lakhutiya phirse dharna
phir maakhan ki chori karna
chori chori dil bhi churana

tumko hai aana, o mere kanha

radhe shyaam
radhe shyaam
radhe shyaam

man kehta hai, ban jao jogan (2)
main hu tumhari radha mohan
yug yug jaisi lagti duri
aas nahi kya hogi puri

o pyare mohan, dil na dukhana
tumko hai aana, o mere kanha

radhe shyaam (6)

he nand gher anand bhayo
jai kanhaiya lalki (2)

he hathi ghoda palki
jai kanhaiya lalki
*********************************************************************
નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... ભકિત વિનોદદાસ

દેવકી અને વસુદેવનો વિવાહ સંપન્ન થયા પછી દેવક રાજાએ પોતાની પુત્રીને સાસરે વળાવી. હવે દેવકી કંસની માનેલી બહેન હતી. બહેન અને બનેવીને સારું લગાડવા તે વરકન્યાનો રથ કંસ પોતે જ સારથી બની હંકારવા લાગ્યો. આ વિવાહસંપન્ન રસાલો મથુરા નજીક આવ્યો ત્યાં તો અચાનક વીજળીના કડાકા સાથે આકાશવાણી થઈ કે, ‘હે કંસ, તું જે તારાં બહેન-બનેવીનો રથ હાંકે છે તેમનું આઠમું સંતાન તારો નાશ કરશે.’

આ ભયંકર ગેબી અવાજયુકત આકાશવાણી સાંભળીને કંસ ક્રોધ ભરાયો અને દેવકીને તલવાર વડે મારી નાખવા તત્પર થયો. કંસના આકસ્મિત ક્રોધથી દેવકીને બચાવવા વસુદેવજીએ કંસને દિલાસો આપ્યો કે તે તેમના થકી જન્મેલા દેવકીનાં આઠેય સંતાનો કંસને આપશે, પછીથી સમસમી ગયેલો ક્રૂર કંસ શાંત થયો, પણ છતાંય તેણે વસુદેવજી અને દેવકીને મથુરાની જેલમાં કારાવાસની સજા કરી.

સમયના પ્રવાહમાં દેવકી થકી જન્મેલાં પોતાનાં છ સંતાનો વસુદેવજીએ કંસને સુપરત કયાô હતાં. તે બધાં જ કુમળાં નવજાત બાળકોને કંસમામાએ પથ્થર પર પટકીને મારી નાખ્યાં હતાં. હવે જયારે દેવકીને સાતમા બાળકનો પ્રસવ થવાનો હતો ત્યારે તે બાળકનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તેથી કંસને પહેરેગીરો થકી સમાચાર મળ્યા કે દેવકીને સાતમા સંતાનનો ગર્ભપાત થઈ ગયો છે. કંસ આ વાત સાંભળીને રાજી થયો.

ત્યાર પછી તે દેવકીને આઠમું સંતાન કયારે જન્મે છે તેની રાહ જોવા લાગ્યો.
ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયા થકી દેવકીના સાતમા ગર્ભનું વસુદેવની અન્ય પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાનાંતર થયું. તે દિવ્ય બાળકનું નામ બલરામ હતું. કંસના ત્રાસથી બચાવવા માટે વસુદેવજીએ તેમની બીજી પત્ની રોહિણીને ગોકુળમાં નંદ મહારાજના ધેર ગુપ્ત રીતે રાખી હતી, તેથી બલરામનો જન્મ ગોકુળમાં જ થયેલો. આથી બલરામજી વસુદેવજીના પ્રથમ પુત્ર હોવાથી તેઓ કૃષ્ણના મોટાભાઈ કહેવાય.

સ્વયં ભગવાન ગોલોકવાસી કૃષ્ણએ હવે દેવકીના આઠમા સંતાન તરીકે અવતરવાનો નિર્ધાર કર્યો. શ્રાવણ વદ આઠમ અને બુધવારના રોજ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં મથુરાની ભેંકાર અને અંધકારમય જેલમાં વસુદેવ અને દેવકી સમક્ષ મઘ્ય રાત્રિના બાર વાગ્યે દિવ્ય અજવાળાનો પ્રકાશ પથરાયો. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ-ચતુર્ભુજ (ચાર હાથવાળા વિષ્ણુ) રૂપે દેવકી-વસુદેવ સમક્ષ પ્રગટ થયા. વસુદેવ અને દેવકીએ તેમની દિવ્ય સ્તુતિ કરી. પછીથી તેમણે ભગવાન ચતુર્ભુજને જણાવ્યું કે, ‘હે ભગવાન, તમે બે હાથવાળા બાળકરૂપ બની જાવ.’ ભગવાન રાજી થઈને બે હાથવાળા નાનકડા નવજાત જન્મેલા માનવબાળ જેવા બની ગયા.

તેથી અહીં સ્પષ્ટ થાય છે કે શ્રીકૃષ્ણનો સામાન્ય માણસની જેમ જન્મ થતો નથી, પરંતુ તેઓ તો અવતરે છે અને પછીથી નાનાબાળરૂપ બનીને જીવનની દિવ્યલીલાઓનાં કાર્યોનો આરંભ કરે છે. માટે જ કૃષ્ણ ફકત માનવ, મહામાનવ કે કોઈ દેવ-દાનવ નથી, પરંતુ તેઓ તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન સાબિત થાય છે.
પોતાના નવજાત બાળકને બચાવવા અર્થે નંદરાયના ઘરે ગુપ્ત રીતે પહોંચાડવો જરૂરી હતો. હવે વસુદેવ અને દેવકીના હાથપગની લોઢાની બેડીઓ (સાંકળો) તૂટી ગઈ. જેલમાં દરવાજા આપોઆપ ખૂલી ગયા. જેના પહેરેગીરો અઘોરીની જેમ નિદ્રામાં પોઢી ગયા.


શ્રાવણવદને કૃષ્ણ પક્ષની આઠમની તે મેઘલી રાત્રે વસુદેવજી હેમખેમ યમુના કિનારે આવ્યા, પરંતુ યમુના નદીમાં તો ભારે વરસાદને કારણે પૂર આવ્યાં હોવાથી તે બંને કાંઠે ગાંડીતૂર થઈને વહેતી હતી, પરંતુ વાસુદેવજીએ હિંમતપૂર્વક યમુનામાં પ્રથમ પગ મૂકયો કે તરત જ યમુનાનાં જળ બે વિભાગમાં વહેંચાઈ ગયાં. આ રીતે વસુદેવજી માટેનું નિર્વિઘ્ન માર્ગ બન્યો. બાળકૃષ્ણનું ટાઢાં વર્ષાજળથી રક્ષણ કરવા માટે શેષનાગ (અનંતદેવ) દોડી આવ્યા અને તેમણે તેમની એક હજાર ફણાઓ વસુદેવજીની પાછળ રહીને ઉપર ફેલાવી.

અંતે વસુદેવ હેમખેમ બાળકòષ્ણને લઈને યમુનાને સામે કાંઠે આવેલા ગોકુળમાં પહોંચી ગયા. પછીથી તેમણે ગોવાળોના રાજા નંદરાયના મોટા મહેલ નંદાલયમાં પ્રવેશ કર્યો. ઇશ્વરીય દિવ્ય સંકેતોના આધારે આ બાજુ નંદરાય પણ વસુદેવના આવવાની રાહ જોતા હતા. હકીકતમાં તે બંને મિત્રો હતા. નંદરાયજીએ પરિસ્થિતિનો તાગ પામીને વસુદેવને આવકાર્યા. ત્યાર બાદ બંને વરચે ખાનગીમાં મસલત થઈ. એ જ રાત્રિએ નંદરાયનાં પત્ની યશોદાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. હવે યશોદાજી પ્રસવ પીડાને લીધે બેભાન હતાં. તેથી બાળકોની અદલાબદલી કરીને નંદરાયજીએ બાળકી વસુદેવજીને આપી અને બાળકૃષ્ણને યશોદાજીની સોડમાં સુવડાવ્યા. ત્યાર પછી વસુદેવજીએ સત્વરે મથુરાની વાટ પકડી અને પુન: તેઓ મથુરાની જેલમાં આવી ગયા. આ રીતે તેમના મઘ્યરાત્રિ દરમિયાનનાં અંગતકાર્યોની મથુરામાં અન્ય કોઈને જાણ થઈ જ નહીં.

પરંતુ એ જ રાત્રિએ મથુરાની જેલમાં વસુદેવ થકી દેવકી પાસે લવાયેલી નાની બાળકીએ તાજા જન્મેલા બાળકની જેમ રડવાનું શરૂ કર્યું. આ બાળરુદ્દનનો અવાજ સાંભળીને પહેરેગીરો જાગી ગયા. તેમણે તરત જ આઠમું બાળક જન્મ્યું હોવાના કંસને સમાચાર આપ્યા. પછીથી તો કંસ ખુલ્લી તલવાર લઈને સીધો જ વસુદેવ અને દેવકી સમક્ષ જેલમાં ધસી આવ્યો. ત્યાર પછીથી કંસે આ આઠમું સંતાન પોતાનો કાળ હોવાનું સમજીને બાળકીને શિલા પર પછાડવા ગયો કે તરત જ તે બાળકી કંસના હાથમાંથી છટકીને આકાશમાં ઉપર ચાલી ગઈ. ત્યાં અવકાશમાં તે બાળકીએ કંસને જણાવ્યું કે, ‘હે કંસ! તું મને શું મારી શકવાનો હતો, તને મારનાર તારો કાળ તો કયારનોય જન્મી ચૂકયો છે.’ આ સાંભળીને કંસ અવાક થઈ ગયો અને પોતાના મહેલમાં ચાલ્યો ગયો.

હવે યમુનાને પેલેપાર ગોકુળમાં શ્રાવણ વદ નવમી તિથિના દિવસે પ્રાત:કાળે (સવાર)માં યશોદા મૈયાને ભાન આવ્યું પછીથી યશોદાજીને ખબર પડી કે તેમને પુત્રરત્ન (કનૈયા)ની પ્રાપ્તિ થઈ છે, પોતાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હોવાનું પ્રત્યક્ષ જાણીને યશોદામૈયા ખૂબ જ રાજી થયાં. આ મંગલમય સમાચાર સમગ્ર ગોકુળમાં વાયુવેગે પ્રસરી ગયા. જયારે ગોવાળો અને ગોપીઓને ખબર પડી કે યશોદામૈયાએ પુત્રને જન્મ આપ્યો છે ત્યારે તેઓ આબાલ-વૃદ્ધ-નરનારી સર્વે નંદાલયમાં ભેટ સામગ્રીઓ લઈને શ્રીનંદ-યશોદાજીને હાર્દિક રીતે વધાવવા દોડી આવ્યાં. ગોકુળમાં મોટા યજ્ઞ સહ બાલકòષ્ણના નવજાત સંસ્કારો અર્થે મહામહોત્સવ યોજવામાં આવ્યો.

મંત્રવેત્તા બ્રાહ્મણોને તેડવવામાં આવ્યા. બાળકòષ્ણનો પંચમૃત થકી અભિષેક કરવામાં આવ્યો. ષોડ્શોપચાર વિધિથી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું. ગોપીઓ અને ગોવાળોએ ઉત્સાહપૂર્વક ઉત્સવના આનંદમાં નાચીને શ્રીકòષ્ણનાં કીર્તનગાન ગાયાં. ‘નંદ ધેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.’ ત્યાર પછીથી ગોપ-ગોપીઓના સમુદાયે મહાનંદ નવમી (નંદોત્સવ) તિથિની ઉજાવણી કરી. પાંચ હજાર વર્ષોપછી વર્તમાન કળિયુગમાં પણ લોકો જન્માષ્ટમી અને નંદોત્સવનો ઉત્સવ મોટા ઉત્સાહ અને વિશાળ પાયે જવે છે.

આ પ્રક્રિયા થકી સાબિત થાય છે કે કòષ્ણ સામાન્ય વ્યકિત નથી પણ અક્ષર અવિનાશી લીલા પુરુષોત્તમ પરંબ્રહ્મ ભગવાન છે. પછીથી તો અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોપાલ કૃષ્ણએ ગોકુળ અને વ્રજવૃંદાવનની લીલાઓ વિસ્તારી.
મથુરામાં કંસ રાજાએ કૃષ્ણ - બલરામની ખ્યાતિ સાંભળી. તેથી તેણે મલ્લયુદ્ધ માટે અક્રૂર થકી કૃષ્ણ- બલરામને મથુરા તેડાવ્યા. ત્યાં મામા કંસને પટકીને મારી નાખ્યો. પુન: યાદવો મથુરામાં એકઠા થયા.

શ્રીકૃષ્ણ-બલરામજીએ પોતાનાં માતા-પિતા દેવકી વસુદેવ અને મથુરાના રાજા ઉગ્રસેનને જેલમાંથી આબાદ મુકત કર્યા. ત્યાર પછી મથુરાની લીલાઓ થોડા સમયમાં પૂર્ણ કરીને શ્રીકૃષ્ણ દ્વારકાધીશ રણછોડરાય તરીકે પધાર્યા. આ રીતે પોતાના અવતાર ઉદ્દેશ્ય પૂર્ણ કરીને આ પૃથ્વી પર એકસો પરચીસ વર્ષ પ્રગટ લીલાઓ કરીને અંતે ભગવાન શ્રીકòષ્ણ અને બલરામજી સ્વધામ ગોલોકમાં સિધાવ્યા.

જન્માષ્ટમી પર્વનો આ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. કૃષ્ણભાવનામૃતને જીવનમાં સ્થાન આપીને કૃષ્ણના નિષ્ઠાવાન ભકત થવું એ જ જન્માષ્ટમી પર્વનો ભગવદ્ સંદેશ છે. જય શ્રી કૃષ્ણ!

***************************************************************************

શ્રીકૃષ્ણની રાસભૂમિ - હિમાલી સિદ્ધપુરા

વૃંદાવન એ સર્વત્ર નાનાં-મોટાં કુંજથી બનેલું વન છે. અહીં સેવાકુંજ, નિધિવન, ચીરઘાટ, કાલિદાહ, બાંકે બિહારી, બિરલા મંદિર, મહાપ્રભુજીની બેઠક વગેરે જગ્યાનું પોતાનું આગવું મહત્ત્વ છે. સેવાકુંજમાં ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીની સેવા કરી હતી અને તેનાં ચરણ દબાવ્યાં હતાં. તેથી તે સેવાકુંજ તરીકે ઓળખાય છે.

નિધિવન એ આજના સમયમાં પણ અલૌકિક, દિવ્ય, રહસ્યમય, ઘટનાઓના સાક્ષી સ્વરૂપે વૃંદાવનમાં વસેલું છે. અહીં અનેક વૃક્ષોની અંદર નાનાં કુંજ જેવો આકાર બનેલો છે અને આ જગ્યાને ખાસ રાધાજીના શૃંગાર માટેની માનવામાં આવે છે. જયાં દરરોજ રાત્રે રાધાજીનો સંપૂર્ણ શંòગાર, લાડુ, પાણીની જારી, તુલસીનાં પાન અને દાતણ સાથે મૂકવામાં આવે છે અને દરેકના આશ્ચર્ય વરચે આ દરેક સામગ્રી સવાર થતાં વિખરાયેલી પડી હોય છે અને જાણે રાધાકòષ્ણના આગમનની મૂક સાક્ષી બનીને ભી હોય એવું લાગે છે. સાંજ પડયા બાદ આ નિધિવનમાં દ્વાર બંધ કરી દેવાય છે અને કોઈને પણ ત્યાં પ્રવેશવાની મનાઈ હોય છે. ત્યાં સુધી કે નિધિવન તરફ જે ઘરનાં બારી કે દરવાજા પડતાં હોય તેને પણ સાંજ પડયા પછી બંધ રાખવામાં આવે છે.

આ ઉપરાંત વૃંદાવનમાં ચીરઘાટ પણ છે કે જયાં શ્રીકૃષ્ણએ ગોપીઓનાં ચીરહરણ કર્યા હતાં. ત્યારબાદ કાલિદાહ કે જયાં કાલિનાગનું દમન કરી યમુના નદીને વિષમુકત કરી હતી, તે પણ પોતાનું આગવું આકર્ષણ ધરાવે છે. આ ઉપરાંત બાંકે બિહારીનું મંદિર તથા બિરલા મંદિર જેવી રમણીય જગ્યાઓ પણ આવેલી છે. જયાં શ્રીકૃષ્ણના ચરણરજની મહેક આજે પણ એવી જ તાજગીથી આવે છે.

અહીં વૃંદાવનમાં મહાપ્રભુજીની બેઠક પણ આવેલી છે અને તેની સામે એક એવી પણ જગ્યા છે કે અહીં શંકર ભગવાન ગોપી સ્વરૂપે આવી શ્રીકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા.

શ્રીકૃષ્ણનાં જન્મનાં ૫૦૦૦ વર્ષ પછી પણ આજેય આ જગ્યા ઉપર શ્રીકૃષ્ણનું અસ્તિત્વ જાણે જીવંત બની ધબકતું હોય એવું લાગે છે આ મહારાસની પાવનભૂમિ ‘વૃંદાવન’.

******************************************************************************

શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો - હરેશ દવે

યોગશ્વર ભગવાન શ્રીકૃષ્ણનો ઘણોખરો સમય સૌરાષ્ટ્રમાં વીત્યો હતો. મથુરાના રાજા કંસના વધથી તેના સસરા મગધ નરેશ જરાસંધ ખૂબ જ ક્રોધિત થયા. તેનું વેર વાળવા શ્રીકૃષ્ણને પરાસ્ત કરવા તેણે કાલયવન નામના અસુરને મોકલ્યો. શ્રીકૃષ્ણ સમજી ગયા કે, કાલયવનને બળથી પહોંચી નહીં શકાય, તેથી મથુરાથી ભાગ્યા. રણમેદાન છોડીને ભાગ્યા એટલે તેઓ ‘રણછોડ’ તરીકે ઓળખાયા.

કિંવદંતી અનુસાર ભાગતા ભાગતા તેઓ ગિરિનગર (જૂનાગઢ) આવ્યા.
મુચકુંદરાજાની કથાનુસાર તેમણે કઠોર તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને પોતે નિદ્રાધીન થવા ઇરછે છે તેવી ઇરછા પ્રગટ કરી. સૂઈ ગયા બાદ નિદ્રામાંથી તેમને જે કોઈ જગાડશે તે અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય તેવું વરદાન માગ્યું. જે ભગવાને આપ્યું. આ પછી તેઓ ગાઢનિદ્રામાં સરી પડયા.


યોગબળથી આ વાત જાણનાર શ્રીકૃષ્ણ ગુફામાં પહોરયા. પોતાનું ઉપવસ્ત્ર નિદ્રાધીન મુચકુંદ રાજાને ઓઢાડી દઈ પોતે છુપાઈ ગયા. આ બાજુ તેમની પાછળ આવતા કાલયવને ક્રોધિત થઈ, સૂતેલા રાજાને શ્રીકૃષ્ણ સમજી પગેથી લાત મારી. નિદ્રાભંગ થયેલા મુચકુંદ રાજાનાં નેત્રોમાંથી નીકળેલી અગનજવાળાઓથી કાલયવન ભસ્મીભૂત થઈ ગયો. આજે પણ મુચકુંદ ગુફા અહીં છે જ. આ પછી શ્રીકૃષ્ણએ દ્વારિકાની મુલાકાત લીધી. ચારે તરફ ધૂધવતા સમુદ્રનાં મોજાવાળી આ જગ્યા તેમને સલામત લાગી અને તેમણે દ્વારિકામાં રહેવાનું પસંદ કર્યું.
શ્રીકૃષ્ણના રુકિમણી સાથેનાં લગ્ન માધવપુર (ધેડ)ના મધુવનમાં થયા હતા. આજે પણ લગ્નની ચોરીના સ્તંભો મોજૂદ છે.


પ્રતિવર્ષ રામનવમીના પર્વે અહીં શ્રીકૃષ્ણ રુકિમણીના વિવાહનો પ્રસંગ આજે પણ જવાય છે. આવી જ રીતે શ્રીકૃષ્ણની એક પટરાણી જાંબુવતીના નામ સાથે સંકળાયેલી જાંબુવાનની ગુફા પોરબંદર પાસે છે.


મહાભારતના યુદ્ધ બાદ ૩૬ વર્ષે શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકા દરિયાનાં મોજામાં (સુનામી) ડૂબી ગઈ. યાદવકુળને લઈને શ્રીકૃષ્ણ અને બલરામજી પ્રભાસપાટણ ગયા. જયાં યાદવાસ્થળીમાં બધા યાદવો અંદરોઅંદર લડીને કપાઈ મર્યા. શેષનાગનો અવતાર ગણાતા બલરામજીએ જીવનલીલા સંકેલી લીધી. જયારે ભાલકા ક્ષેત્રમાં પારધીના બાણથી શ્રીકૃષ્ણની જીવનલીલા સમાપ્ત થઈ.


આમ આ મહાન યુગપુરુષના જીવનનો મોટોભાગ સૌરાષ્ટ્રમાં પસાર થયાનું અને તરુણ વયે તેઓ સૌપ્રથમ જૂનાગઢ આવ્યા હોવાનું શ્રીકૃષ્ણ ભકતો આજે પણ માને છે.

***********************************************************************

કૃષ્ણં શરણં ગરછામિ - Gunvant Shah

પાંચેક હજાર વર્ષોવીતી ગયાં તોય કòષ્ણનો જાદુ ઓસરવાનું નામ નથી લેતો. કવિઓ જેને ‘પ્રેમ-પદારથ’ કહે છે, તેનું મહત્ત્વ આવનારી સદીઓમાં વધતું જ રહેવાનું છે. પરોપકાર, કરુણા, અહિંસા અને અપરિગ્રહ જેવાં સુલક્ષણો માનવજાતના યોગક્ષેમ માટે જરૂરી છે. પ્રેમની વાત જરા જુદી છે. પ્રેમ મનુષ્યની જરૂરિયાત છે.
પ્રેમશૂન્ય જીવન તો મરુભૂમિ ગણાય. કરુણા કે અહિંસા ન કેળવાય તોય જીવન નભી જાય છે. પ્રેમ વિના તો જીવવું જ ભારે પડી જાય. કòષ્ણ પ્રેમના પરમેશ્વર છે. માણસને પાણી વિના ચાલે, તો પ્રેમ વિના ચાલે! પ્રેમની તરસ પણ પવિત્ર છે અને પ્રેમની તૃપ્તિ પણ પવિત્ર છે. આપણી પૃથ્વી પ્રેમ પર ટકેલી છે. પ્રેમ જયારે પરમેશ્વર તરફ વળે ત્યારે તને ‘ભકિત’ કહે છે. નારદ કહે છે: ભકિત પ્રેમસ્વરૂપા અને અમૃતસ્વરૂપા છે.
કòષ્ણને ભકતો પ્રત્યે ખાસ પક્ષપાત છે. ભગવદ્ગીતામાં પ્રગટ થયેલાં કòષ્ણનાં થોડાંક વિધાનોમાં આવો રળિયામણો પક્ષપાત જૉવા મળે છે:૧. ન મે ભકત: પ્રણશ્યતિ ૨. યો મદ્ભકત: સ મે પ્રિય:૩. ભકિતમાન્ ય: સ મે પ્રિય:૪. ભકિતમાન્ મે પ્રિયો નર:૫. યો મે ભકત: સ મે પ્રિય:૬. ભકતા: તે અતીવ મે પ્રિયા:કòષ્ણના આવા પક્ષપાતનો પ્રતિસાદ ભકતોએ પણ આપ્યો છે. ભકતોએ બાળકòષ્ણને લાડ લડાવ્યા છે, ગોપીકòષ્ણને વહાલ કર્યું છે અને ગીતામાં પ્રગટ થતા યોગેશ્વરને ભીના હૃદયથી ભજયા છે. વૈષ્ણવ હોવું એ અકસ્માત છે, વૈષ્ણવજન હોવું એ સંપ્રાપ્તિ છે.
એકવીસમી સદીમાં ભકિતના નવા આયામને ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ કહે છે. જગતના સૌ ભકતોએ ડેનિયલ ગોલમેનનું પુસ્તક અવશ્ય વાંચવું જૉઇએ. બુદ્ધિશકિત (ત્.મ્.) કરતાં પણ માનવીની લાગણીઓનું મહત્ત્વ વધારે છે. માણસ વાતવાતમાં કહે છે: ‘મારું હૃદય આ વાત માનવા તૈયાર નથી.’ હૃદય નામના સ્નાયુ કે પંપની એ વાત નથી. હૃદયને ડેનિયલ ‘ઇમોશનલ બ્રેઇન’ કહે છે. પોતાના ‘સ્વ’ અંગે સભાન એવા લોકો પોતાના લાગણીતંત્ર અંગે જાગ્રત હોય છે.
આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં હૃદય માટે ‘માંહ્યલો’ શબ્દ છે. અંગ્રેજીમાં ‘કોન્શિયન્સ’ એટલે માંહ્યલો. બધી ટીવી સિરિયલો, બધી ફિલ્મો અને બધી વાર્તાઓ ‘હૃદયના સત્ય’ પર આધાર રાખનારી હોય છે. સેંટ એકયુપેરીની વિખ્યાત લઘુનવલ, ‘ધ લિટલ પ્રિન્સ’માં ટચૂકડા રાજકુમાર દ્વારા બોલાયેલું વાકય સાંભળો:
‘માણસ હૃદય દ્વારા જે જુએ, તે જ ખરેખરું જુએ છે.જે હાર્દ હોય છે, તે આંખને દેખાતું નથી.’
ગમે તેવું દુષ્કòત્ય કરવા તૈયાર થયેલા મનુષ્યને અંદરનો અવાજ અચૂક સંભળાય છે કે એ કરવા જેવું કòત્ય નથી. અંતરના કે માંહ્યલાના એ ધીમા છતાં સ્પષ્ટ અવાજનો અનાદર કરવાની ટેવ પડી જાય પછી જ કદાચ મનુષ્યને વી.આઇ.પી.નો દરજજૉ પ્રાપ્ત થાય એમ બને. જિગર મુરાદાબાદીનો શેર આપણને કપટમુકત થવા પ્રેરે તેવો છે:
તુમ જમાને કી રાહ સે આયે,વરના સીધા થા રાસ્તા દિલ કા.
ભકત બુદ્ધિ કહે તેમ કરે, તોય એને હૃદયના અવાજ પર વધારે શ્રદ્ધા હોય છે. સાચો ભકત કદી અંધશ્રદ્ધાળુ નથી હોતો. ભકિત જયારે વેવલાપણાને પનારે પડે ત્યારે પ્રદૂષિત બને છે. કòષ્ણે ગીતામાં અવ્યભિચારિણી ભકિતનો મહિમા કર્યોછે. એકનિષ્ઠ ભકિત અપ્રદૂષિત હોય છે, કારણ કે એ પ્રભુનિષ્ઠ અને કòષ્ણનિષ્ઠ હોય છે. ભકતની ખરી નિષ્ઠા પોતાની ભીતર બેઠેલા કòષ્ણ પ્રત્યે હોવી જૉઇએ. કòષ્ણને જગદ્ગુરુ કહ્યા છે. એમની અને ભકતની વરચે કોઇ દલાલોની જરૂર નથી. ભીતર બેઠેલા કòષ્ણ (ઇશ્વર: સર્વભૂતાનાં હૃદ્રેશેર્જુન તિષ્ઠતિ) એટલે હૃદયપ્રદેશમાં વિરાજમાન પ્રભુ. એને માટે ગીતાના તેરમા અઘ્યાયમાં બે શબ્દો પ્રયોજાયા: (૧) ઉપદ્રષ્ટા (૨) અનુમન્તા.
ઉપદ્રષ્ટા, એટલે અમ્પાયર. એ રમત જૉતો હોય તોય કોઇ પણ ટીમની હારજીત અંગે અલિપ્ત હોવાનો. અનુમન્તા એટલે અનુમતિ આપનારો ન્યાયમૂર્તિ. આપણો માંહ્યલાના કહ્યામાં હોઇએ તો ઘણાં અનિષ્ટોથી બચી શકીએ. માંહ્યલો ચેતવણી આપે છે. આપણે એની અવગણના કરવા ટેવાઇ ગયાં છીએ. બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિએ મહાન સત્ય સંભળાવ્યું: ‘હૃદયેન હિ સત્યં જાનાતિ.’ માણસનું મન જૂઠું બોલે છે, હૃદય કદી જૂઠ્ઠું નથી બોલતું. આપણો અંતરાત્મા (કોન્શિયન્સ) જૂઠી વાતને અનુમતિ નથી આપતો. એનો અવાજ અવગણવાની કુટેવ દૂર થાય તો પાપ કરવાનું આપોઆપ ટળે. ખૂન કરવા ગયેલા ખૂનીને પણ અંદરનો અવાજ રોકે છે, પરંતુ પાપી તેની ઉપેક્ષા કરતો હોય છે.
શરણાગતિ એટલે ભકિતમાર્ગનું એવરેસ્ટ! એક મનુષ્ય બીજા મનુષ્યને શરણે શા માટે જાય? એ જ મનુષ્ય અહંકાર ત્યજીને પ્રભુને શરણે જાય તો પરમ શાંતિ પામે એવું ગીતામાં કહ્યું છે. ગીતાનો અઢારમો અઘ્યાય શરણાગતિનું સૌંદર્ય પ્રગટ કરનારો છે. બધા ધર્મોમાં શરણાગતિનો મહિમા થયો છે. બૌદ્ધ ધર્મમાં બુદ્ધને, સંઘને અને ધર્મને શરણે જવા માટેનો મંત્ર જાણીતો છે. જૈન ધર્મમાં આચાર્યને, ઉપાઘ્યાયને, સિદ્ધને અને અરિહંતને શરણે જવાનો મહિમા ‘ચત્વારિ શરણં’ તરીકે જાણીતો છે. ઇસ્લામ એટલે જ એકમાત્ર અલ્લાહને શરણે જવું. ગીતાની માફક આપણા જીવનનો અઢારમો અઘ્યાય જયારે આપણે અહંકારશૂન્ય બનીને કòષ્ણને શરણે જઇએ, ત્યારે શરૂ થાય છે. જીવનના છેલ્લા વર્ષ સુધી પૈસા અને પદવીની પાછળ ભમવું એ અપરિપકવતા છે. આપણે ત્યાં એંશી વર્ષના વડીલોને ‘નાદાન’ કહેવાનો રિવાજ નથી. બાકી અસંખ્ય નાદાન ડોસાઓ ઠેર ઠેર નજરે પડે છે.
અઢારમા અઘ્યાયના ૬૩મા શ્લોકમાં કòષ્ણ અર્જુનને કહે છે: ‘તને મેં ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન આપ્યું. હવે તું પૂરેપૂરો વિચાર કરીને (વિમૃશ્ય એતદ્ અશેષેણ) પછી જેમ ઇરછે તેમ કર (યથેરછસિ તથા કુરુ).’ કòષ્ણ તરફથી થતું આ ડેમોક્રેટિક ડેકલરેશન છે. પ્રત્યેક પરિવારમાં માતાપિતાએ પોતાનાં સંતાનોને વારંવાર કહેવું જૉઇએ: ‘યથેરછસિ તથા કુરુ.’ આટલું કહ્યા પછી કòષ્ણ અર્જુનને કહે છે: ‘હે પાર્થ! હું તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું મને પ્રિય છે. (સત્ય તે પ્રતિજાને પ્રિયો’ સિ મે).’ બધા પ્રયત્નોને અંતે જાણે થાકયા હોય એમ કòષ્ણ અર્જુનને એટલું જ કહે છે: ‘ખાતરી રાખ કે તું મને વહાલો છે.’ ૬૩મા શ્લોકમાં લોકતંત્રને શોભે એવી વાત કર્યા પછી તરત જ ૬૬મા શ્લોકમાં કòષ્ણ લોકતંત્ર બાજુએ રાખીને અર્જુનને આખરી આદેશ આપીને કહે છે: ‘બધા ધર્મોછોડીને તું મને એકલાને શરણે આવ (મામ્ એક શરણં વ્રજ)’. આવા આદેશમાં લોકતંત્ર ગાયબ થઇ ગયું! આવું કેમ બન્યું? શું આ આંતરવિરોધ નથી?
વાત એમ છે કે જગતમાં લોકતંત્ર કરતાંય પ્રેમતંત્ર અધિક ઊંચેરું છે. ડેમોક્રસી કરતાં ‘લવોક્રસી’ ઊંચે આસને વિરાજમાન છે. પરિવારમાં કયારેક એવી કટોકટી ઊભી થાય ત્યારે કહેવાનું પ્રાપ્ત થાય છે: ‘તું બધી માથાકૂટ મેલ અને અત્યારે હું કહું તેમ કર.’ આવું કહેવામાં પરિવારનું પ્રેમતંત્ર કટોકટીમાંથી ઊગરી જાય છે. કòષ્ણનું આવું પ્રેમાક્રમણ અર્જુન પામ્યો કારણ કે તે ‘ઋજુ’ હતો. જે ઋજુ (સરળ) હોય તે કòષ્ણને પ્રિય હોય છે. જે મનુષ્ય કપટી હોય તેનો ઉદ્ધાર કòષ્ણ પણ નહીં કરી શકે. તેથી નરસિંહ મહેતાએ વૈષ્ણવજન માટે બે શબ્દો પ્રયોજયા: ‘વણલોભી અને કપટરહિત.’ અર્જુન દોષમુકત ન હતો, પણ કપટમુકત હતો તેથી જ કòષ્ણનો સખા બની શકયો. ગીતાના ઉપદેશને અંતે અર્જુન કòષ્ણને કહે છે:
ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો! થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. (૨, ૭૩)
જીવનના બધા ઉધામા છોડીને આપણે પણ કયારેક કòષ્ણને શરણે જઇને કહેવાનું છે: ‘કરિષ્યે વચનં તવ.’ સાક્ષાત્ કòષ્ણ સામે ઊભા હોય એવી પાર્થવૃત્તિથી આ શબ્દો રોજ વારંવાર ઉદ્ગારવા રહ્યા. આ જીવંત મંત્ર છે. જીવન પર્વતારોહણ જેવું છે. શિખર પર અનંત આકાશનું દર્શન થાય ત્યારે કહીશું: ‘કòષ્ણં શરણં ગરછામિ.’
પાઘડીનો વળ છેડે
સ્વિડનના રાજમાર્ગ પર ‘હરે રામા હરે કòષ્ણ’વાળા ગોરા ભકતો શાકાહારી રેસ્ટોરાં ચલાવે છે. એનું નામ ‘ગોપિકા’ છે. તમે પ્રવેશો ત્યારે સ્વેડિશ સ્ત્રીઓ ‘જય શ્રી કòષ્ણ’ કહી તમારું અભિવાદન કરે છે. ઘરનું ખાવાનું ભૂલી જાઓ એવું સ્વાદિષ્ટ ભોજન કરવા માટે રોજ એકાદ હજાર ગોરા નાગરિકો ત્યાં જમવા આવે છે. મગની દાળનો શીરો અને ગરમ સમોસાં ગોરાઓને ભાવી ગયાં છે. ત્યાંથી ૭૦ માઇલ છેટે આવેલી વ્રજભૂમિ પર ગાયોની સેવા થાય છે. ત્યાં તમને સ્વિડનના પ્રખર ગોરા કòષ્ણભકત સાધુનાં દર્શન થશે. એમનું નામ છે, સ્વામી સ્મિતક્રિશ્ના. મળવા જેવા માણસ છે.

***************************************************************************

Friday, August 15, 2008

HAPPY INDEPENDENCE DAY




Today is August 15, 2008


Happy Independence Day to my motherland - INDIA
Jana Gana Mana Adhinayaka Jaya He
Bharat Bhagya Vidhata
Punjab Sindh Gujarat Maratha
Dravida Utkala Banga
Vindhya Himachal Yamuna Ganga
Ucchala Jaladhi Taranga
Tava Shubha Namey Jage
Tava Shubha Ashish Mangey
Gahe Tava Jaya Gata
Jan Gan Mangal dayak Jay He
Bharat Bhagya Vidhata
Jaye He ! Jaye He ! Jaye He !
Jaye,Jaye,Jaye,Jaye He
President Pratibha PATIL (since 25 July 2007)
Vice President Hamid ANSARI (since 11 August 2007)
Prime Minister Manmohan SINGH (since 22 May 2004)
One US Dollar = Rs. 42.80
http://coinmill.com

Monday, August 11, 2008

Shivji

દક્ષિણામૂર્તિ શિવ - courtesy મીનાક્ષી ભટ્ટ

‘બ્રહ્માએ તેમના ચાર માનસપુત્રો સનક, સનંદન, સનત્કુમાર અને સનત્સુજાતને સૃષ્ટિ આગળ ધપાવવાના કાર્યમાં મદદ કરવા કહ્યું, પરંતુ તેઓને આ કાર્યમાં રુચિ ન હોવાથી તેઓ મદદ કરવા રાજી ન હતા. આ ચારે પુત્રો એમ વિચારતા હતા કે કોણ તેમને જ્ઞાનનો કે સર્વોરચ વિવેકનો રાહ દર્શાવશે? નારદજી પધાર્યા અને તેઓએ કહ્યું, ‘બ્રહ્માજી સિવાય કોણ બ્રહ્મજ્ઞાન કે સર્વોરચ વિવેકનો રાહ ચીંધી શકે? ચાલો, આપણે તેમની પાસે જઈએ.’ આ ચારે જણા નારદજી સાથે સત્યલોકમાં બ્રહ્માજીના નિવાસસ્થાને ગયા અને જોયું તો સરસ્વતી વીણા વગાડી રહ્યાં હતાં અને બ્રહ્માજી સામે બેસીને તાલ મિલાવતા હતા અને પત્નીનું વીણાવાદન માણી રહ્યા હતા. આ દૃશ્ય જોઈને તેઓને એમ થયું કે જે વ્યકિત પોતાની પત્નીના સંગીતનું અભિવાદન કરવામાં ગૂંથાયેલી છે તે કેવી રીતે અઘ્યાત્મ તત્ત્વ શીખવી શકે?’


ત્યાર બાદ નારદજીએ કહ્યું કે, ‘ચાલો આપણે વૈકુંઠમાં શ્રીવિષ્ણુ ભગવાનના નિવાસસ્થાને જઈએ. તેઓ સીધા જ અંદર વિષ્ણુ પાસે ગયા અને તેમને જોઈને પાછા બહાર આવ્યા અને કહ્યું કે, ‘અહીં તો દેવી લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પલંગ પર જ બેઠાં છે તથા તેઓની પગચંપી કરી રહ્યાં છે. પત્નીના નેત્રકટાક્ષથી મંત્રમુગ્ધ થયેલા આ ગૃહસ્થ કઈ રીતે (અઘ્યાત્મ વિધા શિખવાડવામાં) મદદરૂપ નીવડી શકે? ચાલો આપણે ભગવાન શિવની પાસે મદદ માટે જઈએ.’

તેઓ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજી પાસે ગયા. ત્યાં જઈને જોયું કે શિવજી એમના ઘણા બધા સાથીદારો વરચે તેમનાં પત્ની સાથે અર્ધ નર-નારી સ્વરૂપે દિવ્ય નૃત્ય કરી રહ્યા હતા. આતુરતાપૂર્વક જેમની આઘ્યાત્મિક દોરવણી માટે તેઓ આવ્યા હતા તેમને આ સ્થિતિમાં જોઈને તેઓ દિગ્મૂઢ થઈ ગયા અને બધા જ ત્યાંથી પાછા ફર્યા.

શિવજીને આ વાતનો અહેસાસ થયો અને તેમને માટે તેમને ત્યારે દુ:ખ થયું. ખરેખર જેઓ સત્યના શોધક છે તેમને આઘ્યાત્મિક જ્ઞાન બીજું કોણ પૂરું પાડશે? એમ વિચારીને શિવજીએ પોતે તપ કરવા માગે છે એવું બહાનું બતાવીને પાર્વતીજીને ત્યાંથી વિદાય કર્યા. આ નિરાશ ભકતો ઘરની વાટ પકડી રહ્યા હતા ત્યારે ઋજુ હૃદયના શિવજી તેઓના પાછા ફરવાના માર્ગ પર માનસરોવરની ઉત્તર બાજુ વટવૃક્ષ નીચે યુવાનરૂપે ચિન્મુદ્રા ધારણ કરીને દક્ષિણામૂર્તિ તરીકે બિરાજી ગયા.

એમને જોઈને તેઓ લોઢું જેમ લોહચુંબકથી આકર્ષાય એમ એમની તરફ આકર્ષાયા અને એમની હાજરીમાં એમની જેમ મૌન આત્મનિષ્ઠામાં રહ્યા. શ્રી રમણ મહર્ષિએ દક્ષિણામૂર્તિના અર્થ સહિતની સમજૂતી આપતાં કહ્યું હતું, ‘તેઓ માટે જન્મનો કયાં પ્રશ્ન જ છે? એ શિવનાં પાંચ સ્વરૂપોમાનું એક છે. આનો અર્થ એવો થાય છે કે તેઓ મૌન મુદ્રામાં દક્ષિણ દિશા ભણી મુખ કરીને બેઠા છે. આ સ્વરૂપનો જે આંતરિક અર્થ છે તેમાં તેની નિરાકારતા વર્ણવાઈ છે. શ્રી દક્ષિણામૂર્તિ, શ્રી એટલે માયાશકિત, દક્ષિણાનો એક અર્થ છે સમર્થ અને બીજો અર્થ છે ‘શરીરમાં જમણી બાજુએ આવેલા હૃદયમાં’ અમૂર્તિ એટલે આકારરહિતતા. આમ આના અનેક અર્થ કરી શકાય છે.

શ્રી રમણ મહર્ષિ શ્રીમદ્ શંકરાચાર્ય રચિત દક્ષિણામૂર્તિ સ્તોત્રની પૂર્વભૂમિકાને સમજાવતા કહે છે કે ‘મૌન જ સાચો ઉપદેશ છે. એ જ સંપૂર્ણ ઉપદેશ છે. આ ઉપદેશ આગળ વધેલા સાધકો માટે જ છે. અન્ય સાધકો આ દ્વારા પૂર્ણપ્રેરણા પ્રાપ્ત કરવા સમર્થ નથી. આથી આવા સાધકોને સત્ય સમજાવવા માટે શબ્દોની આવશ્યકતા રહે છે, પરંતુ સત્ય તો અનિર્વચનીય છે. તેનું વિવેચન સંભવ નથી. બહુ બહુ તો તેનો માત્ર નિર્દેષ કરી શકાય. આથી આદિશંકરાચાર્યે દક્ષિણામૂર્તિ સ્તોત્રની રચના કરી હતી કે જેથી તેનો પાઠ કરીને લોકો સત્યને સમજી શકે.

અંતે દક્ષિણામૂર્તિ શિવની સ્તુતિ કરતા રમણ મહર્ષિ દ્વારા રચિત અને પ્રો. મકરંદ બ્રહ્મા દ્વારા અનુદિત નીચેની પંકિતઓ સાથે વિરમીશું.

દક્ષિણામૂર્તિનો ચમત્કાર
(અનુષ્ટુપ)
કોણ છે વડની નીચે બિરાજેલા યુવા ગુરુ? વૃદ્ધાતિવૃદ્ધ શિષ્યો સૌ રહ્યા છે શોધી તેમને મૌનથી ઉપદેશે છે શોભતા આ યુવા ગુરુ છેદાયા સંશયો સર્વે તત્ક્ષણે શિષ્યવૃંદના વટવૃક્ષ તળે સોહે જ્ઞાન તેજે યુવા ગુરુ સન્મુખે વૃદ્ધ શિષ્યો સૌ બેઠા જ્ઞાનપિપાસિતો ગુરુનું મૌન વ્યાખ્યાન શિષ્યો સંશયમુકત સૌ!

Friday, August 8, 2008

Hanuman Chalisa

Shri Guru Charan Saroj Raj
Nij mane mukur sudhar
Varnao Raghuvar Vimal Jasu
Jo dayaku phal char

Budhi Hin Tanu Janike
Sumiro Pavan Kumar
Bal budhi Vidya dehu mohe
Harahu Kalesh Vikar


Jai Hanuman gyan gun sagar
Jai Kapis tihun lok ujagar
Ram doot atulit bal dhama
Anjani-putra Pavan sut nama

Mahavir Vikram Bajrangi
Kumati nivar sumati Ke sangi
Kanchan varan viraj subesa
Kanan kundal kunchit kesha

Hath vajra aur dhavj Viraje
Kandhe moonj janehu saaje
Sankar suvan kesri nandan
Tej pratap maha jag vandan

Vidyavan guni ati chaatur
Ram kaj karibe ko aatur
Prabhu charitra sunibe ko rasiya
Ram Lakhan Sita man basiya

Sukshma roop dhari siyahi dikhava
Vikat roop dhari lanka jarava
Bhim roop dhari asur sanghare
Ramchandra ke kaj savare

Laye sanjivan lakhan jiyaye
Shri Raghuvir harshi ur laye
Raghupati kinhi bahut badhai
Tum mam priya Bharat-hi sam bhai

Sahas badan tumro yash gaave
as kahi Shripati kanth lagaave
Sankadik brahmadi munisa
narad sarad sahit aheesa

Yam kuber digpal jahan te
Kavi kovid kahi sake kahan te

tum upkar sugreevahi kinha
ram milaye rajpad dinha
tumharo mantra vibheeshan mana
lankeshwar bhaye sab jag jaana

yug sahastra jojan par bhanu
leelyo tahi madhur phal janu

prabhu mudrika meli mukh maahi
jaldhi langhi gaye achraj naahi

durgam kaaj jagat ke jete
sugam anugraha tumre tete

ram dware tum rakhvare
hotna aagya binu paisare

sab sukh lahi tumhari charna
tum rakshak kahu ko darna

aapan tej samharo aape
teeno lok haankte kanpe

bhoot pishach nikat nahi aave
mahavir jab naam sunave

nase rog hare sab peera
japat nirantar hanumat beera

sankat se hanuman chudave
man karam vachan dyaan jo lave

sab par ram tapasvi raja
tin ke kaj sakal tum saja

aur manorath jo koi lave
sohi amit jeevan phal pave

charo yug partap tumhara
hoi parsidhi jagat ujiyara

sadhu sant ke tum rakhware
asur nikandan ram dulare

asht sidhi nav nidhi ke daata
as var deen janki maata
ram rasayan tumhare paasa
sada raho raghupati ke daasa

tumhare bhajan ram ko paave
janm janm ke dukh bisrave

anth kal raghuvir pur jaayi
jahan janam hari-bhakt kahayi

aur devta chit na dharhi
hanumanth se hi sarva sukh karehi

sankat kate meete sab peera
jo sumirai hanumat balbeera

Jai Jai Jai Hanuman Gosai
Kripa Karahu Gurudev ki nyahin

Jo sat bar path kare koi
Chutehi bandhi maha sukh hoi

Jo yah padhe Hanuman Chalisa
Hoye siddhi sakhi Gaurisa
Tulsidas sada hari chera
Keejai Das Hrdaye mein dera


Pavan tanai sankar haran,
Mangal murti roop.
Ram Lakhan Sita sahit,
Hrdaye basahu sur bhoop.

Siyavar Ramchandra ki jai
Pavanputra Hanuman ki jai.

Monday, August 4, 2008

Shravan Maas - Gujrati

વ્રતોનો મહિનો એટલે શ્રાવણ - Courtesy ડો. દેવીપ્રસાદ

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા ઉપરાંત કેટલાંક બીજાં પણ મહત્ત્વપૂર્ણ વ્રત આવે છે, એનું પાલન કરવાથી શુભ ફળ મળે છે.


શ્રાવણ મહિનાના દરેક મંગળવારે વ્રત કરવાને મંગલાગૌરી વ્રત કહે છે. હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે શ્રાવણ મહિનાનાં વ્રત છે.

શ્રાવણ મહિનો ચિંતનની દૃષ્ટિ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ મહિનો ભગવાન શિવજીને પ્રિય છે. હવે પ્રશ્ન એ છે કે શ્રાવણ માસ કોને કહે છે? ભારતીય વર્ષમાં નવવિધ કાલમાન પ્રચલિત છે. આમાં માનવજીવન વ્યવહારમાં બે પ્રકારના મહિનાનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે. ચંદ્ર દ્વારા બનતા મહિનાને ચંદ્રમાસ તથા સૂર્ય દ્વારા બનતા મહિનાને સૌરમાસ કહે છે. ચંદ્ર માસ બે પ્રકારે પ્રચલિત છે. (૧) પૂનમથી પૂનમ સુધીના મહિનાને પૂર્ણિમાંત ચંદ્રમાસ કહે છે. આ મહિનાઓનું ચલણ ઉત્તર ભારતમાં છે. (૨) અમાસથી અમાસ સુધીના મહિનાને અમાંત ચંદ્રમાસ કહે છે.


મહિનાઓના રૂપે ચંદ્રમાસ જ પ્રથમ દૃષ્ટિએ ગ્રહણ કરાય છે. સંક્રાંતિ સિવાય દરેક પર્વ, ઉત્સવ તેમજ વ્રત ચંદ્રમાસના આધારે મનાવાય છે. એક સંક્રાંતિથી બીજી સંક્રાંતિ સુધીના કાળને સૌરમાસ કહે છે. જે દિવસે સૂર્ય કર્ક રાશિમાં સંક્રમણ કરે છે એ દિવસે શ્રાવણ મહિનો શરૂ થાય છે. પહાડી પ્રદેશોમાં ખાસ કરીને સૌરમાસનું ચલણ વિશેષ જોવા મળે છે. ત્યાં શ્રાવણના સોમવાર જેવાં વ્રતોને સૌરમાસ અનુસાર મનાવવામાં આવે છે.

ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંત ચંદ્રમાસનો શ્રાવણ માસ, શ્રાવણ સુદ એકમ ૧૯ જુલાઈ, ૨૦૦૮થી પ્રારંભ થાય છે. આ માસ શ્રાવણી પૂનમ શનિવાર ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના પૂર્ણ થાય છે, જયારે દક્ષિણ ભારતમાં પ્રચલિત અમાંત ચંદ્રમાસ અનુસાર શ્રાવણ, શ્રાવણ સુદ એકમ શનિવાર ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી રહેશે. સૌરમાસ મુજબ સૂર્ય કર્ક રાશિમાં જુલાઈ ૧૬, ૨૦૦૮ના આવ્યો અને ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ના સિંહ રાશિમાં જશે. આના લીધે ૧૬ જુલાઈથી ૧૫ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ માસ રહેશે, જયારે આપણે અહીં ગુજરાતમાં ૨ ઓગસ્ટ, ૨૦૦૮થી શરૂ થઈને ૩૦ ઓગસ્ટ, ૨૦૦૮ સુધી શ્રાવણ મહિનો રહેશે.

શ્રાવણ માસ ભગવાન શિવજીની પૂજાની દૃષ્ટિએ સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ મહિનામાં જે રોજ શિવજીની પૂજા કરે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનાના સોમવાર ભગવાન શિવજીને વિશેષ પ્રિય છે. આ દિવસે ભગવાન શિવજીની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. શ્રાવણ માસમાં પાર્થિવ પૂજન અર્થાત્ માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

દરરોજ અથવા દર સોમવારે તથા પ્રદોષના દિવસે શિવપૂજા કે પાર્થિવ પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવજી વૈદિક દેવતા છે. તેમને વેદોમાં યજુર્વેદ સૌથી વધુ પ્રિય છે. એટલે યજુર્વેદીય રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનું પૂજન અથવા અભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેક બે પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી તેમજ દ્વિતીય ચયન કરેલા ૧૦૦ મંત્રોથી, જેને શતરુદ્રીય કહે છે. આ બંનેમાંથી સંપૂર્ણ રુદ્રાષ્ટાઘ્યાયીથી ભગવાન શિવજીનો અભિષેક કરવાનું પ્રચલન વધુ છે.

૧૧ રુદ્રાભિષેકોનો એક લઘુરુદ્ર, ૧૧ લઘુરુદ્રોનો એક મહારુદ્ર તથા ૧૧ મહારુદ્રોનો એક અતિરુદ્ર હોય છે. સોમવારે વ્રત કરીને યથાયોગ્ય શિવજીનો અભિષેક કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના પૂજન ઉપરાંત બીજા કેટલાંક મહત્ત્વપૂર્ણ વ્રત પણ આવે છે. તે કરવાથી પણ શુભ ફળ મળે છે. શ્રાવણ મહિનાના દરેક મંગળવારનું વ્રત કરવાને મંગલાગોરી વ્રત કહે છે. આ વ્રત લગ્ન બાદ સ્ત્રીઓ દ્વારા પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. લગ્ન બાદ પ્રથમ શ્રાવણ મહિનો આવે ત્યારે પિયરમાં ત્યાર બાદ ચાર વર્ષ સાસરિયામાં આ વ્રત કરવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં બીજાં કેટલાંક વ્રતો પણ આવે છે જેમાં હરિયાલી ત્રીજ, કજલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રક્ષાબંધન આ બધાં વ્રત કરવાથી પણ તેનું લાભદાયી ફળ મળે છે.

**********************************************************************************
જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય મહાકાલ - Courtesy આનંદશંકર વ્યાસ

શ્રાવણ મહિનામાં ઉજજૈનમાં મહાકાલેશ્વરની આરાધનાનો મહિમા અનેરો છે. ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવના પ્રિયમાસ શ્રાવણમાં શિવ આરાધના અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી શુભ છે.


ભગવાન મહાકાલેશ્વર કાલગણનાના સંચાલક છે, જે ઉજજૈનમાં પૃથ્વીની નાભિ (કુંડલિની) પર સ્વયંભૂ સ્વરૂપમાં સ્થિત છે. કર્ક રેખા પર સ્થિત ઉજજૈન, લંકાથી સુમેરુ સુધી જનારી ભૂમઘ્ય રેખાથી અહીં મળે છે. આ ભૌગોલિક સ્થિતિને લીધે પ્રાચીન સમસ્ત આચાર્યોએ ઉજજૈનને કાલગણનાનું નગર અને મહાકાલેશ્વરને કાલગણનાના સંચાલક કીધા છે. ભારતનાં દરેક પંચાગોનું આધારબિંદુ ઉજજૈન જ છે. આ અહીંના પંચાંગની વિશિષ્ટતા છે. મહાકાલ કાલગણનાના સંચાલક હોવાને લીધે જયોતિર્વિજ્ઞાનના આરાઘ્ય દેવ છે.

સમુદ્રમંથનમાંથી નીકળેલાં ૧૪ રત્નોમાં હળાહળ ઝેર પણ હતું. આ ઝેર કોઈ ગ્રહણ કરવા ઇરછતું નહોતું ત્યારે વિશ્વ કલ્યાણાર્થે ભગવાન શિવજીએ વિષપાન કર્યું તેથી તેઓ દેવથી પણ મોટા મહાદેવ કહેવડાવ્યા. વિષ પ્રત્યેની ગ્લાનિના શમન માટે શિવને જળમાં અને હિમાલય પર રહેવું ગમે છે. ભોળનાથ જળ, શીતળતા પ્રદાન કરનાર ચંદન, ચોખા, જંગલમાં ગતો આકડો, ધતૂરાનું ફૂલ અને બીલીપત્ર જેવી સરળતાથી પ્રાપ્ત થનારી પૂજન સામગ્રીથી પ્રસન્ન થઈ જાય છે.

શ્રાવણ શિવપૂજા માટેનો ખાસ મહિનો ગણાય છે, કારણ કે આ મહિનો વર્ષાઋતુમાં આવે છે અને પ્રકૃતિ દ્વારા સતત જળાભિષેક થતો રહે છે. આ વર્ષે શ્રાવણ માસનો આરંભ ૨ ઓગસ્ટ, શનિવારના રોજ થાય છે, જયારે પૂણાર્હુતિ ૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ થશે. શ્રાવણ માસનો આરંભ શનિવારથી થઈ રહ્યો છે અને સમાપ્ત પણ શનિવારે થવાથી આ મહિનામાં પાંચ શનિવાર આવશે. મહિનામાં પાંચ શનિવાર અનુસાર ખેતી માટે નુકસાનકારક છે.

બીજું કે શ્રાવણ મહિનામાં ગ્રહણ પણ અનિષ્ટસૂચક છે. આ મહિનામાં કર્ક-સિંહ રાશિમાં ચતુગૃર્હી પણ પ્રાકૃતિક આપત્તિસૂચક છે, પરંતુ બૃહસ્પતિનો ઉત્તમ ગોચર રક્ષા કરવામાં સહયોગી રહેશે. શ્રાવણ મહિનો ચૈત્રાદિ માસના ક્રમમાં પાંચમો મહિનો છે, જે આત્મતત્ત્વ છે. અઘ્યાત્મના કારક સૂર્ય શ્રાવણ માસમાં કર્ક અને સિંહ રાશિમાં ભ્રમણશીલ હોય છે. કર્ક રાશિનો સ્વામી મનસ્તત્વ છે તો સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્ય આત્મકારક છે. મન અને આત્માનો સંબંધ જ ધર્મ અને અઘ્યાત્મની ઉપલબ્ધિનો મહિનો છે.

ઉજજૈનમાં શ્રાવણ માસમાં મહાકાલેશ્વરની આરાધનાનું ખાસ મહત્ત્વ છે. સમસ્ત ભૂમંડળના સ્વામી મહાકાલેશ્વર પૃથ્વીની નાભિ પર સ્થિત સિદ્ધિ, કામનાઓમાં યશ અને કાર્યમાં સફળતા આપનાર છે. હરિયાળી અમાસ એટલે કે ૧ ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ છે. રક્ષાબંધન ૧૬ ઓગસ્ટના રોજ બપોરના ૨.૩૦થી ૪.૦૦ વાગ્યા સુધી ઉત્તમ છે. આ દિવસે રાત્રે ચંદ્રગ્રહણ છે, જેનો વેધ બીજા દિવસે ૪ વાગ્યા સુધી રહશે.

શ્રાવણ મહિનામાં રાશિગત વિચાર
સિંહ રાશિમાં શનિ + મંગળ યોગ ૧૨ ઓગસ્ટ સુધી છે. ૨૨ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં ચતુગૃર્હી યોગ. સિંહ રાશિમાં ચતુગૃર્હી ૮ ઓગસ્ટથી ૧૨ ઓગસ્ટ સુધી. ૧ ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્યગ્રહણ. ૧૬-૧૭ ઓગસ્ટથી રાત્રે મકર-કુંભ રાશિમાં. ચંદ્રગ્રહણ જેવી ગ્રહ સ્થિતિઓના પરિણામે કર્ક, સિંહ, કન્યા રાશિઓને સાડાસાતી છે. વૃષભ અને મકર રાશિને અઢી વર્ષની પનોતી છે. એટલે આ પાંચ રાશિઓ ખાસ સંઘર્ષ, તનાવ અને મોંઘવારીથી પીડાયેલી રહેશે. કર્ક, સિંહ, ધન અને મકર રાશિઓનો ચતુગૃર્હી સમય સાવધાની રાખવાનો છે. સૂર્યગ્રહણ મેષ, કર્ક, સિંહ અને ધન માટે અશુભ છે, જયારે ૧૬-૧૭ ઓગસ્ટનું ચંદ્રગ્રહણ મકર, કુંભ, મિથુન, તુલા રાશિ માટે કષ્ટદાયક રહેશે. તુલા, વૃશ્ચિક અને મીન રાશિ માટે અનુકૂળતા છે. પ્રતિકૂળ ગ્રહયોગોથી મુકિત માટે મહાન પુણ્યપ્રદ અને શિવજીના પ્રિય માસ શ્રાવણમાં ભકિત અને રુદ્રાવતાર હનુમાનની ઉપાસના કરવી.

આખા મહિના દરમિયાન તીર્થમાં સ્નાન, પ્રતિદિન સંકિલ્પત સંખ્યા પ્રમાણે ‘ૐ નમ: શિવાય’ મંત્ર બોલીને બીલીપત્ર અર્પણ કરવાં. ચંદન, ચોખા ચઢાવો, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્રાભિષેક, હવન વગેરે પોતપોતાની શકિત પ્રમાણે કરાવવા. આખો મહિનો વ્રત-ઉપવાસ, ધાર્મિક ગ્રંથોનું વાંચન, શિવપુરાણ વગેરેનું વાંચન અને શ્રવણ કરવું. શિવ મહામંત્રનો જાપ કરવો. હર-હર મહાદેવ શંભુનો ઉદ્ઘોષ કરવો.
*************************************************************************************
રાજા સિદ્ધરાજે બનાવેલું સિદ્ધનાથ મહાદેવ
Courtesy અમિતા ચૌધરી

ભારતની સંસ્કૃતિ છે તેનાં મંદિરો અને જે હંમેશાં અજરઅમર રહી છે અને જે સેંકડો વર્ષોના વિદેશી હુમલાઓ અને વિદેશી શાસન હોવા છતાં જીવિત રહી છે. ભારતીય સંસ્કૃતિનો આત્મા તેનાં મંદિરો-ધર્મ છે. ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્ આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે અને તેવા જ એક સુંદર મંદિરની મુલાકાત અમે લીધી.

ગૂજરાત વિધાપીઠ તરફથી ‘ગ્રામજીવન પદયાત્રા’નું પાંચ દિવસનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમે આઠ વિધાર્થિની અને એક માર્ગદર્શક સાથે કલોલ તાલુકાના ગામમાં પદયાત્રા નિમિત્તે ફરવાનું થયેલું. તેમાં અમારું પ્રથમ ગામ ઔધોગિક ઇન્ડસ્ટ્રીઝથી ધેરાયલું એવું કલોલ તાલુકાનું સઇજ ગામ હતું. જયાં અમને એવું જાણવા મળ્યું કે અહીં એક પૌરાણિક પ્રાચીન મહાદેવનું મંદિર છે. અમે સૌ જોવા અને દર્શન કરવા ગયા અને તેના ઐતિહાસિક મહત્ત્વ વિશે જાણ્યું.

અમોને જાણવા મળવા મુજબ આ ‘સિદ્ધનાથ મહાદેવ’નું મંદિર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ. તેની કથા જાણતા આ પ્રમાણે છે.

પાટણના રાજા સિદ્ધરાજે ધારાનગરી પર ચઢાઇ કરી. પોતાના મામાને મારીને ગાદી પર બેઠા પછી આ પાપમાંથી મુકત થવા માટે રાજપુરોહિતે તેમને પાંચ સિદ્ધનાથ મહાદેવના મંદિર બાંધવા આજ્ઞા કરી. તેના ફળ સ્વરૂપે આ મંદિરનું નિર્માણ થયેલું છે. આ સ્થળે શ્રીરંગ અવધૂત એક વર્ષથી વધુ સમય રોકાયા ને ‘દત્તબાવની’ જેવા સુપ્રસિદ્ધ ગ્રંથની રચના કરી.

આ મંદિર સઇજ ગામની ગોદમાં આવેલું છે. પ્રાકૃતિક રીતે તેનો પરિસર વૃક્ષો, ફૂલ-છોડ અને વેલોથી વીંટળાયેલો છે. તેના ભવ્ય પ્રવેશદ્વાર અનન્ય આકર્ષણ ઊભું કરે છે. દ્વારપાળની મોટી મૂર્તિઓ અને બંને બાજુ સિંહોની રમણીય આકૃતિઓ તેમજ સૌથી ઉપર લિંગ અને શેષનાગની આકૃતિ ઘ્યાનકર્ષક છે.

આ સ્થળે જવા માટે અમદાવાદથી મહેસાણા હાઇવે પર ઇફકો કંપની સામે સઇજ ગામ છે અને ત્યાં આ સુવિખ્યાત મંદિર આવેલું છે. પિકનિક, પ્રવાસ નિમિત્તે પણ અહીં જઇ શકાય તેવું સ્થળ છે.
*************************************************************************************
રુદ્રાભિષેક : સર્વ દુ:ખ નિવારણ - Courtesy શિરીષ અયાચિત

પરમાત્મા ત્રણ સ્વરૂપમાં અભિવ્યકત હોય છે. સર્જક, પાલક અને સંહારક. સર્જનાત્મક પરમાત્મા ભવ અથવા બ્રહ્મા, પાલકાત્મક સ્વરૂપ એટલે હરિ અથવા વિષ્ણુ અને સંહારક એટલે હર અથવા રુદ્ર. રુદ્રને પશુપતિ પણ કહેવામાં આવે છે. પશુ અર્થાત્ ચલનવલન કરનાર પ્રાણી. એના શાસક-માલિક-પતિ એવા રુદ્ર એટલે પશુપતિ.


રુદ્રાઘ્યાયમાં દરેક મંત્ર સમાજધારણા માટે, સત્ગુણોની ઉપાસના કરવા અને ઉત્તમ વિચાર રાખવા માટે આદેશ આપનાર છે. નમકના પ્રથમ વિભાગમાં રુદ્રનાં વિવિધ રૂપોને નમસ્કાર કરેલા છે. સેનાપતિ, દિશાઓના સ્વામી, દ્વિપાદ અને ચતુષ્પાદ પશુઓના સ્વામી. રુદ્રાઘ્યાયનો બીજો વિભાગ જેને ‘ચમક’ વિભાગ કહેવામાં આવે છે તેમાં વિવિધ માગણીઓ કરવામાં આવે છે. ‘ચમે’ એટલે મને આપો.

રુદ્ર આરાધના કરવાના પ્રકાર
શિવલિંગ ઉપર સતત ધાર ધરીને રુદ્ર પઠણ કરવું એટલે ‘રુદ્રાભિષેક’. રુદ્રાઘ્યાયના નમકના સર્વે અગિયાર અને ચમકનો એક અઘ્યાય પછી બીજો અઘ્યાય એવી રીતે અગિયાર આવર્તનો કરવાથી ‘રુદ્રાભિષેક’ થાય છે. અગિયાર રુદ્રાભિષેક એટલે એકસોએકવીસ આવર્તનો કરવાથી એક ‘લઘુરુદ્ર’ થાય છે. અગિયાર લઘુરુદ્ર એટલે એક ‘મહારુદ્ર’ થાય છે. અગિયાર મહારુદ્ર એટલે એક ‘અતિરુદ્ર’ થાય છે.

રુદ્રના જપથી ગૃહદોષ, બધા નષ્ટ દૂર થાય છે, બધા રોગોની શાંતિ થાય છે, બધી ઇરછાઓ પૂર્ણ થાય છે. સંતતિ ન થવી, યશ ન મળવો, અસાઘ્ય બીમારી એવાં અનેક સંકટોને માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ અત્યંત પરિણામકારક ઉપાય છે. પાપક્ષાલન, વ્યાધિનિવારણ આદિ માટે રુદ્રનું અનુષ્ઠાન અવશ્ય કરવું. એકંદરે વિવિધ સંકટો માત કરવા માટે ‘રુદ્રાભિષેક’ સુલભ અને પરિણામકારક ઉપાય છે.
**************************************************************************************
શ્રાવણના દેવ શિવજી - Courtesy ડો. મણિભાઈ પ્રજાપt

Aug 2, 2008 શનિવારે શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય

‘અધિક શ્રાવણ’ (પુરુષોત્તમ-માસ)ના અધિષ્ઠાતા દેવ છે ભગવાન પુરુષોત્તમ, તો શ્રાવણના દેવ છે ભગવાન શિવ. પુરુષોત્તમ એટલે રામ-કૃષ્ણ વગેરે દશ કે ચોવીસ અવતાર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ. એ છે અધિક શ્રાવણિયા દેવ, જયારે ભગવાન શિવ શ્રાવણિયા મહાદેવ ગણાયા. ‘અધિક શ્રાવણ’ અને ‘શ્રાવણ’ આ બે માસથી જાણે વિષ્ણુ અને શિવનો સંગમ થાય છે. બંને મહાન દેવોની એકતા સ્થપાય છે. ભારતીય ધર્મશાસ્ત્રકારોની કેવી અદ્ભુત બિનસાંપ્રદાયિક અને સમન્વયકારી દૃષ્ટિ! વાસ્તવમાં વિષ્ણુ-શિવમાં કોઇ ભેદ નથી, પછી વૈષ્ણવો અને શૈવોના ભેદ શીદને!

ભગવાન શિવનાં બેસણાં છે હરી-ભરી પ્રકòતિના ખોળેે. શ્રાવણમાં પ્રકૃતિ સોળે કળાએ શણગાર સજે છે. પ્રકૃતિ તો ભગવાન શિવની દૈવી શકિત પાર્વતી છે. શ્રાવણમાં વર્ષાનો વૈભવ પ્રકòતિ રૂપે પ્રગટે છે. પ્રકòતિના મેઘવણાર્ કાળાભમ્મર અંબોડે મેઘધનુષ્યના સાત રંગોની વેણી ગૂંથાય છે. વીજળીના ચમકારે એ હાસ્ય વેરે છે. પેલા પરબ્રહ્મસ્વરૂપ શિવજી વાદળમાં છુપાઇને ડમરુ વગાડી વગાડીને પ્રકòતિને નચાવે છે. વરસાદની ધારાઓનું સુરીલું સંગીત રેલાય છે. એ સંગીતમાં શિવભકત રાવણને શિવજીના તાંડવ-નૃત્યનો ધમધમાટ સંભળાય છે, તો વળી બીજા કોઇ શિવભકતને ધીર-ગંભીર નાદ સંભળાય છે.

પ્રકૃતિને આવો શણગાર સજાવનાર ‘ડિઝાઇનર’ છે કોણ? એ ડિઝાઇનર તો અદૃશ્ય રહીને પોતાની કલા-ગૂંથણી કરે છે. કુદરતને શણગારનાર એ ડિઝાઇનર છે મહેશ્વર. એની કલા અને સર્જન-શકિતને મૂલવવા સંતો, ભકતો અને કવિઓએ જાત-જાતની ઉપમાઓ આપી છે. સૃષ્ટિના, જગતના જુદા જુદા ઘાટ કે રંગ-રૂપ ઘડનાર એ પરબ્રહ્મસ્વરૂપ પરમેશ્વરને કેટલાકે શિલ્પી કે મહાન કલાકાર તરીકે દર્શાવ્યા, તો કેટલાકે અદ્ભુત પદાર્થોઉત્પન્ન કરનાર જાદુગર રૂપે, તો કોઇકે મનુષ્ય-આકòતિઓ ઘડનાર કુંભકાર રૂપે, તો કોઇકે અખિલ વિશ્વનું યંત્ર ચલાવનાર કુશળ ઇજનેર રૂપે ઓળખ્યા!

અષાઢ અને શ્રાવણ તો કવિઓ, ભકતો અને પ્રેમીઓના મધુમાસ. અષાઢી આકાશના પહેલા વાદળને જોઇને શિવભકત મહાકવિ કાલિદાસની કવિતા ‘મેઘદૂત’નું સ્મરણ થાય! હિમાલયના શિખર ઉપર આવેલી ભગવાન શિવની અલકાનગરી મનની આંખો આગળ તરવરી રહે. શિવજીની અલકાપુરીના કારભારી છે કુબેરભંડારી. એમનો એક સેવક હતો યક્ષ. યક્ષ એકવાર પોતાની ફરજ ચૂકયો, ને કુબેરે તેને પત્ની-વિયોગનો એક વર્ષનો શાપ આપી દીધો.

શાપ પ્રમાણે, બિચારા એ યક્ષને પત્નીથી વિખૂટા પડી, અલકાનગરી છોડીને દૂર-દૂર દક્ષિણભારતના રામગિરિ-આશ્રમમાં નિવાસ કરવો પડયો. અષાઢ માસના પહેલા દિવસે, આકાશમાં ઘુમરાતું પહેલું વાદળ જોઇને, એવી માદક મોસમમાં, એને અલકામાં વિરહિણી બનીને રહેતી પોતાની પ્રિયતમાનું સ્મરણ થયું. તેણે વાદળ મારફતે પોતાની પ્રાણપ્રિયા પત્નીને ‘પ્રેમસંદેશ’ મોકલાવ્યો! આનું હૃદયસ્પર્શી વર્ણન મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’ કાવ્યમાં કર્યું છે. અષાઢના પહેલા દિવસે કોઇ પ્રિયતમને પોતાની પ્રિયતમાનું સ્મરણ થાય, તો શ્રાવણ માસના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભકિત-રસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભકત-મનને ભગવાન શિવનું સ્મરણ થાય, ને મુખમાંથી ઉદ્ગાર નીકળી પડે : ઓમ્ નમ: શિવાય.

શિવજીની કે દેવીશકિત જગદંબાની કòપા પ્રાપ્ત થાય, તો મનુષ્યને કેવી અદ્ભુત શકિત મળે એનું જવલંત ઉદાહરણ મહાકવિ કાલિદાસ છે. ભગવાન શિવને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસમાં આપણે વૈદિક •ષિ વસિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યમ્બકેશ્વરની સ્તુતિ કરીએ :
‘સુગંધવાળા (જીવનને મઘમઘતું બનાવનાર) અને રિદ્ધિ-સિદ્ધિ વધારનાર (પાલક અને પોષક) એવા ભગવાન ત્ર્યમ્બકેશ્વર (ત્રિલોચન)નું આપણે યજન-પૂજન કરીએ. સ્તુતિ-સ્તવન કરીએ.’શ્રાવણ માસના આ દિવસોમાં ભગવાન શિવની સ્તુતિનું આપણે ગાન કરીએ:
***************************************************************************************

Wednesday, July 23, 2008

Chaturmaas

આત્માને ભીંજવતો ચાતુર્માસ - Courtesy રેખા શુકલ
મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રીહરિને પ્રણામ કરી તેમના સ્મરણમાત્રથી તમામ પાપોમાંથી મુકત થાય છે

અષાઢ સુદ-૧૧ થી કારતક સુદ-૧૧ સુધીના ચાર મહિના અર્થાત્ ચાતુર્માસ એટલે સ્નાન-દાન-વ્રત-ભગવત સ્મરણ-પૂજન-અર્ચન ઇશ્વરની ઉપાસના-આરાધના દ્વારા જીવનના આઘ્યાત્મને મેઘધનુષ્યના રંગે રંગી દેતો વિશિષ્ટ અવસર. ચાતુર્માસ એટલે ક્રોધ-માન-માયા-લોભ રૂપી આગ-આવેશને બુઝાવી કર્મોની વળગાળને બાળી, ખાખ કરી આત્માને જ્ઞાન-ઘ્યાનથી ભીંજવી નાખવાની મોસમ. સાધુ-સંન્યાસી માટે પરિભ્રમણ પર પ્રતિબંધ અને સ્થિર વાસ માટેનું ફરમાન. હિંદુ ધર્મશાસ્ત્રો આ ગાળાને વિશિષ્ટ મહત્ત્વ આપતાં હોવાથી જ આ સમયગાળામાં જ દેવશયની તથા દેવઠી એકાદશી, નાગપાંચમ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, શીતળાસાતમ, જન્માષ્ટમી, ગણેશ જયંતી, નવરાત્રિ-દશેરા દીપાવલી જેવાં વ્રત-પર્વોનું આયોજન થયેલ છે.

ચાતુર્માસમાં જળની વિશેષ રૂપથી શુદ્ધિ થાય છે અને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના અંગૂષ્ઠ વડે પ્રવાહિત થયેલ સદા પાપનાશિની ગંગા સ્નાનનું ચાતુર્માસ મહાત્મ્ય વિશેષ રૂપથી પ્રકટ થાય છે. સઘળાં તીર્થ, દાન, પુણ્ય અને દેવસ્થાન પણ ચાતુર્માસમાં મોક્ષદાતા સંસારસાગરથી પાર ઉતારવાવાળા ભગવાન વિષ્ણુનું શરણ લે છે અને મનુષ્યમાત્ર ચાતુર્માસમાં શ્રી હરિને પ્રણામ કરી તેમનાં સ્મરણ માત્રથી તમામ પાપોથી મુકત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુનું વ્રત કરનાર મનુષ્ય પણ ઉત્તમ મનાય છે. ચાતુર્માસમાં ભગવાન નારાયણ સ્વયં જળમાં શયન કરે છે. એટલે તે સમયે ભગવાન વિષ્ણુના તેજનું અંશ પણ જળમાં વ્યાપ્ત રહે છે તેથી તે સમયે કરેલું સ્નાન તમામ તીર્થોકરતાં અધિક ફળદાયી ગણાય છે. ચાતુર્માસમાં ભગવાનના શયન થયા પછી નદીઓનાં સંગમમાં સ્નાન પશ્ચાત શ્રદ્ધાયુકત ચિત વડે પિતૃઓ અને દેવતાઓને તર્પણ કરી જપ-હોમ વગેરે કરવાથી મહાન અનંત ફળની પ્રાપ્તિ થાય છે.

વેદમાં અન્નને બ્રહ્મ કહેલ છે, અન્નમાં જ પ્રાણોની પ્રતિષ્ઠા છે. અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે જેના વડે સર્વ પ્રાણી પ્રસન્ન થાય છે. જળદાન કરનાર તૃપ્તિ અને અન્નદાન કરનાર અક્ષય સુખને પામે છે તેથી ભગવાન વિષ્ણુની સાથે સમાગમ માટે વૈકુંઠધામમાં જવાની ઇરછા હોય તેમણે બધાં પાપોના નાશ માટે ચોમાસામાં અન્નદાન અવશ્ય કરવું જ જોઈએ.

ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ચાતુર્માસમાં વિધાદાન, ગૌદાન અને ભૂમિદાન કરનારના પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિ માટે પોતાને પ્રિય હોય તેવા ભોગોનો પૂર્ણપ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે તેને તેનાં દ્વારા ત્યાગ કરવામાં આવેલ તે વસ્તુઓ અક્ષયરૂપમાં પ્રાપ્ત થાય છે અને તે અનંત ફળનો ભાગી બને છે.

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી બાહ્ય આશ્રમનું સેવન કરનારનો પુનર્જન્મ નથી થતો. ચાતુર્માસમાં અસત્ય ભાષણનો ત્યાગ કરનારાઓ માટે મોક્ષનાં દ્વાર ઘડી જાય છે. પરનિંદા કરવી અને સાંભળવી આ બંનેના પરિત્યાગ ચાતુર્માસમાં વિશેષરૂપે જરૂરી છે. ચાતુર્માસમાં જેમના નામ સ્મરણ માત્રથી મનુષ્ય ઘોર બંધનથી મુકત થઈ જાય છે તેવા ભગવાન શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા તેમનું ચિંતન અને સ્મરણ કરવું.


Monday, July 21, 2008

Krishnam Vande Jagat Guru

કૃષ્ણ જ સમગ્ર જગતના ગુરૂ છે, તેમણે ગાયેલી ગીતા ગુરૂ મંત્ર છે - Courtesy Chintan Rami

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ એક આગવુ મહત્વ રહેલુ છે. ગુરુ-શિષ્યના સબંધ વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ મહત્વ કેટલુ છે તે તો આ શ્લોક પરથી જ ખબર પડે છે..

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ
ગુરૂ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા
તસ્મૈ શ્રી ગુરૂવે નમ:

એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે અને ગુરૂ સાક્ષાત પરમેશ્વર સમાન છે. પરંતુ આજના આધુનિક સમયમાં ભારતીય સમાજ માંથી ગુરૂનુ મહત્વ ઓછુ થતુ જાય છે. જો કે તેના માટે કેટલાય પરિબળો જવાબદાર છે.

તુલસીદાસે પણ ગુરૂનો મહિમા ગાતા કહ્યું છે કે ભલે ચારેય વેદોનો અભ્યાસ કરવમાં આવે પરંતુ ગુરૂ વગર મનનો સંતાપ મટતો નથી કે ગુરૂ વગર જ્ઞાન મળી શકતુ નથી.

પ્રાચીન કાળમાં જ્યારે છોકરો સાત વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના અભ્યાસાર્થે ગુરૂકુળમાં મોકલવામાં આવતો હતો, અને તેણે તેના જીવનના 25 વર્ષ સુધી ગુરૂના સાનિધ્યમાં પોતાનુ જીવન ઉચ્ચ બને તેના વિશેનુ જ્ઞાન મેળવે છે. જ્યારથી બાળક ગુરૂકુળમાં દાખલ થાય ત્યારથી ગુરૂ તેના માબાપનુ સ્થાન લેતા હતા. ગુરૂકુળમાં ગુરૂ તેને જીવન લક્ષી શિક્ષણ આપે છે. તેને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપતા નથી પરંતુ તેના જીવનમાં આવનારા શારિરીક અને માનસિક સંઘર્ષો સામે કેવી રીતે લડવુ તે અંગેનુ જ્ઞાન આપે છે.

આજના આધુનિક સમયમાં આધુનિક સ્કૂલ અને કોલેજોમાં બાળકોને શિક્ષકો ફક્ત રોટલો કેવી રીતે કમાવવો તે અંગેનુ જ જ્ઞાન આપે છે. પરંતુ સાચો ગુરૂ બાળકને તેના જીવનને એક ધ્યેય આપે છે. તેનો અને ભગવાનનો સબંધ શો છે, દુનિયામાં તેના આવવાનુ કારણ શુ છે તે અંગેની સાચી સમજ આપે છે. તે કેવળ ધ્યેય આપતો નથી પરંતુ તેને તે ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. ગુરૂ શિષ્યમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવે છે અને તે શક્તિનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની સાચી સમજ આપે છે.

શુ ગુરૂ વગર આપણને આવા શક્તિશાળી લોકો મળ્યા હોત ?
પરંતુ આધુનિકતા અને ટેક્નોલોજીથી સજ્જ એવા લોકો દલીલો કરતા કહે છે કે ગુરૂની જરૂર શુ છે? માણસ જ પોતે પોતાનો ગુરૂ છે આવી તાર્કિક દલીલો કરે છે. પરંતુ મિત્રો થોડુ વિચારો કે રામ અને કૃષ્ણ જેવી સૂર્ય ચંદ્ર સહિત સમગ્ર બ્રહ્માંડને હલાવનારી શક્તિ પણ શિષ્ય કાળ માંથી પસાર થઈને ગુરૂ પાસે વિદ્યા ગ્રહણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણનાર અને સૃષ્ટીના સર્જન હાર પણ પોતે અજ્ઞાની છે તે રીતે ગુરૂ પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે.

અરે કૃષ્ણને પોતાના સખા સમજવા વાળા અર્જુને પણ કુરૂક્ષેત્રના મેદાનમાં તેમનુ શિષ્યત્વ માન્ય કરે છે. હાલના કળિયુગમાં આપણે રામ રાજ્ય લાવવાની વાતો કરે છે તે રામ રાજ્ય પાછળ રઘુકુળના કુળગુરૂ વશિષ્ઠનો અથાક પ્રયત્ન રહેલો છે. જો સમર્થ રામદાસ ના હોત તો કદાચ આપણને શિવાજી ન મળ્યા હોત, અને ચાણક્યએ તો કહ્યું જ છે કે... શિક્ષક કદી પણ સામાન્ય હોતો નથી સર્જન અને પ્રલય બન્ને તેના ખોળામાં હોય છે.

ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય માનવીની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરીને ધનનંદનો નાશ કર્યો હતો. આમ ગુરૂ શિષ્યમાં રહેલી આંતરીક શક્તિઓને બહાર લાવે છે. નરેન્દ્ર જેવા સામાન્ય યુવાનને સ્વામિ વિવેકાનંદ બનાવવા પાછળ રામકૃષ્ણ પરમહંસનો ફાળો બહુ મોટો છે. શીખ ધર્મ તો ગુરૂ પરંપરા પર જ ઉભેલો છે. શીખ ધર્મમાં થઈ ગયેલા દસ દસ ગુરૂઓએ ભારતની વિદેશી લોકો સામે રક્ષા કરવા પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.

આજના કાળમાં આવા ગુરૂ મળવા શક્ય છે?
ગુરૂનુ મહત્વ જાણ્યા પછી થાય કે શુ આજના આવા કળિયુગમાં આપણને આવા સાચા ગુરૂ મળવા શક્ય છે? કૃષ્ણંવંદે જગત ગુરૂ પર શ્રધ્ધા રાખી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપનાર પાડુંરંગ શાસ્ત્રી કહેતા કે આજના કળિયુગમાં સાચા ગુરૂ મળવા કઠિન છે અને મળે તો તેને ઓળખવા બહુ કઠિન છે.
આજે ગુરૂ-શિષ્ય વચ્ચે બનેલી કેટલીક ઘટનાઓએ લોકોની આ પવિત્ર સબંધ પરની શ્રધ્ધાના પાયાને હચમચાવી નાંખ્યા છે. પાટણ કાંડ જેવી ઘટનાએ લોકોના મનમાં રહેલી ગુરૂ પ્રત્યેની છબીને તોડી નાંખી છે.

પરંતુ સમાજમાં બનતી આવી ઘટનાઓથી નિરાશ થવાની જરૂર નથી જો કો મનુષ્ય યોગ્ય ના હોય તો સૃષ્ટીમાં એવા કેટલાય તત્વો છે જેની પાસેથી આપણે જીવન વિકાસનુ જ્ઞાન મેળવી શકીએ છીએ. દત્તાત્રેય ભગવાને અજગર, વૃક્ષ, ધરતી, વેશ્યા વગેરેને તેમના ગુરૂ માન્યા હતા.મોરારી બાપુ તો કહે છે કે જો તમારે કોઈ ગુરૂ ના હોય તો હનુમાનને તમારા ગુરૂ માનવા.

જો કોઈ ના હોય તો કૃષ્ણ તો છે જ. કારણ કે કૃષ્ણ તો સમગ્ર જગતના ગુરૂ છે અને તેમણે ગાયેલી ગીતા તેમણે વિશ્વને આપેલો ગુરૂ મંત્ર છે.
કૃષ્ણં વંદે જગત ગુરૂ...
*********************************************************


Hindola Utsav

લાલાને ઝુલાવો હિંડોળે - courtesy વૈદેહી અઘ્યારુ

હિંડોળા ઉત્સવ

આ વર્ષ હિંડોળા- આરંભ તા. ૧૯-૭-૦૮ અષાઢ વદ એકમ, શનિવાર
હિંડોળા વિજય તા. ૧૮-૮-૦૮ શ્રાવણ વદ બીજ, સોમવાર

આ દરમિયાન તા. ૧-૮-૦૮ અષાઢ વદ અમાસ, શુક્રવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ બપોર પછી હોવાથી હિંડોળા વિલંબે થાય.

તા. ૧૬-૮-૦૮ શ્રાવણ સુદ પૂનમે ચંદ્રગ્રહણ રાત્રે હોવાથી હિંડોળા નિત્ય પ્રમાણે જ થાય.

શ્રીમદ્ ભાગવતમાં કથા છે કે શ્રીનારાયણ ભગવાનના નાભિપદ્મમાંથી ત્રિલોકાત્મક પદ્મ ઉત્પન્ન થયું. તેમાંથી પ્રકટ થયેલા બ્રહ્માજીએ તપ કર્યું. આથી પ્રસન્ન થયેલા ભગવાને તેમને પોતાના શ્રેષ્ઠ વૈકુંઠધામનું દર્શન કરાવ્યું. ત્યાં બ્રહ્માજીએ શું જોયું?

વૈકુંઠમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ તેમ જ માયા પણ નથી, કાળનો સંચાર નથી. નીલ વર્ણના પીતાંબરધારી ચતુર્ભુજ પાર્ષદો- શ્રીહરિના અનન્ય સેવકો અહીં વસે છે. જયાં સાક્ષાત્ ભગવતી શ્રીદેવી વિવિધ પ્રકારના વૈભવોથી શ્રીહરિના ચરણોમાં સેવા સમર્પિત કરે છે. વળી, બ્રહ્માજી દર્શન કરી રહ્યા છે કે લક્ષ્મીજી હિંડોળા ઉપર વિરાજમાન થઈ પોતાના પ્રિયતમ શ્રીહરિનાં ગુણગાન કરી રહ્યાં છે.

વૈકુંઠથી યે વહાલા વ્રજમાં અને વૃંદાવનમાં તો આપણા રસેશ્વર પ્રભુ સ્વામિનીજી સાથે ઝૂલે છે. કયારેક સ્વામિનીજીને ઝુલાવે છે તો કયારેક સ્વામિનીજી ઠાકોરજીને ઝુલાવે છે અને કયારેક વ્રજાંગનાઓ શ્રીગોવિંદપ્રભુ અને શ્રીરાધિકાજીને ઝુલાવે છે.

અષાઢ-શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે ઝૂલો રચાય છે. ભૂદેવી નવપલ્લવિત, નવકુસુમિત હરિયાળી શાટિકા (સાડી) ધારણ કરે છે. હરિત ભૂમિ વૃંદાવનની સઘનકુંજ-નિકુંજૉમાં મયૂરો મત્ત થઈ નર્તન કરે છે, દાદુર, બપૈયા અને કોકિલા કેલીકૂજન કરે છે, શુક-ચાતક શબ્દ કરે છે, મેઘમાળા મૃદંગ વગાડે છે, ઇન્દ્રધનુષ્ય ઉદય થવા લાગે છે, ગગનમાં દમક દમક થતી દામિની રાગ મલ્હાર જમાવે છે, મંદ-સુંગધ-શીતળ વાયુ વીંઝણો કરે છે. ભીની માટીની સુંગધ આવે છે ત્યારે આપણા નટવર રસેશ્વર શ્રીગોવિંદ પ્રભુ વામ ભાગમાં વૃષભાનનંદિનીને વિરાજિત કરી સુરંગ હિંડોળે ઝૂલે છે.

પ્રકૃતિના આવા અદ્ભુત પરિવેશમાં શ્યામા-શ્યામની જુગલજોડીનાં દર્શન કરી ભકતજનો ભાવવિભોર થઈ જાય છે.

હિંડોળામાં વિવિધ મનોરથ થાય છે. નિત્ય નવીન સાજ આવે છે. પહેલા દિવસે ચાંદીનો હિંડોળો ખડો થાય છે. તેના ઉપર નિત્ય નવા કલાત્મક ફૂલપાનના હિંડોળા બને છે. હિંડોળા નીચે આસન બિછાવાય છે.

ચંદનનાં લીલાં પાનનો હિંડોળો, ફળ-ફૂલનો હિંડોળો, પાન-ફૂલથી સજાવેલ લહેરિયાની ભાતવાળો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર રૂપેરી સુરમા સિતારાના ભરતકામવાળો આભલા જડેલો હિંડોળો, સોનેરી તથા રંગબેરંગી કાચથી સજાવેલો હિંડોળો, કદમની ડાળીઓ અને ફૂલોથી સજાવેલો હિંડોળો, લાલ વસ્ત્ર ઉપર ફૂલપત્તીથી સજાવેલો સુરંગ (લાલ) હિંડોળો, સોનેરી લાખનો રંગીન કાચ જડેલો હિંડોળો, ગુલાબનો હિંડોળો, ગુલાબ-જૂઈનો હિંડોળો, એલચીનો હિંડોળો, સૂકા મેવાનો હિંડોળો, (સોનાનો) હેમ હિંડોળો, ચંદનિયા રંગનાં વસ્ત્રથી સજાવેલો હિંડોળો, મેઘશ્યામ મખમલ ઉપર મોતી ભરેલો કલાત્મક હિંડોળો, કેળનાં પાનનો હિંડોળો, નાગરવેલનાં પાનનો અને તેની બીડીઓનો હિંડોળો, રાખડી અને પવિત્રાનો હિંડોળો, કાચના અરીસાનો હિંડોળો અને ચોકલેટ-પીપરમિંટનો હિંડોળો પણ સજાવાય છે.

હિંડોળાની સજાવટ કલાત્મક અને અનોખી હોય છે. આવા અદ્ભુત હિંડોળામાં પ્રભુ બિરાજે ત્યારે કીર્તનોની સુંદર સુરાવલિઓમાં ભકતજનોના ભાવ પ્રકટ થાય છે. ફૂલન કો હિંડોરો ફૂલન કી ડોરી... ઘન ઘટા વન ઘટા આલી ઘટા, ઝૂલતા હૈ દોઉ રૂપ રંગ કી ઘટન મેં... રમક ઝમક ઝૂલન મેં ઠમક મેઘ આયો... પ્યારો-પ્યારી ઝૂલે કદમ કી ડારિયાં... ઝૂલત સાંવરે સંગ ગોરી...

સેવા પ્રકાર : અષાઢ વદ પ્રતિપદાથી લઈને જે દિવસ શુદ્ધ હોય, શ્રીઠાકુરજીની વૃષભ રાશિને અનુકૂળ ચંદ્ર હોય, તે દિવસથી ભદ્રા વગરના શુભ મુહૂર્તમાં હિંડોળા ઝુલાવવા. હિંડોળા સાજીને સંકલ્પાદિપૂર્વક અધિવાસન (હિંડોળાનું પૂજન) કરવું. હિંડોળામાં ઝુલાવ્યા, પછી ઉત્સવભોગ ધરવો.

પહેલા ચાર ઝોટા સામેથી દેવા. પછી જમણી બાજુથી દાંડી પકડીને ઝુલાવવા. બીજા કીર્તનમાં સામેથી ઝુલાવવા. ચાર કીર્તન પછી શયનભોગ-શયન આરતી યથાક્રમે થાય. શ્રાવણ સુદ પૂનમની લઈને શુદ્ધ દિવસે. પ્રભુને સાનુકૂળ ચંદ્ર હોય ત્યારે હિંડોળા-વિજય થાય. શનિ-બુધવારે ન થાય. જન્માષ્ટમી સુધી ચાલે. હિંડોળા-વિજય થાય ત્યારે ત્યાં આરતી થાય. અનંતકાળથી નવલકિશોર અને નવલકિશોરી હિંડોળે ઝૂલે છે. પ્રતિ વર્ષ હિંડોળા સજાવાય છે, કીર્તનો ગવાય છે. નિત્ય નાવીન્યપૂર્ણ લીલાનો આનંદ નિજજનો માણે છે. કારણ કે ભગવાનની લીલા શાશ્વત છે.

તો ચાલો, આપણે પણ આપણું હૃદયરૂપી આસન પાથરી નયનોના હિંડોળા ઉપર પ્યારો-પ્યારી ઝુલાવીએ, મનમોહન અને માનિનીને મનનો ભોગ ધરીએ અને હૃદયકમળમાં જ પોઢાડીએ
.

Thursday, July 17, 2008

Guru Purnima Prayers

Ye Garv Bhara, Mastak Mera
Prabhu Charan Dhool Tak, Jhuk Ne De


Ahamkar Vikar, Bhare Man Ko
Nij Naam Ki Mala, Jap Ne De
Ye Garv Bhara...

Mai Man Ke Mail Ko, Dho Na Saka
Ye Jeevan Tera, Ho Na Saka
Aa Ho Na Saka,
Mai Premi Houn, Itna Na Jhuka
Girbhi Jo Padoun Tho, Utne De
Ye Garv Bhara...

Main Gyaan Ki Baton Me, Khoya
Aur Karm Hin Padkar Soya
Jab Ankh Khuli, To Man Roya
Jab Soye Mujh Ko, Jagne De
Ye Garv Bhara...

Jaisa Hoon Mai, Khota Ya Khara,
Nirdosh Sharan Me, Aa Tho Gaya
Aa, Aa Tho Gaya
Ik Bar Ye, Kehade Khali Ja
Ye Preet Ki Reet, Jhalak Ne De
Ye Garv Bhara...

*******************************************************************

छोटी छोटी गैयाँ, छोटे छोटे ग्वाल ~~~
छोटो सो मेरो मदन गोपाल~~~

छोटी छोटी गैयाँ, छोटे छोटे ग्वाल~~~
छोटो सो मेरो मदन गोपाल~~~

आगे आगे गैयाँ पीछे पीछे ग्वाल~~
बीच मैं है मेरो मदन गोपाल......
छोटी छोटी गैयाँ~~~

घास खाए गैयाँ, दूध पीये ग्वाल~~
माखन मिसरी खाए मेरो मदन गोपाल...
छोटी छोटी गैयाँ~~~

काली काली गैयाँ, गोरे गोरे ग्वाल~~
श्याम वरन मेरो मदन गोपाल....
छोटी छोटी गैयाँ~~~

छोटी छोटी लाखुटी छोटे छोटे हाथ~~
बंसी बजावे मेरो मदन गोपाल....
छोटी छोटी गैयाँ ~~~

छोटी छोटी सखियाँ मधुबन बाल~~
रास रचावे मेरो मदन गोपाल.....
छोटी छोटी गैयाँ~~~
**********************************************************************
Sai Kasht Nivaaran Mantra/Stuti

Shri Sadguru Sainath Maharaj Ki Jai

Kashto Ki Kaali Chhaya Dukh Daayi Hai,
Jeevan Mein Ghor Udhaasi Laayi Hai,
Sankat Ko Taalo Sai Duhaai Hai,
Tere Siva Naa Koi Sahaayi Hai,

Mere Man Teri Murat Samaayi Hai,
Har Pal Har Kshan Mahima Gaayi Hai,
Ghar Mere Kashto Ki Aandhi Aayi Hai,
Aapne Kyu Meri Sudh Bhulayi Hai,

Tum Bhole Nath Ho Daya Nidhan Ho,
Tum Hanuman Ho Maha Balwan Ho,
Tumhi Ho Ram Aur Tumhi Shyam Ho,
Sare Jagat Mein Tum Sabse Mahan Ho,

Tumhi Mahakali, Tumhi Ma Sharde,
Karta Hu Prarthana Bhave Se Tar De,
Tumhi Mohammad Ho, Garib Navaz Ho,
Nanak Ki Vani Mein, Isa Ke Saath Ho,

Tumhi Digambar, Tumhi Kabir Ho,
Ho Budha Tumhi Aur Mahaavir Ho,
Sare Jagat Ka Tumhi Adhar Ho,
Nirakar Bhi Aur Sakar Ho,

Karta Hu Vandana Prem Vishwas Se,
Suno Sai Allah Ke Vaaste,
Adhro Mein Mere Nahi Muskaan Hai,
Ghar Mera Banane Laga Smashan Hai,

Rahem Nazar Karo Ujhade Viran Pe,
Jindagi Savregi Ek Vardan Se,
Paapo Ki Dhop Se Tan Laga Harne,
Aapka Ye Das Laga Pukarne,

Aapne Sada Hi Laaj Bachae Hai,
Der Naa Ho Jaye Man Shankaye Hai,
Dhire Dhire Dhiraj Hi Khotaa Hai,
Man Mein Basa Vishwas Hi Rota Hai,

Meri Kalpana Sakar Kar Do,
Suni Jindagi Mein Rang Bhar Do,
Dhote-Dhote Paapo Ka Bhar Jindagi Se,
Main Har Gaya Jindagi Se,

Nath Avgun Ab To Bisaro,
Kashto Ki Leher Se Aake Ubaro,
Karta Hu Paap Main Papo Ki Khan Hu,
Gyani Tum Gyneshwar, Main Agyan Hu,

Karta Hu Pag-Pag Par Paapo Ki Bhool Main,
Tar Do Jeevan Ye Charon Ki Dhul Se,
Tumne Ujada Hua Ghar Basaya,
Pani Se Deepak Bhi Tumne Jalaya,

Tumne Hi Shirdi Ko Dham Banaya,
Chhote Gaon Mein Swarg Sajaya,
Kasht Paap Shraap Utaaro,
Prem Daya Drishti Se Niharo,

Aap Ka Das Hu Aise Na Taliye,
Girne Laga Hu Sai Sambhaliye,
Saiji Baalak Main Anath Hu,
Tere Bharose Rehta Din Raat Hu,

Jaisa Bhi Hu, Hu To Aapka,
Kije Nivaran Mere Santaap Ka,
Tu Hai Savera Aur Main Raat Hu,
Mel Nahi Koi Phir Bhi Saath Hu,

Sai Mujse Mukh Na Modo,
Bich Majdhar Akela Na Chhodo,
Aapke Charno Mein Base Pran Jai,
Tere Vachan Mere Gurusaman Hai,

Aapki Raho Pe Chalta Das Hai,
Khushi Nahi Koi Jeevan Udas Hai,
Aansu Ki Dhara Hai Dubata Kinara,
Jindagi Mein Dard, Nahi Gujara,

Lagaya Chaman To Phool Khilao,
Phool Khile Hain To Khushbu Bhi Lao,
Kar Do Ishara To Baat Ban Jaaye,
Jo Kismat Mein Nahi Wo Bhi Mil Jaye,

Bita Zamana Ye Gake Fasana,
Sarhade Jindagi Mout Kaa Tarana,
Der Ho Gayi Hai Andhere Na Ho,
Fikr Mile Lekin Fareb Na Ho,

Deke Talo Yaa Daman Bacha Lo,
Hilne Lagi Rahunaye Sambhalo,
Tere Dam Pe Allah Ki Shaan Hai,
Sufi Santo Ke Ye Bayan Hai,

Garib Ki Joli Mein Bhar Do Khazana,
Zamane Ke Wali Karo Na Bahana,
Dar Ke Bhikhari Hain Mohtaj Hai Hum,
Shahanshahe Aalam Karo Kuch Karam,

Tere Khazane Mein Allah Ki Rehmat,
Tum Sadguru Ho Samarth,
Aaye Ho Dharti Pe Dene Sahara,
Karne Lage Kyun Hum Se Kinara,

Jab Tak Ye Brahmand Rahega,
Sai Tera Naam Rahega,
Chand Tare Tumhe Pukarenge,
Janmojanam Hum Rasta Niharenge,

Atma Badlegi Chole Hazar,
Hum Milte Rahenge Har Bar,
Aapke Kadamo Mein Baithe Rahenge,
Dukhde Dil Ke Kehte Rahenge,

Aapki Marzi Hai Do Yaa Naa Do,
Hum To Kahenge Daman Bhi Bhar Do,
Tum Ho Data Hum Hai Bhikhari,
Sunate Nahi Kyun Araj Hamari,

Achha Chalo Ek Baat Bata Do,
Kya Nahin Tumhare Pas Bata Do,
Jo Nahin Dena Hai Inkar Kar Do,
Khatm Ye Aapas Ki Takrar Kar Do,

Laut Ke Khali Chala Jaunga,
Phir Bhi Gun Tere Gaunga,
Jabtak Kaya Hai Tabtak Maya Hain,
Isi Mein Dukhon Ka Mul Samaya Hain,

Sab Kuch Jaan Ke Anjan Hu Main,
Allah Ki Tu Shan Teri Hu Shan Main,
Tera Karam Sada Sabpe Rahega,
Ye Chakra Yug-Yug Chalta Rahega,

Jo Prani Gayega Sai Tero Naam,
Usko Mile Mukti Pohchhe Param Dham,
Ye Mantra Jo Prani Nit Gayenge,
Rahu, Ketu, Shani Nikat Na Aayenge,

Tal Jayenge Sankat Sare,
Ghar Mein Das Vas Kare Sukh Saare,
Jo Shraddha Se Karega Pathan,
Us Par Dev Sabhi Ho Prasann, Rog Samuhh Nasht Ho Jayenge,

Kasht Nivaran Mantra Jo Gayenge, Pal Mein Dur Ho Sab Paap,
Jo Ye Pustak Nit Din Vaache, Laxmiji Ghar Uske Sada Biraje,
Gyaan Buddhi Prani Vo Payega,Kasht Nivaran Mein Jo Dhyayega,

Ye Mantra Bhakto Kamal Karega, Aaye Jo Anhoni To Taal Dega,
Bhoot-Pret Bhi Rahenge Door, Is Mantra Mein Sai Sakti Bharpur,
Japte Rahe Jo Mantra Agar, Jadu Tona Bhi Ho Beasar,
Is Mantra Mein Sab Gun Samaye, Naa Ho Bharosa To Aajmaye,

Ye Mantra Sai Vachan Hi Jano, Swayam Amal Kar Satya Pahchhano,
Sanshay Naa Lana Vishwas Jagana, Ye Mantra Sukho Ka Hai Khazana,
Is Pustak Mein Sai Ka Vaas, Sai Daya Se Hi Likh Paya Daas

Anant Koti Brahmand Nayak Raja Dhi Raj Yogi Raj Para Brahma Shri Sachidanand Sadguru Sai Nath Maharaj Ki Jai!!!
**************************************************************************

Monday, July 7, 2008

My Kiddo turned 16!!

On July 1, my baby boy turned 16 years old.

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

Since January I was pestering him about having a huge birthday. Well, he did not want one. He just wanted 6 of his classmates to come home and play the X-Box, eat pizza, cake and just chill out at home. That's exactly what he did on July 1st.

On July 4th, which was also Ashadi Beej, Rath Yatra and Punarvashu nakshatra, I held a havan for my son's well - being. The pandit who did the havan mentioned a couple of times that I had chosen a very blessed day for the havan - I felt that the Gods were in my son's favor. The havan went well, my son got lots of blessings for all the elders and love from the younger ones. The menu was good too:
Poori
Lapsi
Shrikhand
Kadhi
Dal
Bhat
batata - tameta nu shaak
Ringan tuver nu shaak
Kala chana - khata meetha
and to top it all off - icecream cake!

It was a very simple fare, but everyone enjoyed it and were surprised at the kadhi - shrikhand and lapsi - dal combination. I had to make both as my baby brother does not like kadhi. The prasad for the havan pooja was lapsi - as it was a Friday and on top of it - Ashadi Beej - birthday of Khodiyaar Mata. Overall, it was a blessed day.

Kacchi New Year's Day

અષાઢી બીજ કરછી નવું વર્ષ - Courtesy રામ બી. શુકલ

અષાઢ એટલે મહાન વિદ્વાન સંસ્કૃત સાહિત્યના કવિવર કાલિદાસનું સ્મરણ કરાવતો મહિનો. અષાઢ એટલે રમતા અને એકતાનાં પ્રતીક સમી, કણ-કણમાં ભગવાનને ઓળખવાનો સંદેશ આપતી ભકિત-સેવા-સમર્પણ જેવાં સાંસ્કૃતિક મૂલ્યોનાં જીવંત સ્વરૂપે વિહરતી ભવ્ય રથયાત્રાના દર્શન અને ચાતુર્માસનાં આરંભનો મહિનો.


કરછ એટલે લગભગ પાંચ કરોડ કરતાં પણ વધારે વર્ષની ભૂસ્તરીય ઉંમર વટાવી, ચાર-ચાર વાર દરિયામાં ડૂબકી લગાવી કરોળિયા રૂપી મરજીવાની જેમ બહાર આવી છેલ્લા પાંચ દાયકામાં ૪૧ વર્ષ ભીષણ દુષ્કાળ, અનરાધાર અતિવૃષ્ટિ, વિનાશક વાવાઝોડા-મહામારી અને પળ વારમાં તન-મનને પીંખી નાખનાર મહાવિનાશક ભૂકંપ જેવા કુદરતનાં બેરહેમ જુલમોનો મક્કમતાપૂર્વક પ્રતિકાર કરતી ખમીરવંતી, જવાંમર્દી અને દેશદાઝથી ભરપૂર પ્રજાજનોની માતૃભૂમિ-કૃષિ-પાણી અને માભોમ માટે સદા મરી ફિટવાની તત્પરતા જેવી બાબતોમાં અદ્દલ ઇઝરાયલ જેવી સામ્યતામાં માન્યતા પ્રાપ્ત મુલક.

પુરુષાર્થના બળે પ્રારબ્ધ પામવાની તાકાત તો કરછીઓને ગળગૂંથીમાં જ મળેલી છે. કુદરતની અવકૃપા સામે રોકકળ રડવા માથું કૂટવાનાં બદલે તેની સામે બાથભીડી આગવી કોઠાસૂઝથી બચાવ કામગીરીમાં વિના વિલંબે વફાદારીપૂર્વક લાગી જઇ, પથ્થરમાંથી પાણી નિતારી, કુદરતનાં અભિશાપને આશીર્વાદમાં પલટી નાખવા ક્ષમતાવાન કર્માશ્રિત કરછી પ્રજા વિશ્વના દૂર દૂર દેશાવરનાં ૭૦ જેટલા દેશોમાં વિખેરાયેલી, ફેલાયેલી, પથરાયેલી કરછની અસ્મિતા માટે મમતામયી કરછી પ્રજાનો વતન પ્રેમ ઇઝરાયલીઓનાં વતનપ્રેમને પણ પાછો પાડી દે તેવો. અનેક ભાષાઓનો સાક્ષર હોવા છતાં પણ રોજિંદા જીવનવ્યવહારમાં તો પોતાની અલ્પાક્ષરી છતાં અધિક અર્થ ધરાવતી ચોટદાર કરછી ભાષા-બોલીનો પ્રયોગ કરવામાં સદા ગર્વોન્વિત અને વતનની આપત્તિ સમયે વતન માટે તન-મન-ધન ન્યોછાવર કરવામાં પણ સદા અગ્રેસર.

Kachhi માડુ એટલે રણને ઝરણ, અધુરપને મધુરપ અને રજને રજત બનાવવા સક્ષમ. રેતાળ પ્રદેશનો હેતાળ માનવી, વીરતા વફાદારી માનવતા અને ઉદારતામાં અદ્વિતીય પાણીદાર નરબંકો, મા ભોમ માટે સદા મરી ફિટવા તત્પર વતન પરસ્તી. વિશ્વના ખૂણે-ખૂણામાં પથરાઇ જઇ વેપાર-વણજ, શ્રમ અને બુદ્ધિગમ્ય વ્યવસાયમાં ‘અપના હાથ જગન્નાથ’ના જીવનમંત્ર સાથે સફળતાનાં સોપાનો સર કરી વતનપ્રેમી તરીકેની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કર્યા પછી પણ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે બે ડગલાં આગળ, કલહ, કુસંપ, કંકાસ વગરનું પ્રસન્ન કૌટુંબિક જીવન, ઘરકામમાં સંકુચિત દૃષ્ટિ નહીં. કુટુંબકલ્યાણ માટે ઘસાઇ તૂટી મરી વધુમાં વધુ સહનશીલ, એકલપંડે તાગડધિન્ના કરવાની વૃત્તિ નહીં. મોટેરાંને માન અને નાનેરાંને વહાલ પણ સમાન.
anek ચડતી પડતી વરચે પણ ઊડીને આંખે વળગે તેવી પ્રગતિ. અનેક ધર્મસ્થાનો, ધર્મોઅને સંપ્રદાયો છતાં વિવિધતામાં એકતા એટલે કરછી સંસ્કૃતિ.

આમ તો આપણા દેશમાં કારતક સુદ પડવો વિક્રમસંવતની જયઘોષણા કરતો સર્વત્ર ગુંજી ઊઠે છે પણ દુનિયામાં કયાંયે નવા વર્ષની શરૂઆત અષાઢી બીજની થતી હોય તે છે બે રણની વરચે અટવાયેલો મુલક-પ્રદેશ એટલે કરછ છે. કુદરતનાં ખોળે ઉછરેલ કરછી કુદરતનાં તત્ત્વોને વંદતો આવ્યો છે. ધીંગીધરાનો કરછી દુનિયાના ગમે તે ખૂણામાં વસતો હોય, અષાઢી બીજ આવતાં પરંપરાગત ઉત્સવનાં આનંદનાં ઓવારણાં અવશ્ય લેતો હોય છે, મન કરછની માભોમ પર વિચરતું રહે છે. સમગ્ર કરછમાં ૮૫૦ કરતાં પણ વધુ વર્ષથી અને કરછી નવા વર્ષની શરૂઆત થઇ ત્યારથી વિશેષ મહત્ત્વ સાથે ધામધૂમ-ભારે દબદબાપૂર્વક અષાઢી બીજની ઉજવણી થતી આવી છે.

પહેલાનાં જમાનામાં અષાઢી બીજનાં રોજ કરછના રાજદરબારમાં ભવ્ય રાજદરબાર ભરાતો, પ્રજા રાજાને માતાપિતાના નાતે હોંશેહોંશે મળવા જતી અને ત્યારબાદ દેવદર્શને જઇ વડીલોને વંદન કરી સૌ એકબીજાની સુખાકારી ઇરછતાં અને સમગ્ર માહોલ દિવાળી જેવો બની જતો. કરછના પાટનગર ભુજની ટંકશાળમાં નવા વર્ષના સિક્કા પણ અષાઢી બીજે જ પડતા, વેપારી વર્ગ નવા હિસાબોના ચોપડાનું પૂજન કરતો. સાગર ખેડૂઓ દરિયાપીરની પૂજા કરતા. આજે પણ સમગ્ર કરછ અષાઢી બીજે આકાશમાં વરસાદને જોતું ઝંખે છે અને નવા વર્ષે વીતી ગયેલા વર્ષનાં ખાટામીઠાં, તીખાકડવાં પ્રસંગોને ભૂલી જઇ એકબીજાના ખભેખભા મિલાવી, નવા વસ્ત્ર ધારણ કરી વડીલોને પાયલાગણ કરી આશીર્વાદ ભેટ મેળવી એકબીજાને સ્નેહથી ગળે મળી મોઢું મીઠું કરાવે છે. આ શુભ અવસર પર સુવિચાર શુભભાવના પ્રગટ કરી નવલાં વરસનાં નવલાં મઘમઘતા પ્રભાત સાથે નૂતનવર્ષની જયઘોષણા કરી સર્વત્ર કરછી ગુંજી ઊઠે છે.

Friday, June 27, 2008

Annapoorna Stotra

Annapoorna devi is our kuldevi . Here is her stotra for anyone who is interested. If you find any mistakes, please help us correct them.

Nityanandakari varabhayakari saundaryaratnakari Nirdhutakhilaghorapavanakari pratyaxamaheshvari Praleyachalavanshapavanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 1

Nanaratnavichitrabhushanakari hemambaradambari Muktaharavilambamana vilasath vaxojakumbhantari Kashmiragaruvasita ruchikarii kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 2

Yoganandakari ripukshayakari dharmarthanishthakari Chandrarkanalabhasamanalahari trailokyaraxakari
Sarvaishvaryasamastavajnchitakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 3

Kailasachalakandaralayakari gauri uma shankari
Kaumari nigamarthagocharakari onkarabijaxari
Moxadvarakapatapatanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 4

Drishyadrishya vibhutivahanakari brahmandabhandodari
Lilanatakasutrabhedanakari vigyanadipankuri
Shrivishveshamanah prasadanakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 5

Urvi sarvajaneshvari bhagavati matanapurneshvari
Veninilasamanakuntaladhari nityanadaneshvari
Sarvanandakari sadashubhakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 6

Adikshantasamastavarnanakari shambhostribhavakari
Kashmira trijaleshvari trilahari nityankura sharvari
Kamakanxakari janodayakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 7

Devi sarvavichitraratnarachita daxayani sundari
Vame svadupayodhara priyakari saubhagya maheshvari
Bhaktabhishtakari sadashubhakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 8

Chandrarkanalakotikotisadrisha chandranshubimbadhari
Chandrarkagnisamanakundaladhari chandrarkavarneshvari
Malapustakapashasankushadhari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 9

Kshatratranakari mahabhayakari mata kripasagari
Saxanmoxakari sada shivakari vishveshvari shridhari
Daxakrandakari niramayakari kashipuradhishvari
Bhiksham dehi kripavalambanakari matanapurneshvari 10

Anapurne sadapurne shankarapranavallabhe
Gyanavairagyasiddhyartham bhiksham dehi cha parvati 11

Mata cha parvati devi pita devo maheshvarah
Bandhavah shivabhaktashcha svadesho bhuvanatrayamh 12

Gujarati Reading Material June 27, 2008

સૌભાગ્યરક્ષક વટસાવિત્રી વ્રત...Courtesy અનિલ કે. ભટ્ટ
આપણી ભારતીય સંસ્કૃતિમાં વ્રતો, તહેવારો અને ઉત્સવોને એક આઘ્યાત્મિક વારસો ગણી શકાય. આપણા જીવનમાં પાયારૂપ ચાર બાબતો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સમાવી લેવામાં આવેલ છે. જે વિવિધ વ્રતો, ઉધાપનો દ્વારા સાધી શકાય છે. વ્રતધારીઓ દૈવી શકિતઓનું પોતાનામાં અવતરણ કરવા માટે વ્રતોનો આશ્રય લઈ પોતાની ધાર્મિક ભાવનાઓને પોષતા હોય છે.


વ્રતો એટલે માત્ર બહેનો એ જ કરવાની બાબત છે એવું ઘણા પુરુષો માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. પ્રત્યેક વ્રતો સ્ત્રી-પુરુષે સાથે મળીને કરવાનાં હોય છે અને તેની ઉજવણી પણ સહભાગી બનીને જ કરવાની હોય છે.

આ પ્રકારનું જ એક વ્રત એટલે ‘વટસાવિત્રી વ્રત’ જેમાં સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય સહિત પુત્ર-પૌત્રાદિકનાં સુખની પ્રાપ્તિની મહેરછા રાખે છે. આ વ્રત જેઠ સુદ પૂર્ણિમાના દિવસે કરવાનું વિધાન છે. કેટલાક પ્રદેશોમાં અમાવસ્યાએ પણ આ વ્રત કરવામાં આવે છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર અમાસ અથવા પૂર્ણિમા પૂર્ણ વેધવાળી લેવી તેવું સૂચન છે. જેને સ્કંદ અને ભવિષ્યપુરાણમાં પણ સમર્થન મળેલું છે. દક્ષિણના લોકો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે આ વ્રત કરે છે. પરંતુ પિશ્ચમના લોકો જેઠ વદ અમાવાસ્યાના દિવસે આ વ્રત કરે છે.

‘વટસાવિત્રીની કથા’ હિંદુ પરિવારોમાં સર્વ વિદિત છે. સાવિત્રીના પતિવ્રતપણાએ અને તેના ‘વટસાવિત્રી’ના વ્રતના પ્રભાવથી પોતાના પતિને યમરાજના મુખમાંથી છોડાવ્યા, એટલું જ નહીં પણ પોતાનાં અંધ સાસુ-સસરાને પણ દેખતાં કર્યા અને વ્રતના પ્રભાવથી જ પોતાને ત્યાં રિદ્ધિ-સિદ્ધિને ઉતારી, જે વ્રતધારીઓ માટે સવ પ્રકારે અનુકરણીય છે.

વટસાવિત્રીના આ દૃષ્ટાંત દ્વારા મહર્ષિ અરવિંદ ઘોષે પણ પોતાના યોગનો પાયો રરયો જેમાં આ કાયાને દિવ્યત્વ આર્પીને ૧૦૦ વર્ષ સુધી ટકાવી શકાય છે, તે બાબતને તારવી કાઢી અને દિવ્ય જીવનનું યોગ માર્ગમાં પ્રતિપાદન કર્યું.

વટસાવિત્રી વ્રતની વિધિ
જેઠ સુદ ૧૩ના દિવસે આ વ્રત કરવા ઇરછનારે શરીર શુદ્ધિ અને વિધ્નોના નિવારણ માટે મહાનદી, સરોવર અથવા ઝરણાંના જળથી સ્નાન કરવું. પૂર્ણિમાના દિવસે તલ, આમળાં, સરસવ અને માટી શરીર પર ચોળી જળથી વિશેષ સ્નાન કરી પવિત્ર થવું. ત્યાર પછી વટ-વૃક્ષની સમીપ જઈને તેને પાણી રેડવું, એના થડને સૂતર વીંટવું અને ‘વૈવસ્વતાય નમ:’ આ મંત્રનો ઉરચાર કરી ચંદન, અક્ષત (ચોખા) અને પુષ્પ તેમજ અબીલ, ગુલાલ, સીંદૂર, હળદર આદિ સૌભાગ્ય દ્રવ્ય વડે ભકિતભાવનાથી પૂજા કરવી અને પછી તે વડની પ્રદક્ષિણા કરવી.

જો વૃદ્ધિ સૂતક હોય, મૃત્યુ સૂતક હોય, રોગ હોય અથવા ઋતુમતી નારી હોય તો પૂજાવિધિ સુપાત્ર બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય છે. તેરસથી પ્રારંભ કરી પૂર્ણિમા પર્યંત આ વ્રત કરવું જોઈએ.

પૂજન વિધિ
વટવૃક્ષના સમીપ જઈ અભિમુખ બેસીને ત્રણ વખત આચમન કરવું (જળ પીવું) (ઓમ્ હ્ર` કેશવાય નમ:, ઓમ્ હ્ર` નારાયણય નમ:, ઓમ્ હ્ર` માધવાય નમ: એમ ત્રણ વખત બોલીને આચમન કરવું) ચોથી વખત ‘ગોવિંદાય નમ:’ આ મંત્ર બોલી હાથ ધોઈ નાંખવા પછી શ્રી ગણેશ, શ્રી ગુરુદેવ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી શિવપાર્વતીજી, શ્રીબ્રહ્મા અને સાવિત્રીજી, શ્રી ઇન્દ્ર-ઇન્દ્રાણી અને પિતૃ દેવતાઓ, ઇષ્ટદેવતા, સ્થાન દેવતા, કૂળ દેવતા, ગ્રામ દેવતા તથા ગોત્ર દેવતા સહિત તેત્રીસ કોટિ દેવતાઓનું સ્મરણ કરી માસ, પક્ષ વગેરેનું ઉરચારણ કરી વ્રતનો સંકલ્પ કરવો અને ‘મારા-પતિ તથા પુત્ર પરિવારના આયુષ્યની અભિવૃદ્ધિ માટે, એમના આરોગ્ય માટે અને જન્મોજન્મ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે ‘વટસાવિત્રી’નું વ્રત હું કરીશ’ એમ કહી સંકલ્પનું જળ મૂકવું. વડના મૂળમાં જળ રેડવું અને ભકિતભાવનાથી વડને સૂતર વીંટવું અને ચંદન પુષ્પ અને ચોખાથી વડની પૂજા કરવી અને પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતાં નીચેનો મંત્ર મનમાં બોલવો :

‘યાનિકાનિચ પાપાનિ, જન્માતર કૃતાનિચ

તાનિ સર્વાણિ નશ્યંતુ, પ્રદક્ષિણાં પદે પદે’

આ પ્રકારની વિધિ પતાવ્યા પછી ધેર આવવું. ઘરની મઘ્યમાં હળદર અને ચંદનથી વટવૃક્ષનું આલેખન કરવું અને વટસાવિત્રી દેવીની પૂજા કરવી. પહેલાંની જેમ જ સંકલ્પ કરવો અને જળ મૂકવું, પછીના મંગલ ચરણમાં દીપ દેવતા તથા સૂર્યનારાયણનું પૂજન કરવું, ત્યારબાદ ગણપતિ ભગવાનનું પૂજન કરવું. પછીથી અંતમાં ધૂપ, દીપ નૈવેધ, જળ, ફળ, પાન, દક્ષિણા સમર્પિત કરી આરતી ઉતારવી. છેલ્લે મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી વિશેષ અઘ્ર્ય આપવો. (ફળ સાથે જળ મૂકવું જેમાં શ્રીફળ શ્રેષ્ઠ ગણાય, અભાવે અન્ય ફળ પણ લઈ શકાય) અને જન્મજન્માંતરનાં પાપોના ક્ષય માટે હાથ વડે અગાઉ જણાવેલ પ્રદક્ષિણા મંત્ર મનમાં બોલી પ્રદક્ષિણા કરવી, અને છેલ્લે પ્રાર્થના કરવી કે :

‘હૈ સાવિત્રી દેવી! આપ જગતમાં સ્ત્રષ્ટા છો, બ્રહ્માજીને પ્રિય છો, બ્રાહ્મણો, સ્ત્રીઓ અને મુનિગણ પણ આપની પૂજા કરે છે. આપ સર્વે પ્રાણીઓને ત્રણે કાળમાં વંદવા યોગ્ય છો. આપને હું અંત: કરણપૂર્વક વંદન કરું છું. મેં અર્પેલ પૂજા આપ ગ્રહણ કરો, મારાં સર્વ દુ:ખોનું નિવારણ કરો, મને અખંડ સૌભાગ્ય તેમજ પુત્ર અને પૌત્રાદિકનું સુખ આપો. સત્યથી દુ:ખરૂપ સંસાર-સમુદ્રમાં આપ મારી રક્ષા કરો. હે સુરુચિ! આપ ગૌરી, ઇન્દ્રાણી, લક્ષ્મી, ચંદ્રપ્રભા અને જગન્માતા છો આપ મારો ઉદ્ધાર કરો શત, શત જન્મનાં મારાં પાપોનો ક્ષય કરો.

વિશેષમાં, વ્રતધારકે આ વ્રતના દિવસ કોઈ એક સૌભાગ્યવતીની પૂજા કરવી અને તેને સૌભાગ્યનાં અલંકારોનું યથાશકિત દાન કરવું. વ્રતકથા વિગતવાર સાંભળવી, અને સુપાત્ર બ્રહ્માણોને પણ યથાશકિત દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા. અને છેલ્લે માતાજીને ભકિત શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરતાં મનમાં ઉરચારણ કરવું.

‘સાવિત્રી, બ્રહ્મગાયત્રી, સર્વદા પ્રિયભાષિણી

તેન સત્યેન માં પાહિ દુ:ખ સંસાર સાગરાત્

વટસાવિત્રી વ્રતનું ઉધાપન
વ્રતધારકના સંકલ્પ અનુસાર યથાસમયે વ્રત પરિપૂર્ણ થતાં આ વ્રતનું ઉધાપન કરવું જેમાં સત્યવાન, બ્રહ્મા-સાવિત્રીજીની મૂર્તિનું વિધિવત્ સ્થાપન કરી પૂજન કરવું. (વડના મૂળ પાસે ગોમયનું મંડળ કરવું સત્યવાન અને સાવિત્રીની મૂર્તિનું પૂજન કરવું) બારશથી પૂિર્ણમાપર્યંત ત્રણ દિવસ પ્રતિદિન સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી. યથાશકિત દાન આપવું, વડ અથવા ઘરઆંગણે સ્થંડિલ કરી સાવિત્રીજીનો મંત્ર ભણી હોમ કરવો. અંતિમ દિને સૂર્યાસ્ત પછી રાત્રે સગાં, સ્નેહીઓ સાથે ભોજન લેવું. કર્મકાંડના જાણકાર સુપાત્ર, વિદ્વાન વિપ્ર પાસે તેમના માર્ગદર્શન અનુસાર પણ ઉધાપન વિધિ થઈ શકે છે.

==========================================================
સદગુરુ સાંઇબાબાની અપ્રતિમ ગુરુસેવા - Courtesy Jayesh Rawal
સદગુરુ સાંઇબાબાનો મહિમા જ અનેરો છે. અપાર ભકત સમુદાય પોતાના આરાઘ્ય દેવ તરીકે જે બાબાને ગુરુ માને છે, તેમનું અવતરણ જ ગુરુસ્થાનમાંથી થયું! બાબાની નાત, જાત, ધર્મ, માતા-પિતા, કુળ અને ગોત્ર વિશે કોઇ વિગતો પ્રાપ્ત થતી નથી. પરંતુ બાબા જયાંથી પ્રગટ થયા, તે સ્થાન તેમણે પોતાના ગુરુનું સ્થાન છે, તેમ ચોક્કસપણે જણાવ્યું : ‘મારા ગુરુ ચાવડીમાં એક જ જગ્યાએ બેઠા રહેતા. તેઓ સ્થાન છોડતા જ નહીં. ખાનપાન, શૌચમૂત્ર વગેરે તમામ ક્રિયાઓ તેઓ તે જ જગ્યાએ એક જ આસને કરતા. તેઓ તેમના શરીરને બિલકુલ હલાવતા નહીં. તેથી તેમને ખવડાવવા-પિવડાવવાની તેમજ તેમનાં મળમૂત્ર સાફ કરવાની બધી જ કામગીરી મારે જ કરવી પડતી. ૧૨ (બાર) વર્ષ સુધી તેમનાં ચરણમાં રહ્યો. નાનાથી મોટો ગુરુએ કર્યો, અન્ન-વસ્ત્રનો તોટો ન હતો. એમના હૃદયમાં અમાપ પ્રેમ હતો. તેઓ વાત્સલ્યની વિરલ મૂર્તિ હતા. એ સુખનું વર્ણન જ અશકય છે! હું રાત-દિવસ પ્રેમથી ગુરુનું મુખ નિહાળ્યા કરતો, મને નહોતા લાગતાં ભૂખ કે તરસ. ગુરુ વિના મારું મન અસ્વસ્થ રહેતું. જે તમે મારામાં દેખો છો, તે સર્વ મારી ગુરુસેવાનું જ ફળ છે.’ આમ જણાવી બાબાએ પોતાની ગુરુ પ્રત્યેની અપ્રતિમ ભકિતનું વર્ણન કર્યું છે.

પરંતુ આ સમૃદ્ધ અને વૈભવશાળી ગુરુ કોણ હતા, તે વિગતો કોઇને પણ બતાવી નથી. માત્ર તેમણે પોતાના અંતરંગ ભકતો મહાળસાપતિ તથા વામનરાવ સમક્ષ વાતવાતમાં નિર્દેશ કર્યો હતો કે તેમના ગુરુનું નામ ‘વેંકુશા’ અથવા ‘રોશનશા’ હતું. મુમુક્ષુઓએ આટલેથી જ પોતાની જિજ્ઞાસા સંતોષવી રહી.

એક વાર ખાસોબા દેશમુખનાં પત્ની રાધાબાઇ બાબાનાં દર્શને આવ્યાં. બાબાનાં દર્શનથી તેઓ એટલાં શ્રદ્ધાવાન બની ગયાં કે તેમણે બાબાને પોતાના ગુરુ બનાવવા તથા બાબા પાસેથી ગુરુમંત્રની દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. બાબાએ કયારેય કોઇને પોતાના શિષ્ય બનાવ્યા નથી, કે ન તો કોઇને મંત્રદીક્ષા આપી! રાધાબાઇ એ તો હઠ પકડી અને અન્નજળનો ત્યાગ કરી દીધો. આ રીતે તેમણે ત્રણ દિવસ પસાર કર્યા.

પોતે વૃદ્ધ હતાં, તેથી નકોરડા ઉપવાસ કરવાથી તેમનામાં અશકિત આવી ગઇ. આ વાતની જાણ બાબાને થઇ. તેથી બાબાએ રાધાબાઇને બોલાવ્યાં અને પોતાની સામે બેસાડી બોધ કર્યો: ‘ઓ મા! હું તને ખરી વાત કહું છું તે સાંભળ. મારા ગુરુ મહાસમર્થ અને દયાળુ હતા. હું તેમની સેવા કરીને થાકયો પણ એમણે મારા કાનમાં મંત્ર ના આપ્યો, તે ના જ આપ્યો. મેં પણ કદી એમનો આશ્રય ન છોડી એમના મુખેથી મંત્ર લેવા નિશ્ચય કર્યો હતો. ગુરુદક્ષિણા રૂપે તેમણે પણ મારી પાસેથી માત્ર બે જ પૈસા લીધા હતા, અને તે પણ વચન સ્વરૂપે : ૧ શ્રદ્ધા અને ૨ સબૂરી. મેં તો આ બંને વચનરૂપી પૈસા તરત જ સમર્પિત કર્યા. એમણે કદી મારી ઉપેક્ષા કરી નથી. હંમેશાં સંકટમાં મારું રક્ષણ કર્યું છે. જેમ કાચબી પોતાનાં બરચાંનું પોષણ માત્ર દૃષ્ટિથી જ કરે છે, તેવી જ રીતે મારા ગુરુની કૃપાદૃષ્ટિ અહર્નિશ મારા પર રહેતી. માટે માતૃશ્રી મારા ગુરુએ મારા કાનમાં મંત્ર ફૂંકયો જ નથી તો હું તમને મંત્રોપદેશ કેવી રીતે કરું? તમે અનન્ય શ્રદ્ધા રાખો. ઉપવાસ કરી શરીરમાંના આત્માને દુ:ખ ન આપો.’ આ ઉપદેશ સાંભળી રાધાબાઇના મનનું સમાધાન થયું. તેમણે શાંત ચિત્તે પારણાં કરી પૂર્ણભાવે બાબાની ભકિત કરી.

યોગસિદ્ધ અવતારી પુરુષ સાઇબાબાને ન તો કોઇ ગુરુની જરૂર હતી, કે ન કોઇ સાધનની. માત્ર પરાપૂર્વથી ચાલતી આવતી ગુરુપરંપરા નિભાવવા અને જિજ્ઞાસુઓને બોધપાઠ આપવા ખાતર જ તેમણે આ પ્રમાણે ગુરુવ્રત આચરી બતાવ્યું. ગુરુસ્થાનની જગ્યાને પવિત્ર રાખવા માટે તેમણે જાતે સીંચન કરીને ‘લેડી બાગ’ ઉછેર્યો. જેમાં તેઓ દરરોજ દિવસમાં બે વાર એકાંતમાં આત્મઘ્યાન માટે જતા. અબ્દુલ્લા બાબા સિવાય આ બગીચામાં જવાની કોઇને છૂટ ન હતી. આમ કરી બાબાએ પોતાના ભકતોને સંદેશ આપ્યો કે ગુરુસ્થાન એટલે કે પોતાનું પૂજાસ્થાન હંમેશાં પવિત્ર રાખવું. ત્યાં કોઇની વધારાની અવરજવર ન થાય તે માટે એકાંત જાળવી બંધ રાખવું. દરરોજ આત્મઘ્યાન કરવાની ટેવ રાખવી. Babani ગુરુસેવા એ ભકતોનાં આત્મજ્ઞાનનાં દ્વાર ખોલવા માટેના બોધરૂપ છે. સમગ્ર જગતની નજરે સાંઇબાબા એક આદર્શ ગુરુસ્વરૂપ છે પરંતુ તેઓએ પોતાને એક શ્રેષ્ઠ શિષ્ય તરીકે પ્રસ્તુત કર્યા હતા! વૈરાગ્યના સર્વોરચ શિખરે તેઓ બિરાજમાન હતા. પોતાના ભકતોના આંતરમનના બગીચાને ખીલેલો રાખવા તથા આંતરિક ચેતનાઓ સતત જાગૃત રાખવા માટે જ બાબા દૃષ્ટાંતરૂપી કાર્ય કરતા રહ્યા!
========================================================

અવધૂત અવતાર સાંઈ - પહેરવેશ તથા નિત્યક્રમ - Courtesy જયેશ રાવલ
સાડા પાંચ ફૂટની કાયા ધરાવતા અવધૂત યોગીરૂપ બાબાનું જીવન નિરાળું હતું. તેમની રહેણીકરણી પ્રાકૃતિક રહેતી. ચલમ, સટકો, ઝોળી અને પતરાના ટમલર સિવાય કોઈ મૂડી બાબા પાસે ન હતી. તેમ છતાં તેમનું જીવનદર્શન ભવ્ય અને વૈભવશાળી ભાસતું હતું. શિરડીમાં પ્રગટ થયા ત્યારે માથે સટકો, શરીરે લાંબી લીલા રંગની કફની, કેડે લુંગી અને લાંબા વધારેલા વાળ રાખતા. તેઓ પહેલવાનો જેવો પોષાક ધારણ કરતાં.

આ સમયે શિરડીમાં મોહયુદ્દીન તંબોળી નામનો કુસ્તીબાજ રહેતો. તે પાનના કરંડિયા લાવી વેચવાનું કામ કરતો. પરંતુ તે જયાં ત્યાં બાબાની નિંદા કર્યા કરતો. ઇ.સ. ૧૮૭૭માં તેણે બાબાના આવા પહેરવેશની સખત ટીકા કરી અને બાબાની સાથે ટંટો કર્યો. બંને વરચે મલ્લકુસ્તી થઈ, બાબા હારી ગયા. તે જ સમયે બાબાએ તેમના શરીર પરનાં તમામ કપડાં ઉતારી ધૂણીમાં નાખી ભસ્મ કરી દીધાં. આ સ્થિતિમાં માધવરાવ ‘શ્યામા’ એ તરત જ માદરપાટની એક સફેદ કફની બાબાને પહેરાવી દીધી અને બાબાને શાંત કર્યા. બસ ત્યારથી બાબાએ કાયમ ખાતે પહેરવેશ બદલી નાખ્યો. આ તંબોળી એ ત્યાર પછી કાયમ ખાતે શિરડી છોડી દીધું.

બાબા માદરપાટની કફની ઘૂંટણથી નીચે સુધી પહેરતા. ૨ વારનો ડબલ સીવેલો સટકો માથે બાંધતા, જેનો છેડો ડાબા કાનથી નીચે ખભા સુધી લટકતો રાખતા. કેડે લુંગી વીંટતા તથા અંદર કોપિન-લંગોટી પહેરતા. બાબાનાં વસ્ત્રો બાલા શિમ્પિ નામનો દરજી સીવતો. જૂનાં પુરાણાં વસ્ત્રો પહેરવામાં જ બાબાને આનંદ આવતો. તેઓ કહેતા ‘અમીરી કરતાં ફકીરી ઉત્તમ છે. ફકીરીની તોલે કોઈ ચીજ ન આવે.’ બાબા કયારેય પગરખાં પહેરતાં નહીં. કંતાનના આસન પર જ બેસતા તથા ઇંટ ઉપર માથું ટેકવીને જ સૂઈ જતા હતા!

બાબાનો રોજિંદો ક્રમ સમયબદ્ધ રીતે ગોઠવાયેલો રહેતો. તેઓ વહેલી પરોઢે બ્રાહ્મમુહૂર્તમાં ઠી દક્ષિણાભિમુખ થઈ ધૂણી પાસે બેસતા. ત્યાર પછી કયારેક શૌચક્રિયા કરી પોતાના હાથે જ સાફ કરી દેતા. એટલામાં ભગોજી શિંદે આવતા. તેઓ બાબાના જમણા હાથનો પાટો છોડીને માલિશ કરતાં. તેમ જ આખા શરીરે ચંપી (મસાજ) કરતાં. પછી ચલમ સળગાવી પ્રથમ બાબાના હાથમાં આપતા. તેઓ થોડા દમ મારી પછી ભગોજીને પીવા આપતાં. આ રીતે ચાર-પાંચ વાર ચલમની આપ - લે થતી. પૂરો કસ લીધા પછી ભાગોજી જતા. આ ભાગોજીને રકતપિત્તનો ચેપી રોગ થયો હતો, છતાં બાબાએ કદી તેની ધૃણા કરી નથી.

પછી નિયમિત ભકત મંડળી આવી સેવાકાર્ય કરતી. જેમાં અબ્દુલ્લા બાબા અને રાધાકૃષ્ણા માઈ મસીદથી લેન્ડીબાગ સુધીનો રસ્તો વાળી સાફ કરતાં. રસ્તા ઉપરથી ઢોર-ઢાંખળ અને બાળકોની અઘાર પણ ઉપાડી લેતાં. તેમના આ કામમાં વામનરાવ પણ સહાય કરતા! ત્યાર પછી બાબા મુખ પક્ષાલન કરતા. હાથ - મોં પર ખૂબ પાણી છાંટી શરીરનું દરેક અંગ સ્વરછ કરતાં. તેમની આ ક્રિયા દર્શનીય રહેતી. બાબા કયારેય દાતણ કરતા નહીં. તેમ જ અઠવાડિયે પંદર દિવસે એકાદ વાર જ પૂર્ણ સ્નાન કરતા. તેઓ કહેતા : ‘મારા જેવા ફકીરને વળી સ્નાનની શી જરૂર?’
આ પછી બાબા જેવા ગાદી પર બેસતા કે તરત જ તમાશાવાળો મહેબૂબ, નાચવાવાળો નથ્થુશા, ભજન કરતાં ઢોંગી મહારાજ, જીવતા વીંછી પહેરેલા હારવાળો, બનાવટી ઘોડાગાડીવાળો, લોટાવાળો, સળગતા કાકડાવાળો અંગરશા ફકીર, નારાયણ લુહારની નાચનારી પ્રેમિકા, માધા શિંદેની રખાત તથા સુંદરી અને ભાગ્યી નામની વેશ્યાઓ આ બધા વારાફરતી આવી પોત-પોતાના ખેલ કરતા. બાબા તેમને ૩૦-૩૫ રૂપિયા રોજ વહેંચતા. આ પછી ફળવાળો આવે એટલે આખો ટોપલો જ ખરીદી લેતા અને તે જાતે કાપી ભકતોને આપતા. લાકડાની ગાડીવાળો આવે એટલે આખું ગાડું જ દ્વારકામાઈના આંગણામાં ઠલાવી દેતા. તેમાંથી જોઈતાં લાકડાં રાખતા, બાકીના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો લઈ જતાં. બાબા કોઈને રોકતા કે ટોકતા નહીં. બાબાના દરબારમાં બધા જ સચવાતા! આ બધો ખેલ સવારે નવ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો.

પછી બાબા નિયત કરેલા પાંચ ધેર ભિક્ષા માંગવા જતા. આવીને થોડું જમતા. બાકીનું કુંડામાં મૂકતા જેમાંથી પશુ-પક્ષી અને ભિખારીઓ પણ ખાતા. પછી બાબા લેન્ડીબાગ જતા. ત્યાં કલાક રોકાઈને પરત આવતા. દિવસમાં ત્રણ વાર બાબાનો દરબાર ભરાતો. ભકતો સાથે બાબા થોડો જ વાર્તાલાપ કરતા. કયારેક બોધ પણ આપતા. બાબા કયારેક લીમડાના ઝાડ નીચે તો કયારેક શિવ વહેરા ઉપર જતા. કોઈક વાર રાહતા કે નીમગામ પણ જતા. કયારેક તકિયાવાળી જગ્યામાં જઈ ભકતો સાથે પગે ધૂધરા બાંધી નૃત્ય પણ કરતાં. તેમના મોંમાંથી સતત ‘અલ્લાહ માલિક’નો શબ્દ ઘ્વનિ ગુંજતો રહેતો. દ્વારકામાઈમાં યોગનિદ્રા જ કરતા. મહાળસાપતિ અને તાત્યા પાટિલ બાબાના શયનખંડના કાયમી સંગાથી હતા. એકાંતરે બાબા ચાવડીમાં સૂવા જતા. અહીં તેઓ એક ઉપર એક એમ ૬૦ જેટલી ચાદરો બિછાવી એકલા જ સૂઈ જતા.

==========================================================

તુલસીથી મળે છે સમૃદ્ધિ - Courtesy ડો. શ્રીકૃષ્ણ
ઘરઆંગણે તુલસી હોવી તે શુકનિયાળ તો છે જ સાથે ધનપ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને સુખ સહિત પ્રભુકૃપાનો પણ સૂચક છે. વરસાદની ઋતુ શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આ સમયગાળામાં તુલસીનાં માંજર રોપવા શુભ મનાય છે. આમ પણ તુલસીનાં બીજ વરસાદી પાણીથી અંકુરિત થાય છે, અને છોડ પણ આ જ પાણીથી વિકસે છે. આ દરમિયાન રવિવાર, આઠમ, અમાસના દિવસને બાદ કરીને બાકીના દિવસોએ તુલસીનો છોડ જરૂર રોપવો જોઈએ.

ઘરમાં લોકો મોટા ભાગે કૂંડામાં જ તુલસી રોપે છે, જયારે તુલસી માટે અલગથી કયારો હોવો જોઈએ. વિશાળ કંપાઉન્ડમાં રામ-શ્યામ બંને પ્રકારના તુલસીના છોડ રોપવા જોઈએ. જો તુલસી કયારો ઇશાન ખૂણામાં હોય તો વધુ શુભ ગણાય છે. સાથે એક ધાતુના આસન પર શાલિગ્રામ પણ બિરાજિત કરશો તો વધુ સારું. જયાં પતિ-પત્નીમાં અણબનાવ રહેતો હોય ત્યાં તુલસી નિયમિત શાલિગ્રામને અર્પણ કરવા જોઈએ. આ સંકલ્પ કરવાથી સારું પરિણામ મળે છે. દેવીપુરાણમાં કહ્યું છે કે જયાં તુલસીવન (વૃંદાવન) છે ત્યાં લક્ષ્મીજી અને સરસ્વતીજીની સાથે ભગવાન જનાર્દન સ્વયં બિરાજમાન છે.

ઘરમાં તુલસી કયારો મોટો અને એવી રીતે બનાવો કે તેની નિયમિત પ્રદક્ષિણા કરી શકીએ. કહેવાય છે કે તુલસીની પ્રદક્ષિણાથી સાક્ષાત્ વિષ્ણુની પ્રદક્ષિણા થઈ જાય છે. આનાથી સામાન્ય રોગથી લઈને તણાવ, હતાશા અને કુદૃષ્ટિ જેવી અડચણોનું પણ નિવારણ થાય છે. તુલસીના સેવનથી અને પૂજનથી નિશ્ચિત લાભ આપે છે.

આજકાલ તુલસીની કેટલીક વિવિધ જાતો જેમ કે લીંબુ તુલસી, લવિંગ તુલસી, કપૂર તુલસી, રામ તુલસી, શ્યામ તુલસી, રાધા તુલસી, વન તુલસી, જંગલી તુલસી, ગુલાબ તુલસી, મીઠી તુલસી, હરિ તુલસી, ફ્રેન્ચ તુલસી, વિલાયતી તુલસી વગેરે મળી જાય છે.

......................................… તુલસી મહિમા માટે પુરાણોમાં કહ્યું છે કે દરેકની રક્ષક, વિશ્વાત્મા ભગવાન પુરુષોત્તમ તુલસીમાં પ્રતિષ્ઠા પામેલ છે.
.....................................… દર્શન, સ્પર્શ, નામ-સ્મરણ, ધારણ અને પ્રદાન કરવાથી પણ તુલસી વ્યકિતનાં પાપોને નાશ કરે છે.
....................................… સવારે ઊઠીને સ્નાન કરી તુલસીનાં દર્શન કરે છે તેને દરેક તીર્થની યાત્રાનું ફળ જરૂર મળે છે. જે દિવસે તુલસીનાં દર્શન કરો તે દિવસ શુભ ગણાય છે.

==========================================================